Wednesday, March 24, 2021

The awareness of VSSM’s tree plantation campaign is rising and we are invited to carry plantation drives...

Mittal Patel with the leaders of Mali community of Vakha 
village

 “Where is the meeting?”

“At the crematorium!”

So all of us would gather at the decided venue. Crematoriums are devoid of trees, and if there is any seating under their shade is not an option because the place is hardly clean. Ultimately, after a brief hesitation, all of us  seated on the platform where the pyre is lit.

“Why hesitate when one day all of us will come and rest here!” would be unanimous clamour.

The meeting begins to discuss turning crematoriums into green sanctuaries. 

There is a Mali community crematorium in Banaskantha’s Vakha, the expanse is huge but the grounds have no trees or greenery around.

The awareness of VSSM’s tree plantation campaign is rising and we are invited to carry plantation drives. The leaders of the Mali community of Vakha are informed and aware, they took up the responsibility of fencing the grounds and arranging for water and cleaning of the grounds.

The plantation drive will be carried in July, following which we will appoint a Vruksh Mitra to nurture and raise the trees.

We are hoping for such awareness to spread across Banaskantha to make it green again.

One should always be hopeful, right?

'બેઠક ક્યાં છે?'

ને જવાબ મળે સ્મશાનમાં.

ને અમે પહોંચીએ સ્મશાનમાં. ઝાડ તો હોય નહીં તે એના છાંયે બેસાય. ને હોય તોય નીચે બેસવા લાયક સફાઈ ન હોય. આખરે બેસવું ક્યાં એ વાત પર સૌ આવે ને બેઠક ગોઠવાય અગ્નીદાહ આપવાની છાપરીમાં.. 

પ્રથમ થોડો ખચકાટ સૌને થાય પણ પછી એક સાથે બધા જ કહે, આજ તો આપણું અંતિમ વિરામ સ્થાન ત્યાં બેસવામાં સંકોચ શાને? ને સૌ ગોઠવાઈ જઈએ..ને પછી ચર્ચા શરૃ થાય સ્મશાનને નંદનવન બનાવવાની..

બનાસકાંઠાના વખામાં માળી સમાજનું વિશાળ સ્મશાન. પણ એમાં ઝાડી ઝાંખરા સિવાય ભાગ્યે જ વૃક્ષો જડે.

અમે વૃક્ષો ઉછેરવાનું અભીયાન હાથ ધર્યું છે. લોકોને હવે એનો ખ્યાલ આવી રહ્યો છે. એટલે ઘણા ગામો પોતાના ગામમાં વૃક્ષારોપણ કરવા અમને નિમંત્રણ આપે ને અમે ત્યાં જઈએ.

વખાના માળી સમાજના આગેવાનો ઘણા જાગૃત. સ્મશાન ફરતે વાડ કરવાનું, સફાઈ ને પાણીની વ્યવસ્થા કરવાનું એમણે માથે લીધુ છે. 

જુલાઈમાં અમે વખામાં વૃક્ષો વાવીશું ને પછી એક વૃક્ષમિત્ર એ વૃક્ષોના ઉછેર માટે રાખીશું જે વૃક્ષોનું જતન કરશે. 

દરેક ગામ આ રીતે જાગે તો આખો બનાસકાંઠો હરિયાળો થઈ જાય. 

ખેર સૌ જાગે તેવી અભીલાષા...

#MittalPatel #vssm #tree

#treeoflife #treeplanting

#TreePlantation #environment

#save #saveenvironment #green

#greenindia #india #Banaskantha




Tree plantation site

Tree plantation site

Tree plantation site

Tree plantation site

Tree plantation site

Mali community crematorium in Banaskantha’s Vakha


VSSM had a gathering of Sarpanchs of 52 villages of Deesa and Lakhni blocks to share experience of our work on water conservation...

Mittal Patel talks about water conservation

 Let us talk Water….

Ma Rewa (Narmada) has been a blessing in disguise in Banaskantha or for that matter entire Gujarat however since our work on water conservation in  Banaskatha has been growing steadily I can talk about the region with confidence. The region is experiencing a prosperous change as a result of Sardar Sarovar water reaching it. The borewells to pump out groundwater have also played their role but the borewells of the regions where the Narmada waters have not reached are experiencing immense distress and the condition will only worsen in coming years.

VSSM has deepened lakes in villages of Lakhni and Deesa, the waters tables have dropped down to 900 to 1200 feet, the borewells are breathing their last.

The Sujalam Sufalam Canal passes through the region but since it doesn’t remain full throughout the year, sourcing water for irrigation is not an option. The canal also does not bring with it possibilities of year-round irrigation to the farms in the region,  neither do the surrounding lakes receive the canal waters.

The farmers of this region are waking up to the need for some more efficient solutions to their water woes,  but they can’t seem to find a way forward.

Recently to share experiences of our work on water conservation in the region and educate them on the available solutions,  we had a gathering of Sarpanchs of 52 villages of Deesa and Lakhni blocks.

The farmers, leaders and Sarpanch talked about keeping water in the Sujlam Suflam Canal year-round, if required make this kuccha canal a pucca one, link lakes with it, dig small-big lakes on the gochar land of these villages and catch the rainwater, also dig up a lake over 500 acres plus woodland of Lavana village and fill it with water from the main canal of Narmada. This will improve the groundwater levels of the entire region.

In the coming days based on these recommendations, we plan to shape a strategy and bring it to our Chief Minister, Deputy Chief Minister and concerned authorities.

Lakhani TDO Shri Anilbhai remained present in the meeting to offer his support for the tree plantation drives in the region.

The awareness of these community on the looming water crisis made us optimist and hopeful for water sufficient tomorrow, provided we all decide to work together.

વાત પાણીની..

મા રેવા (નર્મદા) આશિર્વાદરૃપ બની ને બનાસકાંઠાનો આમ તો ગુજરાતનોય કહેવાય પણ અમે બનાસકાંઠામાં પાણીને લઈને ઘણું કામ કરીએ એટલે એ વિસ્તારનો ઘણો ભાગ સમૃદ્ધ બન્યો એમ કહીશ. નર્મદાની સાથે બોરવેલે પણ પોતાની ભૂમિકા ભજવી.. પણ જ્યાં નર્મદાના નીર પહોંચ્યા નથી ત્યાં હવે બોરવેલ ડચકા લે છે. આવા વિસ્તારની દશા આવનારા પાંચ - દસ વર્ષમાં માઠી થવાની.

લાખણી અને ડીસાના કેટલાક ગામોમાં અમે તળાવ ઊંડા કરવાના કાર્યો કરીયે. ત્યાં પાણીના તળ વિષે લોકોને પુછ્યું તો 900 થી 1200 ફૂટે પાણી પહોંચ્યાનો જવાબ મળ્યો.

ક્યાંક તો બોર હવે ડચકા લે એવી વાત પણ આવી.

આ વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી કેનાલ પસાર થાય પણ એ કાંઈ બારેમાસ ભરાયેલી ન રહે. ને એમાંથી સિંચાઈ થઈ શકતી નથી. ના આ કેનાલમાંથી આસપાસના વિસ્તારના તળાવો ભરવાનું કાર્ય થાય. 

ખેડૂતો જાગૃત થયા છે પણ ઉકેલ સુઝતા નથી. 

પાણી રિચાર્જના કાર્યો માટે શું થઈ શકે તે સમજવા અને અમારા અનુભવે અમે જે કર્યું તે વાત કરવા લાખણી અને ડીસા તાલુકાના 52 ગામના સરપંચ અને આગેવાનો સાથે એક બેઠક લાખણીમાં મા હિંગળાજના સાનિધ્યમાં કરી.


સુજલામ સુફલામ કેનાલમાં બારેમાસ પાણી ભરાયેલા રહે, વળી કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે. જરૃર પડે આ કેનાલ નર્મદાની જેમ પાકી થાય. તેમાંથી તળાવો લીંક થાય. એ સિવાય આ વિસ્તારની ગૌચરની જમીનોમાં નાના માટો તળાવ કરવા જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય. તેમજ નર્મદાની મુખ્ય કેનાલમાંથી લવાણા જેવા ગામમાં જ્યાં 500 એકરથી વધુ જમીનનું વીડ છે ત્યાં મોટુ સરોવર કરી એને બારેમાસ કેનાલના પાણીથી ભરવામાં આવે તો આ આખા વિસ્તારના તળમાં સુધારો થઈ શકે.. વગેરે જેવી ઘણી વાત આ વિસ્તારના આગેવાનો - સરપંચ અને મૂળ તો આ બધાય ખેડૂતોએ કરી. 

આગામી દિવસોમાં આ બધી વાતો સાથે આ દિશામાં નક્કર આયોજનને લઈને મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રીથી લઈને સંલગ્ન તમામ અધિકારીને રજૂઆત કરીશું.

લાખણી તાલુકાના TDOશ્રી અનીલભાઈ પણ આ બેઠકમાં વૃક્ષારોપણના કાર્યોમાં એમની જે મદદની જરૃર પડે તે મદદની વાત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા. 


પાણી માટેની આ જાગૃતિ જોઈને રાજી થવાયું. સાથે મળીને કોશીશ કરીશું તો નક્કર પરિણામ સુધી પહોંચીશું તેવો વિશ્વાસ પણ છે..




VSSM had a gathering of Sarpanchs of Deesa and Lakhni
blocks

The farmers, leaders , sarpanchs talked about water 
conservation

Mittal Patel shares experience of water management with
the sarpamchs and villagers

Lakhani TDO Shri Anilbhai remained present in the meeting
to offer his support for the tree plantation



 


 

Friday, March 12, 2021

VSSM helps destitute elderly like Laxmi Ma with ration and other medical needs...

A couple of weeks ago I had written about Laxmi Ma and the care she provided to her son who was not keeping well. Since she did not have money they could not visit a doctor, the son lay under a blanket on a charpoy near the house.  “Can you see what is wrong with him?” she had requested. The condition of Maheshbhai had shaken us.

 I returned to Ahmedabad but the images of Laxmi Ma and ailing Maheshbhai refused to move away from my sight. I asked our team member Rajnjibhai to take him to a doctor. Sanjaybhai also lived in the vicinity so both of them together took  Maheshbhai to a clinic. The oxygen level in the body was very low. We spoke to Janakiben, the local political leader who helped us get Mahesbhai admitted to a local hospital. Further investigations revealed that Mahesbhai’s organs are failing, for a week the medical staff worked hard to treat him.  Rajnibhai was with Laxmi Ma all the while, she was relieved that treatment was reaching him but not happy with the fact that her son was in the hospital.

 Almost after a week, Maheshbhai breathed his last at the hospital. It was tough to break the news and explain this to Laxmi Ma. The last rites were also performed by Rajnibhai, Sanjaybhai and other friends.

 VSSM helps destitute elderly like Laxmi Ma with ration and other medical needs. The project that started with one elderly now reaches 150.

 The support you provide helps us reach and provide them with the peace they need during the fag end of their life. The work does bring peace and contentment to all. We are grateful for all that you are to the initiative.

Our hardworking team at the office and field is the backbone of this project. They ensure that the ration reaches these elderly between the 1st to 5th of every month.

 The elders who are not capable of cooking for themselves are helped by neighbours. A system has been worked out where the neighbours cook for them. We must bring everyone together in this effort of the greater good. “We are not at anyone’s mercy now, we are not destitute anymore!!” these elders share whenever I meet them.

This indeed is a huge impact.

 Thank you, Almighty for leading us through this.

Glimpses of some of the 150 elders we reached in March 2021.

ખેડાના લક્ષ્મીમાની વાત અહીંયા લખેલી. બિમાર દીકરાને એ સાચવે. દવા માટેના પૈસા નહીં ને મહેશભાઈ માથે ગોદડું ઓઢી પડ્યા રહે. હું એમને મળી ત્યારે લક્ષ્મીમાએ ફરિયાદ કરતા કહેલું જુઓને આ કશું ખાતો નથી.. સ્થિતિ જોઈને હું હચમચી ગયેલી. 

અમદાવાદ પરત આવી પણ લક્ષ્મીમા ને એમનો દીકરો મહેશભાઈ આંખો સામેથી જાણે ખસે જ નહીં. દવાખાને લઈ જવા અમારા કાર્યકર રજનીભાઈને કહ્યું. ત્યાં નજીકમાં સંજયભાઈ પણ રહે. બેઉ મિત્રો મહેશભાઈને દવાખાને લઈ ગયા. ઓક્સિજન લેવલ ઘણું ઓછુ આવ્યું. કોઈ દાખલ ન કરે. મૂળ સતત ગોદડું ઓઢેલું એટલે કદાચ ઓક્સિજન ઓછો પણ આ કોને સમજવું હતું?

સ્થાનીક રાજકીય આગેવાન જાનકીબેનની મદદથી એમને બીજા દિવસે દાખલ કર્યા. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, શરીરના બધા જ પુરજા બગડી રહ્યા છે. હોસ્પીટલના સ્ટાફે એક અઠવાડિયું  મહેશભાઈ બચે એ માટે કોશીશ કરી. અમારા રજનીભાઈ પણ સતત ખડે પડે. લક્ષ્મીમા ને તો દીકરાની દવા થાય એ ગમે પણ હોસ્પીલમાં રાખ્યાે એ ગમે નહીં..

આખરે મહેશભાઈએ અંતીમ શ્વાસ દવાખાનામાં જ લીધો. લક્ષ્મીમાને રજનીભાઈ માંડ સમજાવી શકેલા.. અંતિમવીધી પણ રજનીભાઈને સંજયભાઈ જેવા લાગણીશીલ મિત્રોએ મળીને કરી. 

આવા ખુબ તકલીફમાં જીવતા માવતરોને રાશન આપવાનું અમે દર મહિને કરીએ. 

એક માવતરથી શરૃ કરેલું આ કાર્ય 150 માવતરો સુધી પહોંચ્યું.. 

સમાજ સહયોગ કરે માટે આ બધુ થઈ શકે.. પણ સાચુ કહુ જીવને સાતા આપનારુ આ કાર્ય.. મદદ કરનાર પ્રિયજનોનો ઘણો આભાર..

અમારા સંનીષ્ઠ નિષ્ઠાવાન કાર્યકરોના લીધે આ બધુ થાય 1 થી 5 તારીખમાં અચૂક રાશન માવતરોને પહોંચી જાય એવું એ લોકો કરે.. ઓફીસમાં બેઠેલા ને ગામોમાં ફરતા બેઉ કાર્યકરોની ભૂમિકા આમાં મહત્વની...

જે માવતર રાંધી ન શકે તેને આડોશી પાડોશી રાંધીને જમાડે તેવી વ્યવસ્થાઓ પણ કરી.. મૂળ માનવતાનું કાર્ય બધાને જોડવા તો પડે...

માવતરોને મળુ ત્યારે એ લોકો કહે, અમે નોધારા નથી.. ને હવે કોઈની ઓશિયાળી નથી. 

કેટલી મોટી વાત..

હે રામ તારો આભાર.. તે જ તો આ સુઝાડ્યું...

માર્ચમાં 150 માવતરોને રાશન આપ્યું એમાંથી કેટલાકના ફોટો.. 

#MittalPatel #vssm #elder

#ElderlyCare #elderpeople

#manvaj #RationDistribution

#foodsecurity #humanity

The elderly man with his ration kit provided by VSSM

The elderly couple with their ration kit provided by VSSM


The elderly woman with her ration kit provided by VSSM


The elderly couple with their ration kit provided by VSSM


The elderly woman with her ration kit
provided by VSSM

The elderly woman with her ration kit 
provided by VSSM

The elderly woman with her ration kit provided by VSSM


         The elderly woman with her ration kit
 provided by VSSM



VSSM has requested the District Collector to ensure these families receive plots...

The community leader showing list of homeless families to
Mittal Patel

“Alcohol is prohibited here if we find any of  our fellow community men drunk, we adorn him with clothes and jewellery of our women and take him around the settlement.” It may sound a little too harsh,  but this is a custom followed by the Fulvadee community we work with.

Patan’s Harij has a substantial concentration of Fulvadee community. Many years ago, the government had stepped in and provided plots to many families but many were still left without one. VSSM has requested the District Collector to ensure these families receive plots. We are hopeful that they will receive it by 2022,  along with assistance to build a house. Our respected Prime Minister has pledged house for all homeless by 2022  these families fall into this category.

The Vadee couples lead an itinerant lifestyle, the keep wandering in search of work hence,  their children are never a part of any mainstream school. Education is key to progress for this community. The government does run a seasonal hostel in Harij, but the number of children is huge and not all can be accommodated. VSSM has built a hostel for these children in Banaskantha’s Kankar village. The children will be able to stay there and attend the public school in their village. Harij also needs a similar facility.

The community had been calling to see me for a very long time. I was with this community recently when they requested plots for the remaining families. The community leaders had already prepared a list of homeless families and showed us their current living condition. Sharing the glimpse of it here….

'અમારામાં દારૃની બંધી છે અગર ભૂલથી કોઈ દારૃ પી જાય તો અમે અમારી બહેનોના કપડાં અને શણગાર એ ભાઈને પહેરાવીએ અને પછી આખી વસાહતમાં એને ફેરવીએ..'

આપણે જેને પછાત ગણીએ છીએ એ ફુલવાદી સમુદાયનો આ રિવાજ.. 

પાટણના હારીજ પાસે એમની ઘણી મોટી વસતિ.. સરકારે વર્ષો પહેલાં એમનાંમાના કેટલાકને રહેણાંક અર્થે પ્લોટ ને ઘર બાંધવા સહાય કરેલી પણ હજુ ઘણા પરિવારો રહી જાય છે. આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાય તે માટે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે. 

આશા છે 2022 પહેલાં આ પરિવારોને પ્લોટ ફળવાય ને ઘર બાંધવા મદદ પણ મળે. મૂળ આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન દરેક ઘરવિહોણાને ઘર આપવાનું છે માટે..

વાદી સમુદાયમાં મા- બાપ કામ ધંધા અર્થે વિચરણ પણ ઘણું કરે. એટલે બાળકોનું ભણવાનું ખાસ થાય નહીં. હારીજમાં સરકાર સીઝનલ હોસ્ટેલ ચલાવે પણ બાળકોની સંખ્યા અહીંયા ઘણી એટલે ઘણા બધા બાળકો રહી જાય છે.. 

અમે બનાસકાંઠાના કાંકરેજના કાકરગામમાં વાદી પરિવારોના ઘરોની સાથે સાથે એક હોસ્ટેલ પણ બાંધી છે જ્યાં બાળકો રહી શકે ને ભણી શકે. 

બસ આવી જ કોઈ વ્યવસ્થા હારીજમાં થાય તો બધુ બરાબર.. 

મૂળ શિક્ષણ આવશે તો આ સમાજનો વિકાસ પણ ઝડપથી થશે માટે...

હું હારીજ એમની વસાહતમાં ગઈ મૂળ ઘણા વખતથી એ બોલાવતા માટે અને સૌએ રહેવા પ્લોટ આપવા વિનંતી કરી, આગવાને પરિવારની યાદી બતાવી અને ઘરવિહોણાની સ્થિતિ પણ એમને બતાવી...જે તમને બતાવી રહી છું.

#MittalPatel #vssm #nomadic

#denotified #snakecharmer

#community #culture #Rules

#goverment #housing #Banaskantha


The Vadi Community people called Mittal Patel to
see their current living condition


The current living condition of nomadic families

The current living condition of nomadic families


Wednesday, March 10, 2021

It is also crucial to ensure that the allocated money is spent well only then will we realise the goal we have set out to achieve...

Mittal Patel visits water management site

One does not need to keep lecturing on the need for water and lake deepening; it is a fact that if the lakes can retain monsoon waters the groundwater tables in the vicinity will rise.  VSSM carries participatory water management programs in Banaskantha district where certain regions are in such dire need of water conservation initiatives and the absence of it might result in an apocalyptic scenario.  

The water of Sardar Sarovar has been boon to many water-starved regions of Gujarat. As the outreach of Narmada water increases,  we observe an increasing trend of reverse migration of families who had left this parched landscape return to their native and begin tiling their farms once again. The government has taken up the task of filling the lakes by laying pipelines from the canal to lakes.

This year’s budget has provisions for filling up lakes within 3 kilometres radius of canal or pipeline, this has been raised by a kilo-meter. This indeed is a much-needed step in addressing the chronic water crisis in the region.  But the lakes farther from 3-kilometres also need to be covered, one can encourage community participation for the same. The farmers are hungry for water and they will spend it to get it to their village. The villages where average rainfall is very less and the groundwater tables have depleted to below 1000 feet require urgent redressal of the water crisis and a more acute one that is looming on the horizon. The 60 villages of Lakhni, Lavana have no option but to depend on underground water. The region needs support and encouragement to adopt rainwater harvesting methods like lake deepening, bunding, farm-ponds etc.

It is also crucial to ensure that the allocated money is spent well only then will we realise the goal we have set out to achieve. A committee needs to be set up to monitor the work and progress, it is crucial to conduct social audits at regular intervals during the process.

The lakes VSSM deepened at Doodhwa, Kataav, Kankar villages did fill up with rainwater,  but they also need water from Narmada because rains aren’t a normal occurrence in this region. Only then will the groundwater tables rise and enable farmers to take 2-3 crops.

The images are of Doodhwa, Kataav and Kankar lakes.

તળાવની જરૃરિયાત વિષે ઝાઝુ બોલવાનું કે ભાષણ કરવાના નહોય.. પણ તળાવોમાં ભરાતા પાણીના લીધે જ ધરતીના પેટાળ પાણીથી ભરેલા રહે..

અમારો જળસંચયને લઈને વધારે અનુભવ બનાસકાંઠા જિલ્લાનો.ત્યાંના કેટલાક વિસ્તારમાં પાણીના કાર્યો કરવા અત્યંત જરૃરી નહીં તો આગામી સમયમાં સ્થિતિ ભયંકર થશે એવું જણાય છે.

નર્મદાના પાણી ઘણા વિસ્તારમાં આશિર્વાદ રૃપ બન્યા છે. પાણી નહોતા એટલે સ્થળાંતર કરી ગયેલા ઘણા લોકો આજે ગામમાં પરત આવીને ખેતી કરતા થયા છે. સરકારે પણ કેનાલ કે પાઈપલાઈન થકી તળાવો ભરાવવાનું કાર્ય આરંભ્યું છે.

સરકારે જાહેર કરેલા આ વર્ષના બજેટમાં પાઈપલાઈન કે કેનાલની આસપાસના બે કિ.મી.ની ત્રીજીયામાં આવતા તળાવો ભરાવવાની વાતને આગળ વધારતા હવે ત્રણ કિ.મીની ત્રીજીયામાં આવતા તળાવો ભરવાની વાત કરી છે અને એ માટે પૈસા પણ ફાળવ્યા છે. આભાર.. આ થવું જ જોઈએ..

પણ એક વાત હજુ વધારે.. ત્રણ કિમી થી વધારેની ત્રીજીયા વાળા તળાવોય આવરીયે. આમાં લોકોની ભાગીદારી પણ કરી શકાય. મારા ખ્યાલથી પાણીની જે ખેડૂતોને ભૂખ છે તે તો પોતાના ખર્ચેય આ કાર્ય કરશે.જ્યાં વરસાદ ઓછો છે ને પાણીના તળ 1000 થી વધુ ઊંડા ગયા છે. ત્યાં સઘન કાર્ય જરા ઉતાવળે કરવાની જરૃર છે.  જેમ કે અનુભવે કહુ તો બનાસકાંઠાનો લાખણી, લવાણા વાળો વિસ્તાર લગભગ 60 ઉપરાંત ગામોમાં બોરવેલ સિવાય પાણી માટે બીજો કોઈ વિકલ્પ નથી. ત્યાં વરસાદી પાણીના સંગ્રહ માટેની ઉત્તમ વ્યવસ્થાઓ તળાવો, ખેતતલાવડીઓ, ખેતરમાં કંપાર્ટમેન્ટ બંડીંગ વગેરેને પ્રોત્સાહનની જરૃર છે. 

આ સિવાય જળસંચયના કાર્યો માટે ફળવાયેલા પૈસા એકદમ યોગ્ય રીતે ખર્ચાય તો સરકારનો ઉદેશ્ય બર આવશે. તળાવો માટે જે પૈસા ખર્ચાય એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવા કમીટીનું ગઠન થવું જરૃરી છે. દેખરેખ, સોસીયલ ઓડીટની વાત કરવી પડે એવી સ્થિતિ છે. કારણ સવાલ પાણીનો છે.. 

અમે બનાસકાંઠામાં દૂધવા, કટાવ, કાકરગામમાં તળાવો ગાળેલા એ તળાવો વરસાદી પાણીથી તો ભરાયા પણ નર્મદાના પાણીથીયે એ ભરાયા જેના લીધે તળમાં ફરક પડે ને ખેડૂતો બે- ત્રણ પાક પણ લઈ શકે...

ફોટોમાં #દૂધવા, #કટાવ અને #કાકરનું #તળાવ..  

#MittalPatel #vssm #water

#savewater #waterrecharge

#watermanagement #goverment

#budget #environment #climatechange



This year’s budget has provisions for filling
 up lakes within 3 kilometres radius of canal
or pipeline, this has been raised by a kilo-meter. 

The lake VSSM deepened fill up with rainwater

Mittal Patel discusses water management 

The government has taken up the task of filling the lakes by
laying pipelines from the canal to lakes.

The lake VSSM deepened fill up with rainwater

The lake VSSM deepened fill up with rainwater

The lake VSSM deepened fill up with rainwater


Tuesday, March 09, 2021

VSSM request the Kheda District Collector to ensure these Mir families find a roof over their heads by 2022...

Mittal Patel meets mir families of Ratanpur village
in Kheda district

 “Ben, please do something to help us get a house. We have been staying in Ratanpur for a very long time; we even have identity proofs of this village yet we cannot have a house. Living next to a highway gets scary at night!” Darghbhai Mir, a community leader residing at Matar’s Ratanpur shared the plight of his community. 

“Since you have been staying here for so long are your names on the BPL list?”

“That we do not know, but why BPL?”

“Our Prime Minister has pledged to provide homes to all homeless by 2022. So if your name is on the BPL list you might have already been surveyed for the house!”

“So wouldn’t it be possible now?”

“We have appealed, so it should happen!”

Everyone dreams of a house; we request the Kheda District Collector to ensure these Mir families find a roof over their heads by 2022. 

'બેન આ રહેવાનું કોક ઠેકાણું પાડોને. આ રતનપુરામાં અમે ઘણા ટેમથી પડ્યા સીએ. અમારા બધા ઓધારો ઓયના પણ બળ્યું આ રહેવા બલ્લે ઘર નથી થતું.અમે પાસા પડ્યા સીએ રોડની બાજુમોં એટલે રાત વરત બીકેય ઘણી રે.'

ખેડાના માતરના રતનપુરામાં રોડની બાજુમાં રહેતા મીર આગેવાન દરઘાભાઈએ આ રજૂઆત કરી..
'ગામમાં વર્ષોથી રહો તે બીપીએલ યાદીમાં તમારા નામ ખરા કે નહી?'
'ઈની અમન ખબર નહીં... પણ બીપીએલ ચમ?'
'આપણા વડાપ્રધાન શ્રીએ 2022 સુધીમાં તમારા જેવા ઘરવિહોણા પરિવારોના ઘર બનાવી આપવાનો સંકલ્પ કર્યો છે. જો બીપીએલ યાદીમાં નામ હોત તો કદાચ તમારો સર્વે થઈ ગયો હોત એટલે પુછ્યું'
'તે હવે નહીં થાય'
'થશે.. આપણે રજૂઆત કરી છે..'
ઘરનું સમણું બધાને હોય.. રતનપુરામાં રહેતા આ મીર પરિવારોને 2022 પહેલાં રહેવા જગ્યા ને એના માથે ઘર બાંધવા સહાય મળી જાય તેવી કલેકટર શ્રીને વિનંતી...


The current living condition of nomadic families

The current nomadic settlement of nomadic families

Mir families sharing their plight with Mittal Patel


Some incident help us better understand the living conditions of many such families...

Five individuals along with their family members came 
to VSSM's head office

“Does anyone remove roof shades without permission? Did you like being labelled  a thief?”

“I am sorry, it was a grave mistake on my part. But, what should we do? Our children are shivering in cold, the condition was worst as they drenched in rains.”

“Where do you stay?”

“Our shanties are on the banks of a river!”

“What are your means to earn a living?”

“We grow vegetables.”

“How much does that fetch you?”

“You only tell me, how much can a basket of brinjals earn me?”

“Have you eaten your meal?”

 “No, Ben…”

This is an incident from a settlement we had built. 4-5 individuals had removed roof shades of the houses we had built and used those roofs to cover their own homes. Incidentally, their theft was caught. VSSM’s Jayantibhai and community leader Gorakhnathji believed to talk to them instead of handing them over to the police. Hence, these five individuals had come to our office along with their families, they feared consequences. As we learnt they hadn't eaten, we immediately arranged for their meal, a thought that left them amazed.

“Ben, we are sorry. We will never repeat  this in our life.”

“I am sure you will never do this again. But I want to help improve your economic condition. Can’t you do something else in life? Think about it!! If you wish to do that we are ready to help you. And about the house, you already have plots sanctioned by the Government,  we shall try to speed up the allotment process and ensure you receive aid to build a house on it. But remember not to repeat your mistake.” I ensured and instructed.

Later we talked about religion and karma and before parting, they took a pledge of their deity to never engage in any unlawful activity. I am sure they will remain committed to their pledge.

“Why didn’t we hand them over to police, there are chances they might turn into repeated delinquents,” one of our team members remarked.

“Instead of questioning a hungry why did he steal a roti, to ensure he receives proper meal is more important to me. Also, no one is delinquent at birth, it is the circumstances that make to take such unfortunate steps. We must act compassionately and guide them towards the right path.”

I have refrained from using the name of the village for a very obvious reason. But such episodes help us better understand the living conditions of many such families.

 'પુછ્યા વગર કોઈના ઘરનાં પતરાં કાઢી લેવાય? તમારા માથે ચોરનું લેબલ લાગ્યું તમને એ ગમ્યું?'

'ભૂલ થઈ ગઈ. માફ કરી દ્યો..પણ વખાના માર્યા આ કર્યું. અમારાં છોકરાં ટાઢે ઠરે, ચોમાસામાં તો હાલત ખરાબ થઈ જતી એટલે'

'તમે ક્યાં રહો?'

'નદીના ભાઠામાં. છાપરાં કરીને'

'કામ શું કરો છો?'

'શાકભાજી વાવીએ'

'તે મળે કેટલું?'

'શું મળે બેન? બખડિયું રીંગણાં નીકળે એ વેચીયે ને એમાંથી જે મળે તેમાંથી ગુજારો ચાલે..'

'તમે જમીને આવ્યા છો?'

'ના બેન..' અમે એક વસાહત બાંધેલી ને એ વસાહતમાં બાંધેલા ઘરો પરથી પાંચેક વ્યક્તિઓએ પતરાં કાઢી લીધા ને પોતાના છાપરે ઢાંક્યા. પણ ચોરી પકડાઈ ગઈ. અમારા કાર્યકર જયંતીભાઈ ને ગોરખનાથની લાગણી આ પરિવારોને પોલીસને સોંપવા કરતા આપણે એમની સાથે વાત કરીએ એવી. એટલે પતરાં લેનાર પાંચેય વ્યક્તિ બહુ બીતા બીતા ઓફીસ આવેલા. સાથે એમની પત્ની ને નાના બાળકો પણ આવ્યા. અમારી વચ્ચેના આ વાર્તાલાપમાં એ જમ્યા નહોતા નો ખ્યાલ આવ્યો ને તુરત એમના માટે પહેલાં ચા - નાસ્તાની વ્યવસ્થા કરવા કહ્યું..

પાંચેય વ્યક્તિને આ વર્તનથી સખત નવાઈ લાગી.. એકે કહ્યું, 

'બેન ભૂલ થઈ ગઈ હવે જીંદગીમાં નહીં કરુ..' મે કહ્યું, 

'મને ખાત્રી છે તમે ફરી નહીં કરો. પણ તમારી સ્થિતિ સુધરે એવું કાંઈક કરવું છે.. તમે બીજા વ્યવસાય ન કરી શકો? વિચારીને ક્યો.. જો એ કરવું હોય તો અમે તમને મદદ કરીશું.. ને રહી વાત ઘરની તો સરકાર અને કલેક્ટર શ્રીએ લાગણી રાખી તમને પ્લોટ ફાળવ્યો છે એનો કબજો ઝટ મળી જાય ને એના ઉપર ઘર બાંધવા તમને મદદ પણ કરીશું.. પણ હવે પછી આવી ભૂલ નહીં કરવાની...'

એ પછી ધર્મ કર્મ બધાની ઘણી લાંબી વાતો થઈ... છેલ્લે બધાએ પોતાની કુળદેવીના નામે ચોરી ન કરવાના સોગંદ લીધા.. એ લોકો સોગંદ પાળશે અનો મને વિશ્વાસ છે.. 

અમારા એક કાર્યકરે પુછ્યું, 'આપણે પોલીસને કેમ ન સોંપ્યા, કદાચ એ રીઢા ગુનેગાર બની પણ બની શકે?' ને મારો જવાબ, 

'રોટલી ચોરનારને ચોરી કેમ કરી એમ કહીને સજા કરવી એના કરતા એને ભરપેટ ભોજન કેવી રીતે મળી શકે તેની વ્યવસ્થા કરવી મારે મન વધારે ઊચીત છે.. વળી દરેક વ્યક્તિ જન્મજાત ગુનેગાર નથી હોતા. સંજોગો એને ગુનેગાર બનાવે છે. ત્યારે એણે અપનાવેલા માર્ગેથી એને પ્રેમથી પાછો વાળવો એજ વધારે ઊચીત..'

ગામનું નામ નથી લખ્યું મૂળ એ જણાવવું યોગ્ય ન લાગ્યું. પણ કેવી બાબતો આપણી સામે આવતી હોય છે તેનો આછેરો ખ્યાલ આવે માટે આ પ્રસંગ લખ્યો.. 

#MittalPatel #vssm #citiznry

#Citizen #CitizenRights #humanity

#humanrights #advocacy

#HumanDignity #nomadic

#nomadsofindia



May Almighty bless Lasu Ma and Kaka with a continued love for each other...

The couple specially came to Mittal Patel

 A couple from Banaskantha’s Shiya village rekindle our faith in love and care…

 “Lasu Ma, was Lala Kaka visually impaired from the beginning or….?”

 “No-no, he was able to see when we got married, the issue began after our marriage.”

 “Ma, you know how it is!! If this had been the fate of a wife, the husband would marry someone else. So why did you not think of doing something like that?” I joked. 

 “This must be my destiny, what if the new partner was an alcoholic? It was my fate, I had no choice but to accept it!” Lasu Ma smiled while sharing this. 

 Lasu Ma has been managing the household and family, working hard as manual labour she even married off her two daughters. But Lasu Ma has grown old now, she cannot work as manual labour. The economic condition of both their daughters isn’t healthy enough to support her, so Lasu Ma had been left with no choice but to beg for a living. She would take Kaka along to neighbouring villages for begging and whatever was given helped this old couple sustain themselves. 

 Fakruddinbhai, the village Sarpanch and others from the community helped the couple obtain a ration card that can help them avail monthly ration. But ration only isn’t enough to sustain them through the month. Hence, the couple had to set out and beg for food. 

 Lakhu Ma can manage to keep going but Kaka is weak and physically incapable of walking the long distance to beg. Yet, he endures all the pain and walks along with Lakhu Ma. On days he is not feeling well the couple stays home and eats whatever is available of might also stay hungry. 

 Over time, VSSM has come across numerous such destitute elderly. The Mavjat – elderly care program was an outcome of the need to provide for such elderly so that they don’t sleep hungry. 

We were at Shiya village recently to monitor the tree plantation drive. The couple had specially come to meet us. They pushed open the gate to the cemetery. Lasu Ma entered first, followed by Kaka. Lasu Ma was holding one end of a walking stick, Kaka held the other end as she led Kaka to us. We chatted for a long, Lasu Ma would patiently explain everything to Kaka who had hearing difficulty. The love and care she showered on Kaka reminded me a poem by Shri Suresh Dalal “Ek Dosi Haju Dosa ne Vahal Kare Che” - the old lady still loves her old man!! 

May Almighty bless such couples with a continued love for each other. 

 And gratitude to our team members Naranbhai and Eshwarbhai who find such deserving elderlies. And as always, we hail the support you all provide to help us reach them. It does make us wonder, how would we carry on without your support! 

 કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલની આ કવિતા જેવું જ દૃશ્ય બનાસકાંઠાના શિયાગામમાં જોયું..

'લસુ મા આ લાલા કાકાને પહેલેથી આંખે નહોતું દેખાતુ કે પછી?'

'ના ના લગન કર્યા તાર તો એમને આંખે ભળાતું'તુ પણ લગન પછી આ તકલીફ થઈ..'

મે જરા હળવા મૂડમાં લસુમાને કહ્યું, 'તે હે મા આપણામાં તો આવું કાંઈક થાય તો એમને મૂકીને બધા બીજે જતા રે, તે તમે કેમ ન ગયા?'

'બીજે જઈને હું કરુ? કરમમાં લખેલું આ મુકુ અન બીજે જવું ન તો કણ દારૃડિયો મલ તો?'

એમ કહીને લસુ મા થોડુ હસ્યા. લાલાકાકાની આંખોના દિવા ઓલવાયા પછી ઘરની આખી જવાબદારી લસુ મા પર આવી. લસુ માને બે દીકરીઓ જે એમણે મહેનત મજૂરી કરીને  પરણાવી.હવે લસુમાની ઉંમર થઈ. મજૂરી કરી શકે તેવી ક્ષમતા ન રહી.  દીકરીઓની સ્થિતિ નબળી એય કાંઈ લાંબી મદદ ન કરી શકે. આખરે લસુ માએ પેટ ગુજારા માટે ભીક્ષાવૃતિનો રસ્તો અપનાવ્યો. કાકાને લઈને એ આજુબાજુના ગામમાં માંગવા જાય ને જે મળે તેમાંથી બેઉં પોતાનું પુરુ કરે. 

ગામના આગેવાન શેફુદ્દીનભાઈ ને અન્યોએ આ બેઉને રાશન મળે તેવું રાશનકાર્ડ કઢાવી આપ્યું ને સરકારની સહાય મળે તેવી વ્યવસ્થા પણ કરી આપી પણ એ બધાથી કાંઈ આખો મહિનો ન નીકળે એટલે માંગવા તો જવું જ પડે...

વળી કાકાની શારિરીક ક્ષમતાય નબળી એટલે લાંબુ ચાલી પણ ન શકે છતાં વખાના માર્યા શરીરની મર્યાદા અવગણીને એ પરિતાપ વેઠ્યા કરે. ક્યારેક બિમારી કે કોઈ તકલીફના લીધે માંગવા ન જઈ શકાય અને ઘરમાં કશું પડ્યું  ન હોય તો ભૂખ્યા બેસવાનો વારોય આવે... 

અમે આ નોધારા માવતરોને દર મહિને રાશન આપીએ મૂળ એમને ભૂખ્યા સુવુ ન પડે તે માટે.. 

શિયાના કબ્રસ્તાનમાં અમે વૃક્ષો વાવેલા તે એ જોવા શિયા જવાનું થયું.. એ વખતે આ બેઉ ખાસ મળવા આવ્યા. 

કબ્રસ્તાનનો દરવાજો ખોલી લસુ મા ને એમની પાછળ લાલા કાકા પ્રવેશ્યા.  લસુમાએ પોતાના હાથમાં લાકડીનો એક છેડો પકડેલો ને બીજો છેડો કાકાએ પકડેલો. લસુ મા કાકાને દોરીને અમારી પાસે લાવ્યા. અમે ઘણી વાતો કરી. 

કાકાને બહુ સંભળાય નહીં પણ લસુ મા એમને બધુ બરાબર ખુબ પ્રેમથી સમજાવે... કાકા પ્રત્યેની તેમની કાળજી - પ્રેમ જોઈને મને સુરેશ દલાલની એક ડોશી હજુ ડોસાને વહાલ કરે છે વાળી કવિતા યાદ આવી... 

ભગવાન આ માવતરોનો પ્રેમ અમર રાખે ને એમને બધી વ્યાધીઓથી બચાવે એવી પ્રાર્થના... 

અમારા કાર્યકર નારણભાઈ ને ઈશ્વરભાઈનો આભાર. તેઓની ભૂમિકા આ માવતરોને શોધવાની મુખ્ય... 

બાકી મદદ કરનારની તો જે(જય)....એના વગર આ સાતા આપે એવું કાર્ય ક્યાં થવાનું હતું?

#MittalPatel #vssm #mavjat

#elderly #elderlycare #RationDistribution

#Banaskantha #Gujarat


Lasu Ma was holding one end of walking stick and Kaka
held the other as she led Kaka to meet Mittal Patel

Lasu Ma would patiently explain everything to Kaka
who had hearing difficulty

Mittal Patel with elderly couple, villagers of shiya village and
VSSM team members



Monday, February 22, 2021

VSSM provides ration kits to such elderly through its Maavjat, an initiative that aims to care for the destitute elderly...

Mittal Patel meets Lila Ma and inquires her about ration kit

“Life seems bearable now that we get the monthly ration. I sell toys and accessories,” Lila Ma showed me the plastic toys and other stuff she sells from the sack she was carrying on her back. “I have worked hard as labour when I was young and until the body was cooperating. Now I have little strength to seat on the roadside in this village and sell whatever I can. I get little and I had to manage my living from that.” Lila Ma stays by herself in Radhanpur’s Kamaalpur village.

“Do you still go and sell toys!” I inquired.

“Yes, I do. But it is not a must. Earlier, if I skipped even a day, I had to worry about the next meal. So come rain or shine I had to set out to work,  even during the days I felt little under the weather.”

“How much do you earn daily?”

“Rs 25-50, but that might not be every day!”

While I was talking to Lila Ma, I peeped into her house. The walls of the house were lined with huge cracks. There was little she owned. The toys she sold were cheap.

“Does the ration kit we provide you with every month help? What if we do not give you any because you do earn a little!” I inquired.

“To give or not is up to you. But ever since you have started providing me ration kit life is better.  I can take rest when I am unwell or it is very hot or raining. I don’t have to worry about my next meal or stretch my hand for money or food. I know there is food in the house and I will manage to feed myself at least Khichdi.”

Lila Ma is correct. If she had thousands she would not be living in a house like this and working at an age when people retire. I also met Dhudi Ma who lives near her. She too does the same work as Lila Ma and shared similar sentiments when it came to ration kits VSSM provides them.

“It is good that you still work and keep yourself busy. It is important to keep both the mind and body active. So work until you can but at a slower pace.” I  shared before living.

It brings a different kind of contentment when we can provide for such needy elders. We are grateful to Shankarbhai, out team member for identifying the deserving needy.

And I am also thankful to all of you who have helped us support these destitute elders under our elderly care program. 

 'મહિનાનું રાશન મળી જાય છે એટલે જીવને હવે તોબા નથી. હું આ રમકડાં ને કટલરી વેચુ એમ કહીને શરીરે થોડા ભારે એવા રાધનપુર પાસેના કમાલપુરગામમાં રહેતા લીલા મા એક થેલો લઈને મારી પાસે આવ્યા ને એમાંથી પ્લાસ્ટીકના નાના નાના રકમડાં ને કટલરીનો સામાન એમણે બતાવ્યા. 

પહેલાં મજૂરી ઘણી કરી. પણ પછી શરીર નબળુ પડ્યું. એટલે ગામમાં જ આ બધુ લઈને બેસુ. થોડુ ઘણું વેચાય તો મને થોડુ મળી જાય ને મારુ ચાલે જાય'

'હજુયે રમકડાં વેચો?'

'હા પણ હવે વેચવા જવું જ પડશે એવું નથી.પહેલાં તો વેચવા ના જવું તો ખાઈશું શું એની ચિંતા હતી. એટલે માંદી હોવું, શરીર આખુયે ધગતું હોય તોય ધંધો કરવા જવું પડે. ના જવું તો ખાવાના તો ઠીક દવાના પૈસા ક્યાંથી કાઢું?'

'તે ધંધો કેટલાનો થાય''આ રમકડાં ને કટલરીમાંથી તે કેટલું મળે? મળી જાય પચી પચા રૃપિયા. એય પાછા નિત નહીં હો'

લીલા મા વાત કરતા હતા ને મે એમના ઘરમાં જઈને જોયું.  ઘરમાં મોટી મોટી તીરાડો પડી ગયેલી. આવા આ ઘરમાં એ મર્યાદીત ઘર વખરી સાથે રહેતા હતા. વળી એ જે રકમડાં વેચતા એની કિંમત દસ, વીસથી વધારે નહીં..

'તે અમે રાશન આપીએ એનાથી તમને ફેર પડે? પાછુ તમે થોડું કમાવ છો તે ના આપીએ તો ચાલે?'

'આપવું ના આપવું તમારી મરજી. પણ રાશન મળવા માંડ્યું ત્યારથી મારા જીવને સાતા છે. હવે શરીર ઠીક ના હોય, ઘર મુકીને બહાર જવાની ઈચ્છા ના હોય, ચોમાસાના દિવસો હોય તોય કમાવવા જવું જ પડતું. હવે આ બધો ઉચાટ નથી ના કોઈની ઓશિયાળી.  તમે આપેલું રાશન ઘરમાં પડ્યું હોય તો છેવટે ખીચડી રાંધીનેય ખાઈશું એવી ધરપત હવે છે...'

લીલા માની વાત સાચી. જો હજારો કમાઈ લેતા હોત તો આવા ઘરમાં એ પડ્યા ન રહેત. લીલા માને મળી અમે એમની નજીકમાં જ રહેતા ધુળી માને મળ્યા. એ પણ રમકડાં ને કટલરી વેચવા લીલા માની બાજુમાં જ નાનકડુ કપડુ પાથરી બેસે. આ બેઉની  લાગણી રાશનને લઈને એક જેવી. 

'કામ કરો છો એ સારુ જ છે.  વ્યસ્ત રહેશો તો મનની ઉપાધીઓ ઓછી થશે... બાકી ખાલી મન શેતાનનું ઘર.. એટલે તમારાથી થાય એ રીતે કામ કરજો.પણ બહુ ઉપાધી ન કરતા' 

એવું કહીને હું ત્યાંથી નીકળી..પરિવારમાં કાળજી કરનાર કોઈ ન હોય એવા આ માવતરોને સાચવવાનું સુખ બહુ મોટુ. અમારા કાર્યકર શંકરભાઈએ આ માડીઓને શોધ્યા તેમનો આભાર...

આ કાર્યમાં મદદ કરનાર સૌ સ્નેહીજનોનો આભાર.. આપ સૌની મદદથી આ કાર્ય થઈ રહ્યું છે. આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરુ છુ ને આ માવતરોને કુદરત સાતામાં રાખે એવી પ્રાર્થના...

#MittalPatel #vssm #mavjat

#elderly #elderlycare #nomadic

#denotified #community 

#patan #Gujarat #india



Lila MA shows the plastic toys and other stuffs from the
sack to Mittal Patel

Lila Ma gets food with the help of VSSM


Tuesday, February 16, 2021

VSSM became instrumental in providing ration and feed to the elderly...

 

Mittal Patel's arrival brings joy to Shanti Ma's face

“We try to manage our expenses within Rs. 1400 pension we receive. If that does not suffice, we beg or borrow.”

If you look at her; Shanti Ma comes across as an able bodied, normal individual who loves to seat and chat. But looks can be deceiving so one needs to build opinion by listening to people like Shanti Ma,  instead of going by the looks.

Shanti Ma suffers from a condition called Albinism to a layman, it is a skin condition. But Albinism has various types. The skin on the entire body including hair turns white, if one comes in contact with heat the skin starts burning. The sight weakens and lacks judgement. People suffering from this condition need to cover their body completely to protect themselves from burning and itching. 

Shanti Ma does not remember when did this condition emerge but she has been working as menial labour even with it. Shankarbhai, her husband also works as a daily wage-earning labour. The couple has a daughter who is married and stays with her husband. After their daughter’s marriage, the couple had to work to earn daily food and they did so religiously. Life was moving at a steady pace but one day a wooden block fell on Shankar kaka while he was lying on a charpoy outside his home. The incident resulted in internal injury. Shanti Ma took him to numerous doctors but the condition kept worsening. Shankarkaka had to be with a catheter all the time and became bed-ridden. Shanti Ma worked hard to earn for two but, now she too cannot work as much. VSSM provides ration kits to the couple.

I was around Radhnpur recently, the thought of Shanti Ma crossed my mind. I reached to meet her., my arrival brought joy to her face.

“Does the ration reach you well?” I inquired.

“Yes, it is a great help. How would I manage to sustain both ourselves on a pension of Rs. 1400?? There are power expenses, the medical bills(for catheter) and other expenses. I would have to ask for money from others. Today, thanks to the ration kit I buy bajra worth Rs. 100 to feed these birds. They are destitute like us, the feed brings them happiness.

It is difficult to comprehend the nobility of these individuals. They don’t have enough,  every penny matters for them yet they spare money to feed others in need.

We wish good health to these elders. We are grateful for the support we have received from you all, it helps us provide for 145 elders in need of care and support. 

'1400 રૃપિયા પેન્શનના મળે એમાંથી ઘર ચલાવીએ.. તૂટો આવે તો માંગી ભીખી લઈએ...' 

રાધનપુરમાં રહેતા શાંતી માએ આ કહ્યું. પહેલી નજરે શાંતી મા શારિરીક રીતે સ્વસ્થ ને કામ કરી શકે એવા જણાય. પણ ઘણીવાર આંખો દગો દહીં દે.... સાચી સ્થિતિનો વર્તારો આંખે દેખ્યા કરતા બેસીને વાતો કરતા મળી જાય..

શાંતી મા એલબિનિઝમ નામની બિમારીથી પીડાય. સામાન્ય રીતે આપણે એને કોઢ કહીએ. પણ આ કોઢનો જરા જુદો પ્રકાર. આખું શરીર ચામડીનો મૂળ રંગ ખોઈ ધોળો રંગ ઓઢી લે. તડકાના સંપર્કમાં એ સીધા આવે તો એમની ચામડી બળવા માંડે. આંખો જજમેન્ટ પાકુ ન લઈ શકે.. સામાન્ય રીતે આ બિમારીથી પીડાતા વ્યક્તિ પોતાના શરીરને ઢાંકીને રાખે જેથી તકલીફ ઓછી થાય..

શાંતી માને આ બિમારી ક્યારે થઈ એનો ખ્યાલ નથી પણ એ તો આ તકલીફ સાથેય મજૂરી કરે જતા. તેમના પતિ શંકરભાઈ પણ છૂટક કામ કરે. પરિવારમાં દીકરી એને એમણે પરણાવી સાસરે મોકલી. એ પછી કાકા ને શાંતીમા બેઉ થતી મહેનત કરે. પણ એક દિવસ શંકરકાકા ખાટલામાં સુતા હતા ને ઉપરથી તેમના પર લાકડુ પડ્યું ને કાકાને આંતરભાગમાં તકલીફ થઈ ગઈ. શાંતી મા કાકાને લઈને ઘણા દવાખાના ફર્યા પણ ધીમે ધીમે મંદવાડ વધતો ચાલ્યો. કેથેટર કાયમી પહેરી રાખવું પડે. આમ કાકાએ ધીમે ધીમે ખાટલો પકડ્યો. કાકી જે મળે તે મજૂરી કરીને ઘરનું ગુજરાન ને કાકાની દવાનો ખર્ચ કાઢતા. પણ હવે કાકીથીયે ઝાઝુ કામ નથી થતું. આ બેઉને અમે દર મહિને રાશન આપીએ. 

વિચરતા પરિવારોની રાધનપુર પાસે આવેલી વસાહતમાં જવાનું થયું ને મને શાંતી મા યાદ આવ્યા ને અમે પહોંચ્યા એમના ઘરે. અમને જોઈને એ રાજી થઈ ગયા. રાશન પહોંચી રહે છે એવું પુછ્યું તો કહ્યુ, 'હા વળી એનાથી ટેકો થઈ ગ્યો. બાકી 1400 પેન્શનના મળતા એમાંથી ખાવાનું, ઘરનું લાઈટબીલ, આ નળી(કેથેટરની) બદલવાનું બધે નહોતું પહોંચાતુ. ગમે નહીં તોય લોકો હામે હાથ લાંબો કરવો પડતો પણ હવે નથી કરવો પડતો. હવે તો દર મહિને સો રૃપિયાની બાજરી લાવુ છું. આ ચકલાંને નાખવા. એય બિચારા અમારા જેવા નોધારા. એમને દાણા મળે તો રાજી થાય'

 શાંતી મા કાકાને તો એક એક રૃપિયો વિચારીને ખર્ચવાનો છે તોય ચકલા માટે થોડું જુદુ કાઢવું. આ ભાવના જ ઉત્તમ.. 

ઈશ્વર આ બેઉ માવતરોને સાતા આપે એવી પ્રાર્થના ને સાથે આવા 145 માવતરોને સાચવવાની તક અમને અમારી સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદથી મળી તે માટે રાજીપો...

#MittalPatel #vssm #mavjat

#elderly #elderlycare #RationDistribution

#albinism #Radhanpur

#માવજત #રાધનપુર #ગુજરાત


Mittal Patel meets Shanti Ma and Shankarbhai
during her visit to Radhanpur