Wednesday, February 05, 2014

Our Shining Stars

Last year we had shared with you the story of Suraj, a student with our Doliya Girls Hostel. She had won an inter school singing competition by coming first amongst children of 128 schools. This year too Shakir and Savan ours boys from  Vatsalya Boys Hostel have made us proud by coming first in at the district level inter school competitions. 7  years old Shakir won the writing competition whereas 11 years old Savan  Bajaniya won the singing contest. 

Shakir and his younger sister were left at an orphanage by their parents after they decided to dissolve their marriage and marry other partners. When Shakir’s maternal grandparents came to know about it they rushed to the orphanage to bring them back. The physical and economical limitations of this ageing couple prevented them to take required care of this kids. Shakir’s grandpa enrolled him to Vatsalya Hostel. His younger sister who is 4 years old and too young to stay in the hostel will join it once she is a bit grown up. 

Savan’s father is a mason and dreams of educating Savan all the way and provide him better earning options. 

The opportunities such educational facilities provide are incomparable. Apart from providing the care and nurturing,  they are helping these kids realise their true potential and achieve their aspirations. 

ગુજરાતીમાં અનુવાદ નીચે મુજબ છે...

૭ વર્ષનો શકીર અને ૧૧ વર્ષનો સાવન ‘શ્રી રાજ્શોભા સત્સંગ મંડળ સાયલા’ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણમાં આયોજિત લેખન અને ગાયકી સ્પર્ધામાં ૧૨૮ શાળાઓ
માં પ્રથમ આવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓ vssm સંચાલિત અને ‘આરતી ફાઉન્ડેશન’ (ધન્વલ્લભ ચેરીટેબલ ટ્રસ્ટ)ની મદદથી ચાલતા ‘વાત્સલ્ય કુમાર છાત્રાલય’માં ભણે છે.
શકીર વાંકાનેરમાં પોતાના નાનાજી ના ઘરે રહેતો હતો. એના મા-બાપે શકીર અને શકીરથી નાની બહેનને અનાથાશ્રમમાં મૂકી બીજે લગ્ન કરી લીધા. જયારે શકીરના નાનાને આ બાબતે ખબર પડી ત્યારે એમને ખૂબ દુ:ખ થયું . તેઓ અનાથાશ્રમમાંથી  બંને ભાઈ બહેનને લઇ આવ્યા અને પોતાની પાસે રાખ્યા. પરંતુ એમની આર્થિક હાલત એટલી સારી નહોતી કે, બાળકોને ભણાવી શકે એટલે એમણે શકીરને આપણી હોસ્ટેલમાં ભણવા મુક્યો. શકીરની નાનીબહેન ૪ વર્ષની છે. એ મોટી થાય પછી એને પણ આપણી હોસ્ટેલમાં ભણવા મુકવાની શકીરના નાનાજીની ઈચ્છા છે. 
જયારે સાવન બજાણીયા પરિવારમાંથી આવે છે. એના પિતા કડિયા કામ કરે છે. તેમની ઈચ્છા સાવન ખૂબ સારું ભણે તે છે. 
અમારી હોસ્ટેલમાં ભણતા આ તેજસ્વી તારલાઓને અમારા સૌના શુભઆશિષ અને અભિનંદન. આમતો દરેક બાળક તેજસ્વી તારલા જેવું જ છે પણ શકીર જેવા બાળકોને આપણી હુંફની વધારે જરૂર છે અને સાવન જેવા બાળકને આપણા સહયોગની વધારે જરૂર છે..

Monday, February 03, 2014

Subhan gets a new lease of life, thanks to a concerned and empathetic doctor and VSSM team…



The Dafer are know for their notoriety, in the days bygone this tribe engaged in looting and robbing people and villages. But this was decades ago. It is an occupation that they have given up. Yet, the entire tribe faces the wrath of society and administration for the misdeeds of a few fellow tribesmen. Such attitude has always kept this tribe at the margins. It is hard to find even single Dafer family with proper roof on its head, leading a life of dignity.

Five years old Subhan was born in this much tabooed tribe. Her father Valibhai guards village and farm boundaries an occupation that most of the Dafer are engaged with these days. Just a month after Subhan’s birth a tumour began growing around her naval. Her parents anticipated it to go away in sometime, but the tumour kept growing with time. The poor economic conditions of the family kept them away from seeking medical consultation. When Subhan was around 3 years old her father did take her to a doctor, who had advised that it need to be romped surgically. The cost of the surgery and other medical treatments was too much for Valibhai to afford, so he decided against the treatment advised by the doctor.

VSSM team happened to see Subhan during a settlement visit and immediately inquired about the reasons behind her such condition. On hearing the case Dr. Nileshbhai’s from Rajkot immediately came into our mind. Dr. Nileshbhai is a very compassionate doctor who belives in giving back to the society. We briefed him about this case. ’Send the daughter to me, don’t worry about the expenses, we will take care of it. On 26th January Valibhai reached Dev hospital in Rajkot, all the preliminary tests were conducted, Subhan was diagnosed with advanced case of Hernia. She was operated upon on the next day. A week later a hail and hearty Subhan was discharged from the hospital.

'Had it not been VSSM and such a sympathetic doctor, Subhan would never have got well. Our daughter has got a new life. We can't thank you enough,’ said Subhan’s parents with tears in their eyes.

Each day our cities see a new medical facility coming up, the urban areas are mushrooming with clinics and hospitals. And yet, the people who need such facilities the most remain deprived of accessing such them. The cost of even the basic medical treatments have risen steeply with time. When the middle class and upper middle class need to fall back on their medi-claims, the people living on margins can’t even dream of crossing the thresholds of a clinic!!! In such scenarios doctors like Nileshbhai who bring out the nobility of this profession are like Messiahs. We can’t thank him enough. May his tribe increase……..

Gujarati translation is given below..

“vssm ના હોત તો અમને આવા દયાળુ ડોક્ટર ના મળત"

પાંચ વર્ષની સુભાનનો જન્મ વગડામાં ડફેર પરિવારમાં થયો. ડફેરની છાપ સમાજમાં ચોર –લુંટારા તરીકેની. પણ આ ચોર ગણાતી જાતિમાં ચોરી કરી એક રૂમનું પાકું ઘર બનાવનાર એક પણ વ્યકિત આજ સુધી મને મળ્યો નથી. સુભાનના જન્મ્યાના મહિનામાં જ એની ડુંટીમાં ગાંઠ થવા માંડી. મા-બાપની આર્થિક સ્થિતિ એટલી સારી નહિ કે, દવાખાને જઈને બતાવી શકે. વળી થોડા દિવસમાં મટી જશે તેવી લાગણી પણ ખરી. પણ સુભાનની ગાંઠ દિવસે દિવસે વધી રહી હતી. ૩ વર્ષે સુભાનને ડોક્ટર પાસે લઇ જવામાં આવી. ડોકટરે ઓપરેશનનું કહ્યું, એટલે સુભાનના પિતા વલીભાઈ સુભાનને લઇ ઘરે આવી ગયા. “ઓપરેશનનો ખર્ચ તો કેટલો બધો થાય મારી પાસે પૈસા તો હતા નહિ. એટલે સુભાન પીડાયા કરતી પણ એની દવાનું કંઈ ઠેકાણું હું ના પડી શક્યો!”  વલીભાઈએ સુભાનને ડામ પણ દેવડાવ્યા.. પણ ગાંઠ મટી નહિ. નાનકડી સુભાનની પીડા વધી રહી હતી આવામાં ડામની પીડા એણે કેમ કરી સહન કરી હશે?

સુભાનના પિતા વલીભાઈ ડફેર સીમ રખોપું કરે. માંડ માંડ પૂરું થાય આવામાં ઓપરેશનના પૈસા કયાંથી લાવવા? થોડા દિવસ પહેલા સુભાનની સ્થિતિ વિષે અમને ખ્યાલ આવ્યો. પૈસાના વાંકે સુભાનની દવા નથી થઇ રહી એ જાણ્યું.. તુરત વંચિતો માટે લાગણી ધરાવતા ડૉ.નિલેશ નિમાવત યાદ આવ્યા. એમની સાથે વાત કરી એમણે કહ્યું, “દીકરીને મોકલી દો આર્થિક ચિંતા ના કરો જોઈ લઈશું.” સુભાનના પિતા સાથે વાત કરી એ તો રાજી થઇ ગયા. ગયા રવિવારે(તા.૨૬ જાન્યુઆરી ૧૪) વલીભાઈ સુભાનને લઈને દેવ હોસ્પિટલ રાજકોટ પહોચ્યા.. સુભાનને તપાસતા જ ડૉ. નિદાન કર્યું કે, હર્નિયા છે. રવિવારે જ report થઇ ગયા અને સોમવારે ઓપરેશન થયું.. આજે ઓપરેશનને એક અઠવાડિયું થયું. હવે સુભાન મજામાં છે. આજે એને હોસ્પીટલમાંથી રજા આપી.

સુભાનની માં અને એના પિતા કહે છે કે “vssm ના હોત તો અમને આવા દયાળુ ડોક્ટર ના મળત. મારી દીકરીને નવી જિંદગી મળી. એમણે આંખમાં આંસુ સાથે આ કાર્યમાં મદદરૂપ થનાર સૌનો આભાર માન્યો.”

vssm નિમિત બન્યું પણ નિલેશભાઇ જેવા ડોકટરે આવા દર્દીઓ માટે હાથ ના લંબાવ્યો હોત તો અમે કંઈ ના કરી શક્યા હોત. દરેક શહેરમાં રોજ નવી હોસ્પિટલો ખૂલી રહી છે પણ ગરીબો માટે કેટલી? એ પ્રશ્ન સૌથી મોટો છે. આજે મધ્યમવર્ગના પરિવારમાં પણ કોઈ બીમારી આવે તો તેને પોસાતું નથી.. ત્યારે વલીભાઈ ડફેર જેવા પરિવારોને તો ક્યાંથી પોસાય? આવામાં વંચિત માટે લાગણી રાખી એમને મદદરૂપ થવાની ભાવના દાખવવાવાળા ડૉ.નીલેશભાઈના અમે આભારી છીએ.. હવે અમારા સંપર્કમાં આવતા વંચિત અને બીમાર લોકોને અમે નિસંકોચ દેવ હોસ્પિટલ રાજકોટ મોકલીએ છીએ જ્યાં એમની વ્યથાને સમજી મદદરૂપ થતા ડૉ. નીલેશ નિમાવત છે....   ફોટોમાં હર્નિયા સાથે સુભાન અને ઓપરેશન પછીની સુભાન છે..

Its like running a continuous 'race of hurdles’ for these families….

17 families from Vansfoda Vadee and Nat  communities have been residing in Khoda village of Banaskantha district for quite some time. The villagers have always opposed  staying of these communities in their village. They have protested against processing of any of the identification or residency documents for these families. Amidst such opposition and resistance VSSM initiated the process of acquiring Voter’s ID cards and Ration cards. While Voter’s ID cards were acquired with relatively fewer challenges,  the villagers were hellbent  to ensure that the families do not get Ration Cards. A resolution was passed in the Gram Sabha stating that the these  families will not be given ration cards. 

A complaint in this regard was made to the Mamlatdar and an online complaint was filed with the Department of Food and Civil Supplies, Gandhinagar.  Ultimately the families received the APL ration cards whereas applications were filed for a Antyoday Ration Card.  This was not right but still OK as they would get the food grains etc. at a concessional rate. The determined villagers continued throwing hurdles. This time they instructed the PDS shop owner to refuse ration to these families. The shop owner was question repeatedly  on why he refused ration to which he alleged that the ration cards were incorrect. When Shardaben, a senior team member of VSSM inquired,  she was asked to stay away of the matter. Again we took the matter to the Mamlatdar. He paid a visit to the PDS shop and reprimanded the owner. ‘I have been asked by the villagers to refuse ration to these people!!’ the owner confessed.Henceforth,  he has promised to give ration to families regularly. 

It is extremely difficult to understand such attitude  of people towards their fellow citizens. The matters are redressed in villages and settlements wherein VSSM is active but there are thousands of families in regions where VSSM is not working, what would be their plight??? Is the question we keep asking ourselves. 

ગુજરાતીમાં અનુવાદ નીચે છે.....
બનાસકાંઠા જીલ્લાના ખોડાગામમાં વાંસફોડાવાદી અને નટ સમુદાયના ૧૭ પરિવારો રહે છે. આ પરિવારોના વસવાટ સામે ગામ લોકોનો ખૂબ વિરોધ. ગામલોકો આ પરિવારોને પોતાના ગામનો હિસ્સો માનવા તૈયાર નહિ એટલે ગામના નાગરિકને મળતા તમામ આધારો આ પરિવારોને આપવા ગામ સહમત નહિ. આ સ્થિતિમાં આ પરિવારોને મતદારકાર્ડ મળે તે માટેની પ્રક્રિયા શરુ કરી... ખૂબ વિરોધ વચ્ચે તેમને મતદારકાર્ડ મળ્યા.. હવે રેશનકાર્ડની વાત આવી તેમાં પણ ખૂબ વિરોધ... ગ્રામસભાએ ઠરાવ કર્યો કે આ પરિવારોને રેશનકાર્ડ આપવા નહિ..
આ દેશના નાગરિક એવા વિચરતા સમુદાયોના વસવાટ સામે આટલો વિરોધ!! આખરે મામલતદારશ્રીને ફરીયાદ કરી. સાથે સાથે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ - ગાંધીનગરમાં ઓનલાઈન ફરિયાદ કરી પરિણામે આ પરિવારોને રેશનકાર્ડ મળ્યા. હવે રેશનકાર્ડ પર અનાજ નહિ આપવાની સુચના ગામલોકો તરફથી સસ્તા અનાજની દુકાનવાળાને આપવામાં આવી. એટલે દુકાનવાળો ભાઈ આ પરિવારોને અનાજ ન આપે. આમતો આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એમાં એમને બી.પી.એલ.કે અંત્યોદય કાર્ડ આપવા જોઈએ પણ તેમને એ.પી.એલ.કાર્ડ આપવામાં આવ્યા છે. આ કાર્ડ પર પણ તેમને અનાજ મળે હા તેમની પાસે અનાજના પૈસા થોડા વધારે લેવામાં આવે બાકી મળે તો ખરૂ... આ પરિવારોએ દુકાનવાળા સામે અનાજ કેમ આપતા નથી. એવી ફરિયાદ વારે વારે કરી તો જવાબ મળ્યો કે, તમારા રેશનકાર્ડ ખોટા છે. vssm ના કાર્યકર શારદાબેન ગામમાં ગયા અને દુકાનવાળાને મળ્યા અને અનાજ કેમ આપવામાં આવતું નથી એ અંગે પૂછ્યું તો જવાબ મળ્યો કે, બેન તમારે આમાં નહી પડવાનું! આખરે મામલતદાર થરાદને આ બાબતે રજૂઆત કરી, એમણે ખોડા રૂબરૂ જઈને તપાસ કરી અને દુકાનવાળાને અનાજ ના આપવા બાબતે ખખડાવ્યો.. દુકાનવાળાએ કહ્યું મને ગામલોકોનું દબાણ હતું એટલે આપતો નહોતો! પણ હવે નિયમિત આપીશ...
vssmની હાજરી જે વિસ્તારોમાં છે તે વિસ્તારોમાં પણ વિચરતા સમુદાયના અવગણનાના કિસ્સા રોજ સંભાળવા મળે છે પણ અહી આપણે તેમની સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરીયે છીએ... પણ જે વિસ્તારોમાં vssm નથી ત્યાં આ વિચરતા સમુદાયોની મુશ્કેલી કોણ સાંભળતું હશે? એનું સમાધાન થતું હશે કે કેમ? 

Wednesday, January 29, 2014

Ration Cards

Passports to entitlements!!!

Ration card is made out to be an all important document for the citizen of India, they also serve as an important document to establish identity of the person or family. Basically this document is a tool basis which a family can access the benefits of Public Distribution System in India. The Antyoday and Below Poverty Line (BPL) ration cards enable families to buy food grains, kerosene, sugar etc at subsidized price. In nutshell it is a document which provided food security to the poorest of the  poor. However, rampant corruption and requirement of series of other documents in acquiring this document has not permitted marginalized nomadic and de-notified communities to acquire Ration Cards.

Consequent to our continuous lobbying some policy amendments have been made by the concerned authorities in the issuance guidelines which is making it feasible for these communities to acquire Antyoday and BPL ration cards.
The pictures talk of nothing but the abject poverty in which these families survive and yet it has taken them 6-8  months to acquire Ration Cards.
Hakanbhai and Sujaben Meer are from Deodar in Banaskatha.  Their traditional occupation has been begging. But age has taken its toll and the couple no longer can walk the distance required to go to work. They have two daughters whom they do not send to work because of safety issues. The daughters go for work only if they have a trustworthy company.
The efforts of VSSM has made it possible for these family to secure documents like Voter's ID card, Ration Card, Adhar UID, inclusion of names in BPL list. The couple also receives Rs. 800 in pension under the Vayvandana Scheme.

Pasabhai and Bhagiben Saraniyaa are from Deesa. The couple has three sons. The family has been leading a nomadic life for decades now. Their traditional occupation of sharpening knives and tools has kept them on the move all these years. Most of all these has adversely impacted their sons prospects of receiving education. 

The collective efforts of VSSM and Pasabhai have helped them secure all the essential citizenry documents, inclusion of their name in BPL list and a residential lot to build a home. Lately the family has also received Rs. 45,000 from the government for the construction of a house. The family now dreams of having a permanent address. The youngest son has been able to go to school and excels in his class.

Monday, January 27, 2014

The Dhaniyawada settlement... Inching towards Utopia…

Vast open fields dotted with patches of lush greenery, trees swaying in summer breeze, cluster of newly constructed houses amidst the arid fields, wide streets separating rows of these houses, their colorful facades, street lights, water taps at their door step, temple of community deity, a Balghar that keeps the children occupied through the day.  This is not a dream but a reality that 22 families of Nath-Vadee community are living.  They had never in their wildest of dreams imagined living this lifestyle. Tarpaulin sheets supported by bamboo sticks, suffering a continuous onslaught of abuse and stigma, children refused admission in the village school, a life of complete deprivation is what they lived till now.  

22 Nath-Vadee and Vaas-Vadee families have been staying in the outskirts of Dhaniyawada village of Banaskatha's Dantiwada block. VSSM's initial contact with these families was in 2007. These families than had no identity proofs or other documents to prove their existence. Absence of such documents is an established norm with the Nomadic and De-notified communities. The initial efforts focused on getting the required identity proofs like Voter's ID cards and Ration cards.  There were almost 46 children of school going age who, just loitered around or helped their families earn living.  These children accompanied their parents and begged with them. The frequent efforts by the community and VSSM to enroll these children in Dhaniyawada government school were resisted by the village communities and teachers.  VSSM initiated a school for these children in the settlement.

The village of Dhaniyawada resisted the settling down of these community near their village hence hindered the effort that VSSM undertook be it getting the voter's ID card or APL card, plots for residence, inclusion of names in BPL list, mainstreaming the children in school etc. The village honchos challenged each and every move VSSM undertook for the benefit these Nath Vadee families, making the realization of their basic rights and entitlements an absolute uphill task.  It took 4 years of untiring efforts to get residential plots allotted. To receive funds for construction of houses the family required to feature in the BPL list. Ironically, in spite of reeling under absolute poverty the names of these families could only get their names included in the BPL list after mammoth efforts. The community received generous contributions for the construction of homes during the Ram-Katha by Res. Shri. Morari Bapu.  The contributions facilitated construction of homes for 22 families.  Roads, power, streetlights and water facilities followed. From a desolate place to a beautiful neighborhood the Nath Vadee settlement of Dhaniyawada has come a long way. It has taken almost 6 years to realize this possibility.

Recently, the children have also started getting transport facility to reach the school that is 3 kms away. 61 children from the settlement otherwise had to walk that distance daily. After relentless efforts and letters to higher authorities including the Chief Minister of Gujarat these children now have facility to make their commute easy. These children now do not wander with their parents instead some elders stay back in the settlement and take care of all the children so that they can continue with their schooling. Such shift in the mindset of the community reflects their desire to embrace change.

As Ramesh Nath, a community leader from the settlement reminisces  'what life we led till now, our lifestyle was like that of wild animals who survive in forests!! No house, no bathing, no changing of clothes, surviving without food, absolutely no importance to education and hygiene. This is how life was earlier but VSSM taught us to live like humans. We have heard people tell us why do you all need land for building houses, do Vadee's stay in houses?? It pains us when we hear other communities taunt us saying now even the beggars have pucca houses. None of our earlier generations have ever stayed in a pucca house, even our distant relatives who visit us from parts of Gujarat and Rajasthan remain awestruck when they see our settlement. For them ours is the best settlement, 'Settlement Number One' is what they call our neighborhood.'
It has taken us almost 7 years to reach this benchmark. We have been able to accomplish all that we had planned for this settlement: starting with identity proofs, residential plots, building houses, children in school. All that remains is creating alternate livelihood opportunities for these families to pull them out of cycle of migration and begging.

60,000 individuals receive Voter's ID Cards
4,000 families acquire Ration Cards
1,000 families receive residential plots
209 families supported to build houses
23 new permanent settlements created

Saturday, January 25, 2014

The Community Associations

Seeking change from within
The gradual exposure and integration of Nomadic and De-notified Tribes with the mainstream society is making them introspect their cultural rigidities that have for long barred them from making progress. Last year some of the Communtiy Associations or the Gnayati Panch were restructured to accommodate some progressive ideas in the communities.
The Bajaniyaa Community Association is making some remarkable progress in this direction. The youth of this community is working towards making some radical changes in the dictates that govern the community and  in the traditions and customs followed.
Child Marriages: Child Marriage is an age-old custom that is still practiced in this community.  The most important side effect is that parents resist sending their children especially girls to school. The instances on separation and divorce are also high because they children when they grow up do not wish to stay together because of mental and physical incompatibility.
The Community Association with consent of community elders has brought a ban of m
arriage of underage children. The girl will need to be 18 years old and boy 21 years old at the time of marriage.
Alcohol Consumption:  Consumption of alcohol is rampant in this community. Be it occation of  marriage, death or other social event,  the men of these community never miss the opportunity to get drunk. The host has no option but to spend generously on buying liquor on such occasions. The Community Association inspite of protests and abuse has decided to ban serving and consumption of alcohol on social and public events. Those breaking the rule will be fined Rs. 200 and Rs. 500 if a community elder or leader is found breaking the norm.
Seeking Consent: The community members will be required to take permission from the Community Association for arranging any marriages, social or religious event. The Association will check the l, need, funds to be spend on revelieries  etc. of the occasion. Those who fail to seek permission will face community boycott.
It is aimed that such measure will help in curbing unnecessary expenditure on such events. The families in such marginalized communities are always reeling under some or other debt.
No Police Complaints: The disputes in the community are now redressed by the Community Associations. Earlier all petty or major disputes went to nearby police station and the police were more interested in benefiting from the situation rather that solving it. The new requirement has simply stopped the quarrels going to the police.

Restricting Condolence meets: The practice of visiting the grieving family during the first 12-13 days of   death and spending on the mourners has been banned.  The reason being the family could not go to work to earn daily living and had to spend heavily on tea, alcohol, food, cash etc.  Only the bare minimum rituals are allowed. All the practices that required spending lot money have been banned. 

Friday, January 24, 2014

THE DE-ADDICTION CAMPAIGN

This year VSSM  has launched the  process of collecting and collating baseline information on demographic, economic, social, infrastructural parameters of the settlements it has been working in. One of the glaring fact that has surfaced is that not many people were found to live beyond 55 years of age. Extreme poverty, wandering lifestyles, harsh living conditions, lack of access to quality health care are some of the reasons responsible for such overwhelming scenario.

Other glaring revelation that needed attention was adults of both gender and children of very young age were found to be severely addicted to vices like alcohol, bidi smoking, tobacco chewing, gutka, applying tobacco based powder called chikni etc.  The habits of consuming these products is so rampant and compelling that they spend substantial amount of their meager earnings on it. There have been instances when they would not spend Rs. 20 to contribute towards processing charges for acquiring certain basic documents of their entitlements but  would spend them for buying these vices.
Putting two-and-two together it was felt that addictions along with back breaking labour could be one of the major factors behind the early deaths in these communities.

VSSM tried to tackle the issue by demanding assurance from the community and involving their leaders. It was felt that talk on leaving the habits should come from people they believe in the most. Each of these communities has their own Bhagat/religious leaders. VSSM has been approaching the religious leaders of these communities and briefed them about the issue of addiction. We are requesting them to start talking about the ill effects of these vices and preach the communities to abstain from consuming them.  Quite a few leaders have been receptive to the idea and have begun talking about the concerns during their discourses and events. Organizationally, we are asking for a promise of de-addiction when they welcome us in their settlements, a commitment to abstain from any such habits is the fee we will be charging for helping them process their citizenry documents. VSSM also assists with clinical support in case there are individuals who are not able to kick off the habit on their own. 

Thursday, January 23, 2014

Citizen at 70….

 
70 years old Babubhai Dafer is a happy man. For the first time in his life he will be exerciseing  his franchise to vote in the forthcoming  Loksabha elections. Along with Babubhai 11 other adults of Dafer families residing  in  Laxminagar village of Surendranagar’s Limdi block, have acquired the Voter's ID cards as a result of collective efforts by VSSM and Chief Electoral Officer of Gujarat Ms. Anita Karwal. These individuals had been striving to get the Voter ID card for  last three and half years.
 
They had no proofs or support documents that are required to process the application. Add to it the community they belong to - the Dafer. These facts became the reasons  for the officials to deny processing the applications. Why do Dafers require a Voter Card?? they would question. VSSM had tried to resolve the issue  but it was impossible to change the attitude of the local administration. We later brought this issue to the notice of Ms. Karwal,  whose intervention ultimately made it possible for the individuals to acquire the Voter ID cards. 

Saturday, January 04, 2014

ઉણગામમાં વસતા વાંસફોડા પરિવારોને મળ્યા હેલ્થકાર્ડ

બનાસકાંઠા જીલ્લાના સિહોરી તાલુકાના ઉણગામમાં વસતા ૬ વાંસફોડા વાદી પરિવારોને vssmની મદદથી ‘મુખ્યમંત્રી અમૃતમય યોજના’ અન્વયે હેલ્થકાર્ડ આપવામાં આવ્યા. આ પરિવારોને આરોગ્ય સંબંધી સેવાઓ માટે રૂ. ૨,૦૦,૦૦૦ સુધીની આર્થિક મદદ મળશે.


આ પરિવારો વર્ષોથી ઉણગામમાં રહે છે પણ ગામના લોકોને તેમનો વસવાટ ગામમાં પસંદ નથી એટલે એમને કોઈ યોજનાની મદદ મળતી નથી. એમનું નામ BPL યાદીમાં છે પણ હજુ સુધી એમને પ્લોટ ફળવાયા નથી.. vssm આ પરિવારોને નાગરિક તરીકેના તમામ અધિકાર મળે એ માટે પ્રયત્નશીલ છે. 

Saturday, December 21, 2013

દિયોદરમાં વિચરતા સમુદાયોના પ્રશ્નો સંદર્ભે આયોજિત ચિંતન શિબિરનો અહેવાલ


ભાભર તાલુકાના સુથારનેસડી ગામમાં ભરથરીના ૮ પરિવારો છેલ્લા ૧૦ વર્ષથી રહે છે. આ પરિવારો પાસે મતદારકાર્ડ, રેશનકાર્ડ વગેરે જેવા કોઈ આધારો નહોતા. આપણે આ પરિવારોને મતદારકાર્ડ મળે તે માટેની પ્રક્રિયા ૧ વર્ષ પહેલા શરૂ કરી. ગામલોકોને આ અંગે ખ્યાલ આવ્યો એટલે ગામે વિરોધ કર્યો. આપણે સ્થાનિક કચેરી પર ખૂબ દબાણ કર્યું. જેના કારણે ચુંટણી અધિકારીને આ પરિવારોના કાર્ડ આપવા પડ્યા. કાર્ડ મળ્યા એટલે ગામલોકોએ વકીલ રોકીને એનો વિરોધ કર્યો. એમણે કહ્યું, આ પરિવારો અમારા ગામના નથી. ખેર બધુ પાર પડ્યું. રેશનકાર્ડ પણ નીકળ્યા. હવે ગામલોકો આ પરિવારોને ખૂબ હેરાન કરે છે ગામ ખાલી કરીને જતા રહેવા રોજ દબાણ કરે છે.
  


આપણા કાર્યકર નારણભાઈ જે આ પરિવારો સાથે સંઘર્ષમાં સતત સાથે છે. ૨૦ દિવસ પહેલા આ પરિવારો નારણભાઈ પાસે આવ્યા અને કહ્યું, ‘ નારણભાઈ અમારે આ ગામમાં નથી રહેવું તમે કાંઈ ના કરો. અમે ખૂબ હેરાન થઈએ છીએ. અમે જે હાલતમાં છીએ એમ જ અમને રહેવા દો’.

નારણે અને આપણે આ પરિવારોને સમજાવ્યા કે, “ તમે જે પણ જગ્યા વસવાટ માટે પસંદ કરશો ત્યાં બધી જ જગ્યાએ સંઘર્ષ છે તમારે આ બધું સ્વીકારવું જ પડશે અને મક્કમતાથી જવાબ આપવો પડશે.” આ પરિવારો ગામમાં પરત ગયા રાતના સરપંચ અને ગામના અન્ય લોકો આ પરિવારો પાસે જઈ ગામ ખાલી કરી જતા રહેવા ધમકી આપવા લાગ્યા. ત્યારે આ પરિવારોએ મક્કમતાથી કહ્યું કે, ‘ અમે ગામ ખાલી નહી કરીએ. તમારે મારી નાખવા હોય તો મારી નાખો.’
સરપંચ માટે આ ઘણું મોટું આશ્ચર્ય હતું, જે લોકો હાથ જોડીને ઉભા રહેતા તે હવે હિમંતથી બોલતા થયા છે. આ ઘટના પછી આપણા કાર્યકર નારણ ઉપર આ પરિવારોને મદદ નહી કરવાનું દબાણ વધ્યું જેમાં રૂ. ૧૦,૦૦૦ સુધીની લાંચ આપવાની પણ વાત થઇ. નારણના ઘરે સરપંચ અને ગામલોકો આવીને દબાણ કરવા લાગ્યા છે.

કાકરમાં રહેતા વાદી પરિવારોની વાત જરા જુદી છે. વાદી વસાહતમાં ૨૧૪ પરિવારો રહે છે. વસાહત ગામથી ૩ કિ. મી. દુર છે. આ વસાહતમાં સરકારે પાણીની સુવિધા કરી હતી પરંતુ, પાણી થોડો સમય આવ્યા પછી બંધ થઇ ગયું હતું. વારંવારની રજૂઆત છતાં પાણીની કોઈ સુવિધા થતી નહોતી. આપણે મહિના પહેલા કલેકટર શ્રી તથા માનવ અધિકાર પંચમાં લખ્યું. જેના અનુસંધાને આપણને જવાબ આપવામાં આવ્યો કે, ‘ તલાટીએ રૂબરૂ તપાસ કરી છે હવે પાણીનો કોઈ પ્રશ્ન નથી, પાણી મળે છે.’ તલાટીનો આ જવાબ તદ્દન ખોટો હતો. આ જવાબની સામે ફરીથી કલેકટરને લખ્યું અને અધિકારિઓની આખી ટીમને વસાહતની મુલાકાત લેવા કહ્યું. અધિકારિઓ મુલાકાતે આવવાના છે તેવી સરપંચ અને તલાટીને માહિતી મળી એટલે રાતો રાત પાણી શરૂ કરી દેવામાં આવ્યું. ગઈ કાલે હું કાકર જવાની હતી એ માહિતી સરપંચને મળી, એમને ખબર નહોતી કે હું કોણ છુ પણ કોઈ બહેન ગાંધીનગરથી આવવાના છે એવો ખ્યાલ આવતા તેમણે પાણીની ટાંકીમાં પાણી નાખ્યું, નવી પાઈપલાઈન નાખી. અહી ખાસ ઉલ્લેખ કરવા જેવો છે કે, આ પાણીની ટાકીમાં ટાંકી બન્યા પછી પહેલીવાર પાણી નાખવામાં આવ્યું. આ વસાહતના ઘણા પ્રશ્નો છે. સરકારે ૧૦૦ ઘર બનાવ્યા છે પણ રોડની કોઈ સુવિધા નથી. વાદી પરિવારો કામ ધંધા અર્થે ઘણું ખરું તો ભીખ માંગવા માટે બહાર જતા રહે છે તે દરમ્યાન તેમના બાળકો જેઓં ભણે છે તેમના રહેવાની કોઈ સુવિધા નથી. રેશનકાર્ડ વગેરે જેવા ઘણા પ્રશ્નો છે.
સુથારનસેડી અને કાકરગામની એક ઘટના અહી લખી છે. આવા જ દબાણમાં જીવતા બનાસકાંઠા જીલ્લાના દિયોદર , ભાભર અને કાંકરેજ તાલુકામાં વસતા વિચરતા સમુદાયોની એક બેઠક તા. ૨૦ ડીસેમ્બર ૨૦૧૩ના રોજ યોજાઈ ગઈ. જેમાં ૨૦૦ ઉપરાંત લોકો હાજર રહ્યા. સૌનો એક જ પ્રશ્ન હતો કે, ‘ વર્ષોથી કોઈ ગામમાં રહીએ છીએ, હા કામ ધંધા માટે બહાર જઈએ પણ વળી પાછા ત્યાં જ આવીને રહીએ છતા ગામના બીજા લોકોને જે અધિકારો મળે તે અમને કેમ મળતા નથી.’

વિચરતા સમુદાયો સાથેની બેઠકમાં થયેલી ચર્ચાના કેટલાક મુદ્દા નીચે પ્રમાણે છે.

(૧) વર્ષોથી ગામમાં રહીએ છીએ છતાં અમને ગામના ગણવામાં આવતા નથી અને એટલા માટે અમારા સુધી કોઈ સરકારી લાભ પહોંચતા નથી.
(૨) અમે ગરીબ છીએ છતાં બી.પી.એલ. યાદીમાં અમારા નામ નથી. ગ્રામસભામાં બી.પી.એલ. નક્કી થાય પણ અમને ગ્રામસભામાં બોલાવવામાં જ આવતા નથી! .
(૩) પીવાના પાણીની સુવિધા નથી.
(૪) રેશનકાર્ડ એ.પી.એલ. છે. એટલે અનાજ મળતું નથી.
(૫) અધિકારીઓને રજૂઆત કરીએ છીએ પણ કઈ થતું નથી.

ઉપરોકત ચર્ચામાંથી નીકળેલા મુદ્દા સંદર્ભે વિચરતા સમુદાયના લોકો સાથે નીચે મુજબનું આયોજન કરવામાં આવ્યું.  

(૧)  દરેક  વસાહતોના પ્રશ્નો ની વિગતો તૈયાર  કરવામાં આવે  અને તે વિગતોના આધારે કલેકટર શ્રીનો સમય માંગી વિગતો તેમને આપવી તથા આ વિગતોના આધારે વિચરતા સમુદાયના લોકોની એક બેઠક કલેકટર શ્રી સાથે કરવાનું આયોજન કરવું.
(૨) મહિનામાં એક વખત કલેકટર શ્રીના અધ્યક્ષ સ્થાને વિચરતા સમુદાયના પ્રશ્નો સંદર્ભે જ એક બેઠકનું આયોજન કરવાની માંગ કરવી.
(૩)કલેકટર શ્રીને વિગતો આપ્યા પછી કંઈ કામ થાય છે કે કેમ તે જોવું અને ત્રણેક મહિનામાં કોઈ કાર્યવાહી નથી થતી તો વિચરતા સમુદાયના ૫૦૦ ઉપરાંત માણસોએ ભેગા થઈને કલેકટર શ્રીને મળવા જવું અને આગળની રણનીતિ સૌએ સાથે મળીને નક્કી કરવી.