Again on 23rd February 2015 we again took our concerns to the Collector Shri. Sahera. We have requested him to call for a meeting chaired by him to review all the pending applications made by VSSM and nomadic communities. The need to do so emerged as for a long time most of the applications made by VSSM have not been processed by the local authorities.
The meeting has been called on 4th March 2015 and we are hopeful that all the pending tasks pertaining to the Nomads will soon be addressed and these Saraniyaa families of Nagalpur will get plots to build their homes.
In the picture - the current homes of Saraniyaa families of Nagalpur
નાગલપુરમાં રહેતાં સરાણીયા પરિવારો કાયમનું સરનામું મળશે એવી આશા છે....
મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતાં ૨૫ સરાણીયા પરિવારો વર્ષોથી નાગલપુર બસ સ્ટેન્ડ પાસે વર્ષનો ઘણો ખરો સમય વસવાટ કરે અને પોતાના પરંપરાગત વ્યવસાય છરી ચપ્પાની ધાર કાઢવાનું કામ કરે. આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે છેલ્લાં ઘણા વખતથી રજૂઆત કરતાં હતાં પણ કોઈ કાર્યવાહી આગળ ધપતી નહોતી. છેવટે કલેકટર શ્રી લોચન સહેરાને રજૂઆત કરતાં એમને દરખાસ્ત તૈયાર કરીને મામલતદાર શ્રીને આપવા કહ્યું. દરખાસ્ત તૈયાર કરીને આપે છ મહિના જેટલો સમય થયો પણ કામની ગતિ ધીમી પણ નહિ બંધ જ કહેવી હોય તો કહી શકાય. એટલે કામ આગળ ધપે જ નહિ.
છેવટે ૨૩-૨-૧૫ના રોજ કલેકટર શ્રી સમક્ષ રજૂઆત કરી અને મહેસાણા જીલ્લાના જેટલાં પણ પેન્ડીંગ કામો છે એ તમામ કામનું રીવ્યુ થાય એ માટેની બેઠક એમની અધ્યક્ષતા હેઠળ ગોઠવાય એમ કરવાં વિનંતી કરી. (મૂળ તો મહેસાણા જીલ્લામાં કોઈ કામ છેલ્લાં ઘણા સમયથી થતાં જ નહોતા એટલે આ વિગતે વાત કરી)
તા.૪ માર્ચ ૨૦૧૫ના રોજ ૧૧:૦૦ વાગે એમણે બેઠકનું આયોજન કર્યું છે. અમને આશા છે કે, વિચરતા સમુદાયોના તમામ પેન્ડીંગ કામો ઝડપથી પૂર્ણ થશે અને નાગલપુરમાં રહેતાં ફોટોમાં દેખાય છે એ પરિવારોને કાયમનું સરનામું એટલે કે રહેણાંક અર્થે પ્લોટ ફાળવાશે.
No comments:
Post a Comment