Monday, June 07, 2021

Since the well-being of these humans is dear to me, I take the liberty to scold them if required...

Mittal Patel asking Sadik to give up smoking

 “Because you are asking me to, I give up smoking bidi from today!”

“This won’t convince me, take a vow!”

“Your word is our command, Ben. Yet if you insist I vow in the name of our community Goddess.”

And Sadik broke into pieces the bidi pack he was carrying with him.

“If you break your pledge the Goddess will be really angry.”

“Oh Ben, trust me, when I have committed to you, I will not break the pledge till the end of my life.”

“Think twice before committing, you cannot break Ben’s trust.” Sadik’s wife who was standing next to us  warned him.

Sadik and his wife have worked hard, borrowed money to buy a plot with a  dream to build a house upon it.

VSSM, with the support from its well-wishers  and  Government assistance  has helped 29 families of Chapi build houses of their own.  Sadik happened to see these houses coming up and approached us for some help. If you help me, I too will be able to build my own house,” he had shared while requesting for support.

“Why should we help you when you have enough money to waste on  bidi?” I had questioned him when he had come to meet us with this request, with bidi in hand. As I always do, I  gave him a long lecture on these life threatening habits. In his response to my lecture, Sadik pledged to leave smoking bidi.

Since the well-being of these humans is dear to me, I take the liberty to scold them if required. But what is important here is the right they  have given me to rebuke them. It truly is a blessings to have such dear ones. 

'તમે કો'છો તે આજથી આ બીડી મેલી..'

'એમ ન માનું. ખાવ તમારી માતાના હમ..'

'તમન કીધુ એટલે પતી જ્યું બુન તોય વિસવા ના આવતો હોય તો લો મા જોગણી ના હમ'

એમ કહીને સાદીકે બીડીની ઝૂડી મારી સામે તોડી મે કહ્યું,

'જો જો વચન તોડશો તો મા જોગણી તમને ઝાલશે હો...'

'મારી બુન તમન એક ફેરા કઈ દીધુ પસી બધુ આઈ જ્યું..'

સાદીક બોલી રહ્યો હતો ત્યારે એની ઘરવાળી એની બાજુમાં ઊભી હતી એણે કહ્યું,

 'જોઈ વિચારન્ વચન આલજે હો બુન આગળ ખોટા પડીએ એ ના ચાલ..' સાદીક ને એની ઘરવાળીએ મહેનત મજુરી કરીને અને થોડા ઘણા ઉછીના પાછીના કરીને છાપીમાં ઘર બાંધવા પ્લોટ ખરીદેલો. 

મૂળ #છાપીમાં #વિચરતી_જાતિના 29 પરિવારોના ઘર બાંધવામાં સરકારની સહાય ઉપરાંત #VSSM સાથે સંકળાયેલા સ્વજનો મદદ કરે. આ પરિવારોના બંધાતા ઘર જોઈને સાદીકને સરકાર ને સંસ્થા મનેય મદદ કરે તો મારુયે ઘર થઈ જાય એવી લાગણી થઈ. તે આ વાત કરવા એ આવ્યો ને હાથમાં બીડી જોઈ મે એને બીડી પીવા પૈસા છે તો અમે શું કામ મદદ કરીએ વગેરે કહીને ટેવ પ્રમાણે લાંબુ લેક્ચર આપ્યું જવાબમાં સાદીકે બીડી છોડી..

આ બધા વહાલા છે એટલે એમને વઢી શકુ.. 

પણ અગત્યનું એમણે આ અધિકાર આપ્યો એ છે...કુદરતની કૃપા હોય તો જ આવા સ્વજનો મળે.. એ રીતે હું નસીબદાર

#MittalPatel #nomadiclife

#denotifiedtrivbe #meercommunity

#humanity #people #બનાસકાંઠા

VSSM has carried out a tree plantation drive in Banaskantha’s Juna Deesa...

Mittal Patel discussing Tree platation with the 
village youth

 “Where are you headed, Kaka?” someone asked Nathakaka while he passed through the village.

“Mahodiye!”

“to book your place?”

“No, to dig pits.”

The pits were for planting trees.

VSSM has carried out a tree plantation drive in Banaskantha’s Juna Deesa. Nathakaka, who loves nurturing the trees has been a great help in raising these trees. Once Kaka had shared the above incident which,  had cracked me into laughter. I so hoped for others also to follow suit.

We have taken up the task of planting trees in Banaskantha. This year the plan is to plant 1.5 lacs trees. We are in the process of finalising the villages where the plantation will be undertaken. As a part of the process, I was in Juna Deesa recently.

We have plans to plant and raise 2500 to 3000 trees with support from Rosy Blue (India) Pvt. Ltd. on the grounds of Ramapir Bhawan temple.

VSSM’s strategy to appoint a ‘vruksh mitr’ to care and nurture the planted trees has assured trees are well-looked after. The village youth too is enthused to do their best for the upcoming drive.

Banaskantha’s Forest Department has also assured all the support they can.

We have pledged to make Banaskantha green and bring rains to the region, to make it water sufficient and  make it prosperous once again…

Those willing to plant trees in their village do get in touch with Naran Raval at 9099936035.

 ગામની વચમાંથી પસાર થતા  નાથાકાકાને કોઈએ પુછ્યું, 

'ચો હેડ્યા કાકા?'

'મહોળીયે'

ચમ જગ્યા રોકવા?''ના ખાડા કરવા..' આ ખાડા કરવા એટલે વૃક્ષો વાવવાના ખાડા...

બનાસકાંઠાના જૂના ડીસામાં અમે વૃક્ષો ઉછેરીયે. વૃક્ષપ્રેમી નાથાકાકા એની દેખરેખમાં ઘણી મદદ કરે.  તે કાકાએ એક વખત આ બીના કહેલી.. સાંભળીને ઘણું હસવું આવ્યું. પછી થયું કાશ આવા ખાડા સૌ કરતા થઈ જાય તો...

છેલ્લા બે વર્ષથી બનાસકાંઠામાં વૃક્ષ ઉછેરનું અભીયાન હાથ ધર્યું છે. આ વર્ષે દોઢ લાખ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ છે. ગામો નક્કી થઈ રહ્યા છે.. આ પ્રક્રિયાના ભાગરૃપે જૂના ડીસા જવાનું થયું. 

રામપીર ભગવાનના મંદિરમાં રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી.ની મદદથી  2500 થી 3000 વૃક્ષો વાવવાનું ને વાવ્યા પછી ઉછેરવાનું આયોજન છે. 

VSSMની આગવી પદ્ધતિ વૃક્ષ ઉછેર માટે પગારદાર વૃક્ષમિત્ર રાખવાની. ગામના યુવાનોની ટીમ પણ બહુ ઉત્સાહી.

જંગલવિભાગ બનાસકાંઠાએ પણ મદદ કરવાની ખાત્રી આપી.હરિયાળુ બનાસકાંઠાનો પ્રકલ્પ છે.. મૂળ વરસાદ આ વિસ્તારમાં ઓછો પડે વૃક્ષો વાવીશું તો વરસાદ થશે ને સુખાકારી વધશે.. 

બનાસકાંઠાના કોઈ ગામમાં વૃક્ષો ઉછેરવા માંગતા હોવ તો નારણ રાવળ -9099936035 પર સંપર્ક કરવા વિનંતી.. 

#MittalPatel #vssm



Tree plantation site

Tree plantation site

Mittal Patel visits tree plantation site


VSSM have been able to provide ration kits to 1500 families and we continue to reach more families...

VSSM provided ration kits to the affected families

Food, shelter and housing are the three fundamental needs of human life. Yet it is difficult to have these three together for some impoverished families. And when they face nature’s fury, the challenge to survive multiplies.  Life seems like a never-ending nightmare. 

 Covid’s second wave has snatched away livelihoods and for many, it has taken away the chief earning member of the family. As if this was not enough cyclone Taukatae ravaged the lives of many families of Saurashtra. 

 Come rain or shine, the human body will need food when it is time. With all food damaged it was either water or nothing to be fed especially for the kids in the family. Begging was the only option these families had been left with.

 Comprehending the need for time VSSM decided to supply ration kits to the affected families. So far we have been able to provide ration kits to 1500 families and we continue to reach more families. All of this has been possible because of the support we have received from our well-wishing friends who always choose to support us.

 Respected Moraribapu, Shri Maharshibhai and Rutu Dave through Sparsh while Shri Milanbhai Shah through Kudrat Upachar Trust, Shri Amitbhai Shah, Shri Jayantbhai Amin, Shri Balwantbhai Metliya, Madhvi Mehta through Zalawad Chamber of Commerce and Industries, Kavitaben through Rajkot’s Saint Mary School and many other valued well-wishing donors’ generous support has made this possible. We shall always be grateful to

 Praying to the Almighty for the safety and wellbeing of the affected and save them from the aftermath of man-made and natural calamities. 

રોટી, કપડાં, મકાન માણસની પ્રાથમિક જરૃરિયાત.. પણ એક સાંધતા તેર તૂટે એવો તકાજો જેના ઘરે હોય એને આ ત્રણેય એક સાથે મેળવવું મુશ્કેલ. એમાં ક્યારેક કુદરત રુઢે ત્યારે તો જીવવું બહુ કપરુ લાગે.

કોરોનાની બીજી લહેરે કેટલાયની રોજી છીનવી તો કેટલાય પરિવારે ઘરની ધુરા સંભાળના મુખ્ય વ્યક્તિ ગુમાવ્યો. આવામાં ઓછુ હતું તે તૌકતે વાવાઝોડુ આવ્યું ને સૌરાષ્ટ્રમાં કેટલાય પરિવારનું બધુ તહેસનેહસ કરી નાખ્યું..

ગમે એવી આફત આવે પણ પેટ તો સમય થાય એટલે ભાડુ માંગે જ. પણ ઘરમાં કશું હોય નહીં ને બાળકોનેય પાણી પીને સુવડાવવા પડે અથવા વાટકો લઈને માંગવા મોકલવા પડે એ લાચારી..

સ્થિતિ સમજીને અમે રાશનકીટ આપવાનું શરૃ કર્યું. 1500થી વધુ પરિવારોને આજ સુધી રાશન પહોંચાડી શક્યા અને આ યજ્ઞ અવિરત ચાલુ છે..આ સઘળું VSSM સાથે સંકળાયેલા સ્નેહીજનોની મદદ વગર ક્યાં સંભવ હતું. 

પૂ. મોરારીબાપુ, શ્રી મહર્ષીભાઈ અને ઋતુ દવેએ સ્પર્શ થકી તો શ્રી મિલનભાઈ શાહે કુદરતી ઉપચાર ટ્રસ્ટ થકી એ સિવાય શ્રી અમીતભાઈ શાહ, શ્રી જયંતભાઈ અમીન, શ્રી બળવંતભાઈ મેતલિયા, માધવી મહેતાએે ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટીઝ થકી તો કવિતાબેને રાજકોટની સેન્ટ મેરી સ્કૂલ થકી ટૂંકમાં ઘણા પ્રિયજનોએ મદદ કરી એટલે આ સંભવ થઈ શક્યું. આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરુ છું.

આમ તો આદર્શ સ્થિતિ આવી મદદ આપણે કોઈને કરવી ન પડે એજ હોય ને એવી સ્થિતિ નિર્માણ કરવા માટે ભગવાનને પ્રાર્થના..

#MittalPatel #vssm Chitrakutdham Talgajarda Morari Bapu Morari Bapu's Flowers Maharshi K Dave Kavita Nayan Shah Madhvi Mehta Shah



Nomadic families recieved their ration kits

Nomadic families recieved their ration kits

Nomadic families recieved their ration kits

Nomadic families recieved their ration kits

Nomadic families recieved their ration kits

Nomadic man recieved their ration kits

Nomadic families recieved their ration kits

Nomadic families recieved their ration kits

Nomadic families recieved their ration kits

Nomadic families recieved their ration kits

Nomadic families recieved their ration kits

Nomadic families recieved their ration kits

Nomadic families recieved their ration kits


VSSM with support from well-wishers provided tarpaulin sheets to 528 families from Amreli and surrounding regions...

VSSM with support of their well-wishers provided tarpaulin
sheets to 528 families 

“These sheets (tarpaulin) are strong and sturdy. If used well, we need not worry for the next 2-3 years. The cyclone took away our roof and walls, but these sheets will ease our monsoon pains. This year we will experience some peace during monsoons.” Bhagwanbhai from Amreli’s Bagasara shared this sentiment on receiving a tarpaulin sheet given to cover their roof.  

Cyclone Tauktea devastated Saurashtra. VSSM,with support from Krishnakant Uncle and Indira  Auntie and Milanbhai Shah of Kudrati Upchar Trust provided tarpaulin sheets to 528 families from Amreli and surrounding regions whose roofs were blown away by the cyclone. 

VSSM’s Ramesh, Vinod, Madhuben, Rajnibhai immediately surveyed the condition of the affected, gathered the required information and completed the distribution of the sheets. While Dimpleben poured in efforts to ensure we procured the best quality tarpaulins at the best prices. 

Immensely grateful for the support of our well-wishers and the strength of VSSM’s team.

 'બહુ મજબૂત કાગળ(તારપોલીન) દીધા સે. બે તણ વરહ હુદી આને હરખો હાચવીએ તો કાંઈ થવાનું નથ. અમારુ ચોમાસુ હખેથી નીહરી જશે.. આ વાવાઝોડાએ અમારી વલે કરી નાખી'તી. પણ હવે ચિંતા નથ..'

#અમરેલીના બગસરાના ભગવાનભાઈએ પોતાના છાપરાં પર તારપોલીન ઢાંકતા આ ભાવના વ્યક્ત કરી..

#તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ખુબ નુકશાન કર્યું. અમે અમરેલી અને અન્ય વિસ્તારમાં જ્યાં લોકો ઝૂંપડાં બાંધીને રહેતા અને જેમનું બધુ વાવાઝોડામાં ખતમ થઈ ગયું તેવા 528 પરિવારોને તારપોલીન આપવાનું અમારા પ્રિય ક્રિષ્ણકાંત અંકલ અને ઈન્દિરા આંટી તેમજ પ્રિય મીલનભાઈ શાહ - કુદરતી ઉપચાર ટ્રસ્ટના માધ્યથી કર્યું. આપની આ લાગણી માટે આભારી છીએ.

અમારા કાર્યકર રમેશ, વિનોદ, મધુબહેન, રજનીભાઈ સૌએ જરૃરિયાતવાળા પરિવારોની માહિતી જાતે જઈને એકત્રીત કરી અને વિતરણ પૂર્ણ કર્યું.. 

જ્યારે ડીમ્પલબેને સારી ગુણવત્તાવાળી તારપોલીન એ પણ ઓછા ખર્ચમાં મળે તે માટે ઘણી મહેનત કરી.

આપ સૌ પ્રત્યે રાજીપો...

#MittalPatel #vssm #house

#nomadiclife #denotified

#care #તૌકતે #CycloneTauktae

#saurashtra #gujrat #india

Cyclone Taukatae devastated nomadic families shanties

Nomadic women covered her roof with new tarpaulin sheet 

Cyclone Tauktea devastated Saurashtra



Nomadic families covered their roof with new tarpaulin sheet

The current living condition of nomadic families

Nomadic men covered his roof with new tarpaulin sheet

VSSM gave new tarpaulin sheets to cover their roof

Nomadic families received new tarpaulin sheets to cover their
roof

Nomadic women covered her roof with new tarpaulin sheet

Nomadic families covered their roofs with new tarpaulin sheets
given by VSSM

528 families from Amreli and surrounding regions whose roofs
were blown away by the cyclone



Wednesday, June 02, 2021

VSSM is undertaking tree plantation drive in the Bharkawada village ...

Ramjibhai shared how they tackled the onslaught of covid's
devastating second wave with Mittal Patel

Bharkawada is one unique village that did not register a single hospitalization or death during the Covid second wave.

While rarely has a village escaped the onslaught of Covid's  second wave, this narration by Ramjibhai of Bharakwada astounded me. Bharkawada had 3-4 cases and the infected recovered well. How did no one require hospitalization? 

“The village youth took up the responsibility of sensitizing individuals who were hesitating to take the vaccine. We also took advantage of our village WhatsApp group to share information on the benefits of vaccination,how vaccinated people escaped with minor symptoms etc. In short, vaccination saved them from facing severe consequences of the second wave. Apart from this the ones who were still awaiting vaccination took good care of themselves.” Ramjibhai shared how they tackled the onslaught of covid’s devastating second wave. 

There are many misconceptions making waves about the side effects of the vaccine. Many told me how they ran to the fields when the vaccination team visited their homes.

‘Infact, vaccination saved us, just like the polio eradication campaign, the 2 drops that have made polio cases almost non-existent, similar has to happen with Covid-19” shares Ramjibhai. 

Bharkawada is a village with a population of 2200 to 2500 people. VSSM is undertaking tree plantation drive in the village with the assistance of Rosy Blue (India) Pvt. Ltd. The village youth has been enshrined the responsibility of undertaking plantation drive. Apart from the crematorium,  VSSM plans to plant trees on either side of the lane leading from Palanpur Highway to the village’s main entrance. This would provide the much needed green shade to those walking into the village. 

Hope like Bharkawada other villages too wake up to the needs of current times…. 

 ભરકાવાડા એક એવું ગામ જ્યાં કોરોનાની બીજી લહેરમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું ના કોઈને હોસ્પીટલમાં દાખલ થવું પડ્યું.

ગામના રામજીભાઈની વાત સાંભળી નવાઈ લાગી.. મૂળ કોરોનાની બીજી લહેરમાં ભાગ્યેજ કોઈ ગામ #કોરોના મુક્ત રહ્યું હશે. ત્યારે #ભરકાડાવાડામાં બે પાંચ લોકોને ખાલી કોરોનાના લક્ષણો દેખાયા વળી એ લોકો ઘરે જ સાજા થયા. હોસ્પીટલના દ્વારે કોઈને જવું જ ન પડ્યું. આવું કેવી રીતે થયું?

રામજીભાઈએ કહ્યું, 'કોરોનાની રસી માટે ગામમાં યુવાનો જે લોકો રસી ન લે એને ઘરે જઈને સમજાવીએ. અમારા ગામનું વોટ્સએપ ગ્રુપ ચાલે એમાં અમે રસીકરણના ફાયદા જેમને રસી લીધી હોય તેમને કોઈ નુકશાન નથી થયું વગેરે વાતો મુકીએ એના પ્રતાપે સૌને હિંમત આવી. આ રસીકરણે એમને બચાવ્યા. આ સિવાય રસી માટે જેમનો વારો નહોતો આવ્યો તેમણે પોતાની કાળજી બરાબર કરી'

રસીને લઈને કેટલી ગેરમાન્યતા લોકોમાં ફેલાયેલી છે. ઘણા લોકોએ કહેલું કે, બેન રસી વાળા આવે એટલે અમે ખેતરમાં ભાગી જઈએ. રસી લઈએ તો મરી જઈએ.. આ થાય ફલાણું થાય... 

પણ રામજીભાઈ કહે, 'રસી લઈએ તો જીવી જવાય. જેમ #પોલીયો નાબુદ કરવા બાળકોને રસીના બે ટીપા પીવડાવાય ને એના લીધે પોલીયોના કેસ હવે ક્યાંય જોવા નથી મળતા બસ આવું કોરોનાનું છે'

ભરકાવાડા 2200 થી 2500ની વસતિવાળુ જાગૃત ગામ..અમે આ ગામના સ્મશાનમાં રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી.ની મદદથી વૃક્ષો વાવના છીએ.. ગામના નિવૃત ફોરેસ્ટ અધિકારી આ વૃક્ષોની માવજતની જવાબદારી યુવાનોની ટીમ સાથે નિભાવાના છે..અમે સ્મશાન સિવાય #પાલનપુર હાઈવેથી ગામમાં પ્રવેશવાના રસ્તેથી છેક ગામ સુધી વૃક્ષો વાવવાનું આયોજન પણ કર્યું છે. જેથી રાહદારી રસ્તો લીલોછમ બને..

ભરકાવાડાની જેમ અન્ય ગામો પણ જાગૃત થાય એમ ઈચ્છીએ..

#MittalPatel #vssm Galav Dairy

#vaccination #vaccinationday2021

#vaacine #COVID19 #Covid19India

#coronavirus #TreePlantation





Tree Planttaiopn site

Mittal Patel meets the villagers of Bharkawada village

Bharkawada village sign board


Monday, May 31, 2021

VSSM endeavours to recharge these water tables through it’s participatory water conservation efforts...

Mittal Patel visits Aakoli WaterManagement site

Across the villages there is a growing noise around dwindling groundwater tables. Since last several years, VSSM endeavours to recharge these water tables through it’s participatory water conservation efforts. As a part of these efforts VSSM engages with lake deepening in Banaskantha. This year the partial lock down as a result of the pandemic and government challenges has impacted our plans. This year the target we had set for ourselves was quite high and despite of the restrictions we managed to deepen 20 lakes.  

This year we teamed up with government under its Sujalam Sufalam scheme. This partnership helped deepen few lakes one of which is Aakoli. The village lake here was deepened in partnership with the government and with the support of  our well wishers

The lake is huge and we hope it fills up till the brim. It will receive rain water but the desire is to also get it filled with Sardar Sarovar water. This surely will help recharge the surrounding regions

પાણીના તળ ખાલી થઈ રહ્યાની ફરિયાદ લગભગ દરેક ગામલોકો કરે. અમે તળ રીચાર્જ કરવાની કામગીરીના ભાગરૃપે તળાવો ગાળવાનું કાર્ય છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠામાં કરીએ. આ વર્ષે કોરોનાના લીધે એ કાર્ય થોડુ મોડેથી શરૃ થયું. વળી સરકારની મંજૂરીની માથાકૂટેય ખરી.. 

તેમ છતાં તળાવો ગળાવવાનું શરૃ કર્યું. લક્ષાંક ઘણો ઊંચો હતો છતાં  20 તળાવો આ સીઝનમાં ગાળી શક્યા. 

આ વખતે સરકાર સાથે રહીને સુજલામ સુફલામ અભીયાન અંતર્ગત અમે કેટલાક તળાવો ગાળ્યા. આમાનું એક આકોલી. સરકારનો સહયોગ ઉપરાંત VSSM સાથે સંકળાયેલા પ્રિયજનની મદદ અને માટી ઉપાડવાનું ગામલોકોએ કર્યું. આમ ત્રણેયની ભાગીદારીથી આકોલીનું તળાવ ઊંડુ થયું.

ખુબ મોટુ તળાવ વરસાદી પાણીથી તો એ ભરાય છે પણ નર્મદાના પાણી પણ એમાં નંખાય તો આખુ વર્ષ તળાવ ભરેલું રહે ને આસપાસના વિસ્તારને ઘણો ફાયદો થાય.



Ongoing lake deepening work

We hope for greater awareness of the villagers and the Rain Gods to bless us and fill up the deepened lakes…

WaterManagement site


The farmers of Madhya Pradesh’s Devas district took out a funeral procession of the borewell pump. The farmers were using the borewells to irrigate their farms. The borewells had decreased their dependency on rainwater while enabling them to take three crops a year.  But this act of exploiting groundwater had diminished the groundwater tables to alarmingly low levels or no water at all. The villagers were compelled to migrate for employment as agriculture was not a gainful option.

Fed up with the poor water condition, a farmer decided to revamp the way they used water. He made a ‘khet talavdi,’ pond on his farm. As the water percolated from this pond,  the groundwater levels gradually came up. The soil also became rich in moisture content, while the need to irrigate the crops reduced. The success had a far-reaching impact as it inspired other farmers to follow suit. One visioner farmer was able to inspire farmers of the entire district. The farmers saved each possible drop of rainwater through ponds on-farm, compartment bunding, deepening of lakes… and this is how they managed to bid adieu to borewells.

For the past few years, we have commenced water conservation efforts in Banaskantha. There is a growing awareness of it now. This season we could deepen 20 lakes, we had plans to do many more but the Covid lockdown deterred our plans.

The deepening of lakes is underway in Jhalmor, Khaprol, Shiya, Katav and other villages in partnership with the government’s Sujalam Sufalam Abhiyan,  the undeterred support of our well-wishers and village participation.

We hope for greater awareness of the villagers and the Rain Gods to bless us and fill up the deepened lakes…

મધ્યપ્રદેશનો દેવાસ જિલ્લો જ્યાં ખેડૂતોએ મળીને બોરવેલની સ્મશાન યાત્રા કાઢી. વાત જાણે એમ હતી કે, દેવાસના ધરતીના પેટાળમાંથી પાણી ઉલેચવાની સગવડ બોરવેલ થકી થઈ. ખેડૂતોની આકાશી ખેતી પરની આધારીતતા ઘટી ને ખેડૂતો ત્રણ પાક લેવા માંડ્યા.

પણ અમાપ પાણી ઉલેચાવાના લીધે પેટાળ ખાલી થયા. સ્થળાંતરની સ્થિતિ નિર્માણ થઈ. આખરે એક ખેડૂતે પોતાના ખેતરમાં ખેત તલાવડી કરી. ખેત તલાવડીમાં વરસાદી પાણી ભરાયું. તલાવડીના તળમાંથી જમીનમાં પાણી પરકોલેટ(ઝમ્યુ) થયું. દિવાલોમાંથી ખેતરની આજુબાજુ પરકોલેટ થયું. જમીનમાં ભેજનું પ્રમાણ વદ્યું. આમ પાકને દા.ત.પાંચ વખત પાણી આપવું પડતું એ ઘટ્યું.. ને તળ પણ ઉપર આવ્યા. એક ખેડૂતને મળેલી સફળતાથી અન્ય ખેડૂતો પ્રેરાયા ને પછી તો આખા જિલ્લામાં જાગૃતિ આવી.

સૌએ જળસંચય માટે તળાવો, ખેતતલાવડી, ખેતરમાં કંપાર્ટમેન્ટ બંડીગ ટૂંકમાં પાણીના ટીપે ટીપાને બચાવ્યું ને પછી સામૂહીક રીતે નીકળી બોરવેલની સ્મશાન યાત્રા...

#બનાસકાંઠા અમે #જળસંચય અભિયાન છેલ્લા કેટલાક વર્ષથી ઉપાડ્યું.. આજે જાગૃતિ દેખાય છે. આ સીઝનમાં અમે 20 તળાવો ગાળ્યા. આશા તો ઘણા કરવાની હતી પણ કોરોના નડ્યો.

હાલમાં #જાલમોર, #ખાપરોલ, #શિયા, #કટાવ વગેરે ગામોમાં સરકારના #સુજલામ_સુફલામ_અભીયાન અંતર્ગત VSSM સાથે સંકળાયેલા પ્રિયજનની આર્થિક મદદથી અને ગામની ભાગીદારીથી તળાવ ઊંડા કરવાના કાર્યો ચાલે છે. 

દરેક ગામ જાગે સ્વંય આ કાર્યો કરતા થાય ને મેધરાજા પણ મહેર કરે ને તળાવો છલકાઈ જાય એ અભીલાષા....

#MittalPatel #vssm

Ongoing Lake deepening

WaterManagement site

Ongoing lake deepening work




Friday, May 28, 2021

Maharshibhai, Ruju and Sparsh, we are glad you have been with us through this task. Gratitude always!!

The nomadic families received their ration kit

 ‘How can a mother be so heartless?’ I had thought when our team member Vinodbhai had shared an incident from Chotaudaipur’s Lunja village.

Three kids whose father had died, mother looked after them for a while before she left them to marry someone else. The responsibility of these children fell upon their Kaka-kaki ( paternal uncle-auntie) who already had 2 children of their own. Yet the couple decided to care for these children. The couple laboured hard to provide for all 5 children. Life continued and suddenly we were all reeling under the deadly second wave of the pandemic.  Kaka had a fever and cough, Ritaben (Kaki) assumed he will soon be alright, also there was no money to seek medical help. The issue continued for few days before Kaka passed on.

The nomadic families received
their ration kit

The responsibility of raising five kids fell on Ritaben. VSSM immediately brought them ration and supplies. We also offered to bring the children to our hostel once it begins functioning as usual.  As of now,  Ritaben has agreed to send them. Apart from this,  we also intend to support Ritaben’s wish to start a small business of selling vegetables either through a hand cart or kiosk.  These children can benefit under the government’s guardian scheme since their father is dead and mother has abandoned them but because the mother is still alive they aren’t eligible. We will be raising this query with the government.

Valabhai from Radhanpur’s Limbad village is an elderly gentleman. Completely blind at one eye, the second eye has partial vision. His wife also is vision impaired. Valabhai worked to earn a daily living but with age, that too has become difficult. The wife sets out to beg. The couple has 3 children. The lady who helped them the most to run the house succumbed to Covid. The living condition has gone turned worst. Valabhai too sets out to beg along with the three children. 

Every day we come across many such cases. The first thing we do is to comfort these families and provide them with ration kits. If needed we also assist with the treatment if the person is hospitalised.

The nomadic families received their ration kit
The pandemic has directly and indirectly impacted all of us. The condition of daily wage earners has turned worst. So has the condition of many performing artists. The Bhavai performers never seek help from VSSM, but the pandemic has adversely impacted them as there is a ban on gatherings. Baldevbhai from Kalol has requested help on behalf of the Bhavaiya community.

The nomadic families received their ration kit

In a nutshell, we are trying to help economically deprived families whose conditions have turned pathetic as a result of this pandemic. The information of truly deserving families reached us through our team at the grassroots, of by the people themselves or by individuals like Shankarbhai Chamtha, Pravinbhai Desai… Thank you for helping us reach the most impacted.

As humans if not now when will we stand beside our fellow human beings?? And as I always say, we play the role of facilitator it is you who keep the ball rolling.

The nomadic families received
 their ration kit

Maharshibhai, Ruju and Sparsh, we are glad you have been with us through this task. Gratitude always!!

મા આવું કરી શકે?

અમારા કાર્યકર વિનોદના મોંઢે છોટાઉદેપુરના લુણજાગામની વાત સાંભળી મન હચમચી ગયું.ત્રણ બાળકોના પિતા ગુજરી ગયા. માએ થોડા જ સમયમાં એ બાળકોને મુકીને બીજે ઘર માંડી દીધું. કાકા કાકીને પોતાને બે બાળકો. એમણે આ નોંધારા બાળકોની કાળજી લેવાનું શરૃ કર્યું.. મજૂરીમાં જે મળે તેમાં આ બધાનો ગુજારો ચાલે. ત્યાં કાળમૂખા કોરોનાની બીજી લહેર આવી. કાકા નેે તાવ, ખાંસી થયા. કાકી રીટાબહેનને લાગ્યું મટી જશે. વળી એવા પૈસાય ક્યાં હતા તે દવાખાને જાય.. દર્દ વધ્યું ને કાકા દેવલોક પામ્યા. હવે રીટાબહેન માથે પાંચે બાળકોની જવાબદારી આવી.. અમે તત્કાલ તો રાશન પહોંચાડ્યું, બાળકોને પણ અમારી હોસ્ટેલ શરૃ થાય એટલે અમારા ત્યાં ભણવા મુકવા રીટાબહેનને કહ્યું, એમણે હાલ તો હા પાડી છે.એ સિવાય રીટાબહેન શાકભાજીની લારી કે નાની દુકાન કરવા ઈચ્છે તો એ મદદ માટે પણ કહ્યું છે. સરકારની પાલક યોજનામાં મા-બાપ વિહોણા બાળકોને મદદ મળે. અહીંયા બાપ નથી ને મા જતી રહી છે તે બાળકોને કઈ કેટેગરીમાં મુકવા તેમને મદદ ના મળી શકે? ખેર આ તો સરકારને પુછીશું.

The nomadic families received their ration kit

રાધનપુરનું લીંબડકાગામના વાલાભાઈની ઉંમર ઘણી. એક આંખે અંઘ બીજીમાં ઝાંખુ દેખાય. તેમના પત્ની પણ દિવ્યાંગ. ભાઈ મજૂરી કરતા પણ ઉંમર થતા કામ મળવાનું બંધ થયું. પત્ની ગામમાંથી માંગી લાવે ને ગુજારો ચાલે.આ બેઉને ત્રણ બાળકો. આ કોરોનામાં ઘરનું ગુજરાન ચલાવાવમાં જેમનો મોટો ફાળો રહેતો તે બહેન ગુજરી ગયા. ઘરની સ્થિતિ હવે એકદમ ખરાબ થઈ. વાલાભાઈ બાળકને લઈને માંગવા જાય..

આવા કેટલાય કિસ્સા અમારી સમક્ષ નીત આવે છે. અમે પ્રથમ તો સાંત્વના આપી રાશન આપવાનું કરીએ. એ પછી જરૃર પડે હોસ્પીટલમાં વ્યક્તિ દાખલ હોય તો સારવારમાં મદદ કરીએ. 

The nomadic families received their ration kit

આ સિવાય કોરાનાને લઈને સીધી નહીં પણ આડકતરી અસર થઈ હોય તેવા વ્યક્તિઓમાં રોજમદાર કામદાર તો ખરા પણ ભવાઈ ભજવતા ભવાયા જેમણે ક્યારેય અમારી પાસે મદદની માંગણી નથી કરી. પણ છેલ્લા એક વર્ષથી બેન કોરોનામાં ભવાઈ ભજવવા ક્યાંય જવાયું નથી કહીને કલોલના બળદેવભાઈ ભવાયાએ સમાજ માટે મદદ માંગી.. 

ટૂંકમાં કોરોનાને લઈને દયનીય સ્થિતિમાં મુકાયા હોય એમને અમારાથી શક્ય મદદ કરવાનું અમે કરી રહ્યા છીએ..

આફતમાં આવી પડેલા સ્વજનોની રાવ અમારા સુધી અમારા કાર્યકરો, ક્યાંક સીધા અસરગ્રસ્ત લોકો તો ક્યાંક શંકરભાઈ ચામઠા ને પ્રવિણભાઈ દેસાઈ જેવા લોકોએ પહોંચાડી.. આભાર આપ સૌનો..

The nomadic families received their ration kit

માણસ છીએ.. આવા સમયે આપણા પ્રિયજનોની પડખે ઉભા નહીં રહીએ તો ક્યારે રહીશું? વળી હંમેશાં કહુ અમે તો નિમિત્ત માત્ર કોઈ આપે એ યોગ્ય જગ્યા પહોંચાડવાનું...આભાર મહર્ષીભાઈ, ઋતુ, અને સ્પર્શનો તમે આ કાર્યમાં સાથે છો એનો રાજીપો...

#MittalPatel #vssm Maharshi K Dave









The nomadic families received their ration kit