Thursday, March 12, 2015

"I will build my home myself……"

VSSM’s Tohid has been instrumental in opening bank accounts of  the nomadic families staying in Vijapur and ensuring that these families form a habit of saving money on regular basis. On Sunday I received a call from him. His sounded very cheerful and enthusiastic. 

“Bachubhai Salat has paid off the loan he had taken for buying a carrier rickshaw and in last 4 months he has saved Rs. 41,000,” informed Tohid. 

Bachubhai drove a rented rickshaw. Later he chose to buy his own rickshaw and instead of paying rentals pay the instalments. He worked really hard, paid of the loan and become debt free. 

All through this period Tohid has been guiding him in managing his money. Once the loan was paid of he asked him to begin saving so that he has savings in time of need. 

On Sunday Bachubhai showed his bank pass book to Tohid seeing which Tohid was extremely delighted. “I will build my house with my money” 

Its their sheer handwork that is pulling these families out of poverty.. may they rise always….

In the picture Bachubhai with his carrier auto and bank passbook.

‘મારું ઘર હું જાતે બનાવીશ’

વિજાપુરમાં રહેતાં સલાટ પરિવારોને બેંકમાં ખાતા ખોલાવી અને નિયમિત બચત કરતા કરવાનું કામ vssmના કાર્યકર તોહીદે કરાવ્યું. દર મહીને દરેક વ્યક્તિ બેંકમાં પૈસા જમા કરાવવા જાય છે કે નહિ એનું પણ એ બરાબર ધ્યાન રાખે. રવિવારે તોહીદનો ફોન આવ્યો. ખુબ જ ઉત્સાહ એના અવાજમાં હતો. 

‘બચુભાઈ સલાટે ટેમ્પાની લોન ભરી દીધી અને છેલ્લા ૪ મહિનામાં રૂ.૪૧,૦૦૦ ની બચત કરી..’ 

ભાડાની રીક્ષા ચાલવતા બચુભાઈએ ભાડાની રીક્ષા ચલાવવા કરતા પોતાની  લોડીંગ રીક્ષા  ખરીદવાનું નક્કી કર્યું મૂળ તો ભાડું ભરે એટલા રૂપિયા લોનના રૂપમાં ભરે તો રીક્ષા પોતાની થઇ જાય. રીક્ષા ખરીદી અને દિવસ રાત મહેનત કરી. આખરે દેવા મુક્ત થયા. લોડીંગ રીક્ષા પોતાની થઇ ગઈ. 

તોહીદ બચુભાઈને કામ અપાવવામાં પણ મદદ કરે અને સાથે સાથે માર્ગદર્શન પણ આપે. લોન ભરપાઈના સમાચાર બચુભાઈ એ આપ્યા કે, તોહીદે બચત કરવાનું કહ્યું. આ બચત જયારે જરૂર પડે ઉપયોગમાં લઇ શકાય અને કોઈ સામે હાથ લાંબો ના કરવો પડે.

આ વાતને ચાર મહિના થાય. રવિવારે બચુભાઈએ તોહીદને પાસ બુક બતાવી. જે જોઇને તોહીદ રાજી થઇ ગયો. બચુભાઈ કહે છે, ‘મારું ઘર હું જાતે બનાવીશ’ અથાગ મહેનતથી આ પરિવારો ધીમે ધીમે દરિદ્રતામાંથી ઉપર ઉઠે એજ અભ્યર્થના ..


ફોટોમાં બચુભાઈ એમની લોડીંગ રીક્ષા સાથે અને રૂ.૪૧,૦૦૦ની બચત દર્શાવતી એમની પાસબૂક..

‘They tried to bribe me…."

Jayantibhai called sounding rather depressed and agonised, “ I haven’t been able to sleep the whole last night, I was sure to die but there must be something that saved be, its difficult to understand all these difficulties…..” it was difficult to comprehend what Jayantibhai was speaking out….”What are you trying to say Jayantibhai??”  

"What happened?” I asked….

“There were some pending  payments regarding the the construction of 155 Vadee homes in Dhangadhra, so I called the concerned parties to come over with the bills. Later it  would be difficult cause I was to get busy with the exams of my daughter who is to appear for the 10th Board exams. I did not wish to delay the payments. I also called up the  vendor who supplies sand at our sites asking him to submit the bill on the number of tractor loads of sand delivered on site ( we also keep the details but the numbers are required from them), ” narrated Jayantibhai. 

The vendor asked Jayantibhai to come and take the bills from his house to which Jayantibhai refused as he had no time also it was impossible for him to do rounds of houses of people to collect bills and make payments. Through the day the sand vendor made frequent calls to Jayantibhai asking him where he was. It really confused Jayantibhai. Finally at 5.30 when the vendor called again Jayantibhai asked him to meet up at the Kuda highway. 

When they the vendor gave him the bills along with Rs. 5000 in cash. ‘

“What is this for?” asked Jayantibhai

“for you to buy sarees for my sister (Jayantibhai’s wife)” he replied.

This shocked Jayantibhai, for a moment he was unable to comprehend what was going on. Th vendor was trying to bribe him…. so that he can bill as much as he wished!!! 

“This 5,000 you keep with yourself. You may come with sarees for your sister when we have a public  program once the settlement is constructed and gift it to her in during this program.  Right now we need donations to complete the construction of the settlements so donate as much as you want to this cause. We shall give you a receipt..” replied Jayantibhai. 

The vendor was taken a back with this reply. He just kicked off on his bike. 

"It is not the vendor’s fault, its the mindset that’s cultivated with the environment of corruption all around. He  feel that’s how the system works,”felt Jayantibhai.

“I want God to save me from all these distractions, had i accepted the money I would be dead. I want to live to help my extended family - the members of nomadic communities he serves day in - day out. I would want God to cll me to him if I think anything otherwise!!!” were Jayantibhai’s call from within. 

VSSM is blessed to have within its team members as dedicated and honest as Jayantibhai. Honestly, its because of such members we are able to dp the kind of work we are doing. We are extremely proud of our team. 

Salute Jayantibhai….

In the picture Jayantibhai with children of Bridge school at Bherda settlement. 

‘એ મને લાંચ આપી રહ્યા હતાં’

‘બહેન આખી રાત મનોમંથનમાં ગઈ... હું મરતાં મરતાં બચ્યો છું અને હું જીવતો રહ્યો છું તો એની પાછળ કંઇક કારણ છે. ત્યારે આ બધી અડચણો સમજાતી નથી.’ આવું vssmના કાર્યકર જયંતીભાઈ એ કહ્યું, ત્યારે પ્રથમ તો સમજાયું નહિ કે એ કહેવા શું માંગે છે.. મે પૂછ્યું,
‘પણ થયું શું?’
‘ધ્રાંગધ્રામાં આપણા કામ સંદર્ભે (વાદી પરિવારોના ૧૫૫ પરિવારોના ઘર બાંધવાનું કામ ચાલી રહ્યું છે) અમુક લોકોના પેમેન્ટ બાકી છે. મે એ સૌને કહ્યું, તમારાં બીલો આપી જાવ અને ચેક લઇ જાવ. પછી મારી દીકરીની ૧૦માં ધોરણ ની પરીક્ષા શરુ થાય છે એટલે હું ૧૫ દિવસ નહિ આવી શકું.  તમારું પેમેન્ટ અટકશે. એમાં જે ભાઈ પાસેથી આપણે  રેતી લઈએ છીએ ને એને પણ મે ફોન કર્યો કે, ટ્રેક્ટરના ફેરાની ગણતરી સાથેનું બીલ આપી જાવ.(આપણી પાસે ફેરાની ગણતરી હોય જ છે) એટલે એમણે પૂછ્યું, 
‘તમે ક્યાં છો?’ 
‘હું તો વસાહતમાં જ છું’ 
ઘરે આવીને લઇ જાવ.’
મે એમને ના પાડી. સમય જ નથી રહેતો એમાં બીલો લેવા ઘરે ઘેરે ફરું તો પાર ક્યારે આવે? એ પછી એમનો આખા દિવસમાં ચારવાર ફોન આવ્યો. ક્યાં છો જયંતીભાઈ? ઘરે જવા નીકળ્યા? વગેરે વગેરે .. મને કંઈ સમજણ ના પડી કે, આ વારે વારે આમ કેમ પૂછે છે.. છેવટે એમનો ૫.૩૦ વાગે ફોન આવ્યો અને ફરી એજ સવાલ ‘ક્યાં છો?’ મેં કહ્યું ,‘બસ નીકળું છું’ એમણે કહ્યું, ‘કુડા ચોકડી ઉભા રહો હું બીલ આપી જાઉં છું’ મેં હા પાડી...કુડા ચોકડી એ આવ્યાં, એમણે બીલની સાથે રૂ.૫,૦૦૦ આપ્યાં. મે પૂછ્યું, ‘ આ કેમ?’ 
‘મારી બેનના(જયંતીભાઈની પત્નીના)  કપડાં લાવજો’
જયંતીભાઈએ કહ્યું, ‘બહેન એમણે આવું કહ્યું, એટલે મારા મનમાં એટલો મોટો ધ્રાસકો પડ્યો.. એ મને લાંચ આપી રહ્યા હતાં... રેતીના ફેરામાં જેટલાં લખવા હોય એટલાં લખી શકાય એટલા માટે.... મેં એમને કહ્યું, ‘આ રૂ.૫,૦૦૦ તમારી પાસે રાખો. અને તમારે તમારી બેનને(જયંતીભાઈની પત્નીને) કપડાં જ આપવા છે, તો વસાહતના તમામ મકાન પુરા થશે પછી મોટો કાર્યક્રમ થશે એ વખતે બધાની હાજરીમાં બહેનને આપજો.. બાકી હાલતો વસાહતના બાંધકામમાં દાનની જરૂર છે એમાં જેટલાં આપવા હોય એટલા આપો. પાકી પહોંચ પણ આપીશું...’  આવું કહ્યું, એટલે એ તો ચુપ થઇ ગયા.. આમ તો કાપો તો લોહીના નીકળે એવાં.. અને બાઈકને કિક મારીને નીકળી ગયાં.’

આ ઘટનામાં એમનો વાંક નથી જોતાં પણ મૂળ એમને આ પ્રકારે કામ કરવાની ટેવ પડી છે એટલે એમની ભાષામાં કહીએ તો વ્યવહાર કરે છે.. મૂળ પ્રશ્ન સિસ્ટમનો છે વગર પૈસે તે આ બધું ચાલતું હશે?? એનું આ ઉદાહરણ છે..

જયંતીભાઈ કહે છે એમ, ‘ભગવાન આ બધાથી બચાવે.. હું મરતા મરતા બચ્યો એનું કારણ મારે મારાં આ બધાં પરિવારો(વિચરતા)ના કામમાં નિમિત બનવાનું હશે. અને એમાં જો જીવ લપસી પડે તો બધું નકામું થઇ જાય એના કરતાં ભગવાન લઇ લે એ વધારે સારું...’

vssm ની ટીમમાં આવા જ સંનિષ્ઠ કાર્યકરો છે અને એટલે જ આ કામો થઇ શકે છે.. સંસ્થાને એની આવી સુંદર મજાની ટીમ ઉપર ગર્વ છે... અને જયંતીભાઈની નીસ્બતને સલામ..

Dhaval Bajaniyaa makes us proud…

Dhaval is a class 8th student currently staying with the VSSM run hostel in Radhanpur. He hails from a community with extremely poor level of literacy but Dhaval’s mother Menaben is determined to educate him all the way.   Dhaval lost his father when he was very young, his two elder brothers are married and fend their families by working as daily wage earners. Menaben dreams of a different future for Dhaval who is a very intelligent boy. Menaben works hard to ensure Dhaval gets to go to school, so she enrolled him in the Radhapur hostel. 

Recently Dhaval stood first in a block level inter school painting competition making us extremely proud of his achievement. Dhaval is excellent with his studies as well and he sure is going to make his community proud as well. 

Dhaval in the background is his mother seated near his home...

તાલુકા કક્ષાએ આયોજિત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ – ધવલ બજાણિયા
ધોરણ ૮માં ભણતો ધવલ રાધનપુર તાલુકામાં આયોજિત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવ્યો. ચિત્રની સાથે સાથે ભણવામાં પણ તે અવ્વલ છે. આરતી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ચાલતી આપણી હોસ્ટેલમાં એ ભણે. ઉત્તર ગુજરાતના હારીજ ગામમાં એનો પરિવાર રહે. માતા મેનાબહેન ઘર કામ કરે અને ધવલને ભણાવે. પિતાની છત્રછાયા તો એણે નાનપણમાં જ ગુમાવી દીધેલી. બે મોટાભાઈ લગ્ન કરીને અલગ રહે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે. મેનાબહેનની એક જ ધગશ ધવલને ખુબ ભણાવવો છે અને ધવલ પણ મેનાબહેન જે મહેનત કરે છે એ જુએ છે અને એટલે ખુબ મહેનત કરે છે.

બજાણિયા સમાજમાં આમ પણ ભણતર ખુબ ઓછું છે એમાં ધવલ જેવા છોકરાંઓની નાની સફળતા પણ સમગ્ર સમાજ માટે ઉદાહરણરૂપ બને છે.

ફોટોમાં ધવલ, પાછળ એનું ઘર અને ઉમરે બેઠેલા મેનાબહેન

Monday, March 09, 2015

Together they can….

Rameshbhai Oad and his family  reside in Ramol-Rajivnagar Tekra. The family has been staying at this place for many years now. Rajeshbhai and his wife Tejaben have a daughter and three sons. The daughter is married and stays in her marital house. Rameshbhai’s elder two sons are daily wage earners while his youngest son is currently studying in 10 grade. The house this family lives in is nothing more than a mud house. With such minimal income and inadequate space the family was unable to bring home the wives of two elder sons who have been married. With the limited income Rameshbhai earned by driving an auto to ferry goods it was impossible to build a decent home.  Tejaben with all the minimal resources she had tried holding the family together. 

Rajeshbhai tried buying an old rickshaw but the repairs and maintenance  a second hand vehicle incurred  were so high that the earnings hardly reached home. Compared to this the earnings are good in a brand new vehicle but he had no money to buy a new vehicle. 

VSSM’s Chayaben who works with the nomadic communities in Ramol knew Rameshbhai and the family’s  concerns. She got to know that Rameshbhai is contemplating of buying a brand new auto for ferrying goods. She offered to support by extending a loan of Rs. 30,000 from VSSM. The rest of the amount was managed from a finance company. The only concern was will Rameshbhai manage to payoff two loans together?? But he is a hardworking man and has managed to pay the scheduled instalments so far. He has repaid half the loan of VSSM already. 

Rameshbhai hires a person to help him load goods in the carrier. Tejaben felt she can pitch in. She asked her husband to stop hiring someone else instead she will join him and load the goods. That ways they would save the Rs. 200 that are to be paid to some one else and be debt free soon. The couple leaves the home early, they dream of building a home and educating their youngest son all the way. 

The family is determined to pull itself out of the clutches of extreme poverty, with their will to  hard work and wisdom they sure will succeed …. 


‘ટેમ્પામાં સામાન ભરાવવામાં મદદ માટે હું તમારી સાથે આવીશ’ – તેજાબહેન

અમદાવાદના રામોલ- રાજીવનગર ટેકરા પર રમેશભાઈ ઓડ અને તેમનો પરિવાર વર્ષોથી રહે. પરિવારમાં ૩ દીકરા અને એક દીકરી. દીકરી પરણીને સાસરે ગઈ અને બે દીકરા છૂટક મજૂરી કરે. ભાડાની રીક્ષા પણ ચલાવે. નાનો દીકરો ધો.૧૦માં ભણે. પત્ની તેજાબહેને આખા પરિવારને એક તાંતણે બાંધી રાખેલો. 
રમેશભાઈ જે સ્થિતિમાં રહેતાં એમાં પોતાનું ઘર ઉભું કરતાં વર્ષો લાગી જાય. વળી બે જુવાન દીકરાના લગ્ન થયેલાં પણ વહુને તેડી લાવવાંમાં મૂંઝાય. મૂળ તો ઘર (માટીથી બનાવેલું કાચું છાપરું) ખુબ નાનું. સારી આવક ઊભી કરવી અત્યંત જરૂરી.. લોડીંગ રીક્ષા એ ભાડે ચલાવે. ધીમે ધીમે જૂનામાં ખરીદી પણ ખરી પણ મેન્ટેનન્સ ખુબ આવે. નવી લોડીંગ રીક્ષામાં મળતર સારું મળે પણ એ ખરીદવા ઝાઝા પૈસા નહિ. 

vssmના કાર્યકર છાયા રામોલ વિસ્તારમાં રહેતાં વિચરતા પરિવારો સાથે કામ કરે. રમેશભાઈ અને તેમના પરિવાર સાથેનો એમનો સંબંધ પણ ઘર જેવો થયો. આમ તો vssmના દરેક કાર્યકરનો દરેક પરિવાર સાથે આવો જ નાતો હોય છે. રમેશભાઈ નવી  લોડીંગ રીક્ષા ખરીદવા ઈચ્છે છે, એ છાયાબહેનને ખબર પડી. આર્થિક મૂંઝવણનો ઉકેલ એમણે રમેશભાઈને આપ્યો. રૂ.૩૦,૦૦૦ ની લોન vssm માંથી આપી અને બાકીની લોન એમણે ફાઈનાન્સમાંથી લીધી. બંને લોન એક સાથે ભરાશે કે કેમ એ પ્રશ્ન હતો પણ રમેશભાઈને પોતાના ઉપર ભરોષો હતો. એમણે લોડીંગ રીક્ષા ખરીદી. રમેશભાઈ ખુબ મહેનત કરે છે અને સારું કમાય છે. vssm માંથી લીધીલી લોનમાંથી રૂ.૧૫,૦૦૦ તો એમણે ભરી પણ દીધા.

રમેશભાઈને લોડીંગ રીક્ષામાં સામાન ઉપાડવામાં મદદ કરવાં માટે એક માણસને રાખવો પડે જેને રૂ.૨૦૦ આપવાના થાય. બન્ને દીકરા પણ મજૂરી કરે, રીક્ષા ચલાવે અને પ્રમાણમાં સારું કમાય. રમેશભાઈના પત્ની તેજાબહેન ઘરે બેઠા કંઈ કામ મળે તો કરતાં. એમણે રમેશભાઈને કહ્યું, ‘ટેમ્પામાં સામાન ભરાવવામાં મદદ માટે હું તમારી સાથે આવીશ. જેથી બીજા કોઈને રાખવા ના પડે અને આપણે જલ્દી દેવા મુક્ત થઈ શકીએ.’ રમેશભાઈ અને તેજાબહેન વહેલી સવારે પરવારી ટીફીન લઈને કામે નીકળી પડે છે. પોતાનું ઘર ઉભું કરવાનું સ્વપ્ન છે સાથે સાથે નાના દીકરાને ખુબ ભણાવવો પણ છે.. તેજાબહેનની સમજણને અને કોઈની મદદની રાહ જોયા વગર પોતાની રીતે બેઠા થવાની ઈચ્છા રાખનાર રમેશભાઈને સલામ ..

ફોટોમાં રમેશભાઈ અને તેજાબહેન એમની લોડીંગ રીક્ષા સાથે ...

Sunday, March 08, 2015

4th march meeting with Mehsana district collector and officials…..



A sizeable population of nomadic communities stay in various parts of Mehsana district. The challenges these families face everyday are immense and there is a long list of pending applications waiting in various administrative offices waiting to see light of the day!! We have made presentations at multiple levels to get the issued resolved but there are no significant developments. The officials willing to make a difference are doing the best they can do but the issues are so many both in numbers and types that resolving them would require determined and collective efforts by the officials. We brought the issue to the notice of district Collector requesting  him to call review meeting on the pending issues with participation of all the block level officials. The Collector sensed the rationale behind our request and convened a meeting on 4th March 2015. 


The officials were really supportive and positive assuring us speedy resolutions to the pending issues. We are hopeful that after the meeting things will change for better now…

Picture is of meeting underway….

મહેસાણા જીલ્લામાં અસ્થાઈ વસવાટ કરતા વિચરતા સમુદાયોના પ્રશ્નો સંદર્ભે અધિક કલેકટર શ્રીની અધ્ક્ષતામાં બેઠક યોજાઈ

મહેસાણા જીલ્લામાં રહેતાં વિચરતી જાતિના પરિવારો જે પારાવાર મશ્કેલી વેઠી રહ્યા છે એ મુશ્કેલી સંદર્ભે અવારનવાર કલેકટર શ્રી થી લઈને નીચેના સ્તરે દરેક અધિકારીને રજૂઆત કરી પણ કોઈ પરિણામ મળતું નહોતું. કેટલીક જગ્યાએ અધિકારી સારા છે તેઓ એમના સ્તરેથી શક્ય કામ પતાવવાની કોશિશ કરે છતાં ખુબ મોટા પાયે વિચરતી જાતિના પેન્ડીંગ કામો આ જીલ્લામાં છે. આ અંગે કલેકટર શ્રીને રજૂઆત કરી અને દરેક તાલુકાના અધિકારી સાથે આ પરિવારોના પ્રશ્નો સંદર્ભે કરેલી રજૂઆતની રીવ્યુ મીટીંગ ગોઠવવા વિનંતી કરી. જે તા.૪ માર્ચ ૨૦૧૫ના રોજ અધિક કલેકટર શ્રીના અધ્ક્ષતામાં યોજાઈ.

બેઠકમાં દરેક અધિકારીએ ખુબ હકારાત્મક રીતે આ જાતિઓના પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી. અમને સૌને આશા છે કે હવે કામની ગતિ વધશે અને ઝડપથી વિચરતા પરિવારોના પ્રશ્નો ઉકેલાશે...

ફોટોમાં અધિક કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત અધિકારી અને vssmના કાર્યકરો..

No ration cards for Meer community says a resolution by Hansalpur Grampanchyat



The Meer and Salat families living in Hanslapur village of Viramgaum block acquired their Voter ID cards last year. These families have been residing in the in the village since long but the moment they acquired Voter ID cards the villagers removed them from the village because they did not want these families to acquire any identity proofs from this village. The Salat families left the village boundaries but the 14 Meer families continued to stay  around the village. Th families had developed a sense of belonging to the village, it was the village they came back to. The families also earned their livelihood from this village so where else would they go?? The families earn their living by selling the various items of truck decor. Hansalpur falls on the Ahmedabad-Kutchh highway and the business is brisk here. So staying here was good for them.


The application for the ration card was made in the office of Mamlatdar. The officials including the Mamlatdar are quite cooperative and still it was difficult getting the ration cards!!!  The case was followed up on regular basis. A couple of days ago we were told by the Mamlatdar , "that the Hansalpur gram panchayat has issued a resolution saying not to issue any ration cards to these families. So we are struggling to find a way out!! But don’t worry we’ll wrk out something,” she said assuring VSSM’s Jayantibhai and Mohanbhai who were taken aback by the revelation the Mamlatdar had just made.

and so the struggles continue……….

મીરને રેશનકાર્ડ નહિ આપવાનો હાંસલપુર ગ્રામપંચાયતે ઠરાવ કર્યો છે!

અમદાવાદના વિરમગામ તાલુકાના હાંસલપુર ગામમાં વિચરતી જાતીમાંના મીર અને સલાટ પરિવારો વસવાટ કરે. આ પરિવારોને ૧ વર્ષ પહેલાં આપણે મતદાર કાર્ડ અપાવવામાં મદદ કરેલી. પણ જેવા મતદારકાર્ડ મળ્યા કે ગામના લોકોએ એમને ગામમાંથી કાઢી મુક્યા મૂળ તો પોતાના ગામના કોઈ આધારો આપવા ના પડે એ માટે થઈને. 
સલાટ પરિવારો ગામ છોડીને જતા રહ્યા પણ મીર સમુદાયના ૧૪ પરિવારો હાંસલપુર આસપાસના વિસ્તારમાં જ રહ્યા મૂળ જીવ આ ગામની ભૂમિ સાથે મળી ગયેલો એટલે છોડવાનું મન થાય નહી પણ ગામ લોકો આટલી સાદી વાત સમજે નહિ.
આ પરિવારોની અદમ્ય ફરતાં ઈચ્છા હાંસલપુર ગામમાં જ રહેવાની એની પાછળ કારણો પણ હતાં. મીર લોકો ટ્રક જેવા વહનોનો શણગાર વેચવાનું કરે અને હાંસલપુર અમદાવાદ- કચ્છ હાઇવે પર આવેલું ગામ એટલે ખુબ વાહનો પસાર થાય અને ધંધો પણ સારો ચાલે. 
આ પરિવારોના રેશનકાર્ડ માટે આપણે મામલતદાર કચેરીમાં અરજી કરી. વહીવટીતંત્ર ખુબ સારું. મામલતદાર બહેન પણ ખુબ સારા. છતાં કાર્ડ નીકળે નહિ. વારંવારની રજૂઆત કરતાં. એમણે બે દિવસ પહેલાં કહ્યું કે, ‘હાંસલપુર ગ્રામપંચાયતે ઠરાવ કર્યો છે કે, ‘મીર પરિવારોને અમારા ગામના રેશનકાર્ડ આપવાં અમારું ગામ સહમત નથી.’ એટલે શું કરવું એની મૂંઝવણ છે’ મામલતદાર બહેને vssmના કાર્યકર જયંતીભાઈ અને મોહનભાઈ નિરાશ ન થયા એ માટે એમણે કંઇક રસ્તો કાઢવાનો દિલાશો પણ આપ્યો.

Friday, March 06, 2015

On the festival of Holi, a special gift from Collector Shri. Dilip Rana…….

Holi-the festival that heralds the season of spring,  is the most important  festival for the nomadic tribes. Forgetting the pains and perils of the past year they  celebrate Holi with lot of gaiety and fanfare.  They dance, sing and enjoy to their heart’s content. They pray to Almighty to allow the happiness and joy this festival brings to continue in their lives.  

This year’s Holi has brought tremendous cheer and joy  in the lives of 149 families of  Tharad and 70 Diyodar in Banaskantha, the reason being the government’s decision to allot residential plots to these families. If we were to quote them, “ Moj pari gayi- its an extremely  joyous news,” was their reaction to this decision. The ones responsible in brining such joy are the officials especially Collector Shri. Dilip Rana who has understood the emotions of these families. After the applications were received he  ensured that the families do not have to make rounds of the concerned offices. He upheld the dignity of these families. They just twice confirmed that the applicants were really needy, thats it. Officials like Shri. Rana do not demand but command respect, should be true role models for other bureaucrats.  We salute you ’SIR' . 

There are many families who are in need of such warmth and care,  with a senior bureaucrat and  Collector like Shri. Rana and his equally dedicated team of officials we are sure these communities will continue to witness such compassionate pro-needy actions. 

Shri. Ranansaheb we at VSSM and the community thank you from the bottom of our hearts….


The families in Diyodar celebrating Holi….this year’s Holi is definitely going to be  more colourful for them...


હોળીની શુભેચ્છા રૂપી સુંદર ભેટ આપનાર કલેકટર શ્રી દિલીપ રાણા 

વિચરતી જાતિઓનો સૌથી મોટો તહેવાર હોળી. આખું વર્ષ વેઠેલી યાતનાને આ દિવસોમાં ભૂલીને તેઓ મન મુકીને નાચે, મોજ કરે.. અને સાથે સાથે જીવનમાં હોળીનો ઉલ્લાસ હંમેશા સચવાય..એવી પ્રભુ પ્રાર્થના કરે..
વર્ષ ૨૦૧૫ની હોળી બનાસકાંઠાના થરાદમાં અને દિયોદરમાં પોતાનું કાયમી સરનામું બનાવવા ઈચ્છતા અનુક્રમે ૧૪૯ અને ૭૦ પરિવારો માટે હર્ષ અને આનંદ લઈને આવી. એમની ભાષામાં કહીએ તો મોજ પડી ગઈ અને આ મોજ અપાવવામાં નિમિત બન્યું બનાસકાંઠા જીલ્લાનું વહીવટી તંત્ર. તેમાંય કલેકટર શ્રી દિલીપ રાણાએ તો આ પરિવારોની મનોભાવના  બરાબર જાણી. ના કોઈ ધક્કા ખવડાવ્યા, બસ જરૂરિયાતવાળા છે એની ખાત્રી કરી અને એમને ખુબ માન અને પ્રેમ સાથે હોળીની શુભેચ્છા રૂપી આ સુંદર ભેટ આપી. આજે કલેકટર શ્રીને ખરા અર્થમાં સાહેબ કહેવાનું મન થાય સાથે સાથે વિચરતી જાતિના લોકો એમને વંદન પાઠવે અને અમે સૌ સો સલામ કરીએ છીએ... હજુ ઘણા પરિવારો છે જેમને આવી જ હુંફ અને પ્રેમની જરૂર છે પણ જયા સુધી દિલીપ રાણા જેવા સમાહર્તા અને એમની સાથે ખભે ખભા મેળવી ચાલતું વહીવટીતંત્ર છે ત્યાં સુધી આવી અનોખી ભેટ મળ્યા જ કરવાની એવી શ્રદ્ધા હવે વધી રહી છે..  ફરીવાર
સૌનો હ્રદયપૂર્વક આભાર ...
દિયોદરના વિચરતી જાતિના પરિવારોની  હોળીની ઉજવણીની આ તસવીર .. જેમાં દેખાતા આનંદમાં હવે કાયમી સરનામું મળ્યાનો આનંદ પણ ભળ્યો છે...

Wednesday, March 04, 2015

We are hopeful that the Saraniyaa families of Nagalpur will soon find a place to build their homes….

25 Saraniya families have been staying near the Naglpur bus stand in Mehsana for many years now. These families are still involved in the traditional occupation of sharpening knives and tools. VSSM has been making efforts to get residential plots allotted to these families, but has seen no progress on the applications till now. With no choice left we presented this case to the Mehsana district Collector Shri. Lochan Sahera. He asked us to prepare the application and present it to the Mamlatdar. Which we did and 6 months later the applications yet have to  see light of the day!!!!

Again on 23rd February 2015  we again took our concerns to the Collector Shri. Sahera. We have requested him to call for a meeting chaired by him to review all the pending applications made by VSSM and nomadic communities. The need to do so emerged as for a long time  most of the applications made by VSSM have not been processed by the local authorities. 

The meeting has been called on 4th March 2015 and we are hopeful that all the pending tasks pertaining to the Nomads will soon be addressed and these Saraniyaa families of Nagalpur will get plots to build their homes. 

In the picture - the current homes of Saraniyaa families of Nagalpur 


નાગલપુરમાં રહેતાં સરાણીયા પરિવારો કાયમનું સરનામું મળશે એવી આશા છે....

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતાં ૨૫ સરાણીયા પરિવારો વર્ષોથી નાગલપુર બસ સ્ટેન્ડ પાસે વર્ષનો ઘણો ખરો સમય વસવાટ કરે અને પોતાના પરંપરાગત વ્યવસાય છરી ચપ્પાની ધાર કાઢવાનું કામ કરે. આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે છેલ્લાં ઘણા વખતથી રજૂઆત કરતાં હતાં પણ કોઈ કાર્યવાહી આગળ ધપતી નહોતી. છેવટે કલેકટર શ્રી લોચન સહેરાને રજૂઆત કરતાં એમને દરખાસ્ત તૈયાર કરીને મામલતદાર શ્રીને આપવા કહ્યું. દરખાસ્ત તૈયાર કરીને આપે છ મહિના જેટલો સમય થયો પણ કામની ગતિ ધીમી પણ નહિ બંધ જ કહેવી હોય તો કહી શકાય. એટલે કામ આગળ ધપે જ નહિ. 
છેવટે ૨૩-૨-૧૫ના રોજ કલેકટર શ્રી સમક્ષ રજૂઆત કરી અને મહેસાણા જીલ્લાના જેટલાં પણ પેન્ડીંગ કામો છે એ તમામ કામનું રીવ્યુ થાય એ માટેની બેઠક એમની અધ્યક્ષતા હેઠળ ગોઠવાય એમ કરવાં વિનંતી કરી. (મૂળ તો મહેસાણા જીલ્લામાં કોઈ કામ છેલ્લાં ઘણા સમયથી થતાં જ નહોતા એટલે આ વિગતે વાત કરી)
તા.૪ માર્ચ ૨૦૧૫ના રોજ ૧૧:૦૦ વાગે એમણે બેઠકનું આયોજન કર્યું છે. અમને આશા છે કે, વિચરતા સમુદાયોના તમામ પેન્ડીંગ કામો ઝડપથી પૂર્ણ થશે અને નાગલપુરમાં રહેતાં ફોટોમાં દેખાય છે એ પરિવારોને કાયમનું સરનામું એટલે કે રહેણાંક અર્થે પ્લોટ ફાળવાશે.

Tuesday, March 03, 2015

No one bothers to discuss such pains of the marginalised...


 A lot of nomadic families have come and settled in Ahmedabad. VSSM has supported these families acquire their identity documents as a result of the support nearly 4000 families have acquired Voter ID cards in 2014. It becomes imminent to mention here that along with VSSM’s efforts the cooperation of the officials and sensitivity of Chief Electoral  Officer has played a major role in realising this task. CEO Smt. Anita Karval has been instrumental in a huge way in helping these families acquire their first ever identity proofs. The need to do such write-ups arise because sadly we do not have sensitive officials like her in every department. 



After the Voter ID cards were received applications were fined for Ration cards. Since last one year the applicant families as well as VSSM team members have been making rounds to the concerned offices without any progress on the matter.  Some examples  of the answers we get to hear are:

1. Today the concerned official is on leave, and on the next day we are told the same official has gone on leave for two months. ( surprisingly there is no one else in charge)
2. We allot 10 days a month to work on ration cards and its related issues so come during those days!!!
3. Work pertaining to ration card is done from 11 am to 2 pm, you are late so come again..
4. It ain’t possible that so many families don’t have ration cards..
5. You are 70 years old and its just not possible that till now you don’t have a ration card!! Go and get a ration card cancelled evidence from the place you held your previous ration card..
6. As if nomads do not feel hungry the question they pose is -  Why would you need a ration card if you are  a nomad??
we can just go on and on - the list is endless. Everyday the team struggles with same questions and attitude…


On 16th February 2015 37 individuals along with VSSM’s Chayaben went to Maninagar Zonal office to submit ration card applications. The authorities at the zonal office giving arguments like mentioned above. Even after lot of arguments they refused to accept the forms. Ultimately Chayaben and the applicants went to the head office of Civil Supplies in Laldrawaja, Ahmedabad. The complaint was made to the head of civil supplies. He called the office at Maninagar and asked them to accept the forms. Next day when Chayaben accompanied by the applicants reached the office  she was made to sit outside the office while the applicants were called inside!!

After checking the forms the lady official asked Gitaben (one of the applicant) , “How much did you spend to fill up this form?”

“ Rs. 200” replied Gitaben.

Post this inquiry the official noted the address of Giraben, called Chayaben inside and jotted down details of VSSM, her role in the organisation etc. After this she asked Gitabe to sign the paper. Gitaben couldn’t read but she was taught by Chayaben to not  sign any document  without reading it. So she handed over the paper to Chayaben to read it aloud. The official restrained her from doing so but Gitaben insisted on reading it first.

Chayaben began reading, it said,’VSSM’s team member Chayaben takes Rs. 200 per form from the applicants. They are not workers but brokers…’ before Chayaben could complete reading tit Gitaben interrupted, “Chayaben hasn’t charges a single penny, instead she stands by us everytime we need her, the money we gave is to the advocate to get an affidavit done.’ Even after such crude  revelation the official had no remorse. 

Chayaben asked for the paper to be handed to her but the official refused.   They were not happy about the fact that 17 forms had to be accepted, "we shall go for a survey and shall proceed with the application only after we find stated details appropriate.” It felt like they were their to find faults with the application and not facilitate the process of helping the needy. These officials forget the fact that all that the poor are entitled from a ration card is ration and not a ‘Bunglow’. Looking at the poverty these families stay in all are entitled to a BPL or antyoday ration card but here the officials resist issuing even an APL ration card. With such state of affairs one wonders sometimes that are these officials on job to issue the ration cards or to not issue ration cards???? Unfortunately people at large hardly know about the difficulties encountered in acquiring a mere and humble ration card….

The current status under which these applicants survive…. 

વંચિત માણસોની આ બધી તકલીફની ક્યાંય ચર્ચા સુધ્ધા થતી નથી.
અમદાવાદમાં વિચરતા સમુદાયના ઘણા પરિવારો આવીને સ્થાઈ થયા છે. પોતાની ઓળખના પુરાવા અપાવવામાં vssm વહીવટીતંત્રની મદદથી નિમિત બને છે. જેના કારણે અમદાવાદ શહેરમાં વસતા ૪૦૦૦ ઉપરાંત લોકોને ૨૦૧૪માં મતદાર કાર્ડ મળી શક્યા. આ બધું શક્ય બને છે તે વિભાગના વડાની સંવેદનશીલતા ના કારણે. મતદારકાર્ડની પ્રક્રિયા સરળ થઇ આદરણીય શ્રી અનિતાબહેન કરવાલ મુખ્ય નિર્વાચન અધિકારીના કારણે પણ બધે અનિતાબહેન જેવા અધિકારી નથી એ કડવી વાસ્તવિકતા છે.
અમદાવાદમાં લોકોને મતદારકાર્ડ મળ્યાં એટલે રેશનકાર્ડ માટે પ્રયન્ત શરુ કર્યો પણ છેલ્લા એક વર્ષમાં એક પણ વ્યક્તિને રેશનકાર્ડ મળ્યા નથી. કાર્યકરોની સાથે સાથે સમુદાયના લોકોને નર્યા ધક્કા જ ખાવાનાં. 
(૧) આજે સાહેબ કે બહેન રજા ઉપર છે! બીજા દિવસે જાય તો બહેન તો બે મહિનાની રજા ઉપર છે!(જાણે બહેન જતા રહે એટલે ઓફીસ જ બંધ થઇ જાય) (૨) અમે મહિનામાં ૧૦ દિવસ રેશનકાર્ડનું કામ કરીએ છીએ. એ તારીખો માં આવજો! (૩) ૧૧ થી બે માં જ રેશનકાર્ડના કામ થાય છે તમે મોડા છો! (૪) આટલાં બધા વ્યક્તિઓના રેશનકાર્ડ ના હોય એવું બને જ નહિ! (૫) તમારી ઉંમર ૭૦ વર્ષની થઇ અને તમે કહો છો કે, રેશનકાર્ડ અત્યાર સુધી કઢાવ્યું જ નથી બને જ નહિ. જાવ જે જગ્યાનું રેશનકાર્ડ હોય ત્યાંથી રદ કરાવ્યાનો દાખલો લઇ આવો! (૬) વિચરતા છો તો પછી તમારે રેશનકાર્ડની શું જરૂર છે! (જાણે આ પરિવારોની જરૂરીયાતને એ લોકો નક્કી કરવાના ના હોય) અધિકારી જે કારણો લખે છે એ બધા લખું તો એક પાનું તો આરામથી ભરાઈ જાય. પણ રોજ કાર્યકરોની રેશનકાર્ડ બાબતે આજ માથાકૂટ હોય.. 
તા.૧૬ ફેબ્રુઆરી ૧૫ના રોજ ૩૭ વ્યક્તિઓ રેશનકાર્ડના ફોર્મ સાથે મણીનગર ઝોનલ ઓફીસમાં  vssmના કાર્યકર છાયાબહેન સાથે ગયા. ઝોનલ ઓફીસમાંથી ઉપર જણાવ્યા પ્રમાણેના કારણો આપ્યાં. ખુબ રકઝક થઇ. પણ ફોર્મ ના સ્વીકાર્યા. આખરે અરજદારો સાથે જીલ્લા પુરવઠાની ઓફીસ –લાલદરવાજા જઈને પુરવઠા અધિકારીને રજૂઆત કરી. એમણે મણીનગર ઝોનલ ઓફીસમાં ફોન કરીને ફોર્મ સ્વીકારવા કહ્યું. બીજા દિવસે ફોર્મ લઈને છાયા બહેન અરજદારો સાથે ગયા એટલે અધિકારી બહેને છાયાને બહાર જ બેસવા કહ્યું. અને અરજદારને અંદર બોલાવ્યાં.
ફોર્મ તપાસ્યા પછી અરજદાર (ગીતાબેન)ને અધિકારી બહેને કહ્યું, 
‘આ ફોર્મ ભરવા માટે કેટલો ખર્ચ થયો?’ 
‘૨૦૦ રૂપિયા’
બસ આ સાંભળી અધિકારી બહેને કોરા કાગળ પર ગીતા બહેનનું સરનામું લખ્યું, બહારથી છાયા બહેનને બોલાવ્યા અને તમારી સંસ્થા અને હોદ્દો વગેરે પૂછ્યું અને કાગળમાં બધું લખવા માંડ્યા. લખાણ પૂરું થયું પછી ગીતાબહેનને કહે અહિયાં સહી કરો. ગીતાબહેનને વાંચતા ના આવડે પણ છાયાબહેનના શિક્ષણના કારણે વાંચ્યા વગર સહી નહિ કરવાનું શીખી ગયેલાં. એમણે કાગળ આપવાં અધિકારીને કહ્યું, અધિકારીએ આપ્યો એટલે ગીતાબહેને છાયાબહેનને વાંચવા આપ્યો. અધિકારીએ ના પાડી તો ગીતાબહેને કહ્યું, ‘વાંચવો તો પડેને બહેન!’
છાયાએ કાગળ વાંચ્યો એમાં લખ્યું હતું કે, ‘vssm ના કાર્યકર છાયા પટેલ અરજદારો પાસેથી રેશનકાર્ડના ફોર્મ ભરવાનાં રૂ.૨૦૦ લે છે. આ દલાલો છે..’ છાયા વાક્ય પૂરું કરે અને કંઈ કહે એ પહેલાં જ ગીતાબહેને કહ્યું, ‘છાયાબહેન તો અમારી પાસેથી એક રૂપિયો પણ નથી લેતાં ઉલટાનું અમારી કંઈ પણ તકલીફમાં હંમેશા સાથે ઉભા હોય છે.’ અધિકારીબહેને કહ્યું, ‘તમે કહ્યું ને અમે રૂ.૨૦૦ ફોર્મ પાછળ ખર્ચયા.?’
‘એ તો અમારી પાસે બીજા કોઈ ગામનું રેશનકાર્ડ નથી એવું સોગંદનામું કરી આપનાર વકીલને આપ્યાં હતાં.’ આટલું થયું તો પણ એ બહેનના મોઢા પર જરાય ભોંઠપ નહોતી. 
છાયા કહે છે, ‘મેં એમણે લખેલું લખાણ આપવા કહ્યું પણ એમણે ના આપ્યું. પરાણે ૧૭ ફોર્મ લેવા પડ્યા. પછી કહે, ‘તપાસમાં આવશું. બરાબર લાગશે તો જ આગળ વિચારીશું.’ અને મારો તો જાણે વાંક કાઢવા બેઠા હોય એવું જ લાગતું હતું.’
રેશનકાર્ડ ફક્ત રાશન માટે છે વળી પાછા આ બધાની સ્થિતિ પ્રમાણેના કાર્ડ BPL કે અંત્યોદય તો આ લોકો આપવાના નથી! APL આપશે છતાંય જાણે એક વ્યક્તિ બે કે ત્રણ રેશનકાર્ડ મેળવી લેશે અને બંગલો બનાવી દેશે એ રીતે અધિકારી એમની સાથે માથાકૂટ કરશે. કયારેક તો કેવી રીતે રેશનકાર્ડ ના આપવું એ માટે જ એ બેઠા હોય એમ લાગે. પણ આપણા દેશની કરુણ વાસ્તવિકતા એ છે કે વંચિત માણસોની આ બધી તકલીફની ક્યાંય ચર્ચા સુધ્ધા થતી નથી.
ફોટોમાં રેશનકાર્ડ માટેની અરજી લઈને કચેરીમાં ગયેલાં બહેનો...
જે પરિવારોની રેશનકાર્ડ માટે અરજી કરે છે તેઓ જે સ્થિતિમાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે. 

Monday, March 02, 2015

"What if they accuse us of stealing??"

Recently the government allotted residential plots to 6 Saraniyaa and 4 Vansfoda families. Along with these nomadic families plots were allotted to 30 families from other marginalised communities as well. The plots had been allotted on government land but for now the land is been used by famers to complete post harvest processes of their crops. 

On 13th February 2015, the Mamlatdar Shri. Kaushik Modi accompanied by few police officials went to the allotted land to complete the process of giving possession.  He  got going the work of measuring and marking the land.  Then villagers got the news of the activity and rushed to the area in huge numbers. The started shouting that we are not parting with this land all of this was being recorded on a video camera. They also had a lawyer along and the  situation began getting a bit tensed. The lawyer said this allotment was illegal. Shri. Kaushik  handled the situation well and was patiently  trying to explain the present crowd that the land its government land and its the needy and extremely poor who are getting this land, they can do all the  harvest related activities in their own fields like other farmers do!! They did not need a special place to complete the cleaning and thrashing of grains!! The beneficiaries of this land live in inhumane conditions and the government’s responsibility is towards them! But nobody was ready to listen to the Shri. Kaushik. Ultimately he lost his patience and ask everyone to come to his office, hearing this the crowd became quite. Shri. Kaushik finished the measurement and division of land into plots. He assured the nomad families there was nothing to be afraid of and they should shift to this place as soon as possible. 

In the evening after the completion of measuring and plotting  task the Saraniyaa and Vansfoda families shared their concern with VSSM’s Mohanbhai, “Will these villager allow us to stay here, Mohanbhai? Shri. Kaushikbhai has asked us to shift to the new place but the land is still occupied by the farmers and their harvested grains are piled there, if we begin staying there under shades they can accuse us of stealing their grains!! We do not want to move under such tensed circumstances.We shall move once we begin the construction process” Such fear from other humans!!!! But we are glad that in this case the authorities are with them. All we wish is to begin the construction at the earliest. 

In the pictures - authorities and beneficial families involved in measuring and marking the land 


અમે છાપરાં નાખીએ અને ગામલોકો ચોરીનો આરોપ મુકે તો?
પાટણ જીલ્લાના ચાણસ્મામાં રહેતાં ૬ સરાણીયા, ૪ વાંસફોડા પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફાળવાય. આ પરિવારોને જ્યાં પ્લોટ આપ્યાં ત્યાં અન્ય સમુદાયના વંચિત ૩૦ પરિવારોને પણ સરકારે પ્લોટ આપ્યા. પરંતુ આ ૪૦ પરિવારોને ફાળવાયેલી જગ્યા પર ખેડૂતો ખળું કરતાં. પણ મૂળ આ જ્ગ્યા સરકારની માલિકીની. 
પ્લોટ ફાળવણીના હુકમ પછી કબજો અપાવવા મામલતદાર શ્રી કૌશિક મોદી તા.૧૩-૦૨-૧૫ કેટલાંક પોલીસ કર્મી સાથે સ્થળ પર પહોચ્યાં. તેમણે પ્લોટની માપણી કરી જમીન પર માર્કિંગનું કામ શરુ કરાવ્યું કે ગામના લોકોને ખબર પડી. ગામલોકો મોટા ટોળામાં જગ્યા પર આવ્યાં સાથે મુવી કેમેરા પણ રાખ્યા અને આ જગ્યા અમે કોઈને નહિ આપીએ એવું જોર જોરથી બોલવા માંડ્યા. વાતાવરણ તંગ થઇ ગયું. સાથે વકીલ પણ હતાં એમણે પણ મામલતદાર શ્રી સમક્ષ આ ગેર કાયદેસર છે વગેરે જેવી વાત કરી. મામલતદાર શ્રીએ ખુબ પ્રેમથી સમજાવ્યું કે, ‘આ જગ્યા સરકારની છે અને સરકાર જરૂરિયાત મંદોને આપે છે. તમે આ જગ્યા ખરવાડ માટે વાપરો છો પણ તમે તમારાં ખેતરનું ધાન તમારાં ખેતરમાં જ સરખું કરીને ઘરે લાવી શકો. હવે મોટાભાગના ગામોમાં આજ રીતે લોકો કરે છે અને તમે પણ એમ કરશો તો ખરવાડની જરૂર નહિ રહે. વળી આ જગ્યા જેમને આપી છે એ ખુબ ગરીબ માણસો છે જે ખુબ અમાનવીય દશામાં રહે છે સરકારની પહેલી ફરજ એમના માટે છે અને એટલે જ એમને જમીન ફાળવાઈ છે.’ પણ મામલતદાર શ્રીનું કોઈ સંભાળવા જ તૈયાર નહિ. આખરે કોઈ રસ્તો ના રહેતાં એમણે સૌને કહ્યું, ‘અહિયાં કોઈ માથાકૂટ ના કરો જે કહેવું હોય તે કચેરીમાં આવીને કહેજો.’ આ સાંભળી લોકોએ બોલવાનું બંધ કર્યું. મામલતદા

ર શ્રીએ પ્લોટની ફાળવણી કરી દીધી અને ખુંટ પણ મારી દીધા. એમણે આ પરિવારોને ડરવાની જરાય જરૂર નથી એમ કહી વહેલી તકે આ જગ્યા પર રહેવાં આવી જવા કહ્યું.

સાંજે માપણી પત્યા પછી સરાણીયા અને વાંસફોડા પરિવારોએ vssmના કાર્યકર મોહનભાઈને કહ્યું, ‘મોહનભાઈ આ ગામના લોકો અમને આ જગ્યા પર રહેવાં દેશે? મામલતદાર સાહેબે હાલ તે જગ્યા પર રહેવાં જવા કહ્યું છે પણ હાલમાં તો એમનું(ખેડૂતોનું) અનાજ વગેરે ખેતીનો માલ ત્યાં પડ્યો છે અમે ત્યાં જઈને છાપરાં નાખીએ અને ગામલોકો અમારા ઉપર ચોરીનો આરોપ મુકે તો? હાલ રહેવાં નથી જવું. એક વાર ઘર બાંધવાનું શરુ થાય પછી જઈશું.! કેટલો ડર છે આ પરિવારોને! પણ આનંદ એ વાતનો છે કે વહીવટીતંત્ર એમની સાથે છે. ઝડપથી એમના ઘર બાંધકામનું કામ શરુ થાય એવું ઇચ્છીએ છીએ..
ફોટોમાં માપણી કરતું વહીવટીતંત્ર અને બીજા ફોટોમાં ખુંટ મારતા વિચરતા પરિવારો