Wednesday, March 11, 2020

Mittal Patel, felicitated for her efforts to the upliftment and development of women the extremely marginalised nomadic communities by the Ministry of Information and Broadcasting, GOI’s Press Information Bureau, Ahmedabad and Gujarat University’s Department of Communication and Journalism...

Mittal Patel receives award from her teacher Smt. Sonalbahen
The  Ministry of  Information and Broadcasting, GOI’s Press Information Bureau, Ahmedabad and Gujarat University’s Department of Communication and Journalism on the occasion of International Women’s Day hosted a joint program to facilitate women path-breakers who have innovatively used the information and communication platform for the upliftment and development of women at extreme margins. 

 VSSM works for the marginalised communities that include a significant number of women. We are grateful for the honour and recognition of these efforts. 

 One of the primary reason to accept this award is my Guru Ms Sonalbahen. It is a matter of honour to receive the award from a teacher whom I respect the most. She was the one who instilled some very important life lessons, it is a good fortune to be able to have Sonalbahen as a teacher. I have studied under numerous teachers from grade 1 to M.Phil but very few teachers have made a lasting impact and Sonalbahen tops the list. Even today whenever I have to talk about my teachers Sonalbahen comes first to my mind.

 Thank you, Ma’am, you are one of those who enabled me to find my goal in life!!

 The honour was accepted on behalf of all who have walked with me through VSSM’s journey.

 Many thanks to the Press Information Bureau too.

ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન પ્લેટફોર્મનો ઉપયોગ છેવાડાની બહેનોના વિકાસ માટે કરી નવો ચીલો ચાતરનાર મહિલા માધ્યકર્મીઓનું સન્માન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ કચેરી અને ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જનર્લિઝમ, ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આંતરારાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે થયું...

અમે વંચિત સમાજ માટે કામ કરીએ એમાં મહિલાઓ પણ આવી ગઈ. અમારી આ સેવાકીય પ્રવૃતિઓ માટે થયેલા આ સન્માન માટે આભારી છીએ.
આ સન્માન માટે હા પાડવાનું સૌથી મોટું આકર્ષણ મારા શિક્ષક સોનલબહેન.. તેમના હસ્તે સન્માન મેળવવું એ ગૌરવની ઘટના...
સોનલબહેન જેમણે મને જીવનલક્ષી શિક્ષણ આપ્યું. તેમના જેવા શિક્ષક મેળવવા એ નસીબની વાત. એકડા ધોરણથી લઈને એમ.ફીલ સુધી ઘણા શિક્ષકોએ ભણાવ્યું તેમાં આંગળીના વેઠે ગણાય એટલા જ શિક્ષકો યાદ રહ્યા છે એમાં સોનલબહેન મોખરે. આજે પણ શિક્ષકની વાત આવે તો સૌથી પહેલાં તેઓ જ મારી નજર સામે આવે.. થેક્યુ મેમ મારા જીવનને એક ધ્યેય અપાવવામાં નિમિત્તે બનેલા કેટલાકમાંના એક આપ પણ છો...

સન્માન મારા આ કાર્યમાં મદદ કરનાર સૌનું...
આભાર પી.આઈ.બી.
NEWS- PRESS Information Bureau PIB in Gujarat
Ministry of Information & Broadcasting, Government of India
Department of Communication, Journalism & Public Relation..
Department of Communication, Journalism & Public Relation.
#PressInformationBureau #media #journalism #communication #PIB #IAndBministry #award #socialimpact
#socialgood #gujaratuniversity #ahmedabad #gujarat #award
#recognization

Friday, March 06, 2020

At last, the nomads of Bagasara village will have their own nest to fly into…

/mittal Patel meets Saraniya families of Bagasara
‘Ben, even the birds have a nest to fly back home, please do something so that we have our own nests too!!” Navghanbhai Saraniyaa from Amreli’s Bagasara would urge me each time he would meet me. We had filed applications for allotment of residential plots to these families but seems the time wasn’t ripe.

The Saraniya Communities with the documents to their plots
The current district collector is an extremely compassionate and proactive individual. He is also trying hard to adhere to our CM’s pledge of ‘housing for all’. Recently, he conducted a draw to decide which of the 112 Saraniya, Gadaliya and Devipujak nomads from Bagasara will be the first to receive the plots. In coming days the selected families will be handed over the documents to their plots.

Finally, after years of wait, these families will be receiving permanent plots to build their permanent nests. A decent nest, isn’t it something we all strive for?

The draw-of-lots in progress
We are immensely grateful to respected Chief Minister, Shri Ishwarbhai Parmar, Minister for Social Justice and Empowerment, District Collector and administration whose compassion and hard work has made it all possible.

In the pictures, the draw-of-lots in progress, the Saraniyaa families with the documents to their plots and our meeting with these families.

The draw-of-lots in progress
પંખીઓન માળા હોય એમ અમારા માળા થાય એવું કાંક કરો બેન..
અમરેલીના બગસરામાં રહેતા નવઘણભાઈ સરાણિયા જ્યારે પણ મળે ત્યારે સતત આ વાત કર્યા કરે.
અમે રહેણાંક અર્થે પ્લોટ મળે તેની અરજી કરેલી. પણ સમય બરાબર પાક્યો નહોતો.
હાલના કલેક્ટર શ્રી બહુ ભલા માણસ. વળી રાજ્યના મુખ્યમંત્રી શ્રીનો પ્રકલ્પ આવા પરિવારોને ઘર આપવાનો. એટલે બગસરામાં રહેતા 112 વિચરતી જાતિના પરિવારો જેમાં સરાણિયા, ગાડલિયા અને દેવીપૂજકોને પ્લોટની ફાળવણી પહેલાં ક્યા નંબરનો પ્લોટ ફાળવાશે તે અંગેનો ડ્રો કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવ્યો. આગામી દિવસોમાં આ પરિવારોમાં જે નંબરના પ્લોટ મળ્યા છે તે નંબર સાથેની સનદ પણ મળશે.

કેટલા વર્ષોની મહેનત પછી આ પરિવારો પોતાની જગ્યા ભેગા થશે.
ભાર મુખ્યમંત્રી શ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, કલેક્ટર શ્રી તેમજ અમરેલી વહીવટીતંત્રનો...આપની લાગણીના લીધે જ આ બધુ શક્ય બન્યું.
અમારા કાર્યકર રમેશભાઈએ આ પરિવારોને પુરાવા એકત્રીત કરી આપવાથી લઈને તેમને પ્લોટ મળે તે માટે ખુબ મહેનત કરી. રમેશની આ મહેનત લેખે લાગી.

ફોટોમાં વસાહતમાં ડ્રો કરવા આવેલા અધિકારી તેમજ ડ્રો પછી પ્લોટ નંબર મળ્યાના કાગળ સાથે સરાણિયા પરિવારો તેમજ આ પરિવારો સાથે અમારી બેઠક થઈ તે વેળાના ફોટો...

#vssm #house #housing #dignity #empowerment #nomadic #denotified #help #motivation #success #business #gadliya #luhariya #devipujak #successstory #happiness #harwork #ngo #mittalpatel #struggle #ntdnt #NtdntGujarat #ntdntindia #4change #nonprofit #microfinance #humanrights #socialgood #sustainabledevelopment #socialimpact #વિચરતા #વિમુક્ત #સ્વાવલંબન #મિત્તલપટેલ #ઘરનુંઘર

Water is Life

Mittal Patel visits WaterManagement site
VSSM has initiated a water conservation campaign with an objective to retain the waters of villages and farms. The first phase of this campaign began in Banaskantha district where we have been receiving very good response. The communities are waking up to the urgent need to conserve water.

Mittal Patel discusses WaterManagement with the villagers
This year we have already kicked off the village lake deepening efforts. The works for the same are on in Sihori village in Kankrej. Recently, I was in the region to meet the community and monitor on-going efforts. The attached images share glimpses of the work in progress. As we have mentioned here at past occasions, VSSM takes the responsibility of JCB expenses while the villagers have to take the responsibility of ferrying the excavated soil.

I hope each villager shows concern about water and takes the required efforts to ensure the whatever water reservoirs they use are repaired and restored. It is our responsibility to conserve water for the coming generations. Lest we shall all be hopelessly repenting. 

જળ એ જીવન...
Lake deepening work
ગામનું પાણી ગામમાં ને સીમનું સીમમાં. આ વાક્યને ચરીતાર્થ કરવા - પાણીને બચાવવા અમે જળસંચય અભીયાન આરંભ્યું છે.
બનાસકાંઠામાં આરંભેલા આ અભીયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગામલોકો ધીમે ધીમે પણ જાગૃત થઈ રહ્યા છે.
કાંકરેજના સીહોરીનું તળાવ ગાળવાનું પણ અમે શરૃ કર્યું. ગામલોકો સાથે તળાવ જોવા જવાનું થયું તે વેળાની કેટલીક તસવીરો અને તળાવ ખોદાવવાનું શરૃ કર્યું તે આ સાથે સમજવા ખાતર મૂકી છે.
ગામલોકો માટી ઉપાડવાનું કામ કરે અને સંસ્થા માટી ખોદી આપવાનું..
દરેક ગ્રામવાસી પાણીની ચિંતા કરે અને પોતાના વાસણો વરસાદ પહેલાં સાબદા કરવાનું કરે તેવી આશા રાખુ છું...
Water Management site
આવનારી પેઢીની ચિંતા કરી તેમના માટે આ કાર્ય કરવું જરૃરી છે. નહીં તો પસ્તાવાનોય વખત નહીં રહે...
#vssm #missionsavewater #watermanagement #savewater #participatorywatermanagement #water #saveearth #india #savetheplanet #environment #ecofriendly #savenature #gogreen #savetrees #waterconservation #sustainability #climatechange #gujarat #banaskantha #agriculture #farmer
#મીતલપટેલ #પાણીબચાવો #તળાવબચાવો #પર્યાવરણ #બનાસકાંઠા #ગુજરાત #જાગોખેડૂત

The incessant objection against the Dafer...

Mittal Patel with the Dafer Women
‘Agitating the Gandhian way,’ when such a statement is heard the first thought that comes across would be people agitating against injustice, raising their voice against indiscrimination.  

 Recently, we got to hear these words in the region we work. Naturally, we got concerned and curious. However, when we dug deeper into the matter the opposite came to light  on this Gandhian way of objecting!! The agitators were opposing the authority’s  decision to grant permanent residency to few Dafer families in their village. 
Collector Shri K Rajesh handing over the official documents
to  the dafer families

Gandhiji never discriminated based on caste, class or religion, he embraced all and preached the same. Sadly, in this case Gandhiji's name was used not to embrace the needy but to reject, to exclude.  

The current living condition of Dafer families
Surendranagar District Collector Shri K Rajesh has taken upon himself to ensure that the Dafer families of Surendranagar are allotted plots under the government’s pledge of housing for all. Shri Rajesh has received immense support from respected Chief Minister Shri Vijaybhai Rupani. It was our discussion with Shri Vijaybhai on the prevailing issues of nomadic communities that prompted his pledge to accelerate the process of providing houses to nomads. Shri K Rajesh is doing his best as district collector to uphold this pledge and his individual  commitment to the poor. As a result, he allotted plots to Dafer and other communities. 

The current living condition of Dafer families
 However, as soon as the news of allotment of plots to Dafer families in their village reached the villagers they expressed their resistance, “The Dafer will rob us, harass the farmers, steal our cattle, eat non-vegetarian foods. They are an ill-tempered and frenetic community with an unlawful past!” All this and much more was narrated in a written complaint issued against the government’s decision to allot plots to the Dafer. Their  demand was to revoke the decision.  


The population of Dafer is very negligent in Surendranagar district.  Dafer are a hardworking community. None of them is dreadful. They are God-fearing and hard-working families. 


The current living condition of Dafer families
I believe it is inappropriate to judge anyone based on her/his past. Valiyo dacoit could turn into Rishi Valmiki because people trusted and embraced him. These families are like us, they are our own. It is time we put the phrase “Vasudhaiva Kutumbakam/The world is one family” into practice. 

 I have refrained from mentioning the names of the agitating villagers. However, based on my experience I would like to convey to all those who are opposing that these are humble humans. Some might have faulted in the past but that was to feed their hungry bellies. No one has made fortune or built mansions from supposed loots their earlier generations might have conducted. Well, had they made mansions no one would be opposing them today. The resistance has frightened them a lot. 

 Jyot se Jyot Jalate chalo prem ki ganga bahate chalo…

 Let us make this world a better and brighter place. Let us light hope for the deprived and marginalised fellow human beings. It is indeed saddening to witness such resistance. We wish for a day when the inequality  around vanishes and we learn to find happiness from making other’s happy. Hope the resisting villagers understand this, we will be initiating a dialogue with them soon. 

 Sharing the image of the Dafer families for you all to see their current place of living. These are the families who have been allotted plots. 

 How can we deny their right to a home?? How can we not be human? Hope society comprehends the fundamental need of these fellow humans.  


Tuesday, March 03, 2020

And the Dafer too shall have a home now!!

Mittal Patel with the Dafer Women
It was the year 2004-05,  when I began travelling to visit the nomadic settlements to learn more about the vanishing nomads. It wasn’t yet decided if we will be working with these communities. It was difficult to witness their daily struggle to survive, a scenario that invariably brought pain and anguish. It was then that I happen to meet some Dafer families, their conditions were even worse than the nomads’. Simply put, it was heart-wrenching to watch them in such a pitiable condition. It was at that moment that I decided to work for the nomadic and de-notified communities and create awareness about their conditions amongst the society, bureaucracy and lawmakers. The VSSM team continues to strive for that.
Our efforts have been instrumental in helping many communities lead a settled life. However, this does not hold right for the Dafer.  The villagers of the villages the Dafer stay aren’t prepared to accept them. The distress and difficulties Dafer face daily and the societal attitude towards them has tremendously disheartened me. No one is prepared to embrace them, seriously??


Collector Shri K Rajesh handing over the official documents
to the dafer families
We have been writing to the authorities since many - many years, so much that there are heaps of files lying in various government offices.

The Current living condition of Dafer families
Redressing the Dafer issues calls for bold and dedicated bureaucrats and officials. A species that is so rare to find these days!! So when we witnessed Surendranagar district collector Shri K Rajesh revamp the official stance and gear up the district bureaucracy to address the long-pending applications and issues of nomadic and de-notified communities, we requested him to help us settle the Dafer as well. Without even questioning our appeal, he pledged to find the best possible places to settle the Dafer.

Recently, he allotted plots to 13 Dafer families of Muli block’s Danawala village in Digsar village. Without any hype or hoopla, he reached the Dafer dangaa, met the residents, heard them and handed over the documents to 13 families.

It seems this government is committed to taking some serious measures for this community that falls under the extremely backward category on the official list.
The Current living condition of Dafer families

We are sure that when Shri K Rajesh decides and works to make an official commitment a reality it is bound to happen along with Chief Minister’s pledge to provide a home to all the homeless of this state. Efforts are on to provide land to all the Dafer of Surendranagar.



We are extremely grateful to our respected Chief Minister Shri Vijaybhai Rupani, Minister of  Social Justice and Empowerment Shri Ishwarbhai Parmar, Surendranagar  Collector Shri K Rajesh and his team of officials.



Anyone who asked me what my dream was, “to find a permanent address for all the homeless nomadic and de-notified families!” a dream that is on its way to become a reality soon. I sure am delighted.

Harshad, this is your hard work bringing such fabulous results.

Images of the current living conditions of the Dafer families and Shri K Rajesh handing over the official documents.

2005 -06થી વિચરતી જાતિઓની વસાહતોમાં રઝળવાનું શરૃ કરેલું એ વખતે આ સમુદાયો સાથે કામ કરીશ તેવું નક્કી નહોતું. આ લોકોની તકલીફો જોવાતી નહોતી. મનથી બહુ દુઃખી હતી. શું કરવું તેની મૂંઝવણ ચાલી રહી હતી ત્યાં ડફેર પરિવારોને મળી, એમની હાલત જોઈને હૃદય વલોવાઈ ગયું અને એજ ક્ષણે વિચરતી વિમુક્ત જાતિઓનો અવાજ સત્તાસ્થાને બેઠેલા સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. જે માટે VSSMની આખી ટીમ મથ્યા કરે.

ઘણી જાતિઓને ઠરીઠામ કરવામાં અમે સફળ રહ્યા પણ ડફેરોને આશરો અપાવવાનું બહુ કુપરુ. જે ગામોમાં એ રહેતા એ ગામના લોકો આ પરિવારોને પોતાના ગામમાં વસાવવા રાજી નહીં. માનસીક રીતે આ પરિવારોની તકલીફો જોઈને હું પણ નાસીપાસ થઈ ગયેલી. ખરેખર કોઈ આમને વસાવશે નહીં એવું થઈ ગયેલું.

વર્ષોથી કચેરીઓમાં અરજીઓના ઢગ ખડકી દીધેલા.
અધિકારી બાહોશ અને તકવંચિતોને મદદ કરવાની ખેવનાવાળા આવે તો આ કામ પાર પાડી જ શકાય. પણ એવા અધિકારીઓ ખાસ કરીને ડફેરને લઈને જડ્યા નહીં.

સુરેન્દ્રનગરમાં કે. રાજેશ કલેક્ટર તરીકે આવ્યા તેમણે વિચરતી જાતિઓના મુદ્દે વર્ષોની પડતર અરજીઓ પર સરસ કામ કર્યું. તેમની લાગણી જોઈને ડફેરોને વસાવવા તેમને વિનંતી કરી..
અને તેમણે કશુંયે પુછ્યા વગર ગામો શોધવા અને સારામાં સારી જગ્યા આ પરિવારોને આપવાનો નિર્ધાર કર્યો.

તાજેતરમાં જ મૂળી તાલુકાના દાણાવાડામાં રહેતા 13 ડફેર પરિવારોને તેમણે દીગસર ગામે જમીન ફાળવી અને સૌથી અગત્યનું પ્લોટની સનદ આપવા તેઓ પોતે ડફેર વસાહતમાં પહોંચ્યા. કશાય દેખાડા અને દંભ વગર એક સામાન્ય માણસની જેમ તેઓ આ પરિવારોની વચમાં ગયા અને તેમની વાતો સાંભળી.

સરકારે જેમનો સમાવેશ ઓબીસીમાં સમાવિષ્ટ 146 જાતિઓમાંથી પણ અતિપછાત 12 જાતિમાં કર્યો છે. તેવા ડફેરો માટે આ સરકાર ખરેખર સંવેદનશીલ થઈને તેમના કલ્યાણ માટે કટીબદ્ધ થયેલી જણાય છે.

મુખ્યમંત્રી શ્રીનો નિર્ધાર તમામ ઘરવિહોણા વિચરતા પરિવારોને ઘર આપવાનો. એમાં કે.રાજેશ જેવા સમાહર્તા હોય તો નિર્ધાર પાર કેમ ન પડે?
સુરેન્દ્રનગરમાં રહેતા તમામ ડફેર પરિવારોને પ્લોટ મળી જાય તેની તજવીજ થઈ રહી છે..
મુખ્યમંત્રી શ્રી, સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, કલેક્ટર શ્રી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રનો ખુબ આભાર..
કોઈ મને પુછતુ તમારુ સ્વપ્ન શું તો હું કહેતી તમામ વિચરતી વિમુક્ત જાતિઓને સ્થાયી સરનામું, ઘર મળી જાય એ મારુ પહેલું સ્વપ્ન... એ સ્વપ્ન પૂર્ણ થવાની દિશામાં કામ થઈ રહ્યાનો રાજીપો...
કાર્યકર હર્ષદની સતત મહેનતનું પરિણામ...
હાલમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે, તેમજ કલેકટર શ્રીના હસ્તે પ્લોટની સનદો મળવતા પરિવારો....

Collector Office,surendranagar
CMO Gujarat
Ishwar Parmar

#vssm #nomadic #denotified #gujarat #surendranagar #humanrights #વિચરતા #વિમુક્ત #ગુજરાત #સુરેન્દ્રનગર #માનવઅધિકાર #india #nomadicofgujarat #nomadicofindia
#community #મિત્તલ_પટેલ #mittal_patel

Friday, February 28, 2020

‘A stitch in time saves nine!!’

Mittal Patel visits water management site

 VSSM’s Participatory Water Management campaign was launched to put this phrase into practice. The initiative was launched Banaskantha where the groundwater tables have gone alarmingly low. It all began with deepening of the village lakes. Until last year we have deepened 87 lakes in partnership with the village community.

Watermanagement site
This year too we have planned to continue with our efforts.  Kadol and Vadama have taken the lead and I was here recently to monitor the ongoing works. The enthusiasm with which the community has taken part in contributing their bit was encouraging to watch,

Mittal Patel discusses Watermanagement with the villagers
 The partnership is tricky yet mandatory. VSSM provides JCB expenses, the village takes the responsibility of ferrying the excavated soil and the entire community while also contributing to cash. The amount collected in cash will be eventually used for up-keeping of the common water resources.

As a result of our previous experiences, we plan to be stricter with the enforcement of these pre-conditions and do not intend to commence work where ever the contributions haven’t poured in.  Also do note that amount collected in the contribution is not managed by VSSM but the water committee that is formed to work on the water issues in the village. Why do we insist on contribution?

Lake deepening work
“Until how long should we depend on somebody else worry about what is ours, our water, our land, our resources. How long should one wait for the government to come and help or an organisation to come and do the needful? We need to take responsibility for common property resources that exist for our collective benefit. If one has contributed he or she will ask questions and show concern for it’s up-keeping. One will question if someone is encroaching over it or drawing water without permission.” It is to raise this kind of awareness that we have initiate strict enforcement of the contribution norm as well. And Vada, Khorda and Kuvaarva have contributed willingly towards the water corpus in their village. Hope we have similar experiences throughout the year!!!

પાણી પહેલાં પાળ બાંધીએ..
આ કહેવતને ચરિતાર્થ કરવાનું અમે નક્કી કર્યું અને ખરા અર્થમાં વરસાદી પાણીને બચાવવા અમે જળસંચય અભીયાન આરંભ્યું.
બનાસકાંઠામાં જ્યાં ભૂગર્ભજળની સ્થિતિ ખરાબ છે તે વિસ્તારોમાં તળાવો ઊંડા કરવાનું કાર્ય અમે આરંભ્યું.
87 તળાવો ગયા વર્ષ સુધી ઊંડા કર્યા આ વર્ષે પણ લોકભાગીદારી થકી તળાવો કરવાનું નક્કી કર્યું. ખડોલ, વડામાં તળાવ ઊંડા થઈ રહ્યા છે. જેને જોવા માટે જવાનું થયું. ગામનો ઉત્સાહ અને ભાગીદારી જોઈને રાજી થવાયું.
તળાવ ગાળવા માટેની ભાગીદારી જરા નોખી છે. સંસ્થા જેસીબીનો ખર્ચ કરે, માટી ઉપાડવાનું ગામના શીરે એ ઉપરાંત ગામલોકોએ ફાળો એકત્રીત કરવાનો.
આ ફાળો અમે તળાવો ગાળવામાં ઉપયોગમાં લઈશું.

આ વર્ષે થોડા કડક થયા છીએ ફાળો નહીં તો કામ નહીં. હા આ ફાળોનો વહીવટ અમે નથી કરતા તેની ખાસ નોંધ લેજો. ગામમાં પાણી સમિતિ બને અને એ વહીવટ કરે. પણ ફાળો તો જોઈએ જ...
ફાળા પાછળનો હાર્દ જરા સમજીએ.. મારા મતે ક્યાં સુધી કોઈ આવીને આપણા ગામના તળાવ ઊંડા કરે કે સરકાર કરે એની રાહ જોવાની?
આપણી ભાગીદારી નહીં હોય તો આપણે તળાવની ચિંતા કરવાનું નહીં કરીએ..
તમે પાંચ રૃપિયા તળાવ માટે આપ્યા હશે તો કાલે કોઈ તળાવમાં દબાણ કરશે તો તમે કહેશો ભાઈ રહેવા દે...
એટલે થોડા કડક શબ્દો સાથે જનભાગીદારી થકી આ કાર્ય કરવાનું આરંભ્યું છે.
વડા, ખોરડા અને કુંવારવાએ તો રાજી થઈને જનભાગાદીરીથી આ કાર્ય આરંભ્યું તમે ક્યારે સજ્જ થશો?
#vssm #gujarat #banaskantha #MittalPatel
#participatorywatermanagement #savewater
#saveearth #nomadic #denotified #climatechange
#environment #lake #water #જળસંચય #પાણીબચાવો
#પર્યાવરણબચાવો #લોકભાગીદારી #વિચરતા #વિમુક્ત

Husainbhai’s efforts to revive the crumbling and dying villages are worth applauding...

Mittal Patel with Hussainbhai
A rather long writeup but do take time out to read it!!

“Ben, I want to give you something!’ said Husainbhai while pulling out his wallet from his pocket and brings out a packet from it. 
“What is it?”
“Diamond!”
“Is it real ?”
“Yes.”
Hussainbhai's diamond polishing unit
“Oh! I cannot take it.”
“But I want to gift it to you. I have bought it long back, to gift to you. ”
“I appreciate your feelings, but I cannot accept it.”
This was the first time I was meeting Husainbhai. Although we have talked many times on the phone. 

It was the plight of Nat families residing opposite Husainbhai’s home that brought them to know about VSSM. The plight anguished Husainbha’s father Ahmedbhai who helped them in whichever way he could. He knew these families need government support but weren’t familiar with the complex process it required. In the meantime, Ukabapa informed him about us and Ahmedbhai called us up from a hotel nearby. “Ben, these poor fellows are living in extremely sad conditions. Please try to help them. Get them the required documents because they are struggling to sustain themselves,” he had told me on the phone. I also happened to meet him once on my way to Diu. At that time Husainbhai was not even in the picture. 

Once, when VSSM was invited to be part of the “Mokla Maan” program at CM’s office the communities it works for were called in. We called up Nat youth to come and share their issues and conditions at this program. Since that particular person had never stepped out he refused to come. We tried to convince him a lot. Since he did not budge I was asked to speak to Husainbhai. I irked on him for the irresponsible behaviour of the Nat youth, but he never argued or answered back. That night he spent his own money to bring few Nat youth to Gandhinagar for the meeting. Until then I did not know Husainbhai. At Gandhinagar too I wasn’t able to interact with him. Later I called up to thank him for his efforts and apologise for my anger. 

A few days ago while I was in Gir he got the news of my arrival. I was looking forward to meeting Ahmedbhai hence reached their village Simasi to find Husainbhai in his nice shop. “What do you do?” I inquired. 
“I run a diamond polishing enterprise that employs 80 people, plus this shop to sell tiles etc and also offer work of lace and sequins application to women around the region.”
I asked him to show me around his diamond polishing unit. It is hard to believe that an extremely unpretentious looking person runs so many enterprises. I was curious to learn more about his work!! 
“Ben, so many young men have left for Surat, Ahmedabad and other bigger cities for work. They leave agriculture in search of other work. Once in the city, their life ends up cramped in a 10x10 room. My heart pains when sitting here I see women packed in shared auto heading for work in nearby towns and cities. I have decided to bring work to their doorstep. I worked hard to find unpolished diamonds. Work isn’t sufficient yet but it has been instrumental in keeping 80 men in their village, they haven’t needed to move to the city. Along with diamond polishing they also engage in farming on their land.”
Finding work for women was an issue. But when I came across merchants in Surat who was prepared to send work of lace and sequins application to Simasi, I grabbed the opportunity and have spread the word amongst 110 women. I do not earn from this!”
“Why work for the loss?”
“So that people find employment here and the distress migration towards the cities stops.”
“How can anyone help you with these efforts?”
“If someone helps build a large room in Simasi it will help women to work at one place, I can monitor the quality of their work. Also if someone gives us work for diamond polishing. More people can be employed. I do not benefit much but I want to do it for everyone else.”

I promised him to share his story. Who knows some Samaritan might come forward to support him.  

Husainbhai’s efforts to revive the crumbling and dying villages are worth applauding. Seems like he had inherited his father Ahmadbhai’s genes of serving others. 

“I went on Haj four times. Hope I can continue serving others as much as I can, only then will life seem fulfilling!”

Our salute to Husainbhai and Ahmedbhai. 

Images share glimpses of the above narrative… 

લખાણ લાંબુ છે પણ વાંચજો જરૃર...
'બેન મારે તમને કાંક દેવું સે..' એમ કહીને હુસેનભાઈએ પોતાના ખીસ્સામાંથી એક પર્સ કાઢ્યું અને એમાંથી કાગળનું એક નાનકડું પડિકું.

'આ શું છે?'
'ડાયમન્ડ'
'સાચા'
'હા'
'ઓહ મને ના ખપે'
'પણ મારે તમને દેવા સે. મે કેદુના તમને દેવા લઈ રાખ્યા'તા'
'તમારી લાગણી માટે આભાર પણ હું લઈ શકુ નહીં'
આવા પ્રેમાળ હુસેનભાઈને હું પહેલીવાર મળી હતી પણ સેલફોન પર વાત ઘણીવાર થયેલી.
મૂળ તો વિચરતી જાતિના નટ લોકો એમના ઘરની સામે છાપરાં કરીને રહે. હુસેનભાઈના પિતા એહમદભાઈને નટડા પર જીવ ખુબ બળે, એમના જોગું મદદ કરી જાણે પણ સરકારી કાગળિયાની એમને બહુ ગતાગમ પડે નહીં આવામાં ઉકાબાપાએ એહમદભાઈને મારો પરિચય કરાવ્યો પછી તો એહમદભાઈએ ચાની હોટલેથી ફોન કરીને મને કહેલું,
'બેન આ બચાડા બહુ દુઃખી માણસો સે એમની હામે તાકજો. એકફેરા પુરાવા કઢવી દ્યો બચારા ખુબ હેરાન થાય સે'

આમ એહમદભાઈ સાથે પરીચય થઈ ગયેલો. એક વખત દીવ જવાનું થયેલું ત્યારે મળેલી પણ ખરા. ત્યારે હુસેનભાઈ ક્યાંય પિક્ચરમાં નહોતા.
પણ મુખ્યમંત્રી શ્રીએ મોકળામને કાર્યક્રમ કરેલો ને એમાં અમે નટડામાંથી એક યુવાનને કાર્યક્રમમાં વાત કરવા બોલાવ્યા. પણ એ કોઈ દિવસ બહાર નીકળેલો નહીં તે નહીં અવાય એવું કહેલું. મે ઘણું સમજાવ્યો પછી અમારા કાર્યકર રમેશ જે આ લોકો સાથે કામ કરે એણે મને હુસેનભાઈનો નંબર આપી વાત કરવા કહ્યું. મને હુસેનભાઈ વિષે એ વેળા ખ્યાલ નહીં મે તો આ નટડા યુવાનની નાદાની માટે હુસેનભાઈને પણ ખખડાવી નાખેલા. એમણે સામેય એકેય દલીલ કરી નહીં રાતના પોતાના ખર્ચે દીવથી નટડા સમાજના એ યુવાનને લઈને એ ગાંધીનગર આવ્યા. જો કે એ વખતેય મારે હુસેનભાઈને મળવાનું થયેલુ નહીં. પણ એ વખતે રમેશે મને પરિચય આપેલો એટલે થોડી ગ્લાની સાથે એમનો આભાર માનેલો.

થોડા દિવસ પહેલાં ગીર ગયેલી. #ગીર પહોંચ્યાના સમાચાર હુસેનભાઈને મળ્યા ને ફોન આવ્યો. હુંયે એહમદભાઈનેય મળાશે એમ કરીને સીમાસી એમના ગામે પહોંચી.
સરસ મજાની દુકાનમાં હુસેનભાઈ બેઠેલા. મે ત્યારે પુછ્યું, 'કામ શું કરો છો?'
એમણે કહ્યું, 'બેન #હીરાની ઘંટી ચલાવું છું. લગભગ 80 યુવાનો હીરા ધસવાનું કામ કરે છે. એ સિવાય આ નાની દુકાન ટાઈલ્સ વગેરેની અને ટીક્કી, લેસ લગાડવાનું કામ આસપાસના ગામડાંની બહેનોને આપુ છું..'
આટલું બધુ મે એમને હીરાનું કારખાનું બતાવવા કહ્યું, એ અમને લઈ ગયા.
કપડાં પરથી સામાન્ય લાગતો આ માણસ આવડું મોટું કામ કેવી રીતે કરે છે.. કોણ એમને સમાન આપે છે વગેરે પ્રશ્નો થયા. જવાબમાં હુસેનભાઈએ જે કહ્યું તે,

'બેન આંયા ગામડાંમાંથી કેટલાય યુવાનો સુરત, #અમદાવાદ ભણી રોજી રળવા ઘરબાર ખેતી મૂકીને વયા જાય છે. ત્યાં જઈને દસ બાય દસની ખોલીમાં જાનવર જેવી જીંદગી જીવે. આ બધુ ગમે નહીં. હું આ દુકાને બેસીને કેટલીયે બહેનોને શટલિયામાં ઠસ્સો ઠસ ભરીને દાડી કરવા શહેરમાં કે ગામોમાં જતી જોવું ત્યારે જીવ બળી જાય. મે નક્કી કર્યું કે આમને ઘેર બેઠા વતનમાં કામ આપવું
અને કાચા હીરા મેળવવા મહેનત કરી. હજુ હું ઈચ્છુ છુ એવું કામ નથી મળ્યું પણ હીરાનું કામ શરૃ થતા આજે 80 યુવાનો એમના વતનમાં રહીને ખેતીની સાથે હીરા ઘસવાનું કામ પણ કરે છે.

બહેનોને શું કામ આપવું તેની મૂંઝવણ હતી. #સુરત જઈને જોયું તો બહેનો સાડીમાં લેસ, ટીક્કી લગાડવાનું કામ કરતી જોઈ. મે ત્યાંના વેપારીને વાત કરી અને બસમાં એ માણસ સીમાસી સામાન મોકલવા તૈયાર થયો અત્યારે આસપાસના ગામની 110 બહેનોને હું કામ આપુછું. પણ આમાં મને વળતર ખાસ મળતુંનથી'
'તો ખોટોનો ધંધો કેમ કરવો?'
'બેકારી ઘટે ને શહેરો તરફની દોટ ઓછીથાય એ માટે..'
'આ કામમાં કોઈને મદદ કરવી હોય તો શું કરાય?'
'સીમાસીમાં એક મોટો ઓરડો- હોલ કોઈ બાંધી આપે તો બહેનો અહીંયા આવીને કામ કરી શકે. તો કામમાં મારી નજર રહે અને કાર્યમાં ચોખ્ખાઈ આવે અને હીરા ઘસવા માટે મોટા વેપારીઓ અમને સામાન આપે તો અમને ઘણો ફાયદો રે.હાલ એટલું બધુ મળતર નથી. પણ લોકો માટે કરવું છે એટલે આ કાર્ય કરીએ છીએ'

મે કહ્યું હું તમારી વાત ચોક્કસ લખીશ ખબર નહીં કોઈને મન થાય અને કોઈ મદદ મળી જાય.
ગામડાં ભાંગીરહ્યા છે ત્યારે હુસેનભાઈ જેવા ભાંગતા ગામડાં બચાવવા મથી રહ્યા છે એ સરાહનીય છે. વળી સેવાનો ગુણ પિતા એહમદભાઈમાંથી મળ્યો છે. 'ચાર વાર બેન હજ પઢી આવ્યો. કુદરતની કૃપા વગર આ બધુ ક્યાંથી થાય. બસ લોકોનું હજુ વધુ સારુ કરી શકીએ તો જીવતર લેખે લાગ્યું'

હુસેનભાઈ અને એહમદભાઈ બેયને પ્રણામ કરવા પડે.
મે જે જોયું એ બધુયે લખ્યં. હુસેનભાઈ સાથે સરસ ફોટો પણ પડાવ્યો.
#MittalPatel #VSSM #મિત્તલપટેલ #નટડા #વિચરતીજાતિ
#nomadic #denotified #nomadictribesofindia #india
#gujarat #nomadiccommunity #denotifiedcommnity
#livelihood #ngo #socialgood #ntdnttribesofindia #humanrights
#girsomnath #surat

It is always a hard task to convince the villagers to contribute towards their own good!!...

Mittal Patel discusses Water Management with the
villagers
In the earlier days, the farmers would begin to have an easier workload after the Rabi crop was harvested because the groundwater wasn’t explored yet hence there was no possibility of farming during summers.  “So what did they do during this free time?” is an obvious thought that crosses our mind.

The villagers handed over the collected amount to VSSM's
Naran
Do you think they spent their time ideally? Never! It is not in a farmer’s nature to sit still. They would till their soil and prepare their farms for the next season. They would repair and restore traditional water sources of their own and that of the village. Yes, they never depended on anybody else to come and take care of the water sources of their village. Today we depend on the government to come and take care of common property resources of our villages.

Lake before digging
When we initiated the participatory water conservation works in Banaskantha the first condition was that the community will contribute both in the form of action and funds. The soil excavated by VSSM funded JCBs will be carried away by tractors that the community members will bring. Also, the villagers will have to contribute in cash to raise a corpus to work on the maintenance of the water sources of their village. The amount of the contribution of each household will depend on their capacity. However, the community hasn’t been prepared to provide cash contributions.

“We did send our tractors, so why money?”

“These are the lakes in your village, so you need to contribute.”

It is very difficult to get someone to contribute in cash.
Water Management Site

If there are 300  houses in a village and each contributed Rs. 500 for upkeeping the lakes of their villages, the figure will be a decent Rs. 1.5 lacs. However, they would choose to spend the amount in any random expense over donating to maintain the lakes.

“The lake isn’t mine, so why to donate?” they argue.

“The lake is from your village when it brims with water it is also you who will benefit from it.”

I receive calls from many Sanpanch saying many villagers aren’t prepared to donate in cash.

And amidst such a discouraging scenario, the Kuvarva villages has performed beyond our expectations. The tractors arrived on schedule, they have already collected Rs. 50,000 in cash and more are on the way. We will be spending Rs. 5 lacs for the deepening on this lake plus a lac as community contribution will bring the amount to Rs. 6 lacs.

The pleasure of working in villages where villagers are supportive and understanding is beyond comprehension. It reflects the progressive mindset of the villagers. It shows they do not believe in charity neither do they like to be dependent on government and others for their needs. I hope other villages too draw inspiration from Kuvarva.

The villagers handed over the collected amount to VSSM’s Naran.

We are grateful to all our well-wishers who have supported our water management initiative.

પહેલાંના સમયમાં ફાગણ ઉતરતા ખેતીકામમાંથી ખેડૂતો નવરા થવા માંડતા...
એ વેળા બોરવેલ નહોતા એટલે ઉનાળુ પાક કરવાની સંભાવના નહોતી...
ત્યારે સ્વાભાવીક ખેડૂતો કે ગામના લોકો ઉનાળામાં શું કરતા? તે પ્રશ્ન થાય.
રખેને નવરા બેસી રહેતા એવું કહેતા.. કારણ નવરા બેસી રહેવાનું આ કામગરા માણસોને ફાવે નહીં.
પોતાના ખેતરો ખેડી ચોમાસા માટે તૈયાર કરવાનું ખેડૂતો કરે સાથે પાણી સંગ્રહના સંશાધનો ઠીક કરવાનું તેઓ કરતા.
હા, ગામના તળાવો ગાળવનાનું તેઓ કોઈનીયે મદદ લીધા વગર જાતે કરતા.
આજે આપણે સૌ સરકાર પર આધારિત થઈ ગયા છીએ. મારા ગામનું તળાવ હું શું કામ ગાળુ સરકાર ગાળશે એવું આપણે જરાય શરમ વગર બોલીએ છીએ..
અમે તળાવો ગાળવાનું બનાસકાંઠામાં શરૃ કર્યું. શરત એટલી જ કે માટી ગામ ઉપાડે એ ઉપરાંત ફાળો આપવાનો. આ ફાળો ગામલોકો પોતાની મરજી મુજબ આપે. આ ફાળો પણ એમના ગામના તળાવ ગાળવામાં જ પાછો વપરાવવાનો પણ લોકો ફાળા માટે ઝટ રાજી થતા નથી.
ટ્રેક્ટર તો આપ્યા. હવે ફાળો કેમ?
હું કહુ છુ તમારા ગામનું તળાવ ગળાય એમાં તમારી હીસ્સેદારી નોંધાય માટે..
પણ બહુ અઘરુ છે કોઈના ખીસ્સામાંથી રૃપિયો કઢાવવો..
ગામમાં 300 ઘર હોય અને દરેક ઘર 500 તળાવ માટે આપે તોય ફાળો દોઢ લાખ થાય પણ આમ તેમ વાપરી નંખાતા 500 તળાવ જે સાર્વજનીક છે તેને સરખુ કરવા હું શું કામ આપું તેવું લોકો માને છે..
અરે ભાઈ તમારા ગામનું તળાવ છે. પાણી ભરાશે તો તમને જ ફાયદો થશે..
ખેર ઘણા ગામના સરપંચોના ફોન આવે છે તળાવ ગાળવા પણ ફાળાની વાતમાં સૌ મોળા પડે છે..
પણ કાંકરેજનું કુવારવા ગામ જરા નોખુ છે..
માટી ઉપાડવા ટ્રેકટર તો આપ્યા એ ઉપરાંત પચાસ હજારનો ફાળો આપ્યો. હજુ વધારે એકત્રીત કરવાની એમની ગણતરી છે. અમે આ ગામમાં તળાવ પાછળ પાંચ લાખ ખર્ચ કરીશું. સાથે તેમનો ફાળો જો એકાદ લાખ આવે તો છ લાખ તળાવ ખોદકામમાં વપરાશે..
ગામની ભાગીદારી હશે તો અમનેય કામ કરવું ગમશે.. કોઈને કહી શકીશું. ગામો જાગ્યા છે. સાવ ધર્માદુ લેવાની એમની ખેવના નથી ને સરકાર પર આધારિત નથી..
કુંવારવાની જેમ અન્ય ગામો જાગે એવી ભાવના....
કુંવારવા ગ્રામજનોએ અમારા કાર્યકર્તા નારણ રાવળને લોકફાળો સમર્પિત કર્યો।
તળાવ ગાળવામાં મદદરૃપ થનાર સૌ પ્રિયજનોનો આભાર

Thank you Mr. President...I feel proud to be an Indian.

Mittal Patel meets the President of India
It is a matter of honour to have an opportunity to meet the President of India and share with him the work VSSM is doing and the expectations it has from the government. The Head of the State showing concern for the nomadic and de-notified communities, what more can one ask for?

 Thank you Mr. President.

I feel proud to be an Indian.



I am grateful to the Government of Gujarat, VSSM’s well-wishing friends, VSSM’s team and most importantly the nomadic communities.

With the hope that the lives of the millions of nomads who have been struggling for generations gain a better future.

આદરણીય રાષ્ટ્રપતિજીને મળીને કરેલા કામોની તેમજ સરકાર પાસે શું અપેક્ષા છે એની વાત કરવી એ ગૌરવની ઘટના...

દેશના સર્વોચ્ચસ્થાને બેઠેલા દેશના વડા વિચરતી જાતિઓની ચિંતા કરે એનાથી મોટું શું હોઈ શકે?

આભાર રાષ્ટ્રપતિજી..

ભારતીય તરીકે ગૌરવ અનુભવું છું..

ગુજ. સરકાર, આ કામોમાં મદદ કરનાર પ્રિયજનો, મારી ટીમ અને સૌથી અગત્યનું વિચરતી વિમુક્ત જાતિઓ આ બધાનો આભાર..

સદીઓથી તકલીફમાં જીવતી આ જાતિઓ નું ભાવિ વધુ સરસ બને  એવી અભ્યર્થના...
#mittalpatel #vssm

Tuesday, February 25, 2020

Mission Antyodaya by Shri K Rajesh, Surendranagar District Collector…


Shri K Rajesh giving Antyodaya  Ration Card to nomadic
woman
 Antyodaya signifies working for the economic upliftment of the poorest of the poor families. India chose to be a welfare state, means it protects and promotes the economic and social well-being of its citizens. There are hundreds of government policies and schemes for the upliftment of the marginalised. One of which is allotment of Antyodaya Ration card for the poorest of the poor. The Antyoday Ration Card ensures enough grains for the very poor families who need government support to break free from deprivation. However, the complex government procedures and requirements make it an inaccessible document for the ever people who need it the most. VSSM has been writing to the government about this for many years now. Ultimately our Chief Minister Shri Vijaybhai showed interest and instructed concerned officials about the same. The task became easy wherever we came across sensitive and concerned officials. But it wasn’t happening as frequently as we would like to.

Shri K Rajesh identified each Antyoday worthy family
and provide them with Antyoday Ration Card

  We have often written about Surendranagar District Collector’s Shri K Rajesh’s commendable work for the deprived and needy. This compassionate officer believes that his job provides him with the best opportunity to work for the poor so why not make the best use of it!! He has taken upon him to identify each Antyoday worthy family and provide them with Antyodaya card.

Our Harshad’s joy is hard to contain because of this development. “Ben, I haven’t seen such generous and righteous human being. The fate of the nomadic communities of Surendranagar has changed for the better. The files that have not moved for years are rapidly moving and finding positive outcomes.

Nomadic Community with their Antyodaya Ration Cards
 We are grateful to Shri K Rajesh for his tremendous support. We hope others learn from his inspirational work.

May Almighty grant you good health and happiness. May you continue to remain instrumental in the  Antyoday of the needy…




Nomadic Community with their Antyodaya Ration Cards


અંત્યોદયની વ્યાખ્યા - અંત્યત છેવાડે રહેતા જેને તકવંચિત કહીએ તેનો ઉદય કે વિકાસ એવી થાય...

આપણે કલ્યાણકારી રાજ્યની વિભાવના સ્વીકારી અને આપણું બંધારણ પણ એ વિભાવનાના આધારે ઘડાયું.
વંચિત કહી શકાય તેવા જનસમૂહ માટે ઢગલો કલ્યાણ કારી યોજનાઓ પણ બની..આવી જ એક યોજના અંત્યોદય રેશનકાર્ડની..
ગરીબ માણસ જેની અન્ન સુરક્ષાની જળવાતી ન હોય તેને આ યોજના અંતર્ગત રાશન મળે. પણ સરકારી આંટીઘૂંટીના કારણે તકવંચિતોને ક્યાંક આ યોજનાની મદદ મળવાનું થાય નહીં.
છેલ્લા ઘણા વખતથી સરકારમાં આ બાબતે સતત રજૂઆત કરતા.
છેવટે આપણા મુખ્યમંત્રી શ્રીએ પોતે આ બાબતે રસ લીધો અને પૂરવઠા વિભાગને સૂચના પણ આપી.
પણ અમલવારી કરવાનું અધિકારીઓના હાથમાં હોય. ક્યાંક સંવેદનશીલ અધિકારી હોય તો બધુ ચપટીમાં થાય અને ક્યાંક...

સુરેન્દ્રનગરમાં અંત્યોદય રાશનકાર્ડ આપવાના મુદ્દે કલેક્ટર શ્રીને રજૂઆત કરી. કલેક્ટર શ્રી કે. રાજેશ તો એકદમ ભલા અને ઉમદા અધિકારી. તેમના મતે ગરબોની સેવા કરવાની તક આ પદ પર બેસીને મળી છે તો એમાં પાછા કેમ શું કામ પડવું?
એમણે પોતાના જિલ્લામાં રહેતા વંચિત પરિવારોને વીણી વીણીને અંત્યોદય કાર્ડ આપવાની શરૃઆત કરી.
કાર્યકર હર્ષદનો હરખ સમાતો નથી. બેન આવા સમાહર્તા મે જોયા નથી. આપણો સમય ફર્યો છે ( હકારાત્મક રીતે) સુરેન્દ્રનગરની વિચરતી જાતિઓનું ભાગ્ય ખુલ્યું છે એટલે જ વર્ષોના પડતર કામોનો નિકાલ ફટાફટ થઈ રહ્યો છે.

આભાર કે.રાજેશ જેવા યુવા અને ઉત્સાહી કલેક્ટર શ્રીનો. તમને જોઈને અન્ય શીખે એમ ઈચ્છીએ...
વંચિતો કહે, એમ ભગવાન તમને સાજા નરવા રાખે...અને હજારો લાખો માણસોના અંત્યોદયમાં નિમિત્ત બનાવે..
Collector Office,surendranagar
CMO Gujarat
Ishwar Parmar

#vssm #nomadic #denotified #gujarat #surendranagar #humanrights #વિચરતા #વિમુક્ત #ગુજરાત #સુરેન્દ્રનગર #માનવઅધિકાર #india #nomadicofgujarat #nomadicofindia
#community