Monday, May 08, 2023

Commendable support of People of Vaasan…

Mittal Patel visits Vaasan Water Management site

“Our land has no water. Hence we are leasing our farmlands to solar power companies. In the last two years, 281 borewells have failed in our village. The water tables have dropped from 1000 to 1200 feet. If this continues, we will have to leave farming!”  The farmers of Vaasan village of Banaskantha’s Lakhani block shared with a heavy heart.

The uncontrolled practice of drilling borewells led to unceasing groundwater exploitation, leading to underground water table depletion. It would not be an exaggeration to say that we have dug our graves.

If we had woken up earlier and tried to conserve the rainwater, the water situation would not have been this abysmal. However, as they say, it is better late than never; if we wake up (in huge numbers) and pledge to conserve each drop of rainwater, we can reverse the looming water crisis.

For the past few years, VSSM has launched a participatory water management initiative in Banaskantha. The efforts have resulted in a deepening of 248 community lakes.

The lake of Vaasan is one of them. VSSM has also planted 16000 trees in this village, and what concerns us is getting enough water for these trees. There is hope of more trees bringing more rain, and the region is lush and green once again.

Apart from the rains, efforts from the government to bring Sardar Sarovar waters to Lakhani, Dhanera, Deesa regions will be immensely fruitful. The water in lakes will recharge the groundwater tables. 

VSSM’s team members Naranbhai, Maheshbhai, Hareshbhai, Ratnabhai work tirelessly and effectively to identify the villages and prepare them for the effort.

We hope this work will benefit us all.

We are thankful to our donors and well-wishers for supporting this cause.

"અમારા ગામની જમીન અમે સોલારકંપનીઓને ભાડે આપી રહ્યા છીએ! તળમાં પાણી જ નથી શું કરવાનું? ગામના 281 બોરવેલ છેલ્લા બે વર્ષમાં ફેઈલ થઈ ગયા! પાણીના તળ 1000 થી લઈને 1200 ફૂટે પહોંચ્યા. જો આમ જ રહ્યું તો આગળના વર્ષોમાં અમારે ખેતી સાવ છોડવી પડશે."

બનાસકાંઠાના લાખણી તાલુકાના વાસણગામના ખેડૂતોએ ભારે હૈયે આ વાત કરી.

આમ તો બોરવેલ આવ્યા અને અમાપ પાણી જમીનમાંથી ઉલેચાયું એટલે ભૂગર્ભજળ ઊંડા ગયા. આમ આ બધી આફત આપણે પોતે જ સર્જી.

જો વેળાસર જાગ્યા હોત ને વરસાદી પાણીના ટીપે ટીપાને બચાવવાનું કર્યું હોત તો કદાચ આવી સ્થિતિ સાવ ન આવત.

ખેર પણ જાગ્યા ત્યારથી સવાર.. આપણે પાણીને સમજદારી પૂર્વક વાપરવાનું શરૃ કરીએ અને ખાસ ચોમાસામાં વરસતા વરસાદનું ટીપે ટીપુ બચાવીએ. આ નેમ જો લઈ શકીએ તો સ્થિતિ સુધરી શકે એમ છે.

અમે બનાસકાંઠામાં તળાવો ઊંડા કરવાનું પાછલા કેટલાક વર્ષોથી કરીએ. અત્યાર સુધી 248 થી વધુ તળાવો અમે ઊંડા કરી ચુક્યા છીએ.

આ વર્ષે વાસણનું તળાવ પણ ગામની ભાગીદારીથી ઊંડુ કર્યું. લોકોએ માટી ઉપાડવાનું કામ કર્યું. 

વાસણગામમાં અમે 16000 જેટલા વૃક્ષો પણ વાવ્યા છે. ચિંતા આ વૃક્ષોને પાણી મળી રહે એની છે. પણ કુદરત ધ્યાન રાખશે. વધારે વૃક્ષો થશે તો વરસાદ પણ આવશે ને આ પ્રદેશ પાછો પાણીદાર થશે.

વરસાદ સિવાય સરકાર નર્મદાના પાણી પણ લાખણી, ધાનેરા, ડીસા વિસ્તારમાં કોઈક રીતે પહોંચાડે. તળાવો ભરાવે તે પણ જરૃરી. 

અમારા કાર્યકર નારણભાઈ, મહેશભાઈ, હરેશભાઈ, રત્નાભાઈ સૌની પણ આમાં ભારે મહેનત. ગામોને શોધવા, તળાવ માટે તૈયાર કરવાનું કામ એ બખૂબી કરે. 

આશા રાખીએ સૌનું શુભ થશેની.. 

તળાવ ગળાવવાના કાર્યમાં અમને મદદ કરનાર સ્વજનોના આભારી છીએ. 

#MittalPatel #VSSM #watermanagement #Deepning #savevillages #solarenergy


Mittal Patel discusses watermanagement with villagers

The farmers of Vaasan village shares water related issues to
Mittal Patel

The farmers of Vaasan village shares water related issues to
Mittal Patel

Vaasan water management site after lake deepening

Vaasan water management site


Friday, May 05, 2023

VSSM's Water Conservation effort article published by Navgujarat Samay ...

A brief report pulished on VSSM's water conservation 
effort in Navgujarat Samay

For over five years, VSSM has been creating water shrines/repairing the community water bodies in Banaskantha. The number of lakes deepened has reached 228; after this season's end, we will have deepened 260 lakes. A mammoth task made possible due to the support we have received from our well-wishing donors.

This year even the government has helped us create water shrines in Sabarkantha's Poshina and Mehsana's Visnagar regions. I am thankful to Cabinet Minister Respected Shri Rushikeshbhai Patel, who is like an elder brother to me, for ensuring the water conservation efforts in the areas are covered under the Sujalam Sufalam Abhiyan.

Sadly, we could not cover the Banaskantha efforts under the Sujalam Sufalam initiative. Had the government agreed to partner with VSSM, we could have deepened more lakes.

Well, at times, it is difficult to understand the governmental nitty-gritty. On the one hand, we specially get called to participate in the meeting Chief Minister Shri Bhupendrabhai Patel calls for water management; there were detailed discussions with the officials who agreed to partner and take the work forward, only not to allot us work later. Some bitter truths we encounter during the course of our work.

The groundwater tables in North Gujarat have dropped to alarming levels, it is organizations like us who spend their funds and government authorities should consider partnering with us.

I hope we all wake up to the looming crisis. The rural communities are becoming proactive, hope the government, especially the officials, also comprehends this at the earliest.

Recently,  Navgujarat Samay talked about VSSM's water conservation effort; it is thoughtful articles like these that voice our concerns and struggles. Thank you to the team of Navgujart Samay.

 #mittalpatel #vssm

બનાસકાંઠામાં જલમંદિર નિર્માણ કાર્ય ઘણા વર્ષથી કરીયે. 228 તળાવ અત્યાર સુધી ઊંડા કર્યા અને આ સીઝનમાં 260નો આંકડો પાર કરીશું. ઘણા બધા સ્વજનોની મદદથી આ કાર્ય થયું.

આ વર્ષે તો સરકારે પણ સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં અને મહેસાણાના વીસનગરમાં જલમંદિર થાય એ માટે મદદ કરી. સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત તળાવો આ બે જિલ્લામાં  ઊંડા થાય તે માટે આદરણીય અને મારા મોટાભાગ જેવા માનનીય મંત્રી શ્રી ઋષીકેશભાઈ પટેલે ઘણી મદદ કરી. તેમની આભારી છું.

જો કે બનાસકાંઠામાં અમને સુજલામ સુફલામ અંતર્ગત કામ ન મળ્યું એનુ દુઃખ પણ છે. સરકાર પૈસા ખર્ચે છે VSSM સાથે આ વિસ્તારમાં તળાવ ઊંડા કરવામાં ભાગીદારી કરી હોત તો અમે થોડા વધારે તળાવ કરી શક્યા હોત..

ખેર ક્યારેક આ સરકારી માથાકૂટ નથી સમજાતી. એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જળસંચય સંદર્ભે મીટીંગ થાય ત્યાં અમને ખાસ બોલાવવામાં આવે. અધિકારીગણ સાથે કામો સંદર્ભે બધી વાતો થાય. ત્યારે અધિકારી હા પણ પાડે પણ પછી કામ જ ન આપે.. આ કડવી વાસ્તવીકતા છે..

ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળ ભયજનક સ્થિતિએ પહોંચ્યા છે. ત્યારે અમારા જેવી સંસ્થાઓ જે સાચા મનથી પોતાના ગાંઠના ખર્ચતી હોય તેની સાથે તો ભાગીદારી અવશ્ય કરવી જોઈએ..

ખેર સવેળા સૌ જાગે એ ઈચ્છનીય. બાકી ગ્રામજનો પોતે હવે જાગ્યા છે. ત્યારે સરકાર ખાસ કરીને અધિકારીગણ સમજે એ જરૃરી...

નવગુજરાત સમયે જળસંચયના અમે કરેલા કાર્યોને સરસ કવર કર્યું એ માટે આભારી છું.

 #mittalpatel #vssm



Wednesday, May 03, 2023

VSSM organized meeting of tree plantation at Banaskantha's Jetda village...

Mittal Patel discusess tree plantation

Trees are those supreme beings the human race has failed to respect. They are those gentle giants who give unconditionally. Life will cease to exist in their absence. The impact of global warming and climate change can be tackled if we increase the earth’s green cover, but we aren’t doing enough. The rampant cutting of trees to make space for the growing population continues while the efforts to plant new trees are meagre. Institutions and individuals concerned about the environment are struggling to find ways to protect and grow more trees. VSSM also shares those concerns.

To find a solution to this grave issue, VSSM launched a campaign to make the arid and parched landscape of Banaskantha green by planting and raising trees on wastelands, cemeteries, graveyards, etc. In 2019, we planted 3000 trees in the cemetery of Dhedhal village with a pledge to submit them all. Gradually the campaign set rolling and has taken wings now. By 2022 we reached 91 villages, and 129 sites to plant trees, 1000 to 15,000 in numbers. Today our collective efforts are raising 4.72 trees. VSSM appoints a Vriksh Mitra on each tree plantation site and forms a Vriksh Mandli consisting of proactive local community members. Recently we organized a combined meeting of Vriksh Mitra, Vriksh Mandli, and other dedicated individuals at Banaskantha’s Jetda village. We discussed the difficulties faced in raising the trees, exchanged the learnings, and discussed the selection of new sites for the plantation of trees in 2023. Growing trees is like raising children, it can be challenging, but if we put in collective and persistent efforts, the results are incredible.

Trees become home to thousands of life; let us pledge to join hands and grow as many such homes as possible.

વૃક્ષ અમે એને જીવતો જાગતો દેવ કહીએ.. એ વણ માંગે ઢગલો આપે.. પણ આ દેવને જોઈએ એવું સન્માન આપણે આપતા નથી.

અને આ દેવ વગર જીવન શક્ય નથી. હાલ આપણી ધરતી ગરમ થઈ રહી છે. વાતાવરણમાં જબરજસ્ત પલટો આવી રહ્યો છે. ટૂંકમાં અસમાન્ય ઘટનાઓ ખાસ કરીને વાતાવરણને લઈને બની રહી છે. આ વાતાવરણને સમતુલીત કરવાનું કામ માત્ર વૃક્ષો કરી શકે. પણ આપણે એના પ્રત્યે ઉદાસની છે.

દિવસે દિવસે વૃક્ષો કાપવાનું પ્રમાણ વધ્યું છે એની સામે વૃક્ષો વાવવાનું જોઈએ તેવું થતું નથી.

શું કરવું એ પ્રશ્ન પર્યાવરણની ચિંતા કરનાર સૌ સેવે. અમે - VSSM પણ સેવે.

ને સમાધન રૃપે બનાસકાંઠાની બંજર જમીન તેમજ સ્મશાનમાં વૃક્ષો વાવી ઉછેરવાનું નક્કી કર્યું. 

2019માં ઢેઢાલ ગામના સ્મશાનમાં 3000 વૃક્ષો વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે એ પછી તો અમારુ વૃક્ષ ઉછેર અભીયાન ભાંખડીયા ભરવા માંડ્યું ને હાલ તો એને પગ આવી ગયા. 

2022 સુધીમાં 91 ગામની કુલ 129 સાઈટ પર 1000 થી લઈને 15,000 સુધી વૃક્ષો વાવી ઉછેરી રહ્યા છીએ. હાલમાં કુલ 4.72 લાખ વૃક્ષો ઉછરી રહ્યા છે.

આ વૃક્ષો ઉછેરવા  માટે દરેક સાઈટ પર અમે વૃક્ષોમિત્રોની નિમણૂક કરીએ.  સાથે ગામના સક્રિય વ્યક્તિઓની અમે વૃક્ષમંડળીઓ બનાવીએ. 

આ વૃક્ષમિત્રો તેમજ વૃક્ષમંડળી સાથે સંકળાયેલા પ્રિયજનોની બેઠક બનાસકાંઠાના જેતડાગામે આયોજીત કરી. જેમાં વાવેલા વૃક્ષોના જતન માટે શું ધ્યાન રાખીએ. ક્યાં તકલીફો છે વગેરે બાબતે વિસ્તારથી ચર્ચા થઈ. 

સાથે વર્ષ 2023માં વધારે વૃક્ષો વાવવા સંદર્ભે નવા ગામો, જગ્યાઓ શોધવાની પણ ચર્ચા થઈ.

સૌ સાથે મળી પ્રયત્ન કરીએ તો વૃક્ષો વાવી ઉછેરવા મુશ્કેલ નથી. બસ જરૃર પ્રયત્નની છે..

વૃક્ષો હજારો જીવોનું ઘર છે. આ જીવોને આશરો આપવાનું કામ ઘણું મોટુ.

બસ સાથે જોડાજો તો વધુ કાર્ય કરી શકીશું.

જેતડા રામજીમંદીરમાં બેઠકનું આયોજન કરી આપવા બદલ ડો. મેહુલભાઈનો ઘણો આભાર. અલબત બેઠક પછી એમણે ભાવનું ભોજન પણ કરાવ્યું. 

આપનો ઘણો ઘણો આભાર..

#MittalPatel #VSSM #Banaskantha



Mittal Patelwith vriksh mitra and vriksh mandli and other
dedicated individuals

Mittal Patel discusses the difficulties and plans related to
tree plantation

Mittal Patel during the meeting at Jetda village

VSSM coordinator Naran Raval dicusses tree plantation

Mittal Patel discusses tree plantation

Dedicated Individuals discussed tree plantation

Dedicated individuals during  tree plantation meeting

Mittal Patel with vriksh mitra and vriksh mandli during 
the mandli

Vriksh Mitra and Vriksh Mandli during tree plantation meeting

Mittal Patel with vriksh mitra, vriksh mandli and dedicated
individual at Jetda village



VSSM began lake deepening work in Banaskantha’s Mudetha with the support of Mahendra Brothers and the local community...

Mittal Patel with VSSM Coordinator Naran Raval

To understand how precious water is, ask people with the least access to it.

Kutch’s Rapar is a water-starved region. The scarcity was not for drinking water alone; even water for domestic use was a scarce commodity. So people would not bathe for days. And when they decided to clean, they would sit over a charpoy with a large container underneath it to collect the bathing water and reuse it for watering the trees and rinsing the cooking vessels.

However, the drinking water issues have been largely resolved with the Narmada waters reaching remote Kutch. Nonetheless, water for agriculture remains a concern.

Since 2015, VSSM has worked to deepen the community lakes in North Gujarat. Until now, it had been Banaskantha; beginning this year, we have also extended the efforts to Patan, Mehsana, and Sabarkantha districts.

We began lake deepening work in Banaskantha’s Mudetha with the support of Mahendra Brothers and the local community. The villagers think that the depth of the lake should be increased. If the government wishes to become a partner, we would collectively achieve a very positive outcome. 

We are happy that more and more communities are becoming increasingly aware of water issues. We hope our collective efforts work wonders in raising the groundwater tables and filling our water reservoirs.

We thank Mahendra Brothers, respected Vikrambhai, Milanbhai,  Shaunakbhai, and family members.

જ્યાં નથી ત્યાં પુછો પાણીની શું કિંમત છે...

વાત નાનકડી પણ અગત્યની. પાણીની મુશ્કેલીની એક વાત કોઈએ કરેલી.

કચ્છનો રાપર વિસ્તાર. પહેલાં પાણીને લઈને ઘણી તકલીફ વેઠતો. પીવાના પાણીની પણ મુશ્કેલી. લોકો નિયમીત નાહવા ધોવાનું ન કરે. અને જ્યારે નાહવાનું કરે ત્યારે ખાટલામાં બેસી સ્નાન કરે અને ખાટલા નીચે મોટુ વાસણ રાખે જેથી નાહ્યાનું પાણી એ વાસણમાં ભરાય જેને ઘર આગળ કરેલા વૃક્ષો કે વાસણ ધોવા માટે વપરાતા બે પાણીમાંથી એક પાણી માટે વાપરી શકાય.

પાણીની આ મુશ્કેલીમાંથી આજે મા રેવા(નર્મદા) આવવાના લીધે ઘણી રાહત થઈ છે. છતાં સંપૂર્ણ રાહત થઈ છે તેવું ન કહી શકાય. કદાચ પીવાનું પાણી આપણને સમયસર મળે પણ ખેતીલાયક પાણીની સ્થિતિ અંગે વિચારવા જેવું.

અમે ઉત્તર ગુજરાતમાં તળાવો ઊંડા કરવાના કાર્યો કરીએ. બનાસકાંઠામાં 2015થી ગામની ભાગીદારીથી તળાવો કરીએ. આ વર્ષે આ અભિયાન ફક્ત બનાસકાંઠા પુરતુ સમિતિ ન રાખતા પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ જલમંદિરો બાંધી આગળ વધાર્યું. 

બનાસકાંઠાનું મુડેઠા. ત્યાં અમે મહેન્દ્રબ્રધર્સ અને ગ્રામજનોની ભાગીદારીથી તળાવ ઊંડુ કરવાનું શરૃ કર્યું. ગામના ખેડૂતોની લાગણી તળાવનું કામ વધારે ઊંડુ થાય એવી હતી. જો સરકાર આ કાર્યમાં ભાગીદારી કરે તો સંસ્થા, સરકાર, ગ્રામજનોની ભાગીદારીથી સરસ કામ થઈ શકે. 

પણ આનંદ હવે ગામો પાણી માટે જાગૃત થયા એનો છે.. બસ પાણીને લઈને ખુબ કામ થાય તેમ ઈચ્છીએ જેથી આપણી પાણી બેંક વર્ષો પહેલાં ભરાયેલી હતી તેવી રહે...

આભાર મહેન્દ્ર બ્રધર્સ, આદરણીય વિક્રમભાઈ, મીલનભાઈ, સૌનકભાઈ સૌ પરિવારજનોનો... 


Mittal Patel visits water management site

Ongoing lake deepening work

Mittal Patel with local community at water management site

Ongoing lake deepening work

Mudetha Water Management Site

Mittal Patel discusses water mangement with villagers

Mittal Patel with others at Mudetha water management site



Friday, April 28, 2023

The community support at Ramsan has bloomed in form of the trees...

Mittal Patel visits Ramsan tree plantation 
site

 "Do visit our crematorium once!"

If one isn’t aware of our work, such an invite to visit a crematorium can create a stir. But the community leaders of Ramsan village were inviting us out of their love, to showcase the beautiful place it had become.

However, eight months ago if there was a death in the village, 8-10 family members would first visit the crematorium to clean it, following which the body was brought for cremation. The place was briming with the wild growth of gando baval and litter all around. With the support from UNI Design Jewellery Pvt. Ltd and the local community, we planted 3500 trees, and almost all of them have taken roots and flourished.

The region's groundwater tables have dropped to alarming rates, and the communities have leased 4500 hector land to solar companies. But, unfortunately, the installation of solar plants means the trees had to give their sacrifice. The reason the land was leased is that it had no water, but if we plant trees and create an environment that helps attract rains, people will not be forced to give up their land but farm on it. This is the reason everyone now wishes to plant more trees. 

We hope Ramsan can inspire other villages to play their part; each village roughly needs to plant 20 to 25 thousand trees. This is the dire need for a sufficient water future.

If you wish to plant trees in Banaskantha and work in partnership with us, do call us at 9099936035, VSSM's Naranbhai would be happy to help.

#MittalPatel #VSSM 

'તમે એક વખત અમારા સ્મશાનમાં આવો!'

સ્મશાનમાં આવવા કોઈ આગ્રહ કરે અને અમારા કામથી પરિચીત ન હોય તો ઝઘડો જ થઈ જાય. પણ અમને તો પ્રેમવશ રામસણના આગેવાનો પોતાના સ્મશાનમાં આમંત્રણ આપી રહ્યા હતા. 

આઠેક મહિના પહેલાં ગામમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો સૌથી પહેલાં દસ પંદર લોકો સ્મશાન સાફ કરવા આવે અને સફાઈ થયા પછી ડાઘુઓ મૃતદેહને લઈને સ્મશાનમાં આવે. એવું ગાંડાબાવળ અને ગંદકીથી ભરેલું આ સ્મશાન.

જ્યાં ગામની ભાગીદારી અને અમારા સ્વજન યુની ડીઝાઈન જ્વેલરી પ્રા.લી.ની મદદ થી અમે 3500 વૃક્ષો વાવ્યા. આ વાવેલા વૃક્ષો જબરા ઉછર્યા. 

આ વિસ્તારમાં પાણીના તળ ભયજનક સ્થિતિએ પહોંચ્યા છે. ગામની લગભગ 4500 હેક્ટર જમીન લોકોએ સોલારકંપનીઓને ભાડે આપી દીધી છે. સોલાર પ્લાન્ટ નંખાય એટલે વૃક્ષો કપાય. સાથે આ જમીનો આપી દેવાનું કારણ તળમાં પાણી નહીં. જો વૃક્ષો વવાશે તો વરસાદ આવશે ને તળ ઉપર આવશે. લોકો ફરી ખેતી કરતા થશે એવી ખેડૂતોને આશા છે. એટલે વૃક્ષો માટે સૌને હવે મમતા થવા માંડી છે. 

રામસણ પાસેથી અન્યગામો શીખે ને પોતાના ગામમાં ઓછામાં ઓછા 20 થી 25 હજાર વૃક્ષો ઉછેરે. આ થવું આવનારા સમય માટે ઘણું જરૃરી. 

તમે પણ બનાસકાંઠામાં વૃક્ષો ઉછેરવા માંગતા હોય અને તમારી ભાગીદારી માટે તૈયાર હોવો તો અમને સંપર્ક કરો સાથે મળીને સુંદર રીતે વૃક્ષો ઉછેરીશું એ માટે 9099936035 પર અમારા કાર્યકર નારણભાઈનો સંપર્ક કરશો. 

#MittalPatel #VSSM #TreePlantation #vruksh #smshan #villagelife



Community leaders of Ramsan village greets Mittal Patel

Mittal Patel with community leaders, villagers and VSSM
team members

Mittal Patel was invited by community leaders of Ramsan
village to showcase the beautiful tree plantation site

Mittal Patel discusses tree plantation with villagers

VSSM planted 3500 trees and almost all of them
 have taken roots and flourished.

Ramsan tree plantation site


Savitriben and Manjula Ba receives ration kit through VSSM's Mavjat initiative...

Mittal Patel meets Manjulaba who receives ration kit from
our Mavjat initiative

“Have you shared such a strong bond from the very beginning?”

“Yes, I think we were destined to live like sisters. Our husband passed away some time back; he was a little older than me, and so is she. My husband was not keeping good health; it was when I decided to work as a cook and domestic helper at a doctor’s house in Baroda. So I took up the responsibility of earning for the three of us and kept sending the money to my husband and step-wife!”

Manjula Ba’s talk did come as a surprise. She lost her husband to a long illness; his first wife is Savitriben, while Manjulaben is his second wife,  who also runs the household.

The yearning for a child made Kaka marry twice, but that aspiration was never fulfilled. Kaka operated a grocery store in Navsari, but as age and frail health caught up, he closed the business. The savings were exhausted on his age-related medical issues. Ultimately, they returned to  Chunel,  his native village in Kheda district. Kaka has left both of them a small house. However, both of them are incapable of working hence bringing food on the plate is a problem. The duo tries to survive on the quota available on their ration card and pension for older people, but money for medicine, etc., remains a challenge.

“I always prayed to Goddess Jagdamba to keep us under her wings. It was as if she answered my prayers and sent us to help through VSSM’s Rajnibhai. God bless Chunel’s Dilipbhai for talking about us to Rajnibhai, who now brings us a monthly ration kit.

The Mavjat initiative helps 435 destitute elderly with food; the support we receive from our well-wishers helps us operate this much-needed initiative. You may also choose to adopt an elderly by offering financial contributions. 

Kindly call 9099936013 to learn more about the program or GPay  9909049893. Even small support will bring a big difference in the life of the elderly. 

'તમારા બેઉ વચ્ચે પહેલેથી આવો મેળ?'

'હા. બધુ ઉપરવાળો નક્કી કરે. અમે તો બહેનોની જેમ રહીએ. અમારા ઘરવાળા હમણાં ગુજરી ગયા પણ એ બેઉ મારા કરતા થોડા મોટા. એમની તબીયત સારી નહોતી રહેતી ત્યારે હું વડોદરા એક ડોક્ટરના ત્યાં રસોઈ અને ઘરનું કામ કરવા રહી અને ત્યાંથી બેઉને પૈસા મોકલાવતી અને એમનું ગુજરાન ચાલતુ.'

નવાઈ લાગે એવી વાત મંજુલાબાએ કરી. તેમના પતિ લાંબી માંદગીમાં ગયા. એમના પહેલા પત્ની સાવિત્રીબહેન અને બીજા મંજુલાબા. 

ઘરનો કારભાર મંજુલાબા જ જુએ. ને સાવીત્રીબા એમનું બધુ માને. બાળક માટે થઈને કાકાએ બે લગ્ન કરેલા. પણ બાળક ભાગ્યમાં નહોતું.

કાકા નવસારીમાં નાનકડી દુકાન ચલાવતા. ઉંમર થઈ ધંધો બંધ થયો. માંદગીમાં ઘણો ખર્ચ થઈ ગયો. છેવટે હાથે પગે આવી ગયા. એટલે નવસારી મુકી પોતાના વતન ખેડાના ચુણેલગામમાં આવીને રહ્યા.

એક નાનકડુ ઘર બેઉ બા માટે કાકા મુકીને ગયા તે બેઉને માથુ ઘાલવાનું હખ છે. પણ કામ થતું નથી એટલે ખાવા પીવાની તકલીફ પડતી. 

રાશનકાર્ડ પર મળતા રાશન અને વૃદ્ધ પેન્શન પર આ બે નભવા કોશીશ કરે. પણ દવાઓને અન્ય જરૃરિયાતો તો ઊભી રહેતી. 

મંજુલાબા કહે, 'મા જગદંબાને રોજ પ્રાર્થના કરતી કે નોંધારા ના મુકતી. તે જાણે ભગવાને પ્રાર્થના સાંભળી હોય એમ ચુણેલના દિલીપભાઈએ રજનીભાઈ (VSSM ના કાર્યકર)ને વાત કરી અને એમણે સ્થિતિ જોઈ અમને દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું જેનાથી અમને ઘણી રાહત છે.'

VSSM થકી અને આપ સૌ સ્વજનોની મદદથી દર મહિને 435 નિરાધાર બા દાદાઓને રાશન આપવાનું ્અમે કરીએ.

તમે પણ આવા માતા-પિતાના પાલક બની શકો છો.. તમે પણ આ કાર્યમાં આર્થિક સહયોગ કરી શખો એ માટે   9099936013 પર સંપર્ક કરવા વિનંતી. અથવા 9909049893 પર ગુગલ પે કરી શકાય. તમારી નાનકડી મદદ કોઈ માટે મોટો આધાર બની શકે છે. 

#MittalPatel #VSSM



Mittal Patel receives blessings from
Savitri ba

Mittal Patel meets elderly destitute in Kheda 

Savitri Ba shares her experience with Mittal Patel


Thursday, April 27, 2023

Many well-wishing friends from the Bombay Chartered Accountants Society joined VSSM’s efforts...

Mittal Patel with our well-wishers Shri K.K. Jhunjhunwalam
Shri Rashmin Sanghvi and   Smt. Meenaben Shah

It takes one sensitive individual to join the efforts, and like a rolling stone, their compassion will gather more people to connect and join the mission. Over the years, VSSM has grown as a family as an increasing number of compassionate individuals join its efforts to better the lives of marginalized families.

Since its early days, VSSM has been fortunate to receive support from many Mumbai-based well-wishers. Respected late Shri Pradeepbhai Shah and Respected Rashminbhai Sanghvi have held our hand at the beginning of this journey, they have championed our mission all the way, and as a result, many well-wishing friends from the Bombay Chartered Accountants Society joined VSSM’s efforts.

Whenever I am in Mumbai, I get to meet the numerous members of this BCAS. On my recent trip to Mumbai, they organized a special talk to share the work VSSM does. Our dear Meenabahen Shah initiated the idea while respected Mihirbhai Sheth, Mayurbhai Nayak, Krishnakumar Jhunjhunwala agreed. It was a beautiful evening spent in the company of like-minded people, discussing the matters that concern all of us. BCAS is completing 75 years of its foundation and plans to create a forest of 75000 trees in partnership with us.

I am grateful for the opportunity BCAS provided to share about VSSM’s journey.

એક વ્યક્તિ પહેલ કરે અને પછી તેની સાથે ધીમે ધીમે અનેક લોકો જોડાતા જાય ને સતકાર્યોની જ્યોત ચોમેર અજવાસ પાથરતી જાય.

અમે શરૃ કરેલા સેવાકાર્યોમાં આજ રીતે લોકો જોડાતા ગયા ને VSSM થોડા લોકોનું નહીં પણ અનેક લોકોનું બન્યું.

મુંબઈમાં ઘણા પ્રિયજનો શરૃઆતથી અમને સહયોગ કરે. એમાં આદરણીય પ્રદિપભાઈ શાહ જેઓ સદેહે આપણી વચ્ચે નથી પણ એ અને આદરણીય રશ્મીનભાઈ સંઘવી આ બેઉએ અમારો હાથ પકડ્યો ને પછી તો Bombay Chartered Accountants Societyના ઘણા પ્રિયજનો સાથે જોડાયા. વખતો વખત મુંબઈ જવું ત્યારે સોસાયટી સાથે સંકળાયેલા ઘણા સ્વજનોને મળવાનું થાય. હમણાં મુંબઈ જવાનું થયું ત્યારે એમણે ખાસ VSSM દ્વારા થતા સેવાકાર્યોની વાત કરવા નિમંત્રણ આપ્યું. પ્રિય મીનાબહેન શાહે પહેલ કરીને આદરણીય મિહીરભાઈ શેઠ, મયુરભાઈ નાયક, ક્રિષ્ણકુમાર ઝુનઝુનવાલા સૌ સ્વજનો એ પહેલને વધાવી. 

અને બસ સંધ્યા સમયે ઘણી વાતો થઈ. 

BCAS ની સ્થાપનાને 75 વર્ષ પુર્ણ થાય છે. આ નિમિત્તે 7500 વૃક્ષોનું જંગલ તેઓ અમારી સાથે રહીને કરશે. 

BCASએ પોતાના ત્યાં આવી વાત કરવાની તક આપી તે માટે સૌ સ્વજનોની આભારી છું..

#MittalPatel #VSSM #BCAS #Mumbai



Mittal Patel with our Well-wishers Smt. Meenaben Shah,
Shri Mihir Sheth and Shri Mayur Nayak

Mittal Patel with our well-wishing friends

Mittal Patel shares the wotk of VSSM to all BCAS members

Mittal Patel meets the numerous members of BCAS

BCAS invited Mittal Patel to share the work VSSM does

Mittal Patel shares the journey of VSSM's work


Monday, April 17, 2023

We encourage you to contribute to our ongoing efforts of water conservation...

Bodal Water Management site


Each year, as the realities of climate change and global warming become increasingly pronounced, the pressure on life-sustaining natural resources also turns acute. For example, it is believed that in the coming years, erratic weather patterns will impact the availability of potable water, and humans will face severe difficulties in accessing drinking water.

Under such circumstances, it becomes critical to have mandatory efforts to conserve and manage water in place. VSSM’s Participatory Water Management Initiative focuses on repairing and strengthening the existing water bodies and increasing sensitivity towards the looming water crisis. The ill-maintained community lakes can no longer hold rainwater for more than a few months after monsoon. As a result, they cannot recharge the groundwater tables. Therefore, VSSM takes up the deepening of village lakes, which has led to raising the groundwater levels and making water available for the local flora and fauna. Creating a maximum number of water shrines is the need of the day.

Until last year we have deepened 210 lakes in Banaskantha. We have barely launched the current year’s efforts and have already deepened eight lakes.

The water conservation efforts VSSM takes up are participatory; hence,  the community also shares the responsibility. VSSM appoints and bares the cost of the JCB machine while the community has to take up the cost of moving the excavated soil. As a result, the lakes are deepened with the joint efforts of VSSM, its well-wishers, and the community.

The lake at Bodal village in Banaskatha’s Deesa is being deepened with the support of Mumbai based respected Shri Ulhasbhai Paymaster. He doesn’t share any affinity with Banaskantha, but because water conservation is the need of the day, he opted to support us. We are grateful for his thoughtful contribution. 

Our religious scriptures associate the creation of public water facilities as the greatest act of charity and have equaled it the be as virtuous as performing 100 yagnas. We wish an increasing number of people to contribute to water conservation efforts just as they donate to crowdfunding efforts to build temples. We encourage you to contribute to our ongoing efforts of water conservation.

જળ બનાવી શકાતુ નથી માટે એને બચાવવું પડે. કહેવાય છે વિશ્વ આવાનારા સમયમાં આજે જે સંકટ વેઠી રહ્યું છે તેનાથીયે વધારે સંકટ વેઠશે.
ત્યારે પાણીના ટીપે ટીપાને બચાવવું જરૃરી. અમે તળાવો ઊંડા કરીએ જેથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે. ગામના ખેડૂતોને તો એનો ફાયદો થાય જ પણ ભૂગર્ભજળ ઉપર આવે સાથે પશુ પંખીઓ પણ પાણી મેળવી શકે.
બનાસકાંઠામાં અમે ગત વર્ષ સુધી 210 તળાવો ઊંડા કર્યા. આ વર્ષનું જળસંચયનું કામ હમણાં શરૃ કર્યું અને બનાસકાંઠામાં આ સીઝનના પણ 8 તળાવો ઊંડા થઈ ગયા.
વધારે ને વધારે જલમંદિરો બને તે આજના સમાયની જરૃર.
અમે જેસીબી મશીન મુકીએ અને ગામલોકો માટી ઉપાડવાનું કામ કરે. આમ ગામ, VSSM અને VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી તળાવ ઊંડા થઈ રહ્યા છે.
બનાસકાંઠાના ડીસાના બોડાલગામનું તળાવ અમે મુંબઈમાં રહેતા આદરણીય શ્રી ઉલ્હાસભાઈ પેમાસ્ટરની મદદથી ખોદી રહ્યા છીએ. તેમનો ઘણો આભાર. બનાસકાંઠા એમનું વતન નથી પણ પાણીનું કામ કરવું જોઈએ એવું એ માને માટે મદદ કરે.
તમે પણ આ કાર્યમાં સહભાગી બની શકો. આપણા ધર્મશાસ્ત્રોમાં તળાવ ગળાવવાના પુણ્યને સો યજ્ઞના પુણ્ય સાથે સરખાવ્યું છે.
સાથે ગામલોકો પણ જાગે એ જરૃરી. જો કે પહેલાં કરતાં આજે પાણીને લઈને ઘણી જાગૃતિ આવી છે. બસ વધારે લોકો જેમ મંદિર બાંધવા લોકોફાળો કરે તેમ તળાવો માટે કરતા થાય અને સ્વયંમ આ કાર્યો કરવા માંડે તે ઈચ્છનીય..
#mittalpatel #vssm #watermanagement #jalhetojivanhe #pani

Mittal Patel with Villagers at Bodal water management site

Mittal Patel with VSSM Coordinator Naran Raval

Mittal Patelk discusses WaterManagement with villagers

Ongoing lake deepening work

Bodal Water Management Site