Sunday, April 12, 2015

Meer families exercising their right to vote for the first time during the 2014 elections

A couple of years ago with the support of Aarti Foundation VSSM began working in Kutch’s Bhachau region. Bhachau has substantial concentration of nomadic population. Here we came across 10 Meer families living in Samakhiyari. Work takes them to distant regions but eventually they come back to Samakhyari. These families had no document to prove their identity. VSSM worked to get them their citizenry documents. 

The special orders of Chief Electoral Officer Mrs. Anita Karwal made the issuance of Voter ID cards possible for these families. Voter ID cards made it possible for them to exercise their right to vote during the 2014 general elections. 

The Voter ID cards also facilitated these families to acquire ration cards. The children of these families have been enrolled in mainstream school after teaching them in the Bridge School for a while. We are planning to start a hostel in Bhacahu from June 2015 onwards. We are also in process of filing applications for the allotment of residential plots to these families. .

In the picture The current living condition of these families and their Ration cards... 


‘જિંદગીમાં પહેલીવાર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે એમણે મતદાન કર્યું’
કચ્છના સામખ્યારીમાં ૧૦ મીર પરિવારો વર્ષોથી રહે. કામ ધંધા માટે કેટલોક સમય સ્થળાંતર કરે પણ બાકીનો સમય સામખ્યારીમાં જ રહે. વર્ષોથી અહિયાં રહેતાં હોવા છતાં મતદારકાર્ડ, રેશનકાર્ડ જેવા કોઈ આધારો એમની પાસે નહિ. ના બાળકો શાળામાં જાય. 

‘આરતી ફાઉન્ડેશન’ની મદદથી કચ્છના ભચાઉમાં વિચરતા પરિવારો સાથે કામ શરુ કર્યું અને આ મીર પરિવારો ધ્યાને આવ્યા. પોતાની ઓળખના આધારો નથી એટલે કેવી હાલાકી વેઠવી પડે છે એ સાંભળ્યું. મતદારકાર્ડ માટે અરજી કરી. આદરણીય શ્રી અનીતાબહેન કરવાલ (મુખ્ય નિર્વાચન અધિકારી)ની આ પરિવારો માટેની લાગણીના કારણે એમની સુચનાથી ૨૦ પુખ્તવયના મીર વ્યક્તિઓને પહેલીવાર મતદારકાર્ડ મળ્યાં. જિંદગીમાં પહેલીવાર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે એમણે મતદાન કર્યું. 

વિચરતી જાતિઓને મતદારકાર્ડના આધારે રેશનકાર્ડ આપવાના ઠરાવના આધારે ૧૦ પરિવારોને રેશનકાર્ડ પણ મળ્યા જે ફોટોમાં જોઈ શકાય છે. એમનાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો. થોડો સમય એમની જ વસાહતમાં સ્કુલ પણ ચલાવી. જુન -૧૫ થી બાળકો અને એમનાં માતા-પિતા તૈયાર થાય તો ભચાઉ સેન્ટર પર જ હોસ્ટેલ કરવાનું પણ આયોજન છે. સાથે સાથે એમને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફાળવાય એ માટે અરજી કરવાનું પણ આયોજન છે. 
આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે..


Friday, April 10, 2015

An episode that has left us baffled..

Its 24th March 2015. Three men Bababhai, Kalubhai and Maheshbhai belonging to Saraniyaa community, residing in the village of Trajpar in Morbi district  return back home from work for lunch. Just as they have finished their meal, two policemen approach their house on a motorbike. 

‘Come along, we are here to take you!!” the men in uniform say.

Before they could utter a word or  inquire they are forced to sit on the awaiting motorbikes that take them to the police station. 

At the police station some documents awaited them, the detained men are forced to sign them and are then taken before the Magistrate. 

“Such case at such an age?”

“Saheb, but we haven’t done anything.”

Just then the police at the back nudges them, “be quite..” they order. 

In the meanwhile someone bailed them out and the three were free to return back home. 

How strange.. no crime or offence committed, some papers are ready and awaiting them in the police station and at the court aswell, someone bails them out too…. so what exactly is this???

Yes the police on the way had asked, “how much money do you have in your pockets??” to which Bababhai had replied “None.."

On the following day a police jeep steers  into the settlement. There is panic all around,  women and children started running around. VSSM’s Rameshbhai was at the settlement taking pictures of families who had recently received voter ID cards and Ration cards because of VSSM’s efforts. He calmed  the panic and approached the police to inquire, “ have they committed some offence??”

“You continue with your work,” the police replied curtly and went on to stand at a distance. 

Ratnaabhai, the community leader tells  Rameshbhai, “let me go and ask them why are they here? otherwise we’ll be harassed later!!”

“We have to take 10 people, prepare them, we are waiting at the hotel!!” the police orders Ratnaabhai when he asked them why they were here.

Ratnaabhai was unable to ask further questions. He comes back and narrates to Rameshbhai who instructed that no one was going anywhere and the community briefed them about the recent happenings and harassments. The police waited for an hour but no one from the settlement goes to them. The presence of Ramesh in the settlement had cautioned the police who did not return  that day. 

We fail to comprehend what is going on here..detain the wandering poor, file some imaginary offence against them, bail them, blackmail them and take money from them …..WHY??? These are humans we are talking about people who have families, a home (however it may be), an address, earn honest living and most of all have constitutional rights……

The families whose men are taken by the police  experience unimaginable trauma and distress. They  pledge offerings and rituals to their deity for safe return of their men (rituals require spending lot of money). So why would police or any authority want the people they are required to protect go through so much mental distress … again we fail to understand. ….


કાંઈ ગુનો નહિ, કોઈ અપરાધ નહિ. પોલીસ સ્ટેશને કાગળિયાં તૈયાર... કોર્ટમાં કાગળિયાં તૈયાર અને જામીન પણ તૈયાર!!!!

૨૪ માર્ચ ૨૦૧૫ના રોજ મોરબીના ત્રાજપરગામમાં સરાણીયા વસાહતમાં બાબાભાઈ, કાળુભાઈ અને મહેશભાઈ સરાણીયા બળબળતી બપોરે કામેથી ઘરે આવ્યા અને જમીને ઉભા થયા ત્યાંતો બે પોલીસવાળા બાઈક પર આવ્યા,
‘હાલો, તમને લઈ જવાના છે..!’
આ ત્રણે કાંઈ કહે તે પહેલાં બે બાઈક પર જબરદસ્તીથી બેસાડીને પોલીસ ચોકીએ તેમને લઇ ગયા. 
ત્યાં કાગળીયાં તૈયાર જ હતા. સહી કરાવી મેજીસ્ટ્રેટ સાહેબ સામે હાજર કર્યા.
‘ આટલી ઉમરમાં આટલો કેસ થઇ ગયો ?’
“સાહેબ, અમે તો કાંઈજ કર્યું નથી.”
ત્યાં તો પાછળ ઉભેલા પોલીસે ઠોંસો માર્યો. ચૂપ બેસ. વળી ત્યાં કોઈક જામીન થઇ ગયું અને ત્રણે ઘરે આવ્યા. આ કેવી નવાઈ....કાંઈ ગુનો નહિ, કોઈ અપરાધ નહિ. પોલીસ સ્ટેશને કાગળિયાં તૈયાર... કોર્ટમાં કાગળિયાં તૈયાર અને જામીન પણ તૈયાર....
હા, પોલીસે રસ્તામાં પૂછ્યું  ‘ગુંજામાં કેટલા પૈસા છે? લાવ્ય – ૧૦૦ રૂl..’ પણ બાબાભાઈએ કહ્યું, ‘એકપણ પૈસો નથી ને પત્યું.’


બીજા દિવસે પોલીસ ગાડી લઈને વસાહતમાં આવી. વળી બાળકો સ્ત્રીઓમાં નાસભાગ થઇ ગઈ. vssmના કાર્યકર રમેશ ત્યાં હાજર. આ પરિવારોને vssmની મદદથી હમણાં જ મતદારકાર્ડ અને ત્યારબાદ રેશનકાર્ડ મળ્યા હતાં. એટલે રમેશ એમના photo લઇ રહ્યા હતા. તેમણે પોલીસની ગાડી આવવાથી મચેલી ભાગદોડ બંધ કરાવી અને બધાંયને ઊભા રાખ્યાં અને પોલીસને પૂછ્યું, ‘આમનો કાંઈ વાંક ગુનો છે?’ પોલીસે રમેશને કહ્યું, ‘તમે તમારું કામ કરો’ અને એ લોકો દુર જઈને ઉભા રહ્યાં. વસાહતના આગેવાન રત્નાભાઇએ રમેશને કહ્યું, ‘હું એમને પૂછી આવું કેમ આવ્યા છે? નકામું પછી હેરાન કરશે!’ રત્નાભાઈ ગયા એટલે પોલીસવાળાએ કહ્યું, ’૧૦ જણાને લઇ જવાનાં છે તૈયાર કરો અમે હોટલે ઉભા છીએ.’ રત્નાભાઈ કશું પૂછી ના શક્યા. વસાહતમાં આવીને રમેશને વાત કરી. રમેશે કોઈ પણ વ્યક્તિને સામેથી જવાની ના પાડી અને આ બાબતે થઇ રહેલી કનડગત બાબતે વિગતે વાત કરી. પોલીસ એક કલાક ઉભી રહી પણ કોઈ એમની પાસે ગયું નહિ. રમેશની હાજરી હતી એટલે પોલીસ પાછી આવી ના શકી. 

રખડતા ભટકતાની કલમ લગાડીને પકડવાના પછી જામીન પણ કરાવી દેવાના. પૈસા માંગવાના. આપે તો લઇ લેવાનાં. આ બધું સમજાતું નથી... વળી આ લોકો કંઈ રખડતાં ભટકતા નથી એમનાં પણ ઘર છે. હા એ પાકા નથી પણ એમનું સરનામું તો છે જ – જે ફોટોમાં જોઈ શકાય છે તો રખડતાં કેવી રીતે થયા??
પોલીસ જે વ્યક્તિને લઇ જાય એના પરિવારમાં તો ચાર પાંચ કલાક માટે માતમ છવાઈ જાય. રોક્કળ થઇ જાય. શું થશે એ ચિંતા થાય, માતાજીની બાધા-આખડી માની દે.. આ પીડા આપણને અનુભવાય છે તો પોલીસને કેમ નહિ? અને આ રીતે માણસોને લઇ જવાનો મતલબ તો હજુએ સમજતો નથી.. 

Thursday, April 09, 2015

"Now at 50 I shall have my address…..”says Anwarbhai Dafer.

How long does it take to really know a person or a family or a community?? It would come as a shock to you’ll if I said 35 years aren’t enough for one community to know another community. Well that is truly the case for the 20 families of Dafer community. After staying in the village of Adwada for 35 years and protecting he village and farm boundaries for almost the same time the families had to leave the village when the villagers refused to accept them as part of the village and issue any identity proofs from Adwada. Over the years these families made tremendous efforts to get their identity documents from the village but weren’t successful. They did not like the Dafer and outrightly rejected their request for permanent settlement.    The intolerance for these families became more evident after the visit of IGP Shri. Bhati Saheb to the Dafer daanga.  The visit by such a senior official sent ripples of panic amongst the villagers. They felt that the police will now force the panchayat to allow the Dafer families to settle in the village. The villagers forced the Dafer families to get out of their village. Dafer families lost the hope and decided to permanently leave the village. 

Eventually the families left the village ad settled in the town of Dhandhuka. Here they made applications for identity proofs. Getting the Voter ID cards was easy, thanks to Chief Electoral  Officer Ms. Anita Karwal. For the first time in their life the  families were issued any document that could state who they are!! Their happiness knew no boundaries on the day 23 individuals received  the Voter ID cards. Anwarbhai called to convey the development, “ Now we will be issued Ration cards, right?? we have waited so long for someone to hold our hand!! At 50 I have finally found my address…..”

We have prepared applications for 13 families for issuance of ration card on the basis of Voter ID cards. When we went for the submission of these applications on 6th April 2015, we were asked to submit document to prove the age of the applicant along with an affidavit.  These are un necessary documents that are been asked as the Voter ID cards already carry age of the card holder. Time consuming processes to be undertaken just because some officer has asked for it. This isn’t new to us or the nomadic families. Even if we see no need for such documentation we shall be obliging as always….


‘ ૫૦ વર્ષે મારું સરનામું જડ્યું..’ – અનવરભાઈ ડફેર
અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકા મથકે ૨૦ ડફેર પરિવારો રહે છે. આમ તો આ પરિવારો વર્ષોથી ધંધુકાના અડવાળગામમાં રહ્યાં અને ગામની સીમનું રખોપું કર્યું. પણ આ ગામના લોકોએ વર્ષોના વસવાટ પછી પણ આ પરિવારોને પોતાનાં ગામમાં સ્વીકારવાની ના પાડી. આખરે થાકીને આ પરિવારોએ લગભગ ૩૫ વર્ષે ગામ છોડ્યું. આમ તો કોઈને પણ ઓળખવા માટે આટલો સમય ગાળો પુરતો છે પણ અડવાળગામના રહીશોને ડફેર લોકો જ પસંદ નહોતા એટલે એમને નકારી કાઢ્યા. મૂળ તો IGP શ્રી ભાટી સાહેબની આ પરિવારોની મુલાકાત પછી ગામને થયું કે, હવે પોલીસ પણ આ પરિવારોને વસવાટ માટે મદદ કરશે અને ગામમાં વસાવશે. એટલે એમણે જ આ પરિવારો પર દબાણ કર્યું અને આ પરિવારોએ પણ અડવાળ ગામ સ્વીકારશે એ આશા મુકીને ગામ છોડ્યું. તેઓ ધંધુકા આવીને રહ્યા. વિચરતી જાતિના લોકો જે મુશ્કેલી અનુભવે એવી જ મુશ્કેલી આ પરિવારો પણ અનુભવે. પોતાની ઓળખના પુરાવા મેળવવા કેટલા દોડા કરેલા પણ ગામ સહયોગ ના કરે એટલે કશું થતું નહોતું.

ધંધુકા આવ્યા પછી એમને મતદારકાર્ડ મળે એ માટેની અરજી કરી. પુરાવાના પ્રશ્નો આદરણીય અનિતાબહેન કરવાલ મુખ્ય નિર્વાચન અધિકારીએ વિચરતા પરિવારોના સાપેક્ષમાં હળવા કરી દીધેલાં. એટલે જિંદગીમાં પહેલીવાર એમને એમની ભાષામાં કહીએ તો ૨૩ વ્યક્તિઓને ઓળખપત્ર મળ્યાં. જે દિવસે મતદારકાર્ડ મળ્યા તે દિવસે એમની ખુશીનો પાર નહોતો..અનવરભાઈ ડફેરે ફોન પર કહ્યું, ‘બહેન હવે તો રેશનકાર્ડ પણ નીકળશે ને? કેટલાં વર્ષો આ બધા માટે રાહ જોઈ છે પણ અમારો હાથ કોણ ઝાલે? મને ૫૦ વર્ષ થયા ત્યારે હવે મારું સરનામું જડ્યું..’ 

વિચરતી જાતિને મતદારકાર્ડના આધારે રેશનકાર્ડ ફાળવવાના ઠરાવના આધારે ૧૩ પરિવારોની રેશનકાર્ડ માટેની અરજી તૈયાર કરી છે. તા.૬ એપ્રિલ ૧૫ના રોજ મામલતદાર કચેરીમાં આપવા ગયા તો ઉંમરના પુરાવા માંગ્યા. અને સોગંદનામું પણ. vssmના કાર્યકર હર્ષદે આ અંગે જાણ કરી અને આમાં સમય જશે અને ખર્ચ પણ થશે એમ જણાવ્યું. જોકે જેમની પાસે મતદાર કાર્ડ છે એમની ઉંમર તો એમાં લખેલી જા છે છતાં એમના દાખલા કઢાવવાનું કરણ સમજાતું નથી? ખેર આ પ્રક્રિયા પૂરી કરવાની છે એટલે અરજીઓ થોડી મોડી જમા થશે. 

ફોટોમાં મતદાર કાર્ડ સાથે ડફેર વ્યક્તિઓ..

92 nomadic families of Vijapur shall soon be issued BPL ration cards..

Over the past many months VSSM has been  making continuous efforts to get BPL ration cards for 92 nomadic  families of Vijapur. Amongst them were 41 Dafer, 24 Marwari Devipujak, 11 Devipujak and 11 Saraniyaa families. The authorities have been cooperative but for some or other reasons the issuance kept getting delayed…

On 4th March 2015 during a meeting with the Additional District Collector we took up the issue for discussion. He instructed his team  to issue cards to these families after conducting the required inspections of their living conditions. As a result of this,  the  process of visiting the families and taking their statements have begun. The Mamlatdar has notified to issue ration cards in coming week.

IN the picture revenue officer taking statements from the families...

વિજાપુરના ૯૨ પરિવારોને BPL રેશનકાર્ડ આપવાની કામગીરી શરુ થઇ..
વિજાપુરમાં રહેતાં વિચરતા – વિમુક્ત ૯૨ પરિવારોને (૪૧ ડફેર, ૨૪ મારવાડી દેવીપૂજક, 16 દેવીપૂજક, ૧૧ સરાણીયા) BPL રેશનકાર્ડ મળે એ માટે છેલ્લાં કેટલાય વખતથી આપણે રજૂઆત કરતા હતાં. આમ તો મામલતદાર શ્રી ટાંક સાહેબ ખુબ મદદ પણ કરે. પણ કોણ જાણે આ કામની ગતિ જ નહોતી આવતી. 

તા.૪ માર્ચ ૨૦૧૫ના રોજ અધિક કલેકટર શ્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં ઉપરોક્ત મુદ્દે ચર્ચા થઈ અને કલેકટરશ્રીએ આ પરિવારોની પરિસ્થિતિ જોઇને કાર્ડ આપવાની સુચના આપી. જેના અનુસંધાને દરેક પરિવારની રૂબરૂ તપાસ થઇ ગઈ. હવે આ પરિવારોને મામલતદાર કચેરીમાં રૂબરૂ બોલાવી એમનું નિવેદન લેવાનું શરુ કર્યું છે. ફોટોમાં તલાટી સમક્ષ નિવેદન આપી રહેલાં વિચરતા પરિવારો.. 

આગામી અઠવાડિયે આ પરિવારોને BPL રેશનકાર્ડ ફાળવી દેવાની સુચના મામલતદાર શ્રીએ આપી દીધી છે. 

Health Check-up for children of Maitri Bridge School

Bridge Schools of VSSM function in various nomadic settlements that do not have access to government school. The program focuses on bringing children to the threshold of education by acclimatising them to the process of going to school and formal learning thus to bridge the gap between settlement living and formal school environment.  The schools function for 3-4 hours daily, has multi-grade teaching, co-curricular activities, nutrition program where children are given a healthy meal daily. 

The L.P. Savani Nagar settlement in Deesa has a Bridge School that functions through the financial  support of respected  Shri. Chandravadanbhai Shah. The school also sees a lot of participation from the society at large. The Rotary club of Deesa regularly conducts health check-ups of the children here. Earlier the children here accompanied their parents on their begging expeditions which we have stopped to a great extent. The children only had a single meal in the day as the parents would never cook two meals, malnourishment was a huge issue however the meal program at the school has reduced the intensity of the issue. But there is a long way to go… VSSM’s Maheshbhai works round the clock with and for these children which is bringing a gradual but consistent change in the situation for now the children have stopped begging with their parents and are in school, learning for a better tomorrow..

In the picture doctors examining the children of Maitri Bridge School

મૈત્રી બાલઘરના બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી..
વિચરતા સમુદાયોની એવી વસાહતો કે જેમાંથી બાળકોનું શાળામાં જવાનું પ્રમાણ ખુબ ઓછું હોય ત્યાં  vssm વૈકલ્પિક શાળા શરુ કરે છે અને બાળકોને ૩ થી ૪ કલાક ભણાવે અને નજીકની સરકારી શાળામાં દાખલ કરાવે. 

બનાસકાંઠાના ડીસામાં એલ.પી. સવાણી નગર (વિચરતી જાતિની વસાહત)માં આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ શાહના આર્થિક સહયોગથી મૈત્રી બાલઘર (વૈકલ્પિક શાળા) ચાલે છે. આ શાળામાં બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. ડીસાના સ્થાનિક નાગરિકો પણ આ કામમાં ખુબ સહયોગ કરે છે. રોટરી ક્લબ ડીસા દ્વારા પણ વખતો વખત આ વસાહતમાં બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. જે ફોટોમાં જોઈ શકાય છે. 

આ વસાહતમાં રહેતાં સરાણીયા સમુદાયના બાળકો પહેલાં ભીખ માંગવા જતા. માં-બાપ પણ બાળકો ભીખમાં માંગીને લાવેલાં ખાવાના ઉપર જ એક ટાઇમ કાઢે. બપોરનું તો જમવાનું જ ના બને. બાલદોસ્ત મહેશે આ બાળકો સાથે કામ શરુ કર્યું અને ભીખ માંગવાનું બંધ કરાવ્યું. ધીમે ધીમે બાળકો શાળામાં જતા થયા. હા પરિણામ જેવું જોઈએ એવું હજુ નથી મળ્યું. પણ બધા જ બાળકો ભણતા થશે એવી આશા છે...

Thursday, April 02, 2015

Antyoday Ration Cards for 42 families of Nava Deesa

An empathetic and considerate district and local administration of Banaskantha is setting examples for other administrations to learn from. Recently the administration issued Antyoday Ration Cards to 42 extremely poor nomadic families of Nava Deesa. It is necessary to note here that Antyoday cards are meant for the poorest of the poor, the amount of monthly ration is more under this card type and hence it plays an important role in ensuring food security of these families. VSSM had made applications for 52 families of which 42 have received cards and another 10  families will be receiving theirs in coming days. 

The nomadic families that are extremely marginalised are unable to feed their large broods in absence of regular income. There are families who go to sleep hungry in such case Antyoday cards help in atleast ensuring the children are fed a decent meal. 

We are thankful to the additional collector and Mamlatdar Shri Shivraj Gilva and his team fro taking prompt and just decisions. 

Until  the ‘Right to food Act’ comes into force we need many such just decisions from our officials…..

નવા ડીસામાં ૪૨ વિચરતા પરિવારોને અંત્યોદયકાર્ડ ફાળવાયા

વિચરતી જાતિની આર્થિક સ્થિતિને સમજી જરૂરિયાતવાળા પરિવારોની અન્નસુરક્ષા જળવાય એ જરૂરી છે. નવો ‘રાઈટ ટુ ફુડ એક્ટ’ આવ્યો છે પણ હજુ એનો અમલ ક્યારે થશે એ પ્રશ્ન છે. આવામાં અધિકારીઓ આ પરિવારોની પરિસ્થતિ સમજી એમના માટે સહાનુભુતિપૂર્વક વિચારી એમને મદદરૂપ થાય તે અગત્યનું છે..
બનાસકાંઠાનું વહીવટી તંત્ર ખુબ સકારાત્મક રીતે દરેક વંચિત પરિવારો માટે વિચારી રહ્યું છે. એના પ્રમાણો એક પછી એક મળ્યા જ કરે છે. નવા ડીસામાં રહેતાં આર્થિક રીતે નબળાં ૫૨(બાવન) પરિવારોને અંત્યોદય કાર્ડ મળે એ માટેની vssmની રજૂઆતને ધ્યાને લઈને પ્રાંત કલેકટર શ્રી અને મામલતદાર શ્રી દ્વારા ૫૨(બાવન)  માંથી ૪૨ પરિવારોને અંત્યોદયકાર્ડ આપ્યા. બાકીના ૧૦ કાર્ડ પણ એકાદ અઠવાડિયામાં મળી જશે.

અંત્યોદય રેશનકાર્ડમાં અનાજનો જથ્થો BPL રેશનકાર્ડ કરતા વધારે મળે છે એટલે આ પરિવારોને અનાજ સંદર્ભે ઘણી રાહત થઇ જશે.

બનાસકાંઠા વહીવટીતંત્ર અને સાથે સાથે મામલતદાર શ્રી શિવરાજ ગીલવા અને એમની ટીમનો આ તબક્કે વિશેષ આભાર માનીયે છીએ.

ફોટોમાં અંત્યોદયકાર્ડ સાથે પરિવારો..

Thursday, March 26, 2015

Residential plots allotted..

The 6 saraniyaa and 4 Vansfoda families of Patan’s Chanasma have been allotted residential plots, today on 25th March 2015 the families received the commitment letters from the government. These families will now apply assistance for construction of homes. 

In the picture Mamlatdar handing over the agreement document to Pintoobhai Saraniyaa while other families await their turn. The picture is taken outside the Mamlatdar’s office. 


સનદો મળી...

પાટણ જીલ્લાના ચાણસ્મામાં રહેતાં ૬ સરાણીયા, ૪ વાંસફોડા પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા. આ પરિવારોને પ્લોટ ફાળવણીની સનદો આજ રોજ (૨૫-૩-૧૫) આપવામાં આવી. હવે આ પરિવારો મકાન સહાય મેળવવા અરજી કરી શકશે. 
ફોટોમાં સનદ સાથે મામલતદાર કચેરીની બહાર વિચરતા પરિવારો અને મામલતદાર શ્રી કૌશિક મોદીના હસ્તે સનદ લઇ રહેલા પીન્ટુભાઈ સરાણીયા..

For the nomads of Saurashtra change is yet to come…...

In Gujarat the largest concentration of nomadic families is found in and around the regions to its north. VSSM’s activities have been focused around these districts as well. Saurashtra is the other region where there are substantial numbers of nomadic settlements. VSSM is gradually reaching out in this region. With the limited resources we have it’s impossible to spread our scope this far. Not much has been done in this region and the conditions of the nomadic families in the region is pathetic. The officialdom to a great extent is non-coperative and lacks compassion. Culturally Saurashtra is a region with feudal mindset, so society here can’t be expected to do their part. It calls for concentrated and dynamic efforts. 

VSSM is gradually reaching out to the families here. Recently we made applications for ration cards for 12 families from Saraniyaa and Devipujak communities staying just opposite the office of the Mamlatdar in Chotila town of Surendranagar. These families have to an extent settled here, still their work does make them wander but this is the place they are most of the time of the year. AS a result of our efforts these families have received their Voter ID cards, the wait now is for the ration cards, the applications for which have been filed on 24th February.

VSS’s Harshad filling up the Ration card applications ….

સૌરાષ્ટ્રમાં વિચરતા પરિવારોની સ્થિતિ ઘણી ખરાબ છે..
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાતાલુકા મથકે મામલતદાર કચેરીની સામે 12 સરાણીયા અને દેવીપૂજક પરિવારો વસવાટ કરે છે. આમ તો સરાણીયા છરી ચપ્પુની ધાર કાઢવાનો અને દેવીપૂજક ભંગાર વીણવાનો વ્યવસાય કરે અને તે માટે વર્ષનો કેટલોક સમય વિચરણ કરે પણ હવે વર્ષનો ઘણો ખરો ભાગ એ લોકો ચોટીલામાં જ સ્થાઈ રહ્યા છે. vssmની મદદથી એમનાં મતદારકાર્ડ પણ નીકળ્યા છે હવે રેશનકાર્ડ મળે એ માટે એમની અરજી કરી છે.. vssmના કાર્યકર હર્ષદ દ્વારા 12 પરિવારોની અરજી કરીને તા.૨૪ ફેબ્રુઆરીના રોજ મામલતદાર કચેરીમાં જમા કરાવી છે.. બસ કાર્ડ મળે એટલે અમને સ્થાઈ રહેવાં જગ્યા મળે એવી આ પરિવારોની ઝંખના છે. 

સૌરાષ્ટ્રમાં વિચરતા પરિવારોની સ્થિતિ ઘણી ખરાબ છે ત્યાં કામ પણ બહુ થયું નથી. અલબત વહીવટીતંત્રનો બીજે મળે છે એવો સહયોગ અહિયાં મળતો નથી. કામ ન થવામાં એ પણ કારણભૂત છે પણ હવે મહેનત કરવાની છે... 
ફોટોમાં અરજીપત્રક ભરી રહેલાં vssmના કાર્યકર હર્ષદ અને ભરાયેલા ફોર્મ...

Tuesday, March 24, 2015

The twists that were tuned in favour of the Vansfoda families…….

This is a story about 6 nomadic Vansfoda families who have settled in the Oon village of Banaskantha’s Kakrej block. Vansfoda is a nomadic tribe skilled at bamboo basketry, however with the availability  of bamboo diminishing they have began selling plastic tubs and buckets. Since Oon village is their monsoon settlement a request was made for allotment of residential plots in this village. Also the names of these families feature in the BPL list so under the Swarnim Gujarat initiative a government order  was issued in 2011 allotting th
em plots, its been 4 years and the families have still not received the possession of these allotted plots.

As is the case with most of the pending issues of nomadic communities we followed up and complained about the issue numerous times with no success. Finally, recently we got a reply from the office of the TDO saying, “these families are not ready to take land where the government is willing to give but want land where they are staying right now.” This was absolutely absurd, a framed reply by the collective creative genius (government officials)  at work.  They had   some how proved this on paper as well!!

Just as we got to know all these framed developments we  wrote to the TDO office on 23/2/15. VSSM’s Naran was handling the situation. He went to the TDO, who asked Naran, “how can you say the panchnama is false??” 

"The Vansfoda families are here with me, you may ask them and confirm the matter,” Naran replied. 

The Vansfoda families told the TDO that they are in dire need of residential plots to permanently settle at some. The TDO summoned the officials and a new panchnama was made. The TDO asked  once again if they shall move to any place where government allots them land??

Babubhai, one of the elderly family member present there replied, “ Ben, we shall go wherever you ask us to go, what can be better than a permanent place to build a shade for the family!!” No one in the office  had any further questions to ask…..

In the picture families putting their thumb impression of the panchnama..

‘માથું ઢાંકવા કાયમનું સ્થાનક મળી જાય એનાથી રૂડું શું હોય’

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઉણગામમાં ૬ વાંસફોડા પરિવારો વર્ષોથી વર્ષનો ચોક્કસ સમય રહે. કેટલાંક વાંસમાંથી સુડલા- ટોપલા બનાવીને તો કેટલાક પ્લાસ્ટીકના તબકડા વેચીને પોતાનો ગુજારો કરે.  આ પરિવારો વર્ષોથી ઉણગામમાં રહેવા કાયમ જમીન મળે એ માટે રજૂઆત કરે. વળી એમનો સમાવેશ BPL યાદીમાં એટલે સરકારના સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પ વખતે ૨૦૧૧માં એમને ઘરથાળના પ્લોટ ફાળવ્યાના હુકમો પણ આપી દેવામાં આવ્યા હતાં. પણ કબજો આજ સુધી (૨૦૧૫) મળેલો નહિ. અવાર નવાર આ સંદર્ભની રજૂઆતનો હમણાં એમણે(તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ) જવાબ આપ્યો કે, ‘આ પરિવારો સરકાર આપે છે, એ જગ્યા લેવા તૈયાર નથી. એમને એ લોકો જ્યાં છાપરાં બાંધીને રહે છે એ જગ્યા જ જોઈએ છે..’ આ વાત તદન વાહિયાત હતી. વળી આ સંદર્ભનું પંચનામું કરીને TDO કચેરીમાં અધિકારીઓ દ્વારા આપેલું. એટલે આ પરિવારોને જગ્યા નથી જોઈતી એમ કાગળ પર ખોટી રીતે પુરવાર કરી દીધેલું.

આ બાબત ધ્યાને આવતાં તા.૨૩-૨-૧૫ ના રોજ TDO શ્રી સમક્ષ પંચનામું ખોટું હોવા સંદર્ભની રજૂઆત કરી vssmના કાર્યકર નારણે કરી. TDO શ્રી એ નારણે કહ્યું, ‘ પંચનામું ખોટું છે તમે કેવી રીતે કહી શકો?’ નારણે કહ્યું, ‘મારી સાથે વાંસફોડા પરિવારો આવ્યા છે તમે એમની સાથે જ વાત કરી લો’ વાંસફોડા પરિવારો TDO શ્રી સમક્ષ આવ્યા અને પોતાને કાયમી અને સ્થાઈ રહેવા પ્લોટ જોઈએ છે એ સંદર્ભની રજૂઆત કરી. TDO શ્રીએ અન્ય અધિકારીને  બોલાવી ફરી પંચનામું કરાવ્યું અને સરકાર જ્યાં પણ પ્લોટ આપશે ત્યાં રહેવા જવા તૈયાર છો એ અંગે ફરી પૂછ્યું, વાંસફોડા પરિવારના આગેવાન બાબુભાઈએ કહ્યું, ‘બેન જ્યાં જગ્યા આપશો ત્યાં અમે જઈશું. માથું ઢાંકવા કાયમનું સ્થાનક મળી જાય એનાથી રૂડું શું હોય’ કચેરીમાં બેઠેલા એકેય પાસે બાબુભાઇને પૂછવા પ્રશ્ન નહોતો... બસ પંચનામું લખાયું અને ફોટોમાં દેખાય છે એમ પંચનામા પર એમનાં અંગુઠા લેવાયા..

Sunday, March 22, 2015

Rejoice, the long walk for water is over, potable water reaches the settlement…

The struggle for acquiring the residential plots had been long and just  6 months back the Vansfoda families of Patan’s Sami block have been allotted the residential plots. After the struggle for land came struggle for water. The wait was long for this too and the walk to fetch water was long as well 1.5 kms. Finally after 6 months followups water has reached the settlement. It wouldn’t be wrong if we said that this solution to the long pending issue has been achieved after the Collector intervened!!! Better late than never. Still the construction of homes is yet to commence but the joy of having water in the settlement is no less than owning a house. For any nomadic family the to suffice even the basic need  is a hard task. Now all that needs to be ensured is the water is not wasted here….

One more pending issue that we are hopeful will find solution soon is opening up of the access roads that are blocked by the strong me
n from the village..


વર્ષોની મહેનત પછી વસાહતમાં પાણી આવ્યું...

પાટણ જીલ્લાના સમી તાલુકામાં વાંસફોડા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાય અને પાણીની સુવિધા થાય તે માટે આપણે ઘણા સમયથી રજૂઆત કરતા હતા. આખરે છ મહિના પહેલાં વાંસફોડા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા. પરંતુ, પાણી તો એમણે દોઢ કી.મી. દુરથી જ લાવવું પડતું હતું. ઘણી રજૂઆતના અંતે હવે આ પરિવારોની વસાહતમાં પાણીની સુવિધા થઇ. આમ તો કલેકટર શ્રીની સીધી સુચનાથી આ કામ પૂરું થયું એમ કહીએ તો ચાલે. આ પરિવારોને મળેલાં પ્લોટ પર હજુ ઘર બાંધવાનું કામ શરુ થયું નથી પણ પાણી આવી ગયું એનાથી તેઓ રાજી છે. આમ તો ઘર મળ્યા જેટલો જ આનંદ છે... વર્ષોથી પાણી માટે જે રઝળપાટ એમણે વેઠ્યો છે એનો હવે અંત આવ્યો... પાણીનો બગાડ ના થાય તે જોવાનું રહ્યું...
હજુ વસાહતમાં જવાનાં રસ્તા પર ગામના માથાભારે લોકોએ દબાણ કરી દીધું છે એમનો રસ્તો બંધ કરી દીધો છે આ પ્રશ્ન ઉકેલવાનો બાકી છે. આ મુદ્દો પણ ઝડપથી ઉકેલાય એવી આશા રાખીએ...
photoમાં બહેનો પાછળ એમના છાપરાં છે જેમાં તેઓ રહે છે...