Saturday, January 04, 2014

ઉણગામમાં વસતા વાંસફોડા પરિવારોને મળ્યા હેલ્થકાર્ડ

બનાસકાંઠા જીલ્લાના સિહોરી તાલુકાના ઉણગામમાં વસતા ૬ વાંસફોડા વાદી પરિવારોને vssmની મદદથી ‘મુખ્યમંત્રી અમૃતમય યોજના’ અન્વયે હેલ્થકાર્ડ આપવામાં આવ્યા. આ પરિવારોને આરોગ્ય સંબંધી સેવાઓ માટે રૂ. ૨,૦૦,૦૦૦ સુધીની આર્થિક મદદ મળશે.


આ પરિવારો વર્ષોથી ઉણગામમાં રહે છે પણ ગામના લોકોને તેમનો વસવાટ ગામમાં પસંદ નથી એટલે એમને કોઈ યોજનાની મદદ મળતી નથી. એમનું નામ BPL યાદીમાં છે પણ હજુ સુધી એમને પ્લોટ ફળવાયા નથી.. vssm આ પરિવારોને નાગરિક તરીકેના તમામ અધિકાર મળે એ માટે પ્રયત્નશીલ છે. 

No comments:

Post a Comment