Saturday, December 21, 2013

દિયોદરમાં વિચરતા સમુદાયોના પ્રશ્નો સંદર્ભે આયોજિત ચિંતન શિબિરનો અહેવાલ


ભાભર તાલુકાના સુથારનેસડી ગામમાં ભરથરીના ૮ પરિવારો છેલ્લા ૧૦ વર્ષથી રહે છે. આ પરિવારો પાસે મતદારકાર્ડ, રેશનકાર્ડ વગેરે જેવા કોઈ આધારો નહોતા. આપણે આ પરિવારોને મતદારકાર્ડ મળે તે માટેની પ્રક્રિયા ૧ વર્ષ પહેલા શરૂ કરી. ગામલોકોને આ અંગે ખ્યાલ આવ્યો એટલે ગામે વિરોધ કર્યો. આપણે સ્થાનિક કચેરી પર ખૂબ દબાણ કર્યું. જેના કારણે ચુંટણી અધિકારીને આ પરિવારોના કાર્ડ આપવા પડ્યા. કાર્ડ મળ્યા એટલે ગામલોકોએ વકીલ રોકીને એનો વિરોધ કર્યો. એમણે કહ્યું, આ પરિવારો અમારા ગામના નથી. ખેર બધુ પાર પડ્યું. રેશનકાર્ડ પણ નીકળ્યા. હવે ગામલોકો આ પરિવારોને ખૂબ હેરાન કરે છે ગામ ખાલી કરીને જતા રહેવા રોજ દબાણ કરે છે.
  


આપણા કાર્યકર નારણભાઈ જે આ પરિવારો સાથે સંઘર્ષમાં સતત સાથે છે. ૨૦ દિવસ પહેલા આ પરિવારો નારણભાઈ પાસે આવ્યા અને કહ્યું, ‘ નારણભાઈ અમારે આ ગામમાં નથી રહેવું તમે કાંઈ ના કરો. અમે ખૂબ હેરાન થઈએ છીએ. અમે જે હાલતમાં છીએ એમ જ અમને રહેવા દો’.

નારણે અને આપણે આ પરિવારોને સમજાવ્યા કે, “ તમે જે પણ જગ્યા વસવાટ માટે પસંદ કરશો ત્યાં બધી જ જગ્યાએ સંઘર્ષ છે તમારે આ બધું સ્વીકારવું જ પડશે અને મક્કમતાથી જવાબ આપવો પડશે.” આ પરિવારો ગામમાં પરત ગયા રાતના સરપંચ અને ગામના અન્ય લોકો આ પરિવારો પાસે જઈ ગામ ખાલી કરી જતા રહેવા ધમકી આપવા લાગ્યા. ત્યારે આ પરિવારોએ મક્કમતાથી કહ્યું કે, ‘ અમે ગામ ખાલી નહી કરીએ. તમારે મારી નાખવા હોય તો મારી નાખો.’
સરપંચ માટે આ ઘણું મોટું આશ્ચર્ય હતું, જે લોકો હાથ જોડીને ઉભા રહેતા તે હવે હિમંતથી બોલતા થયા છે. આ ઘટના પછી આપણા કાર્યકર નારણ ઉપર આ પરિવારોને મદદ નહી કરવાનું દબાણ વધ્યું જેમાં રૂ. ૧૦,૦૦૦ સુધીની લાંચ આપવાની પણ વાત થઇ. નારણના ઘરે સરપંચ અને ગામલોકો આવીને દબાણ કરવા લાગ્યા છે.

કાકરમાં રહેતા વાદી પરિવારોની વાત જરા જુદી છે. વાદી વસાહતમાં ૨૧૪ પરિવારો રહે છે. વસાહત ગામથી ૩ કિ. મી. દુર છે. આ વસાહતમાં સરકારે પાણીની સુવિધા કરી હતી પરંતુ, પાણી થોડો સમય આવ્યા પછી બંધ થઇ ગયું હતું. વારંવારની રજૂઆત છતાં પાણીની કોઈ સુવિધા થતી નહોતી. આપણે મહિના પહેલા કલેકટર શ્રી તથા માનવ અધિકાર પંચમાં લખ્યું. જેના અનુસંધાને આપણને જવાબ આપવામાં આવ્યો કે, ‘ તલાટીએ રૂબરૂ તપાસ કરી છે હવે પાણીનો કોઈ પ્રશ્ન નથી, પાણી મળે છે.’ તલાટીનો આ જવાબ તદ્દન ખોટો હતો. આ જવાબની સામે ફરીથી કલેકટરને લખ્યું અને અધિકારિઓની આખી ટીમને વસાહતની મુલાકાત લેવા કહ્યું. અધિકારિઓ મુલાકાતે આવવાના છે તેવી સરપંચ અને તલાટીને માહિતી મળી એટલે રાતો રાત પાણી શરૂ કરી દેવામાં આવ્યું. ગઈ કાલે હું કાકર જવાની હતી એ માહિતી સરપંચને મળી, એમને ખબર નહોતી કે હું કોણ છુ પણ કોઈ બહેન ગાંધીનગરથી આવવાના છે એવો ખ્યાલ આવતા તેમણે પાણીની ટાંકીમાં પાણી નાખ્યું, નવી પાઈપલાઈન નાખી. અહી ખાસ ઉલ્લેખ કરવા જેવો છે કે, આ પાણીની ટાકીમાં ટાંકી બન્યા પછી પહેલીવાર પાણી નાખવામાં આવ્યું. આ વસાહતના ઘણા પ્રશ્નો છે. સરકારે ૧૦૦ ઘર બનાવ્યા છે પણ રોડની કોઈ સુવિધા નથી. વાદી પરિવારો કામ ધંધા અર્થે ઘણું ખરું તો ભીખ માંગવા માટે બહાર જતા રહે છે તે દરમ્યાન તેમના બાળકો જેઓં ભણે છે તેમના રહેવાની કોઈ સુવિધા નથી. રેશનકાર્ડ વગેરે જેવા ઘણા પ્રશ્નો છે.
સુથારનસેડી અને કાકરગામની એક ઘટના અહી લખી છે. આવા જ દબાણમાં જીવતા બનાસકાંઠા જીલ્લાના દિયોદર , ભાભર અને કાંકરેજ તાલુકામાં વસતા વિચરતા સમુદાયોની એક બેઠક તા. ૨૦ ડીસેમ્બર ૨૦૧૩ના રોજ યોજાઈ ગઈ. જેમાં ૨૦૦ ઉપરાંત લોકો હાજર રહ્યા. સૌનો એક જ પ્રશ્ન હતો કે, ‘ વર્ષોથી કોઈ ગામમાં રહીએ છીએ, હા કામ ધંધા માટે બહાર જઈએ પણ વળી પાછા ત્યાં જ આવીને રહીએ છતા ગામના બીજા લોકોને જે અધિકારો મળે તે અમને કેમ મળતા નથી.’

વિચરતા સમુદાયો સાથેની બેઠકમાં થયેલી ચર્ચાના કેટલાક મુદ્દા નીચે પ્રમાણે છે.

(૧) વર્ષોથી ગામમાં રહીએ છીએ છતાં અમને ગામના ગણવામાં આવતા નથી અને એટલા માટે અમારા સુધી કોઈ સરકારી લાભ પહોંચતા નથી.
(૨) અમે ગરીબ છીએ છતાં બી.પી.એલ. યાદીમાં અમારા નામ નથી. ગ્રામસભામાં બી.પી.એલ. નક્કી થાય પણ અમને ગ્રામસભામાં બોલાવવામાં જ આવતા નથી! .
(૩) પીવાના પાણીની સુવિધા નથી.
(૪) રેશનકાર્ડ એ.પી.એલ. છે. એટલે અનાજ મળતું નથી.
(૫) અધિકારીઓને રજૂઆત કરીએ છીએ પણ કઈ થતું નથી.

ઉપરોકત ચર્ચામાંથી નીકળેલા મુદ્દા સંદર્ભે વિચરતા સમુદાયના લોકો સાથે નીચે મુજબનું આયોજન કરવામાં આવ્યું.  

(૧)  દરેક  વસાહતોના પ્રશ્નો ની વિગતો તૈયાર  કરવામાં આવે  અને તે વિગતોના આધારે કલેકટર શ્રીનો સમય માંગી વિગતો તેમને આપવી તથા આ વિગતોના આધારે વિચરતા સમુદાયના લોકોની એક બેઠક કલેકટર શ્રી સાથે કરવાનું આયોજન કરવું.
(૨) મહિનામાં એક વખત કલેકટર શ્રીના અધ્યક્ષ સ્થાને વિચરતા સમુદાયના પ્રશ્નો સંદર્ભે જ એક બેઠકનું આયોજન કરવાની માંગ કરવી.
(૩)કલેકટર શ્રીને વિગતો આપ્યા પછી કંઈ કામ થાય છે કે કેમ તે જોવું અને ત્રણેક મહિનામાં કોઈ કાર્યવાહી નથી થતી તો વિચરતા સમુદાયના ૫૦૦ ઉપરાંત માણસોએ ભેગા થઈને કલેકટર શ્રીને મળવા જવું અને આગળની રણનીતિ સૌએ સાથે મળીને નક્કી કરવી.  




Saturday, December 14, 2013

खुद की पहेचन के आधार और घर तो सपने जैसा था पर अब ये साकार होगा

पाटन कलेक्टर श्री जे.बी.वोरा और अन्य अधिकारी गणकी मदद से पाटन जिल्ले के समी ब्लोक के जेसडा गाँवमें रेहेते ८ बांसफोड़ा परिवारो को २७ नवेम्बर २०१३ को रेहेने केलिए प्लोट दिए गये.
 यह परिवार बांस में से टोकरी बनाके बेचने का काम करते है. आज से तिन साल पहेले जब ये परिवार vssm के संपर्क में आये तब इन के पास मतदारकार्ड, रेशनकार्ड ऐसे कोई आधार नहीं थे. वो साल में पांच महिना जेसडा में आके रुकते थे और बाकी का समय वो अपने काम केलिए घूमा करते थे. इनके school जा सके इस उम्र के 9 बच्चेभी माँ- बाप के साथ टोकरिया बेचने घुमते थे.
तीन साल में इन परिवारों को vssm की मदद से मतदारकार्ड, रेशनकार्ड, आधारकार्ड, रहने केलिए प्लोट मिले. अब बच्चे school भी जाने लगे है. एक भी परिवार बच्चो को साथ लेके काम पे नहीं जाता. इस सेटलमेंट के मुखिया भगाभाई सरकार और vssm का आभार मानते है. वो केहेते है की, “सरकारमे जाके अपनी समस्या के बारे में बताना, अरजिया करना ऐसा कुछ आता नहीं था. हम में से कोई पढ़ा लिखा नहीं है. गाँव मे जाके सरपंच से बात करना तो बहोत दूर की बात थी. पर vssm के कार्यकर मोहनभाई और पूरी टीम की मदद से एक होंसला बनता गया, जिसके कारन ये सब हो पाया. हमारी पीढ़ीया ऐसे घुमते घुमते मर गइ. खुद की पहेचन के आधार और घर तो सपने जैसा था पर अब ये साकार होगा. जिस केलिए हम इस काम मे मददगार हुए सब लोगोका आभार मानते है.”
इन परिवारों को प्लोट तो मिल गये पर घर बनाने केलिए इनके पास पैसे नहीं है. सरकार द्वारा दी जारही मकान सहाय प्राप्त करने केलिए इन के नाम BPL में होने जरुरी है.. पर इनके नाम BPL में नहीं है! वैसे ऐ लोग जिस स्थिति मे रहते है उनको BPL list में दाखिल करना चाहिए पर ऐसा हुआ नहीं है..

vssm अब इन परिवारों के नाम BPL में दाखिल करवाने की कोशिश में है...

ये परिवार जिस स्थितिमे रहेते है इस की तस्वीरे...

Thursday, December 12, 2013

लालूबेन की जिन्दादिली

बनासकांठा के डीसा में रहते ६१ वर्षीय विधवा लालुबेन बजानिया को कल मिलना हुआ. डीसा में रहते २१७ घुमंतू जातिके परिवारों के घर बनाने का काम vssm अभी करने जा रहा है. ऐसे में उनके लिए बन रहे सेम्पल हाउस को देखने जाना हुआ तब लालूबेन से बात हूई.
लालुबेन अकेले रहेते है. उनकी उम्र को देख के मुझे लगा शायद भीख मांग के गुजारा करते होंगे. पर मैने उनको पूछा की क्या काम करते हो?
‘चूडियाँ, बिन्दी, कान के ज़ुमखे बेचती हूँ. ५०-१०० रुपया मिल जाता है.’
‘बच्चे नहीं है?’
है पर उनको मेरे साथ रेहना पसंद नहीं है. वो राधनपुर रहते है. (बाद में लालूबेन के पडोस में रहते लोगोने बताया की इनके लडकोने इनको छोड़ दिया है.)
लालूबेन को vssm की मदद से रहने केलिए सरकारी प्लोट मीला है. सरकारने घर बनाने केलिए 45,000 दिए है पर 45,000 में घर कैसे बनेगा! vssm लालूबेन जैसे लोगो के घर बनाने जा रहा है. इस काममे समाज में से लोग अपना योगदान दे रहे है. एक घर बनाने का अंदाजित खर्च 80,000 है.
जिन का घर बनेगा वो खुद अपना घर बनाने में मजदूरी करेंगे. ताकि खर्च कम हो सके. जो मजदूरी नहीं करेगा उनको मजदूरी के पैसे भरने है. लालुबेन मुझे ये बताने आई थी की ‘मै मजदूरी नहीं कर पाऊँगी. और मजदूरी के पैसे भी मेरे पास नहीं है. मै कैसे अपना योगदान दू?’
मुझे लालूबेन की जिन्दादिली पसंद आई. एक तो इस उम्र में महेनत कर के गुजरा कर रही है और किसीके पास हाथ फेलाकर भीख नहीं मागती.
(इनकी उम्र ६१ साल है और वो विधवा है पर इनको वृध्ध पेंशन या विधवा सहाय नहीं मिलती. जिस परिस्थिति में वो रेहती है उनके पास BPL रेशनकार्ड होना चाहिए पर वो नहीं है.. हमने उनके राशनकार्ड  केलिए apply किया है देखते है कब परिणाम मिलता है.)
 

Monday, December 09, 2013

Finally the day came ……


Widows, handicaps, destitute from the Nomadic and De-notified communties comprise one of the most vulnerable demographic groups in our country, in fact they are at the margins even amongst the marginalised communities . These individuals require special focus for their daily survival. VSSM has been involved in a continuos dialogue with the authorities so as to have a meaningful impact on the lives of this group. VSSM believes that if these families are given the Antyoday Ration Cards, which they should, looking at their economic and social status, the struggle of earning or begging for daily meal would ease out. There is a special order No. P.D.S. 102001-59, K by the Supreme Court to sanction Antyoday Ration Cards to such needy families, however most of the government officials even after being aware of it refused to consider it.

VSSM had been struggling since long to get Agarben Meer, an Antyoday Card. Agarben a mother of four was widowed at a very young age. She works as manual labour or begs when unable to find work. Feeding the brood is a daily struggle she encounters. VSSM team made presentations with the local officials and tried to advocate her case but the officials just did not budge. With no options left we took the matter to the Deputy Collector. The understood the legitimacy of our demand and instructed his officials to expedite the application of Agarben and other families like hers. In a couple of weeks Agarben received her Antyoday Card which entitles her family food security. 

Read in Gujarati
આખરે અગરબેનને અંત્યોદય રેશનકાર્ડ આપવામાં આવ્યું....
અગરબેનને અને તેમના જેવા અન્ય વિકલાંગ અને વિધવાબેહનોને અંત્યોદય કાર્ડ મળે તે માટે વારંવાર મામલતદાર કચેરી દિયોદરમાં રજૂઆત કરતા હતા. પણ મામલતદાર શ્રી સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક-પી.ડી.એસ.-૧૦૨૦૦૧-૫૯,ક મુજબ અત્યંત ગરીબ કુટુંબો અને વિધવા, ત્યકતા, વિકલાંગ વ્યક્તિના પરિવારને અંત્યોદય રેશનકાર્ડ આપવાની યોજના છે તે માનતા હતા પણ કાર્ડ આપવા તૈયાર નહોતા. આખરે પ્રાંત કલેકટર શ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવતા એમણે અગરબેન અને એમના જેવા બીજા પરિવારોને ઝડપથી અંત્યોદય કાર્ડ આપવાની સુચના આપી અને અગરબેનને કાર્ડ મળ્યું.
(અગરબેન મીર વિધવા છે. એમને ૪ બાળકો છે, છૂટકમજૂરી અને મજૂરી ના મળે ત્યારે બાળકો સાથે તેઓ ભોખ માંગે છે. અગરબેન પાસે રેશનકાર્ડ નહોતું. આપણે અંત્યોદયકાર્ડની માંગણી કરી પરંતુ, અગરબેનને એ.પી.એલ.-૧ કાર્ડ આપવામાં આવ્યું. આમ તો અગરબેન જે સ્થિતિમાં છે તે પ્રમાણે તેમને અંત્યોદય અથવા BPL કાર્ડ આપવું જોઈએ પણ ચોપડા પર ગરીબો ઘટાડવાની લાયમાં જેને ખરેખર મદદની જરૂર છે તેને મદદ મળતી નથી.)

Wednesday, October 30, 2013

WATER turns MIRAGE here!!!

This region is extremely arid and drought prone most of the times,  shortage of water is a frequent scenario in towns and cities of this region. Situated in the northern this is the Banaskatha district of Gujarat. 214 families of Fulvadee community have been staying in the Kakar village of Kakrej block for many years. To ease out the water issue of such large concentration a bore-well had been installed a couple of years ago. The bore-well functioned for sometime and than developed a snag and stopped. After that  a tank was constructed but water has never reached this tank  yet. When the construction of the tank  was underway it was said that waters of Narmada will reach this tank but that has also has never happened. Gram panchayat has installed taps to supply water but the pressure in taps is so low it fills only  3-4 buckets. Under such  dire conditions people have to walk 2-3 kilo-meters every day to get water from nearby private bore-wells on farms. They also have to depend on the mood and fancy of the farmers.                          
The scarcity of water is having a  direct impact on the community's capacity to lead a settled life. The scarcity is forcing these families to keep wandering. 150 children who should be going to school are wandering with their parents just because water has not reached their settlement as yet. 

આવું ખોટું પંચનામું કરનાર તલાટી સામે કંઈ કાર્યવાહી થશે?


બનાસકાંઠા જીલ્લાના કાંકરેજતાલુકાના કાકરગામમાં ફૂલવાદીના ૨૧૪ પરિવારો રહે છે. આ વસાહતમાં પીવાના પાણીની મુશ્કેલી છે, આ અંગે મુખ્યમંત્રી શ્રીને, માનવ અધિકાર પંચમાં અને જીલ્લા કલેકટર શ્રીને...
રજૂઆત કરી હતી. આ રજૂઆતનો જવાબ આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે, ‘આ વસાહતમાં સબમર્શીબલ પંપ સેટની યાંત્રિક તકલીફના કારણે પાણી – પુરવઠો બંધ હતો જે રીપેર થઇ જતાં પૂરતા પ્રમાણમાં જરૂરિયાત મુજબનું પાણી પૂરું પાડવામાં આવે છે. અને પીવાના તેમજ વપરાશના પાણીની કોઈ તકલીફ નથી તેમજ પાણીની સમસ્યાના કારણે સ્થળાંતરની કોઈ સમસ્યા નથી.’ આવું પંચનામું કરી તલાટી શ્રીએ નાયબ કલેકટર ડીસાને આપ્યું અને નાયબ કલેકટરે અમને જવાબ આપ્યો અને અમારી રજૂઆતનું સમાધાન થઇ ગયાનું જણાવ્યું.
હકીકતમાં- આ પરિવારોને હજુ પાણી મળતું જ નથી. કોઈ પંપ રીપેર થયો નથી. વાદી પરિવારોનો જવાબ લેવા વસાહતમાં કોઈ ગયું નથી તો પંચનામું કેવી રીતે થયું તે પ્રશ્ન છે! લોકો હેરાન થઇ રહ્યા છે ત્યારે એમની સમસ્યાનું સમાધાન કરવાને બદલે એમને પાણી માટે વલખાં મારતા કરવાનો મતલબ શું છે? આવા પંચ નામાનો અર્થ શું છે? આવું ખોટું પંચનામું કરનાર તલાટી સામે કંઈ કાર્યવાહી થશે. અમે રજૂઆત કરી છે. હજુ શું જુઠ્ઠાણું કહેવામાં આવશે?
હાલમાં પાણી માટે રઝળતા બહેનોના ફોટો નીચે છે. અને અગાઉ ફેસબુક પર આ બાબતે લખ્યું હતું તે પણ નીચે સામેલ છે.

 (બનાસકાંઠા જીલ્લાના કાંકરેજતાલુકાના કાકરગામમાં ફૂલવાદીના ૨૧૪ પરિવારો રહે છે. આ પરિવારોની વસાહતમાં પાણીની સુવિધા માટે બોરવેલ બન્યો. જે થોડો સમય ચાલી બંધ થઇ ગયો. તે પછી પાણી માટે ફોટોમાં દેખાય છે એ ટાંકી બની, પણ ટાંકી બની ત્યારથી અત્યાર સુધી એમાં પાણી જ નથી આવ્યું. (આમ તો ટાંકી બનાવી ત્યારે એમાં નર્મદાનું પાણી આપવાની વાત કરેલી. પણ પાણી આવ્યું જ નહિ એટલે વાદી પરિવારો કહે છે કે, નર્મદાનું પાણી ના આપો તો કઇ નહિ ગ્રામ પંચાયતના બોરનું પાણી તો આપો.) ગ્રામ પંચાયતે પાણીની વ્યવસ્થા માટે વસાહતમાં ચાર નળ નાખ્યા છે જેમાં પાણીનો પ્રવાહ એટલો આછો છે કે, પંચાયત જેટલો સમય પાણી આપે એમાં માંડ પાંચ – છ વાસણ ભરાય. આ વસાહતના લોકો પાણી માટે ૨ થી લઇ ૩ કી.મી. સીમમાં આવેલા ખેડૂતોના બોરવેલ પર રઝળે છે. એમાંય દર વખતે ખેડૂત પાણી ભરવા દે તેવું ના પણ બને? પાણીની એટલી મુશ્કેલી છે કે, વસાહતના લોકો શાળાએ જઈ શકે એ ઉંમરનાં ૧૫૦ ઉપરાંત બાળકો સાથે વિચરણ કરે છે. જેના કારણે બાળકોનું ભણવાનું બગડે છે. સ્થાઈ રહી શકાય એવી તમામ સુવિધા છે પણ પાણી નથી એટલે રઝળપાટ છે. )

કાકરની વાદી વસાહતમાં પાણી શરુ થઇ ગયું... (18/12/2013)
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજતાલુકાના કાકરગામમાં ફૂલવાદીના ૨૧૪ પરિવારોને પડતી પાણીની મુશ્કેલી અંગે અહી લખ્યું હતું. તલાટીએ ખોટો જવાબ આપી વસાહતમાં પાણી આવે છે એવો જવાબ કલેકટરશ્રીને આપ્યો હતો. આપણે આ જવાબ ખોટો છે તે અંગે કલેકટર અને માનવ અધિકાર પંચમાં લખી એમનું ધ્યાન દોર્યું હતું.
તે પછી પ્રાંત કલેકટર વસાહતમાં રૂબરૂ તપાસમાં ગયા. પંચાયતે વસાહતમાં ૬ નળ નાખ્યા અનેપુરા પ્રવાહ સાથે પાણી આપવાનું શરુ કર્યું છે.
કાકરના અને એ સિવાયના ઘણા કિસ્સામાં જોયું છે કે, અધિકારી પોતે તકેદારી રાખે તો વંચિતોના કામમાં કોઈ મુશ્કેલી નથી આવતી.
કાકરના સરપંચ પહેલા વસાહતના લોકોને કહેતા કે, "તમારે લ્યા પાણી શું કરવું છે? " એની જગ્યાએ અધિકારીની આખી ટીમ આ અંગે તપાસમાં ગઈ પછી સરપંચ કે છે કે, "પાણી ના આવે તો મને ફોન કરવાનો!"

Find the English translation below...

214 Fulvadee families of Kakar village in Kankrej block of Banaskatha district had been facing tremendous water scarcity. VSSM had written about this issue earlier. The Revenue Officer had lied in the query raised by the Collector saying that water has reached the Fulvadee settlement. VSSM brought this lies to the notice of concerned officials and Human Rights Commission. Following which the Deputy Collector paid a visit to the settlement to inspect the matter. There was no water reaching the settlement. Following this visit water with full pressure has began flowing through the 6 community taps in the settlement. 

The Sarpanch of Kakar who earlier said why do these families need water has now asked them to call him if water does not reach the settlement!!!


In not just Kakar but on many other instances it is the official’s will that makes all the difference. We just hope and wish to have  more and more such officials who are willing to make that difference. 


Sunday, October 27, 2013

Together we can……...

The Nomadic and De-notified tribes (NT-DNT) of our country live  on the brink. Never accepted by the village communities, no homes to stay, barely able to hold on to their traditional occupations, their children denied access to schools,  churning amidst a political and bureaucratic network that is to a large extent ignorant of their struggles of survival,  these communities are shunned by one and all. 

The  NT-DNTs do not have any proofs of existence. No certificate, no document what so ever.  VSSM,  since last five years has been actively trying to give an identity to these communities and has been the reason behind some of the proactive policy level changes affecting these communities.  Certain breakthrough amendments in the list of prerequisites for issuance of a Voters ID card have been possible because of VSSM's advocacy. 

Block Level Officer (BLO) visiting the area specified by the applicant to ascertain his/her place of residence where in if the BLO finds the the applicant present at the place he has mentioned in the application for the officer had to consider it as his/her house even if it is a tarpaulin on a footpath/roadside.

With regards to the age proof the applicant just has to state his/her age on duly signed paper whereas for the applicants between the ages of 18 to 21 years, the age mentioned by the parents that is to be taken into consideration by the authorities.

Both this regulations were passed following VSSM's continuous dialogue with the Office of the  Election Commissioner so as to ease out the process of acquiring a Voter's ID card in absence of  residence, address and age proofs. This has enabled the nomadic and de-notified communities to acquire one of the basic document to this country. Ironically in spite of such regulations challenges are faced by the communities and VSSM team in getting Voter's ID card when the local authorities at many places refused to respect the modified regulations. 

VSSM brought this to the notice of present Chief Election Commissioner (CEC) Ms. Anita Karwal, who in response launched a campaign to allot Voter's ID cards to as many members of nomadic and de-notifed communities as possible. VSSM was allotted the responsibility  of preparing and sending a list of potential applicants to the office of Chief Election Commissioner. Many individuals have ben able to receive Voter's ID card based on the list presented. There were hitches and glitches in the process yet a lot has been accomplished in this regard. We are not exaggerating  when we claim that Gujarat is the first state wherein a voluntary organisation and bureaucracy  have partnered for such a cause to achieve an overwhelming outcome.  

VSSM is thankful to CEC Ms. Anita Kanwal for tremendous support, District  Collectors and officials of districts where the campaigns were launched. 

VSSM is also grateful to all its well-wishers who have time and again stood by the organisation and have shown solidarity in its efforts. 

Read in Gujarati

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અનિતાબેન કરવાલની મદદથી ગુજરાતમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના અને મતદારકાર્ડ વિહોણા લોકોને કાર્ડ મળે તે માટેની ઝુંબેશ આરંભાઈ. મૂળ તો મતદાર કાર્ડ મેળવવા માટે અરજી ફોર્મની સાથે જે તે વ્યક્તિએ રહેઠાણના પુરાવા, ઉંમરના આધાર વગેરે જોડવા પડે. વિચરતી જાતિના લોકો સદીઓથી એક ગામ થી બીજે  પોતાના પરમ્પરાગત વ્યવસાયના આધારે નભતા હોવાના કારણે વિચરણ કરતા રહ્યા. જેના કારણે તેઓ સ્થાઈ થયા નહિ. અલબત કોઈ ગામમાં સ્થાઈ થયા હોય તો પણ એ ગામના લોકો એમને પોતાના માને નહિ એટલે એમની પાસે પોતાની ઓળખના એવા કોઈ પુરાવા હોય નહિ.

vssm છેલ્લા પાંચ વર્ષથી આ પરિવારોને પોતાની ઓળખના આધારો અપાવવાની કોશિશ કરે છે. આ સમુદાયના અધિકારો સંદર્ભે ઘણા નીતિગત ફેરફારો પણ vssm ના કારણે થયા છે.

મતદાર કાર્ડ માટે વિચરતી જાતિ જેવા ઘર વિહોણા વ્યક્તિઓના કિસ્સામાં સ્થાનિક અધિકારી બી.એલ.ઓ. જાતે જઈ તપાસ કરે અને આ પરિવારો ત્યાં જ રહેતા હોય તો એને આધાર ગણી કાર્ડ આપવાની પ્રક્રિયા કરી શકાય તેવા ફેરફાર થયેલા છે. ઉમરની બાબતમાં પણ ૧૮ થી ૨૧ વર્ષના વ્યક્તિઓના કિસ્સામાં જ ઉંમરનું પ્રમાણપત્ર જોડવાનું બાકી જે તે અરજદાર પોતાની ઉમર સંદર્ભનું નિવેદન એક કાગળ પર લખી આપે તે માન્ય રાખવાનું. ૧૮ થી ૨૧ વર્ષના વ્યક્તિઓના કિસ્સામાં માં-બાપ પોતે લખી આપે કે મારા દીકરા કે દીકરીની ઉમર આટલી છે તો તે પણ માન્ય રાખવાની જોગવાઈ થઇ. આ બધી જોગવાઈ થયા પછી મુશ્કેલી તેના અમલની હતી. એમાં ઘણી તકલીફ પડતી હતી.
 
આદરણીય અનિતાબેનના ધ્યાનમાં આ બાબતો લાવતા એમના દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મતદારકાર્ડ મળે તે માટેની ઝુંબેશ આરંભાઈ. vssm ના કાર્યકરોએ ૧૦,૦૦૦ ઉપરાંત મતદારકાર્ડ વિહોણા લોકોની યાદી આપી અને એવી વસાહતોના સરનામા આપ્યા જ્યાં રહેતા લોકો પાસે મતદાર કાર્ડ નથી. આ યાદીના આધારે ઘણું કામ થઇ શક્યું. હા નીચેના સ્તરે કેટલાક અધિકારીઓ સાથે થોડી તકલીફ પણ થઇ પણ પ્રયાસ ખૂબ સારો રહ્યો. આખા દેશમાં કદાચ આ પ્રકારે ગુજરાતમાં કામ થયું છે એવું ચોક્કસ કહી શકાય. આ ક્ષણે આદરણીય અનિતાબેન, તથા તમામ જીલ્લા કલેકટર અને આ કામમાં મદદરૂપ થયેલા તમામ અધિકારીઓનો અભાર માનીએ છીએ. સાથે સાથે vssmના કાર્યકરો જેઓને આ કામ માટે કરવા પડતા પ્રવાસ તથા અન્ય ખર્ચ માટે મદદ કરી તેવા vssm ના શુભેચ્છક , સ્વજનોનો પણ હ્રદય પૂર્વક આભાર માનું છું.

ફોટોમાં મતદારકરના ફોર્મ ભરી રહેલા vssm ના કાર્યકર કનુભાઈ બજાણિયા. બીજા ફોટોમાં વસાહતની નજીકની પ્રાથમિક શાળામાં ફોર્મ ભરી રહેલા BLO અન કનુભાઈ.

Saturday, October 26, 2013

'aa chalke tuje vahan leke chalun aek aise gagan ke tale.....'

23  Vaza and Vedva Devipujak families have been living in a settlement near Mahendranagar on Morbi-Kandla Road.  This place has been their home for many years now.   Devoid of all fundamental infrastructure facilities the situation in the settlement  is the same as it normally is with all Nomadic and De-notified settlements. There are 26 children entitled to receive elementary education and 20 children between the ages of 0 to 5 years entitled to receive ICDS benefits. 

In spite of the RTE coming in to force these children have  not received any attention from the concerned authorities, VSSM is pursuing the matter and is striving to bring  the issue to the notice of the education department.  

Friday, September 27, 2013

I AM AN ARTIST AND IT IS MY DUTY IS TO GO ON ……..

The advent of cinema, television and other modern means of entertainment have absolutely ruined the indigenous means of entertained that existed during the earlier times. Performing artists from Bhavaiyaa, Bajaniyaa Nat, Bahooroopi, Vadee-Madaree have lost their means of livelihood as a result of this shift.
VSSM, since last couple of years has been striving to restore some of this ancient entertainment practices. It conducts capacity building workshops for these artists at regular intervals. On 17th August a one-day workshop was organized at Ahmedabad office. The performers of Deesa block were led by Kishankaka a very respected and loving gentleman from Nat community. At the age of 70 he has been relentlessly striving to bring various performing communities on a single platform and improve theirfate. VSSM held a special place in his heart.
‘Why aren’t you joining us for lunch, Kishankaka?’ I inquired

‘I am not hungry, ben.’  He replied with tears in his eyes.
‘What is the matter, Kishankaka?’ I asked

‘Ben, his grand-daughter died this morning’, replied person sitting next to him.
There was a momentary silence. Kishankaka had tears in his eyes.

‘You should have been with your family, not here Kishankaka!!’  I replied.
‘Those who have gone are not coming back, we need to look ahead and we come together for the future of these communities, for the betterment of these communities. The organization is like a mother to us, a child cannot disobey his mother he has to come when mother calls.  After all for the true artist the show must go on come what may……….. it is our duty to keep going and what I have done is performed my duty.’

After hearing this from Kishankaka, there was nothing left for me to say.
Read in Gujarati.
મેં તો કલાકાર તરીકેનો નૈતિક ધર્મ બજાવ્યો છે...
ટેલિવીઝન, સીનેમા વગેરે જેવા મનોરંજનના સાધનો ઉપલબ્ધ નહોતા ત્યારે સમાજને મનોરંજન પુરું પાડવાનું કામ વિચરતા સમુદાયમાંના નટ, બજાણિયા, વાદી, ભવૈયા, બહુરૂપી વગેરેએ કર્યું છે. પરંતુ આ સમુદાયના વ્યવસાયો આજે ચાલે તેવી સ્થિતિમાં નથી. દા.ત. મોરલીએ ખુબ સારું વાધ્ય છે પરંતુ, મોરલી સાપના ખેલ સાથે જોડાયેલી છે. સાપના ખેલ પર વાઈલ્ડ લાઈફ પ્રોટેકશ એકટ થી પ્રતિબંધ આવી ગયો. આમ સાપ અને તેની સાથે જોડાયેલી મોરલી પણ ધીમે ધીમે સમાજમાંથી ગાયબ થઇ રહી છે. વળી પહેલાની ભવાઈ કે નટ – બજાણીયાના ખેલ આખી રાત ચાલતા પણ હવે ટી-૨૦ ક્રિકેટ મેચના જમાનામાં કોઈને આખી રાતનો સમય નથી. ટૂંકમાં વિચરતા સમુદાયના કલાકારોને આજના જમાનાની જરૂરિયાત પ્રમાણે તાલીમ આપી તેમને નિયમિત કાર્યક્રમો મળે તે માટેના પ્રયત્નો વિ. એસ. એસ. એમ. કરે છે.
તા. ૧૭ ઓગષ્ટ ૧૩ના રોજ અમદાવાદમાં કલાકારોની એક દીવસીય શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં બનાસકાંઠાના ડીસા ગામમાં રહેતા નટ સમાજના આગેવાન કીશાનકાકા પણ આવ્યા હતા. કીશાનકાકાની ઉમર લગભગ ૭૦ વર્ષ. ખુબ પ્રેમાળ. વિ. એસ. એસ. એમ. માટે એમને ખૂબ લાગણી. કલાકારોને એકત્રિત કરી એક મંચ પર લાવવા કીશાનકાકા ખૂબ મથે.
અમારી શિબિરમાં ભોજનવિરામ પડયો. સૌ જમવા ગયા પણ કિશનકાકા ન આવ્યા એટલે અમે પૂછયું કે, જમવા ચાલો..એમણે કહ્યું, મારે જમવાનું નથી. એમ કહેતા એમના આંખમાં ઝળઝળીયા આવી ગયા. મે પૂછ્યું શું થયું કાકા?
કંઈ નહિ બેન,
ત્યારે કિશનકાકા સાથે આવેલા બીજા એક નટ ભાઈએ કહ્યું, બહેન આજે વહેલી સવારે કિશનકાકાની પૌત્રીનું અવસાન થઇ ગયું..
તો પછી શિબિરમાં કેમ આવ્યા? તમારે ત્યાં હોવું જોઈતું હતું!
કિશનકાકાએ કહ્યું, ના બેન ગયેલું કોઈ પાછુ નથી આવતું. સમાજના ભવિષ્ય માટે આપણે સૌ ભેગા થયા છીએ. એ વખતે હુ વડીલ તરીકે ન આવું તો કેવું લાગે! સંસ્થા અમારી મા છે અને અમારી મા અમને ગમે ત્યારે બોલાવે ત્યારે અમારે કોઈ પણ સંજોગોમાં હાજર થવું જ જોઈએ.. જો નથી થતા તો માના બોલને ઉથામીએ છીએ એવું કહેવાય!.. વળી સાચો કલાકાર એ કહેવાય જે કોઈ પણ સંજોગોમાં એણે નક્કી કરેલા કામોમાંથી પરત ના ફરે. અમારા કલાકારોનો તો આ નૈતિક ધર્મ છે, મે તો બસ એ ધર્મ બજાવ્યો છે.
 

Wednesday, September 25, 2013

ભારતભરના ૩૦૦૦ ઉપરાંત નટ ડીસામાં એકત્રિત થયા..

હાથમાં વાંસ લઇ દોર ઉપર સમતોલન બનાવી ખેલ કરે એ નટ. સરકસમાં ખેલ કરનાર વ્યક્તિના રક્ષણ માટે જમીનથી થોડે ઉપર જાળી બાંધી હોય પણ નટ તો એમ જ ચોવીસ હાથ ઊંચા વાંસ પર ખેલ બતાવે.


આવા બહોશ નટ સમાજના કુળદેવી ગોમા સતીના મંદિરનો ધ્વજારોપણ કાર્યક્રમ ડીસા મુકામે તા.૧૮-૧૯ સપ્ટેમ્બર 2013 ના રોજ યોજાઈ ગયો. જેમાં સમગ્ર ભારતમાંથી ૩૦૦૦ નટ ઉપસ્થિત રહ્યા હતા.
ગોમા સતી પાછળની કથા જોઈએ તો, ‘સદીઓથી પોતાના વ્યવસાયના ભાગ રૂપ વિચરતી જાતિના લોકો ગામે ગામ ફર્યા કરતા. નટ સમાજના કેટલાક પરિવારોએ આજથી ૩૦૦ વર્ષ પહેલા બનાસ નદીના પટમાં રાજપુર પાસે આવીને દંગો નાખ્યો અને કુંપટ ગામમાં ખેલ કરવા ગયા. ચોવીસ હાથ ઊંચા વાંસ પર ખેલ કરતા નટ કલાકારે અચાનક સમતોલન ગુમાવ્યું અને નીચે પટકાયો અને મૃત્યુ પામ્યો. નટની પત્ની ગોમા પતિના મૃતદેહને પોતાના ખોળામાં લઇ રાજપુર ગામમાં જ્યાં મંદિરનો ધ્વજારોપણ કાર્યક્રમ થયો ત્યાં સ્વેચ્છાએ સતી(સમાધી લીધી) થયા. હાલ સમગ્ર ભારતમાં રહેતા તમામ નટ દોર ઉપર કે વાંસ પર ચડતા પહેલા ગોમા સતીનું સ્મરણ કરીને પછી જ પોતાની કળા બતાવે છે. એમને પૂરી શ્રધ્ધા છે કે નટ જયારે ખેલ કરતો હોય ત્યારે માં ગોમા સતી તેમની સાથે જ હોય છે અને એમનું રક્ષણ કરે છે.’ આમ તો આ કથા પોતાના પતિ માટેના અપાર પ્રેમની છે પણ નાના સમાજની આવી કથાઓ એમના સમાજ પુરતી જ પ્રચલિત બની રહે છે....
શુભ પ્રસંગે ઉપસ્થિત નટ સમાજ અને પોતાના સમાજમાં પોતાની કલાનો કરતબ બતાવતા નટ ભાઇઓ
Read in english...
It is their sheer grit, determination and unshakable faith in their deity that keeps them performing such awe-inspiring acrobatics. The Nats or the acrobats are one of the most prominent performing community amongst the Nomadic Tribes. Since centuries the Nats have been wandering around to give performances that leave us spellbound. Some 300 hundred years back a number of these families settled on the banks of river Banas near the town of Rajpur. While performing a routine act a Nat from this settlement lost balance and fell off the rope. He died on the spot. His wife Goma became Sati near a temple in Rajpur. Since than Goma has become the deity that protects all the performing Nats when they enact deadly acts. A small prayer before the performance, for the deity Goma is a ritual they follow. They believe it is this faith in their deity that keeps them safe while performing.
Recently on 18th and 19th September some 3000 Nats gathered at Rajpur for a religious ceremony at the temple of deity Goma.
 

હમ હુએ કમિયાબ...

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ધનીયાવાડા ગામમાં નાથવાદી પરિવારો રહે છે. આ વસાહતમાં શાળાએ જઈ શકે તે ઉંમરનાં ૬૧ બાળકો છે. અલબત દરેક બાળકનું નામ ગામની પ્રાથમિક શાળામાં ચાલે પણ છે. પણ મુશ્કેલી આ વસાહતથી ગામ અને શાળા ૩ કી.મી. કરતા વધુ દૂર છે તે હતી. બાળકો રોજ ચાલીને શાળાએ જતા.  RTE (ફરજિયાત શિક્ષણ નો કાયદો) અમલી બન્યો એમાં વસાહતથી શાળાનું અંતર વધારે હોય તો સરકારે વાહનની વ્યવસ્થા કરવી એવી જોગવાઈ છે. વળી જ્યાં ૩૦ બાળકોની સંખ્યા હોય ત્યાં તો શાળા જ શરુ કરી શકાય તેવી પણ જોગવાઈ છે.


આ બન્ને જોગવાઈ નાથાવાદીની વસાહતમાં લાગુ પડતી પણ બે વર્ષથી કઈ થતું નહોતું. ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ શિક્ષક દીન નિમિતે આપણે મુખ્ય મંત્રી શ્રી,બનાસકાંઠા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ અધિકારીને લેખીતમાં રજૂઆત કરી હતી. અરજીના અનુસંધાને આજે એટલે કે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ બાળકોને શાળામાં લઇ જવા અને પરત લાવવા વાહન શરુ થઇ ગયું છે...

સંવેદનશીલ અધિકારીની વંચિતો માટેની સંવેદના...

ડીસા તાલુકાના ખૂબ સવેદનશીલ મામલતદાર શ્રી ગીલવા એ વિચરતી જાતીમાંના સરણીયા જેઓ છરી ચ્પ્પાને ધાર- કાઢીને પોતાનું ગુજરાન ચલાવે છે એવા ૨૨ પરિવારોને તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ BPL રેશનકાર્ડ આપ્યા.
આ વસાહતના લોકોનો આગ્રહ હતો કે, કાર્ડનું વિતરણ vssm ના કાર્યકરના હાથોથી જ થાય. તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ અમે રાતના ડીસા પહોચ્યા. સરણિયા પરિવારો જ્યાં રહે છે ત્યાં લાઈટની સુવિધા નથી. એટલે ગાડીની લાઈટથી આ પરિવારોને કાર્ડ વિતરણ કર્યા.
વિચરતા સમુદાયના કલાકારોને એક મંચ પર લાવવામાં મદદરૂપ થતા આદરણીય શ્રી લાલભાઈ રાંભિયાએ કાર્ડનું વિતરણ કર્યું.
આ પરિવારોની સ્થિતિ સમજી એમને મદદરૂપ થઇ રહેલા મામલતદાર શ્રી ગીલવાનો vssm અને સરાણીયા પરિવારો આ ક્ષણે આભાર વ્યક્ત કરીએ છીએ.
The Mamlatdar of Deesa shri gilva gave away BPL ration cards to 22 saraniyaa families..
 mamammlatdar of Deesa Shri The Mamlatdar of Deesa Shri Gilva gave away BPL ration cards to 22 Saraniyaa fam

Tuesday, September 24, 2013

વિચરતી જાતીમાંની મીર બહેનો દ્વારા બનાવવામાં આવેલી જ્વેલરી

વિચરતી જાતીમાંની મીર બહેનો દ્વારા બનાવવામાં આવેલી જ્વેલરી.
જ્વેલરી ખરીદવા નીચેના સરનામે ૧૦:૩૦ થી ૦૬:૦૦ દરમ્યાન સંપર્ક કરી શકાશે.
vssm, સદવિચાર પરિવાર કેમ્પસ, ઇસરોની સામે, રામદેવ નગર ટેકરા,અમદાવાદ - ૧૫, ફોન નં.૦૭૯-૨૬૮૬૦૩૭૮
Buy these beautiful, handcrafted jewellery from Vicharta Samuday Samarthan Manch, Sadvichaar Parivaar campus, Opp. Isro, Ramdev nagar Tekra, A'bad - Phone - 079-26860378. Timing - 10.30 am to 6 pm.









 

Monday, September 23, 2013

JIWO Exhibition માં vssm

Jain Internation Women Orgenization દ્વારા ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ World trade center – Mumbai માં એક Exhibition નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં vssm સાથે સંકળાયેલી બહેનો દ્વારા મોતીમાંથી બનાવેલી જ્વેલરી અને Patchwork કરીને બનાવેલી Bed sheetsને વેચાણ અર્થે મુકવામાં આવી હતી.
Exhibitionમાં ભાગ લેવાની પ્રેરણા મુંબઈમાં રહેતા અને vssm ના શુભેચ્છક શ્રી નીતિનભાઈ સોનાવાલાએ આપી. અલબત stall એમણે જ book કરાવ્યો. JIWO એ stall ની ૮૦ ટકા રકમ ભરી અને બાકીની શ્રી નીતિનભાઈએ. vssm સાથે સંકળાયેલા શુભેચ્છક મિત્રો stall ની મુલાકાતે આવ્યા અને બહેનોએ બનાવેલી વસ્તુઓ હોંશે હોંશે ખરીદી. શ્રી રશ્મિનભાઈ સંઘવી બે દિવસ એમના તમામ કામ પડતા મૂકી અમારી સાથે રહ્યા. શ્રી પ્રદિપભાઈ શાહે vssm ના કામોમાં મદદરૂપ થઇ શકે એવા દાતાઓ સાથે અમને મેળવ્યા.. શ્રી ક્લ્પાબેન, શ્રી મીનાબેન, શ્રી કૃષ્ણકાંતજી, રાહુલ વગેરેએ ખુબ મદદ કરી. આ બધાએ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ આ કામો માટે સમય કાઢ્યો એ માટે સૌના આભારી છીએ..
 
JIWO Exhibition માં vssm નો સ્ટોલ ...
Read in English...
VSSM, recently participated in an exhibition organised by Jain International Women Organisation- JIWO at Mumbai’s World Trade Centre on 21st September 2013. Hand made products made by women from various Nomadic communities were on display and sale. Since past couple of months VSSM is engaged in evolving various income generation models with various community groups of Nomadic Tribes. Hand made ethnic jewellery, appliqué bed spreads were some of the products on sale.