Thursday, April 14, 2016

VSSM enables nomadic families acquire their caste certificates…..


VSSM helps to acquire Caste-Certificate
 for 18 Nomadic families
We have written at length about some difficult pre-requisites that are essential to be produced if one wants to obtain a caste-certificate. The nomadic communities do not understand the difference between caste and surname. Whenever it is required to mention caste these families end up writing their surnames like Vaghela, Chauhan, Bhaati, Mori etc.  The tricky requirements by the government accompanied by the ignorance of nomadic communities  creates challenges when these families have to get a caste certificate. 

We have had made frequent  requests to the government for organising block level camps to ease the process of obtaining the caste certificates. This requests are yet to be heard but we are helping the communities obtain the certificates as and when required. The task becomes breeze in offices that have empathetic officials otherwise you know how it is with getting these things done !!!!

Nomadic Families with their Caste-Certificate
We have applied for caste certificates for numerous families residing in Ahmedabad of which 18 families received their document recently ( as seen in the picture)...

vssmની મદદથી વિચરતી જાતિના લોકોને મળ્યા જાતિ પ્રમાણપત્રો

જાતિ પ્રમાણપત્રો મેળવવાની સરકારી આંટીઘૂંટી ઘણી વિચિત્ર છે. આ સમુદાયોની સમજ પણ મર્યાદીત છે. બાળકને શાળામાં ભણવા બેસાડે કે, પહેલીવાર મતદારકાર્ડ કઢાવે ટૂંકમાં સરકારી ચોપડે જ્યાં પણ પહેલીવાર નામ ચડાવવાનું થાય ત્યાં પોતાની જાતિ લખાવવાની જગ્યાએ મોટાભાગે પોતાની અટકો એટલે કે, ચૌહાણ, વાઘેલા, પરમાર, ભાટી, મોરી વગેરે લખાવે જેના કારણે તેઓની મુળ જાતિનું પ્રમાણપત્ર મેળવવાનું થાય ત્યારે ખુબ તકલીફ પડે.
જાતિપ્રમાણપત્ર માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે તાલુકા દીઠ કેમ્પ કરીને તેમને પ્રમાણપત્ર આપવાનું કરવામાં આવે તો આ સમુદાયોને ઘણી રાહત થઈ જાય. ખેર રજુઆતો કરી છે પણ કંઈ નક્કર પરિણામ આવ્યું નથી. હાલ પુરતુ જેમ જેમ જરુર પડતી જાય છે તેમ તેમ લોકોને સમાજ કલ્યાણ કચેરીમાં લઈ જઈને પ્રમાણપત્રો અપાવવાનું કરીએ છીએ. ક્યાંક અધિકારી સારા છે તો ખુબ જ સરળતાથી કામ પતે છે તો ક્યાંક ધક્કા પણ ખુબ થાય છે.
અમદાવાદમાં રહેતા ઘણા પરિવારોની જાતિપ્રમાણપત્ર મેળવવા અરજી કરી હતી તેમાંથી 18

Tuesday, April 12, 2016

VSSM files 126 Applications for residential plots in Rajkot

VSSM's field co-ordinator Kanubhai with
 the community leaders
Tacking the demons that lie within …..

The city of Rajkot has huge concentration of Marwari Devipujak (Bavari) community. The families stay in ghettos with as many as 12-15 members staying in a 10 X10 feet shanty. Elder parents, sons and daughter-in-laws, daughters and son-in-laws and children all stay in these wall less houses that have sarees or bedsheets to form make-shift partitions to guard privacy. It was important that these families receive plots to build however small yet  seperate houses. Since past 2 years VSSM’s Kanubhai has been working hard to ensure these nomadic families receive residential plots. The conditions under which they currently survive are absolutely inhospitable and inhumane. Consequent to the appeals made by Kanubhai the district Collector asked him to submit applications for these families.  

Filed Housing Plots Applications
To our utter surprise, the moment we initiated the task of filing applications the thus far dormant community leaders suddenly became active, asking the community members for money to be given to the officials to get the task done!! They went to the extent of demanding money to begin the process of filling up the form!! The entire episode was quite a revelation as it was totally opposite to the way VSSM functioned. Kanubhai had to convince everyone there was no money to be given to anyone and even called in the local authorities to give an explanation of how the applications will be handled.

It has taken Kanubhai one and a half years to make the families understand that no money has to change hands for filing and sanctioning the applications. On grasping what Kanubhai was trying to convey the Marwari Devipujak families shunned away their own community leaders who until now had formed the toxic habit of indulging in corruption. After the resolving of all the issues Kanubhai could manage to file applications for 126 families. 

The emergence of such situations requires the VSSM team members to fight the demons and corrupt mindsets  (individuals with vested interests) that lie within the nomadic communities. Work done without money or their inclusion somewhere indicates the loosening of their hold on their own ignorant community members and  that is what the community leaders do not want to happen. When we come across such situations  it makes us realise how distant our destination is for the journey we have embarked upon…..The fact that VSSM has a strong, determined and  dedicated team to tackle any untoward situation gives a great solace and assurance that ‘we shall overcome…'


રાજકોટમાં મારવાડી દેવીપૂજક(બાવરી) સમાજની વસતિ ઘણી વધારે છે. દસ બાય દસના ઝૂંપડામાં એક સાથે 12 થી 15 વ્યક્તિઓનો પરિવાર રહે. જેમાં મા-બાપ, દીકરા-વહુ, દીકરી જમાઈ બાળકો બધા જ આવી જાય. આમ તો એક છાપરાંમાં આટલા બધા લોકો? ચાલે તોય ભટકાય એવી હાલત હોય. રાતના તો ચાદરોની આડાશો કરીને પ્રાઈવસી કરનારા આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે અત્યંત જરૃરી હતું. vssmના કાર્યકર કનુભાઈ આ પરિવારો સાથે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. તદન અમાનવીય સ્થિતિમાં રહેતા આ પરિવારોને રહેણાંક અર્થે જગ્યા મળે તે માટે સંસ્થાના માધ્યથી તેમણે અરજી કરી અને કલેકટર શ્રીએ આ પરિવારોની દરખાસ્ત જમા કરાવવા ક્હયું.
દરખાસ્તનું કામ આરંભ્યું કે, અત્યાર સુધી સુસુત્પ અવસ્થામાં રહેલા આ સમુદાયના આગેવાનો કાર્યરત થયા અને પૈસાનો જુગાડ શરૃ થયો. અધિકારીને આટલા પૈસા આપવા પડશે તમે આપો તો જ દરખાસ્ત કરીશું નહીં તો નહીં. vssmની કાર્ય પદ્ધતિથી તદન વિપરીત સ્થિતિ અમારી સામે આવી પડી. કનુભાઈએ સૌને સમજાવ્યા અને એક પણ રૃપિયા વગર કામ થશે તેવી બાંયેધરી આપી. જરૃર પડે અધિકારી સાથે વાત કરાવી. પણ વહીવટીતંત્રની જેમ સામાજિક સ્તરે ઘુસી ગયેલા ભ્રષ્ટાચારને આમ સરળતાથી નાથી શકાય તેવો ક્યાં હતો. દોઢ વર્ષની મહેનત પછી સૌ સમજ્યા અને પૈસાના જોરે વહીવટ કરનારાને મારવાડી સમાજે જ પોતાનાથી દુર કર્યા. તે પછી કનુભાઈએ 126 પરિવારોની દરખાસ્ત મામલતદાર કચેરીમાં જમા કરાવી.
ભ્રષ્ટાચારનો ભોરીંગ જાતિગત માળખામાં એવો ઘુસી ગયો છે કે એના સામે પણ એક અલગ પ્રકારે બાથ ભીડવાનું સંસ્થાના કાર્યકરોએ કરવાનું થાય છે. પોતાના સ્વાર્થ ખાતર સમાજની જુની ઘરેડને જ પકડીને આગળ વધારે રાખવાનું નાતના આગેવાનો કરે રાખ્યે છે અને એ પણ ખાલી 500 કે 1000 રપિયા માટે થઈને. ખેર આ બધુ જોઉ છુ ત્યારે લાગે છે કે, vssmએ હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. બહારના પરિબળોની સાથે સાથે આંતરીક પરિબળો સામે પણ લડવાનું છે. તેને બદલાવવાના છે.. આ બધુ થશે તેવી અમને આશા છે vssmની ટીમ એવી મજબૂત છે એટલે બધુ પાર પડશે...
ફોટોમાં દરખાસ્ત તૈયાર કરતા પહેલાં આગેવાનો સાથે vssmના કાર્યકર કનુભાઈ અને જમા કરાવેલી દરખાસ્ત



Wednesday, April 06, 2016

VSSM presents the unresolved issues pertaining to the nomadic communities in the Lok Samvaad Setu Programme

The Gawariyaa and Kangasiyaa making their
complaints heard and Bhamraji presenting
his case to Shri. Ramanbhai Vora at the Lok
Samvaad Setu.
The Lok Samvad Setu is a program by government under which, the CM and council of ministers visit all the taluka centres of each district of Gujarat and meet people to solve their local grievances on different subjects related to land, electricity connections, sanitation, drinking water, benefits under various development schemes of the government etc.

"Conduct a survey and allot plots to all the Kangasiya families who are living in Banaskantha and still await the allotment of residential plots,” ordered our Minister Shri Ramanbhai Vora after listening to the complaint presented by  Bhamraji Kangasiya-Gwariyaa during the Lok Samvad Setu program organised in Diyodar block. Numerous families like Bhamrabhai’s are awaiting the possession to the plots that have been allotted to them in 2014. As the villagers are protesting the allotment of plots to the nomadic communities,  the entire matter is steeped into an unresolved mess. Numerous attempts, that have so far failed to attain any success, were  made by VSSM and the families to get  the concerned authorities execute the government order. Eventually, after the exhaustion of all the available options VSSM’s Naranbhai asked Bhamraji to present this long pending  case to the minister Shri Vora  at the Lok Samvad Setu program held on 1st April 2016. Bhamraji spoke his heart out, rendering the actual plight of the thousands of nomadic families like his, listening to which the minister ordered the above mentioned task.
VSSM presents the unresolved issues pertaining to
the nomadic communities in the Lok Samvaad Setu Programme

The Minister was swift in ordering his officials to take required action on the complaint by Bhamraji, now its for the officialdom to take action. All we hope for is their swift action as well!!  In the previous week the team of VSSM also briefed the minister Shri. Vora on the numerous other urgent and unresolved issues of nomadic and de-notified communities that are categorised under educationally and socially backward communities. If the government wishes it could expedite the process to address all these issues, all it required was government’s will to do so!!

We are hopeful that the authorities and law makers display empathetic and positive approach to the plight of the nomads and without further procrastination begin addressing the numerous pending applications and files lying in various governmental offices. 

vssm દ્વારા વિચરતા પરિવારોના વણઉકલ્યા પ્રશ્નોની રજૂઆત લોકસંવાદ કાર્યક્રમમાં 
‘બનાસકાંઠા જિલ્લામાં રહેતા અને પ્લોટ વગરના તમામ કાંગસિયાઓનો સર્વે કરાવી દો અને તમામને પ્લોટ ફાળવી દો.’
દિયોદરમાં યોજાઈ ગયેલા લોકસંવોદ સેતુ કાર્યક્રમમાં રાંટીલાગામમાં રહેતા ભમરાભાઈ કાંગસિયા-ગવારિયા કે જેઓને પ્લોટની ફાળવણીનો હુકમ 2014માં મળ્યોછે પણ પ્લોટનો કબજો મળતો નથી. ગામના લોકો ભમરાજી તથા અન્ય વિચરતી જાતિના લોકોને પ્લોટનો કબજો આપવાનો વિરોધ કરી રહ્યા છે. સંસ્થાગત રીતે અમે અને આ પરિવારોએ ઘણી રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી ના આ સંદર્ભે કાર્યવાહી થતી. કંટાળીને vssmના કાર્યકર નારણે ભમરાજીને લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં પોતાને થઈ રહેલા અન્યાયની વાત કરવા કહ્યું અને તા. 1 એપ્રિલના રોજ મંત્રી શ્રી રમણભાઈ વોરાને ભમરાજીએ રજૂઆત કરી. 
ભમરાજીની રજૂઆતથી પ્રેરાઈને રમણભાઈએ ઉપરોક્ત વાક્યથી કલેકટર શ્રી ને બનાસકાંઠામાં રહેતા તમામ કાંગસિયાને પ્લોટ આપવાની સૂચના આપી. 
કાશ જેવી રીતે સૂચના અપાઈ એ પ્રમાણે સક્રિય રીતે કામ થતું હોય. વિચરતી અને વિમુક્ત જાતિઓનો સમાવેશ સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત જાતિઓમાં થાય છે. જેના મંત્રી રમણભાઈ પોતે છે. રમણભાઈને અમે આ સમુદાયોના કેટલાક પ્રશ્નો જેનો નિવેડો સરકાર ઈચ્છે તો ઝડપથી આવી શકે તે સંદર્ભે ગત અઠવાડિયે જ રજૂઆત કરી છે. આશા રાખીએ એમાં પણ હકારાત્મક કામ થાય..
બનાસકાંઠા જિલ્લામાં વિચરતી જાતિઓની પ્લોટ ફાળવણીની ઘણી દરખાસ્તો સંલગ્ન કચેરીમાં પડી છે તેમાં પણ હકારાત્મક કામ થાય અને લોકો જેનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે પ્લોટ એમને ઝડપથી મળે. 
ફોટોમાં પ્લોટનો કબજો મેળવવાની રજૂઆત માટે આવેલા કાંગસિયા-ગવારિયા તથા અન્ય વિચરતી જાતિના લોકો જેઓએ પણ પ્લોટની માંગણી કરી છે છતાં હજુ સુધી પ્લોટ મળ્યા નથી અને બીજામાં રમણભાઈની સામે રજૂઆત કરી રહેલા ભમરાજી..

Thursday, March 31, 2016

Applications prepared for obtaining residential plots for 15 Vansfoda families of Tadav….

Vansfoda families 
Since past many years,  15 Vansfoda families have settled  in Tadav village of Vav block in Banaskantha district. The traditional occupation of these families was basketry but, the scarcity of bamboo  and increasing prices of raw material have made them give up the occupation of their forefathers and earn living from selling plastic house ware. Infact, the Tadav settlement is a place they come back to after wandering in the neighbouring villages for a few weeks to sell their plastic ware. VSSM has enabled these families obtain their ration cards, voter ID cards but the resistance by the villagers to allow these families settle in Tadav has delayed the process of applying for residential plots. 

vssm field coordinator Shardaben and Naranbhai completing the
application process….
VSSM team members Shardaben and Naranbhai have prepared applications for allotment of residential plots to 15 families, the same were submitted on 12th March. Hope these families soon realise their dream of a home…..

ટડાવમાં રહેતાં વાંસફોડા પરિવારોની રહેણાંક અર્થે પ્લોટ મેળવવા માટેની અરજી તૈયાર કરી.
બનાસકાંઠાના વાવ તાલુકાના ટડાવ ગામમાં ૧૫ વાંસફોડા પરિવારો વર્ષોથી રહે છે. આ પરિવારોનો પરંપરાગત વ્યવસાય સુડલા અને ટોપલા બનાવવાનો પણ છેલ્લા કેટલાક વખતથી એમણે પ્લાસ્ટીકના તબકડા વેચવાનું શરુ કર્યું છે. કેટલાક સમય માટે સ્થળાંતર કરે બાકીનો સમય ટડાવમાં જ રહે. vssmના ધ્યાને આ પરિવારો આવતાં આપણે એમનાં મતદારકાર્ડ, રેશનકાર્ડ કરાવ્યાં. પણ રહેણાંક અર્થે પ્લોટની ફાળવણી હજુ સુધી થઇ નથી. મૂળ ગામમાં આ પરિવારોને કોઈ ઇચ્છતું નથી એટલે આ કામ થયું નથી.
vssmના કાર્યકર શારદાબેન અને નારણ દ્વારા ૧૫ પરિવારોની રહેણાંક અર્થે પ્લોટ મેળવવા માટેની અરજી તા.૧૨ માર્ચના રોજ તૈયાર કરવામાં આવી. આ પરિવારોને ઝડપથી પ્લોટ ફાળવાય એમ ઇચ્છીએ..
ફોટોમાં ટડાવમાં રહેતાં વાંસફોડા પરિવારો અને એમને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટેની અરજી તૈયાર કરતાં vssmના કાર્યકર નારણ અને શારદાબેન

Monday, March 28, 2016

VSSM helps nomadic families acquire U WIN cards..

Nomadic families with their U win Cards
A couple of months back VSSM’s Mohanbhai had filed applications for U-WIN cards on the behalf of the nomadic families of Sankheswar and Santalpur blocks of Patan district. As a result of his efforts 85 and 25 nomadic families from the mentioned blocks have been allotted the U-WIN cards
( can be seen in the picture). 

Nomadic families with their U win Cards
We hope that the family keep receiving their identity proofs and related documents in similar manner thus enabling them access to various government schemes. 

vssmની મદદથી વિચરતી જાતિના પરિવારોને U win કાર્ડ મળ્યા.
Nomadic families with their U win Cards
પાટણ જીલ્લાના શંખેશ્વર અને સાંતલપુરતાલુકામાં રહેતાં વિચરતી જાતિના પરિવારોને U win કાર્ડ મળે એ માટે vssmના કાર્યકર મોહનભાઈએ અરજી કરી હતી. જેના અનુસંધાને આ બન્ને તાલુકામાં વસતા અનુક્રમે ૮૫ અને ૨૫ પરિવારોને શ્રમયોગી કાર્ડ મળી ગયા જે ફોટોમાં જોઈ શકાય છે. હવે આ પરિવારોને કાર્ડનું વિતરણ કરવામાં આવશે. 
Nomadic families with their U win Cards
Nomadic families with their U win Cards
અમે ઇચ્છીએ કે દરેક પરિવારને આજ પ્રકારે તમામ આધાર-પુરાવા અને સરકારી યોજનાઓની મદદ મળે. 
ફોટોમાં મળેલાં શ્રમયોગી કાર્ડ સાથે વિચરતા પરિવારો

Sunday, March 13, 2016

VSSM files applications for obtaining caste certificates for nomadic families

A caste certificate becomes an important document if one needs to take benefit of any of the government welfare schemes. However,  fulfilling the pre-requisites of applying for a caste certificate is a uphill task for the nomadic communities. For example - it is mandatory for the applicant to attach a school leaving certificate  of his father along with the application for the caste certificate. 

The children of the nomads today are the first generation school goers for 99 percent of these families, so attaching father’s (previous generation) school leaving certificate is next to impossible!!

We have spoken to the Chief Minister, to Shri. Ramanbhai Vora, Cabinet Minister, Social Justice and Empowerment about relaxing the norms or the consider issuing the certificates after visiting the place these families reside. But, these are policy matters and any amend in it will require time and efforts. 

 People of nomadic community who
queuing up to file applications for caste certificate
In the mean time, we have requested the sensitive and compassionate officials from  the regions VSSM works to issue caste certificates to the applicant families on the basis of the documents these families  have. It required great effort on part of the VSSM team to convince the officials of Ahmedabad and Gandhinagar districts, the officials have understood the issue and are willing to support. 

We have prepared applications for caste certificates of  32 nomadic  families residing in Ahmedabad and 22 families of Kamod. The applications have been submitted to the Social Welfare Department. If these applications get us the caste certificates we intend to speed up the process of filing other applications. 

vssm દ્વારા વિચરતી જાતિના લોકોની જાતિ પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીઓ દાખલ કરવામાં આવી  
VSSM’s Madhuben and Ilaben assisting
in filling up the forms...
સરકારની કોઈ પણ યોજનાની મદદ મેળવવા જાતિ પ્રમાણપત્ર જરૂરી છે. પણ જાતિ પ્રમાણપત્ર મેળવવા માટેના સરકારે જે નિયમો બનાવ્યા છે એ નિયમો વિચરતી જાતિના લોકો માટે મુશ્કેલ છે. દા.ત. પ્રમાણપત્ર માટેની અરજી સાથે જે વ્યક્તિને પ્રમાણપત્ર જોઈએ છે એ વ્યક્તિએ એના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવું ફરજીયાત છે. 

હવે જેમની પહેલી પેઢી શાળામાં જઈ રહી છે એ લોકો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ક્યાંથી લાવે? આ મુદ્દે મુખ્યમંત્રીથી લઈને સામાજિક ન્યાય અને અધિકારીતા સંભાળતા મંત્રી શ્રી રમણભાઈ વોરાને પણ લખ્યું છે. નિયમો હળવા કરે અથવા એક મુદ્દાનો કાર્યક્રમ કરીને આ સમુદાયના લોકો જ્યાં રહે છે ત્યાં જઈને એમને જાતી પ્રમાણપત્ર આપવાનું કરે. ખેર આ મુદ્દો નીતિ વિષયક છે અને એમાં બદલાવ માટે અમારે કોશિશ કર્યા કરવાની છે.
આ દરમ્યાન જે વિસ્તારમાં vssm કામ કરે છે અને અધિકારી vssmના કામને જાણે છે એમને જાત તપાસ કરીને જે પણ ડોક્યુમેન્ટ છે એના આધારે જાતિ પ્રમાણપત્ર આપવા અમે વિનંતી કરી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં અરજી સાથે vssmના કાર્યકરે ખુબ ધક્કા ખાધા. પણ આખરે એ બધા ધક્કા પછી અધિકારી આખી વાતને સમજ્યા અને પ્રમાણમાં કામ થોડું સરળ થયું.. 
અમદાવાદ શહેરમાં રહેતાં ૩૨ અને કમોડ ગામમાં ૨૨ વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને જાતિ પ્રમાણપત્ર મળે એ માટેની અરજીઓ સમાજ કલ્યાણ કચેરીમાં જમા કરાવી. આગામી દિવસોમાં આ કામ ખુબ ગતિથી થશે એમ લાગી રહ્યું છે. 
ફોટોમાં પ્રમાણપત્ર મેળવવા અરજી સાથે લાઈનમાં ઉભેલાં લોકો 
જાતિપ્રમાણપત્રના ફોર્મ ભરવામાં મદદરૂપ થઇ રહેલાં vssmના કાર્યકર મધુબહેન અને ઇલાબહેન 


Saturday, March 05, 2016

Applications for residential plots prepared for the nomadic families living in Siddhpur…

VSSM’s Tohid and Mohanbhai preparing
applications for Vanzara, Raval
and Devipujak families….
The development of Siddhpur town must have been a boon for many but for the nomads living in the town in its various settlements it has been a bane. As the town keep growing, these families are been repeatedly pushed further away. With the land becoming more and more pricy the marginalised families like these remain vulnerable to the grabbers in form of  land mafia.  The nomads have never formed the more practiced habit of reserving the land and have never approached any government for their rights hence they have virtually been landless and homeless all these decades. The families like the ones living in Siddhpur are now facing the challenges of rapid urbanisation. Their mud shelters are terms illegal and encroaching  thus,  facing potential eviction and demolition by the authorities. Such repeated episodes are worrying  the nomads. They are concerned about where will they go if they are asked to keep pushing away!! As a result they are seeking help from VSSM because this time they have been asked to evict  the area they are staying i.e. on the banks of the Siddhpur lake. 

Applications for the residential plots
filed by VSSM
VSSM has filled the application forms for obtaining residential plots for 49 families comprising of 15 Nat, 10  Bajaniya, 10 Vansfoda, 14 Devipujak , Vanzara and Raval  communities. Prior to filing the applications we need to acquire all the other necessary documents like the caste certificate etc. that have to be attached the application.  This will be accomplished in coming few days after with the applications will be filed in the concerned department. 

The current Additional Collector of Siddhpur Shri. Jaswantbhai is positive and compassionate gentleman. He has agreed to extend his complete support to the matter. We are hoping these families will soon receive residential plots..

સિદ્ધપુરમાં રહેતાં વિચરતા પરિવારોની પ્લોટ માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી..

સિદ્ધપુર શહેરનો વિકાસ થતો ગયો એમ એમ વિચરતી અને વિમુક્ત જાતિઓ જેઓ વર્ષોથી આ ગામોમાં જ કોઈને નડે નહિ એવી જગ્યા પર ખસેડતી ગઈ. મૂળ રૂમાલ મુકીને જગ્યા રોકવાની એમની ટેવ નહિ અને પોતાના અધિકાર માટે સરકારમાં રજૂઆત કરવાની પણ સમજણ નહિ એના પરિણામે વર્ષોથી આ ગામમાં રહેતાં હોવા છતાં કાયમી રહેણાંક અર્થે જગ્યા મળે એ માટે કોશિશ પણ કરેલી નહિ. પણ શહેરોનો પણ વધુને વધુ વિકાસ થઇ રહ્યો છે એમાં આ પરિવારો જે સરકારી જગ્યા પર માટીના ઘરો કે છાપરાં કરીને રહેતાં એ ખાલી કરવાં દબાણ આવવા માંડ્યું અને આ પરિવારો ચિંતામાં મુકાયા.

vssm વિચરતી જાતિ સાથે કામ કરે એવી આ પરિવારોને જાણ પણ અત્યાર સુધી જગ્યા ખાલી કરવાની વાત આવી નહોતી એટલે એમણે ક્યારેય આપણો સંપર્ક કર્યો નહોતો પણ હવે ચિંતા થઇ. જગ્યા ખાલી કરવાશે તો ક્યાં જઈને રહીશું એ ચિંતા એમને સતાવવા માંડી. સિદ્ધપુર તળાવની પાળ પર રહેતાં પરિવારોને તો જગ્યા ખાલી કરવાણી નોટીસ પણ મળી ગઈ. વસ્તુ સ્થિતિ સમજી આ પરિવારોએ vssmને મદદ માટે વાત કરી.

આપણે સૌ પ્રથમ ૧૫ નટ,૧૦ બજાણિયા, ૧૦ વાંસફોડા, ૧૪ દેવીપૂજક, વણઝારા અને રાવળ એમ કુલ ૪૯ પરિવારોની પ્લોટની માંગણી માટેની દરખાસ્ત તૈયાર કરી હા એમાં જાતિ પ્રમાણપત્ર અને અન્ય કેટલીક વિગતોની પૂર્તતા કરવાની છે પણ એ ઝડપથી કરીને એકાદ અઠવાડિયામાં પ્લોટની દરખાસ્ત સરકારમાં જમા કરાવવાનું આયોજન છે.

હાલમાં સિદ્ધપુર પ્રાંત કલેકટર શ્રી જસવંતભાઈ ખુબ હકારાત્મક અને પ્રેમાળ છે એ પણ આ કામમાં પૂરો સહયોગ કરશે. આ પરિવારોને ઝડપથી પ્લોટ મળશે એવી અમને આશા છે.
ફોટોમાં વણઝારા, દેવીપૂજક અને રાવળ સમુદાયની પ્લોટની દરખાસ્ત તૈયાર કરી રહેલા vssmના કાર્યકર તોહીદ અને મોહનભાઈ


Friday, March 04, 2016

Nathbawa families of Dabhla village receive ration cards..


Nathbawa families with their ration cards 
A small settlement consisting of 19 families belonging to the nomadic communitiy of Bharthari-Nathbawa is situated almost 2 kms away from the village of Dabhla in Mehsana’s Vijapur block. While some of these families possessed the ration cards and  voter ID cards other did not have any document of identity proof. VSSM helped the adult members of these families  obtain the voter ID cards. The 7 families who did not have ration cards were also helped in procuring them, their applications were alloted APL ration cards 



Inspite of the distance from the village, this settling in its periphery is fiercely opposed by the panchyat. The settlement has no infrastructure facilities like power and water, a thorny fence around the settlement  to protect it  from the intrusion of  wild nocturnal animals was also opposed by the Panchayat members. They were threatened to remove it. VSSM has been making efforts to ensure these families get  residential plots for building their own houses. But the attitude of the Panchayat and the villagers is hindering the efforts. As always it is difficult to comprehend such attitude of the villagers!!!
VSSM’s Tohid filling up the application
forms for caste certificates.

And as alway we shall keep faith in the Panchayat, villagers, authorities and government, we are sure the mindsets will change and they will embrace these Nathbawa families. VSSM’s Tohid  has already began the process of applying for the caste certificates for these families because once they receive the plots these certificates will be required to avail the Government’s aid for building houses. 

નાથબાવા પરિવારોને મળ્યા રેશનકાર્ડ 
મહેસાણાના વિજાપુરતાલુકાના ડાભલાગામમાં ભરથરી – નાથબાવા સમુદાયના ૧૯ પરિવારો ગામથી ૨ કી.મી દુર રહે. અહિયાં રહેતાં કેટલાક પરિવારો પાસે મતદારકાર્ડ અને રેશનકાર્ડ હતા જયારે કેટલાક પાસે નહોતા. vssmની મદદથી તમામ પુખ્તવયના લોકોના મતદારકાર્ડ નીકળી ગયા. જયારે ૭ પરિવારો પાસે રેશનકાર્ડ નહોતા એમને રેશનકાર્ડ મળે એ માટે અરજી કરી અને એમને પણ APL રેશનકાર્ડ ફાળવાયા.

આ પરિવારોના કાયમી વસવાટ સામે આખા ગામનો વિરોધ. વીજળી અને પાણીની પણ સુવિધા નહિ. વસાહતની ફરતે એમણે કંટાળી વાડ પોતાનાં વસવાટના રક્ષણ માટે કરવાનું શરુ કર્યું કે, પંચાયતે આવીને વાડ નહિ કરવાની એક અર્થમાં ધમકી આપી. આ પરિવારોને કાયમી રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે vssm કોશીશ કરે છે. કામ મુશ્કેલ છે કેમ કે, કોઈ સહયોગ કરતુ નથી અને આ પરિવારોને ગામમાં કોઈ ઇચ્છતું પણ નથી. એક રીતે ગામથી ઘણો દુર વસવાટ છે છતાં આવો વિરોધ? સમજાતું નથી.

ખેર અમે ગામના લોકો, પંચાયત અને સરકાર સૌમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. એટલે જ એમની રહેણાંક અર્થે પ્લોટની અરજી અને એ માટે મેળવવાના થતાં જાતી પ્રમાણપત્રની અરજી તૈયાર કરવાનું vssmના કાર્યકર અને આ બધાના પ્રિય એવા તોહીદે કર્યું. બસ આ પરિવારોને પ્લોટ અને પોતાનું સરસ ઘર ઝડપથી મળે એવી આશા...
ફોટોમાં APL રેશનકાર્ડ સાથે નાથબાવા પરિવારો
બીજા ફોટોમાં પ્લોટની દરખાસ્ત અને જાતિ  પ્રમાણપત્રના ફોર્મ ભરતા vssmના કાર્યકર તોહીદ

Wednesday, March 02, 2016

VSSM prepares applications for including the names of Meer families into the BPL list…

Meer families with the applications 
for BPL list
Since many years now 13 Meer families spend a large for of the year in the outskirts of Samarwada village of Dhanera block  in Banaskantha. The main occupation of these families  is rearing small cattle like the sheep-goats and selling their wool. As it happens everywhere  with the nomads in Samarwada too the villagers opposed the settling of these families in their village. The voter ID cards that VSSM had facilitated for these families had also been scrapped without their  knowledge. We brought this to the notice of the district collector who helped in re-issuance of the Voter ID cards and allotment of fresh ration cards.  Also VSSM had been trying to get residential plots issued for these families. In  the midst of al this the panchayat kept them pressurising them to leave the village, but where would they go or rather should they go??

 team of VSSM filling up the
application forms..
Now the issue with the Meer community is that inspite of leading a nomadic lifestyle this community does not find its name in the state’s official list of nomadic and de-notified communities. So,  inspite of being nomads they cannot avail the benefits of any of the government welfare schemes designed for the nomadic communities. The government has a right to allocate any government wasteland to the nomads but cannot do that to Meer, secondly the families falling under the BPL list are also allocated plots by the government but since the BPL lists are formed in the Gram Sabhas and not residing  in the village means lot of the nomads stay out of the proceedings of the Gram Sabha. Most of the time they are unaware on the schedule of such an important meeting. The Meer of Samarwada face resistance from the  village hence even after being eligible for a place in the BPL list they remain excluded. Under such circumstances how will they avail residential plots!!

Its been more than a year since we made an official request for the inclusion of Meer community in the official list of Nomadic and de-notified communities, but the matter has not been getting the attention it needs. Whereas the harassment these families face is increasing with every single day. 

VSSM’s team members Naran, Mahesh and Ishwarbhai decided to make individual applications for the inclusion of each of these families’  name in the BPL list. On 2nd March 2016  11 applications were prepared and it has been decided to present it directly to the district authorities. We are hopeful that the officials will have an empathetic approach to the entire issue and include the names of these families in the BPL list. 
The pictures reflect the conditions under which
these families survive

The pictures reflect the conditions under which these families survive and the team of VSSM filling up the application forms..

મીર પરિવારોની BPL યાદીમાં નામ દાખલ થાય એ માટેની દરખાસ્ત vssm દ્વારા તૈયાર કરવામાં આવી
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સમરવાડા ગામમાં ૧૩ મીર પરિવારો વર્ષોથી વર્ષનો ઘણો ખરો ભાગ ગામમાં જ રહે છે. આ પરિવારો ઘેટાં-બકરાં પાળી એનું ઊન વેચવાનું કામ કરે છે. સામરવાડાગામમાં વર્ષોથી રહેતાં હોવા છતાં આ પરિવારોના વસવાટ સામે ગામનો વિરોધ. vssm દ્વારા આ પરિવારોને કઢાવી આપેલા મતદારકાર્ડ પણ આ પરિવારોની જાણ બહાર રદ થઇ ગયેલાં. કલેકટર શ્રીનું ધ્યાન દોરતા આ પરિવારોને ફરી કાર્ડ આપવામાં આવ્યાં અને ત્યારબાદ રેશનકાર્ડ પણ મળ્યાં. હવે જરૂરિયાત હતી રહેણાંક અર્થે કાયમી જગ્યાની. પંચાયત વારે ઘડીએ ગામ ખાલી કરી જતા રહેવા દબાણ કરે અને આ પરિવારો હવે ક્યાં જઈને રહીશું એવી દુવિધામાં મુકાય. 
રાજ્ય સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને સરકારી પડતર જમીન પર પ્લોટ ફાળવવાની જોગવાઈ કરી છે. પણ મીર સમુદાય વીચરતું જીવન જીવતો હોવા છતાં એમનો સમાવેશ વિચરતી જાતિમાં કર્યો નથી એટલે એમને વિચરતી જાતિના ઠરાવ પ્રમાણે પ્લોટ મળી શકે નહિ. આ સિવાય BPL યાદીમાં હોય એવાં પરિવારોને સરકાર દ્વારા સામે ચાલીને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા પણ BPL યાદી ગ્રામસભા નક્કી કરે સામરવાડા ગામને તો મીરનો વસવાટ ગામમાં જોઈતો નથી એટલે BPL યાદીમાં નામ માટેના ખરા હકદાર હોવા છતાં એમના નામ યાદીમાં નથી. આવામાં એમને પ્લોટ કેવી રીતે મળે?
મીરનો સમાવેશ વિચરતી જાતિમાં થાય એ માટે રજૂઆત કરી છે પણ સરકારીતંત્ર ધીમીગતિએ ચાલી રહ્યું છે. એક વર્ષ થવા છતાં આ દિશામાં કોઈ જ ખુલાસો કે સુધારો થયો નથી. જયારે આ પરિવારોની હેરાનગતી વધી રહી છે. vssmના કાર્યકર નારણ, મહેશ અને ઈશ્વરભાઈ દ્વારા આ પરિવારોની BPL યાદી માટેની દરખાસ્ત ગ્રામસભાની મંજૂરી વગર કરવાનું નક્કી થયું અને તા.૨ માર્ચ ૨૦૧૬ના રોજ ૧૧ પરિવારોની BPL યાદી માટેની દરખાસ્ત કરવાનું કર્યું. 
દરખાસ્ત સીધી જ જીલ્લામાં દાખલ કરવાનું અમે નક્કી કર્યું છે અમને આશા છે અધિકારીગણ આ વિગતો સમજશે અને આ પરિવારોના નામ BPL યાદીમાં દાખલ થાય એમ કરશે.
ફોટોમાં BPLની દરખાસ્ત તૈયાર કરી રહેલા vssmના કાર્યકર નારણ અને મહેશ અને બીજા ફોટોમાં BPLની દરખાસ્ત સાથે મીર પરિવારો, જયારે આ પરિવારો કેવી દયનીય સ્થિતિમાં રહે છે એ પણ ફોટોમાં જોઈ શકાય છે. 

Thursday, February 25, 2016

VSSM’s efforts help Marwadi Devioujak families receive BPL ration cards…

Marwadi Devipujak families with their BPL ration cards
14 Marwadi Devipujak families have been staying on a privately owned plot near a railway crossing in Vijapur, Mehsana.  The families who are extremely poor manage to earn whatever little possible by selling seasonal goods. It is difficult to sustain themselves under the extreme poverty in which these families survive. The families  do have Voter ID cards and APL ration cards however, it was felt that BPL ration cards would help these families survive better atleast the amount of entitled food grains would feed the hungry children in teh family.

The living conditions the Marwadi Devipujak survive in...
VSSM has been working with these families for a while, on our team member Tohids’s recommendation,  two of these families have also been allotted interest free loans by us. Tohid was of the opinion that all of these 14 families should have BPL ration cards and hence had initiated the application process for the same. Our efforts have been well received by the officer in charge the Vijapur Mamlatdar Shri. Dalpatbhai Tank. He is well aware of the efforts VSSM puts in for the welfare of the nomadic communities and hence he cooperates where ever and whenever he gets an opportunity to do so. He immediately issued orders to issue BPL ration cards to these families. The 14 families are delighted to receive the BPL cards, acquiring which, is  otherwise  a long lost desire for the poor families. We are grateful to Shri. Dalpatbhai Tank for his initiative in the matter and compassion he shows towards the nomadic families,

vssmની મદદથી મારવાડી દેવીપૂજક પરિવારોને મળ્યાં BPL રેશનકાર્ડ

મહેસાણાના વિજાપુરમાં રેલ્વે ફાટક પાસે કોઈની ખાનગી માલિકી જગ્યામાં ૧૪ મારવાડી વાઘરી – બાવરી પરિવારો રહે. આ પરિવારોણી આર્થિક સ્થિતિ ખરાબ આમ તો સીઝનલ ધંધો કરે પણ રોજ કમાય અને ખાય એવી જિંદગી. મતદારકાર્ડ અને APL રેશનકાર્ડ એમની પાસે ખરા પણ દરિદ્રતા ખુબ એટલે આ પરિવારોને BPL રેશનકાર્ડ મળે એ જરૂરી હતું. થોડું અનાજ મળે તો પણ એમને ઘણો ટેકો થઇ જાય.

vssm આ પરિવારો સાથે કામ કરે. પોતાનો વ્યવસાય સરસ કરી શકે એ માટે vssmના કાર્યકર તોહીદ દ્વારા બે પરિવારોને તો વગર વ્યાજની લોન પણ આપવામાં આવી. હવે એમને BPL રેશનકાર્ડ મળે એ માટેની કામગીરી તોહીદ દ્વારા હાથ ધરાઈ. જો કે વિજાપુર મામલતદાર ખુબ જ સંવેદનશીલ અધિકારી. અને vssmની કામ કરવાની પદ્ધિતી પણ સારી રીતે જાણે. એટલે એમણે આ પરિવારોને BPL કાર્ડ આપવાનો આદેશ કર્યો. ૧૪ પરિવારો કાર્ડ મળતા ખુબ રાજી થયા. દરેક ગરીબ પરિવાર માટે BPL કાર્ડ મળવું એ સ્વપ્ન જેવું છે પણ મામલતદાર શ્રી દલપત ટાંક જેવા અધિકારીના કારણે એ શક્ય બનતું હોય છે. આવા અધિકારીની સંવેદનાને સલામ.
vssm ના પ્રયત્નથી મળેલાં BPL રેશનકાર્ડ સાથે મારવાડી દેવીપૂજક પરિવારો અને આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે.