Wednesday, July 17, 2019

Tree plantation in Golvi : Returning the Favour to Nature...

Mittal Patel with villagers at Golvi village
Trees are jewellery our earth adorns. We at VSSM, have nurtured a dream of covering our mother Earth with these jewels.

 
Until now we have just kept  taking from this provider, the Earth. We never seek her permission. Do we?

An now we realise that it is these jewels that keeps us alive and kicking!!

Villagers have prepared 1000 pits for planting the saplings
VSSM  has decided to carry out a massive tree plantation drive in Banaskantha. We have decided to begin with villages that are aware about the activities of VSSM.

21 villages have been selected in Banaskantha  for the first phase of the community partnered tree plantation drive.

Yesterday we were at Golvi village. The sarpanch, Shri Dashrathbhai is very enthusiastic about the entire initiative.

He has decided on the place for the plantation of trees and also made tree protecting fences. They have already prepared 1000 pits for planting the saplings. Dharmabhai Desai has been assigned the responsibility of caring and nurturing these trees. VSSM and the village will share his remuneration expences.

“If we do not plant the trees now it will become difficult to survive on this planet. We want to turn our village green.

Dharmabhai loves tree and we are sure he will work hard to nurture and raise them.

The prepared pits were a little small, we have asked him to make them a little big.

The entire mission is now keenly awaiting the rains.

We are all praying for rains to arrive
With the hope that each  village has its own woods to escape to….




ધરતીમાનો શણગાર વૃક્ષ.. વૃક્ષરૃપી શણગારથી આપણી પોષક 'મા' ને સજાવવાના સપના અમે સેવ્યા.

અત્યાર સુધી 'મા'ને પુછ્યા વગર એની મંજુરી લીધા વગર બસ જોઈતું બધુ લીધા કર્યું. 
પણ પછી સમજાયું કે એનો શણગાર જ આપણને જીવાડે.
એટલે નક્કી કર્યું ઘરતીનો શણગાર એવી હરિયાળી વધુ સ્થાપીત કરવી

ગામોમાં જગ્યા વધુ મળે એટલે અમારો ઘરોબો જે ગામોમાં હતો, જ્યાંના લોકો અમારા કામની પદ્ધતિને સમજે તેવા વિસ્તારમાં પ્રથમ વૃક્ષારોપણું કામ આરંભવું.
બનાસકાંઠામાં 21 ગામો પસંદ કર્યા છે. જ્યાં ગામની ભાગીદારીથી વૃક્ષારોપણ કરીશું.

ગઈ ગાલે ગોલવી ગામમાં જવાનું થયું સરપંચ દશરથભાઈ દેસાઈ બહુ ઉત્સાહી. 
એમણે વૃક્ષારોપણ માટે જગ્યા પસંદ કરી અને અમારી શરત પ્રમાણે ઝાડની સુરક્ષા માટે ચારે બાજુ વાડની તૈયારી કરી દીધી.

વૃક્ષો માટે 1000 ખાડા કર્યા અને વૃક્ષોના જતન માટે ધર્માભાઈ દેસાઈએ સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી. ગામ અને VSSM બેય મળીને ધર્માભાઈને એમના કામનું મહેનતાણું ચુકવશે. 
દશરથભાઈએ કહ્યું, વૃક્ષો નહીં વાવીએ તો જીવવાનું અઘરુ થશે. અમારે અમારા ગામને હરિયાળુ કરવું છે. ધર્માભાઈ વૃક્ષપ્રેમી માણસ છે એ જતન કરશે.

ધર્માભાઈએ ખાડા નાના કર્યા છે અમે ખાડા મોટા કરવા કહ્યું. 
એક ઝાપટુ પડે પછી વૃક્ષો લાવવા છે. 
બસ મેઘરાજાની પધરામણીની રાહ છે..
મહેર કર કુદરત એવી પ્રાર્થના સાથે.. 
ગામે ગામ વન ઊભા થાય તેમ ઈચ્છીએ....

ફોટોમાં વૃક્ષારોપણ માટે કરેલા ખાડા તેમજ વૃક્ષારોપણની વાત કરી રહેલા સરપંચ

#MittalPatel #VSSM #environment_conservation #trees #giving_back_to_the_Earth #Plants #

Monday, July 08, 2019

Thank you Collector Patan for being Proactive in the addressing issues of Nomads in Patan...

The nomadic communities
honoured the officer with flowers
“Ben, the officials are seated amidst us!! Looks like now our files will soon be cleared.” Sulemanbhai called up  from Amrapurpati  as the officials in Patan district had reached his settlement after District Collector Shri Anandbhai initiated efforts to address the current and pending issues of the nomadic and other destitute communities. The officials who never made an effort to step away from their chairs are now visiting settlements and preparing applications.

It is not just Sulemanbhai, but Ushaben Nat, Laxmanbhai Bajaniya and so many who were delighted at this turn of events.

The communities are overwhelmed, at last  their plight did get noticed. They were eager to honour the officer who was concerned for their well-being.

The nomadic communities reached Shri. Anandbhai’s office to thank him  for his concern and efforts. They expressed their gratitude in their own language, presented him flowers and a Murli too..

They also requested to be photographed with Shri. Anandbhai who delightfully obliged ( the nomads are photo fetish. Someday,  will share at length about this importance. For now District Collector Shri Anandbhai has acquired space in their photo albums, a space reserved only for their dear ones).
Collector Shri Anandbhai Patel with nomads at his office

Anandbhai, hope more and more  poor and destitute benefit from your hard work, compassion and humility.

The nomadic communities reached Collector Shri Anand
Patel's office to thank him for his concern and efforts
કલેક્ટર પાટણ શ્રી આનંદભાઈ પટેલની સંવેદનશીલતાથી તંત્ર ગતિમાન થયું.

વિચરતી જાતિઓની વસાહતમાં અધિકારીઓ આવ્યા અને જરૃરી અરજીઓ જાતે ફરી..
સુલેમાનભાઈનો અમરાપુરપાટીથી ફોન આવ્યો.
'બેન અધિકારી અમારી વચમાં બેઠા છે. હવે  
અમારા કામ થાશે એમ લાગે છે'

લાગણી ખાલી સુલેમાનભાઈ નહોતી. ઉષાબહેન નટ હોય કે લક્ષ્મણભાઈ બજાણિયા સૌની આજ લાગણી.

વંચિતો માટે પ્રેમ રાખનાર આવા સરસ અધિકારીનું સન્માન કરવું ઘટે ..

આજે વિચરતી જાતિઓ એમની ભાષામાં આનંદભાઈનો આભાર માનવા કચેરીએ પહોંચી.
કાલીઘેલી ભાષામાં આભાર માન્યો સાથે વાદીએ મોરલી તો અન્યોયે ફુલોની ભેટ આપી.

વિચરતી જાતિના સૌએ તેમની સાથે ફોટો પણ પડાવ્યા. અને આનંદભાઈએ એકદમ હરખાતા ફોટો પડાવ્યા. (વિચરતી જાતિઓમાં ફોટોનું જબરૃ મહત્વ છે ક્યારેક એનીયે વાત કરીશું. પણ હાલ પુરતુ કહુ તો કલેક્ટર શ્રીએ વિચરતી જાતિઓના આલબમમાં સ્થાન મેળવી લીધું જ્યાં પોતીકાને સ્થાન હોય છે.)

આનંદભાઈ ફુલોની જેમ આપના કાર્યોની સુવાસ ચોમેર આમ પ્રસરેલી રહે એવી શુભેચ્છા...

#MittalPatel #VSSM #Nomads_Of_India #NomadicTribes #Empathy #Collector_Patan #DNT

Thursday, July 04, 2019

Patan Collector Shri. Anand Patel, a sensitive and dedicated bureaucrat exemplified nomad's belief...

Patan Collector Shri Anand Patel at his work desk
A recent development endorsed  our belief that if and when a compassionate and hardworking bureaucrat or government officer decides to give her/his 100 percent things  will always change for better.  Patan Collector Shri. Anand Patel, a sensitive and dedicated  bureaucrat exemplified our belief.

The current living condition of nomads
It is more than a decade that I have been associated and working for the cause of  the extremely poor and marginalised communities. This requires me not just to be amidst these communities,  but also work with the government authorities and frequent visits to their offices . Trust me, the sites of government offices can be very depressing at times with dusty stacks of files  all around. The vision never fails to trigger a thought, what if all these files found solutions, what if the waiting applicants had their requests addressed??  What if the government decides to spring clean these endless stacks of  files just as we  clean our houses during Diwali?

Collector Shri Anand Patel called meeting of the heads of
all concerned departments handling the pending matters of
the nomadic families
Occasionally, we do come across an official who is determined to reduce the height of these long accumulated  stacks. But, these are very rare occurrences. Shir Anandbhai stands out  even amongst these rare government officers. After personally visiting the nomadic settlements he instructed his team to become  proactive and find solutions to the long pending issues of the nomadic families of Patan.  Of course,  it will not always be the case wherein the local bureaucracy  shares the same passion and vision as the district collector. Hence, few issues were followed up and few remained. VSSM’s Mohanbhai felt that this should be brought to the notice of the Collector. Once again the team was instructed to resolve all the pending  issues.
The current state of nomadic families who will soon receive
plots and houses

On 1st  July, Shri Anandbhai called a meeting of the heads of all concerned department handling the pending matters of the nomadic communities.  And what he spoke at the meeting portrayed his deep understanding and sensitivity towards the poor, “It is ok if you want to inquire the villagers about these communities. You can always listen to what they have to say,  but do not rely on it. When it comes to relying you rely on what the nomadic communities say!!”  How true.

The officials who could not make it to the meeting of 1st July were called for a meeting today on 3rd July. Since yesterday the entire team of government officials is visiting the settlements of Dafer, Vadee, Vansfoda, Bajaniya and other communities.

Since very long we had been following up the application for aid towards sanitation blocks in  Jesda, yesterday the local office also issued the cheque towards that.

As I have always opined, the Collector is the king of the district. He can do wonders for his janta if he has the will. Hence, it is desired that he is concerned about the wellness of his subjects. And this concern was very evident from Shri. Anandbhai conduct.

The purpose behind sharing this here is that undying  hope that other officials might draw inspiration from such proactive bureaucrats.

There are very few officers for whom we hold respect, for you Anandbhai we have special respect and honour. We salute your sentiments towards the marginalised. We will always remain grateful  to you.
In the picture – Shri Anandbhai at his work desk and the current state of  families who will soon receive plots and houses. 

એક સંવેદનશીલ અધિકારી ઈચ્છે તો શું કરી શકે એનું પ્રમાણ કલેક્ટર પાટણ તરીકે કામ કરતા શ્રી આનંદ પટેલમાં જોયું.

વર્ષોથી તકવંચિતો વચ્ચે કામ કરુ છું.. અને તેમના પ્રશ્ને વારંવાર કચેરીઓમાં જવાનું પણ થાય.
કચેરીમાં લેખીતમાં કરેલી અરજીઓની ફાઈલોના ઢગલા જોઈને હંમેશાં થતું કોઈ વ્યક્તિ આ ફાઈલો ક્લીયર કરવાનો સંકલ્પ ના કરી શકે?

દિવાળીમાં ઘરની સફાઈ થાય એમ કચેરીમાં પડેલી ફાઈલોની હકારાત્મક ભાવ સાથે સફાઈ ના થઈ શકે?

ખેર ક્યારેક કોઈક અધિકારી એવા જડી જાય જે આ દિશામાં કામ કરવાનું કરે. પણ એમાં સાતત્ય જળવાવાના પ્રશ્નો તો રહે જ.

પણ આ બધામાં કલેક્ટર પાટણ આનંદભાઈ બહુ નોખા જણાયા. વિચરતી જાતિઓની સ્થિતિ સમજવા એમની વસાહતમાં ગયા અને તમામ અધિકારીઓને આ સમુદાયના પ્રશ્નો ઉકેલવા સૂચના આપી.

પણ કલેક્ટર શ્રીની જેમ ભાવના રાખીને કામ કરવાવાળા બધા નહીં એટલે થોડું કામ થયું થોડું રહ્યું.

આ સંદર્ભે અમારા કાર્યકર મોહનભાઈએ ફરી કલેક્ટર શ્રીનું ધ્યાન દોર્યું ને એમણે જાણે સંકલ્પ કર્યો હોય તેેમ તમામ પ્રશ્નોનો નિવેડો લાવવાનું નક્કી કર્યું.

તા.1 જુલાઈ 2019ના વિચરતી જાતિના પ્રશ્નો જે વિભાગને અડે એ તમામ વિભાગ સાથે તેમણે બેઠક કરી. આ બેઠકમાં સૌથી અગત્યની જે વાત કરી તેના પરથી તેમની સંવેદનાનું પ્રમાણ મળે..
તેમણે કહ્યું, 'ગામને આ સમુદાયની વિગતો પુછવી હોય તો પુછજો પણ એમના પર આધાર ના રાખતા. આધાર વિચરતી જાતિનો જ લેજો.'

આનંદભાઈ તમે બરાબર વિચરતી જાતિને સમજ્યા. 
જે અધિકારી 1 જુલાઈની બેઠકમાં હાજર રહી શક્યા નહીં તેમની સાથે આજે બેઠક કરી..
ગઈ કાલથી તંત્રની આખી ટીમ ડફેર, વાદી, વાંસફોડા, બજાણિયા વગેરે સમુદાયોની વસાહતમાં ફરી રહી છે.

અરે જેસડામાં તો શૌચાલય માટેની સહાય માટે કેટલા વખતથી લખતા હતા તે ગઈ કાલે શૌચાલય માટેના ચેક સ્થાનિક કચેરીએ આપી દીધા.

આ બધુ કોઈ પ્રેરણા લઈ શકે એ માટે લખુ છું. કલેક્ટર જિલ્લાના રાજા.. એ પ્રજાની ચિંતા કરે એ ઈચ્છનીય.. અને એ દિશામાં કલેક્ટર શ્રી પાટણ છે.. એમની આ ભાવનાને સલામ..

બહુ ઓછા અધિકારી છે જેમના માટે વિશેષ માન છે. આપ પ્રત્યે વિશેષ માન અને આદર બેય. વિચરતી જાતિઓ સદાય આપની ઋણી રહેશે...

ફોટો તો કલેક્ટર શ્રીનો ને તેમણે લીધેલી બેઠકનો સાથે હાલ જે હાલતમાં આ પરિવારો છે જેમને હવે રહેવા પ્લોટ ઘર મળશે તેમનો પણ...

#MittalPatel #VSSM #NomadsOfIndia #Collector_Patan #Empathy

Friday, June 28, 2019

People of Dudhva dig lake in their village and return the favour to nature...

Mittal Patel meets villagers during lake deepening work
“On Navoni Agiyar, the entire village comes together to desilt, deepen and clean the village lakes!!”

Caring and nurturing the common property resources was the responsibility of all, the villagers ensured that all of these were well taken care of. Hence, there were certain days earmarked in a year when the villagers would collectively do the maintenance jobs required for up-keeping these resources.

Mittal Patel discusses water management with the elders of
Dudhva village
This was shared to us by Bhagwanbhai, the Sarpanch of Sui village,  when we were working on deepening the lake in his village. A short video shares Bhagwanbhai’s enlightening talk, do find  time and listen to it. The wisdom behind these traditional practices is the reason the communities faced fewer challenges in the past.

All of us who understand the value of water, draw water from underground, have forgotten our duty to deepen the lakes that were instrumental in recharging the groundwater.

After a lot of convincing, meetings, discussions, hassles to sensitise people toward the need to conserve water and to contribute for preserving their resources we have deepened 70 lakes in Banaskantha with community participation and contribution. But 70 is nothing. There is a  need to upscale the efforts to do 1000s more.

The monsoon has arrived and we have suspended our task of deepening the lakes.

However, my humble request and advise is once the monsoon is over spare a day, come together, bring your tractors along, collect contribution to hire a JCB and deepen the lakes of your village. This is a task much crucial  and required than building temples.

If we decide to work 8 days in eight months the lakes will thrive and so would the life the  water  of these lakes support. If this

happens no one will need to say, “I don’t remember when was this lake last deepened!!” If we remain diligent there will be no need to teach our coming generations they will learn from observing us perform our responsibility.

VSSM’s Naran and Bhagwan are tirelessly working  to prepare and sensitise the village leaders and population. It is an honour to have them on our team.

The image is of a meeting we had with the village elders of Dudhva during the lake deepening works.

 નવોણી અગિયારે આખુ ગામ તળાવ ખોદવાનું કામ પોતાની મેળે કરતું...
એવું સુઈગામના દુધવા ગામના સરપંચ ભગવાનભાઈએ કહ્યું. 
તેમના ગામમાં અમે તળાવ કર્યું એ વખતે તેમની સાથે થયેલી વાત વિડીયોમાં છે.. સમય કાઢી સાંભળજો.. ઘણું સમજાશે...

સરકાર કે કોઈ સંસ્થાની મદદ વગર ગામલોકો પોતાની રીતે આ કામ કરતા. 
પાણીનું મહત્વ સમજનારા આપણે લોકો આજે તળાવ ઊંડા કરવાની આપણી પોતાની જવાબદારી ભૂલી ગયા છીએ..

બનાસકાંઠામાં અમે 70 તળાવ ગામોને સાથે રાખી, તેમની સાથે માથાકૂટ કરી, તેમને સમજાવી લોકભાગીદારીથી કરી શક્યા પણ 70 થી કશુંયે ના થાય.

પેલું આભા ફાટ્યું છે ત્યાં થીંગડું ક્યાં દેવું એવો તકાજો છે..

ચોમાસું આવ્યું હવે તળાવ ગાળવાનું બંધ કર્યું. પણ ચોમાસા પછી મહિનામાં એક દિવસ પોતાના ટ્રેક્ટર અને ગામ ફાળો ભેગો કરીને જેસીબી લાવી પોતાના ગામનું તળાવ ગાળવાનું સૌ કરજો. આ તો મંદિર બાંધવા કરતાય મોટુ ધર્માદુ છે...

આઠ મહિનામાં આવી રીતે આઠ દિવસ કામ થશે તોય ખોદાયેલા તળાવોમાં જમા થયેલો કાંપ નીકળી જશે અને તળાવ તળાવ જેવા રહેશે.

પછી કોઈને કહેવું નહીં પડે કે અમને યાદ નથી અમારુ તળાવ ક્યારે ગળાયું હતું.. એ ગાળેલું જ દેખાશે...

આ કામ આપણે કરીશું.. તો આપણી પછીની પેઢીને તળાવનું મહત્વ સમજાવવુંયે નહીં પડે એ તો વધારોનો નફો... એ પોતાની આપણને જોઈને જ સમજી જશે...
દુધવા ગામમાં તળાવ ખોદાઈ રહ્યું તે વેળા ગામના સરપંચ અને અન્યોને મળવાનું થયું તેની તસવીર...
કાર્યકર નારણ અને ભગવાને ખુબ મહેનત કરી ગામોને સરસ રીતે તૈયાર કર્યા...આવા કાર્યકરો અમારી પાસે હોવાનો અમને ગર્વ છે..

#MittalPatel #VSSM #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation


Sunday, June 23, 2019

VSSM has managed to finish deepening of 70 lakes with the support from our well-wishers and communities...

Mittal Patel discusses Water Management with the villagers
During 2018-19 with the support from our well -wishers and communities, VSSM has managed to finish deepening of 70 lakes. Thank you all for welcoming  the idea and standing by us.  

Mittal Patel meets villagers for Water Management
We dream of making Banaskantha green, and the first step towards it was saving the water and recharging the water ground water level. To enable the idea, we initiated the process of  deepening the lakes under the guidance of respected Shri Rashminbhai. The first couple of years 2016 and 2017  remained tremendously difficult. Mostly because the village communities refused to support. They would donate generously, in lakhs towards construction of bird feeders and temples around their village but when asked to ferry the excavated soil resulting from the deepening of lake, no one was prepared to do it for free!! Under such circumstances, to ask them to make financial contribution towards  the  task  of lake deepening  was out of question.

Ongoing lake deepening work
The mammoth task seemed challenging nonetheless, we weren’t prepared to make any amendments in our list of prerequisites. Amidst extreme working conditions we managed to deepen just 17 villages until 2017. Gradually, the village elders and communities began to understand us and in 2018-19 we have successfully deepened 70 lakes.

Our well-wishing friends have played an important role in the process, even the government aided deepening of 15 lakes and the cherry on the cake has been  the support we have received from the communities. The wisdom and large heartedness they have portrayed is worth saluting.

The lake deepened with the help of VSSM
We are glad to witness this change with people coming together to give back all we have taken from our mother Earth.

After water it is trees we are planning to focus on, with the  upcoming Tree Plantation drive we have planned in Banaskantha villagers have already begun working for it. Before the onset of monsoon they have begun digging pits, filling it up with organic manure. Once the rains arrive we shall start planting  native trees in these villages.

VSSM has specially appointed a team to work on the tree plantation drive. Hope together we achieve the most.

And to the Mother Earth, hope we all understand your pain and give back all that we have taken from you.

 સૌના સહયોગથી 2018-19માં અમે બનાસકાંઠાના 70 તળાવોનું કામ પુર્ણ કરી શક્યા.. આપ સૌ પ્રિયજનો આગળ આ કામની વધામણી...

બનાસકાંઠાને હરિયાળુ કરવાનું સ્વપ્ન અમે સેવ્યું. પહેલું કામ તળાવો ઊંડા કરવાનું આદરણીય રશ્મીનભાઈના માર્ગદર્શનથી શરૃ કર્યું.

પણ 2016 થી લઈને 2017સુધીમાં આ કામમાં ઘણી તકલીફ પડી. લોકો સહયોગ ના કરે. 
ગામમાં મંદિર બાંધવા કે ચબુતરા કરવા લાખો રૃપિયા ભેગા થાય પણ તળાવ ખોદાય એની માટી મફત કોઈ ના ઉપાડે. આવામાં ગામ ફાળો આપે એ વાત તો વિચારી જ નહોતી શકાતી.

પણ અમે તળાવ ખોદાવવામાં કરેલા નિયમોમાં કોઈ બાંધછોડ નહોતા કરવા ઈચ્છતા એટલે તકલીફો વચ્ચે 2017 સુધીમાં માંડ 17 તળાવો ખોદાવી શક્યા હતા.

પણ પછી લોકો અમને સમજ્યા અમે લોકોને અમે સમજાવી શક્યા ને 2018-19માં અમે 70 તળાવો કર્યા.

આ તળાવો ઊંડા કરવામાં vssmસાથે સંક્ળાયેલા સ્નેહીજનોએ ખુબ સહયોગ કર્યો. સાથે 15 જેટલા તળાવો ઊંડા કરવા સરકારે પણ મદદ કરી. અને હા ગામની મદદ માટે તો ગામલોકોને પ્રણામ કરવા ઘટે...

રાજીપો.. ઘરતીનું ઋણ ચુકવાનું સુંદર કાર્ય થઈ શક્યું.

હવે વારો છે ઝાડ વાવવાનો.. શરૃઆત કરી દીધી છે. જે ગામો અમને સમજ્યા છે એ ગામોએ તો ખાડા કરવાનું અને તેમાં ખાતર ભરવાનું શરૃ કરી દીધું છે. આગામી દિવસોમાં ઝાડ વાવવાનું કરીશું.

વૃક્ષઉછેર માટેની અમારી નવી ટીમ પણ આ માટે તૈયાર થઈ ગઈ છે..
આશા છે ઉત્તમ કરવાની..

ને હે મા ધરતી તારુ દીધેલું વાલી મા તુજ ને ધરાવું.... 
એવી શુભ ભાવના સાથે સમગ્ર ધરતી પુત્રો તારી પીડા સમજે ને તારુ દોહેલું તને પાછુ આપે એવી તને જ પ્રાર્થના...
#MittalPatel #VSSM ##environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation

VSSM's Water Management initiative has helped make progress in making the marginalized inclusive...

Mittal Patel discusses WaterManagement with the villagers
Mittal Patel meets the peeple of Shirwada Village
Many a times we get asked why did we initiate community water management efforts? An organisation working with the extremely marginalised nomadic and de-notified communities now involving itself in deepening of lakes and talking about raising the ground water-table in water starved regions of north Gujarat came as a surprise to many. But as we have written about it earlier, VSSM was required to engage in water management task to build an inclusive environment for the discriminated communities especially the nomads. Banaskantha is a district that records high concentration of nomadic settlements.  It is also a very feudal towards its approach towards the poor and down trodden. Non-availability of  water is a major issue in this dry, arid and drought prone district. The idea was to initiate a dialogue around water and build their sensitivity not just towards water,  but also the marginalised communities surviving around them. Also the communities who are at the bottom of the social fabric find it extremely difficult to access such life sustaining resources when they are subjected to hostile behaviour  of the villagers.
The lake deepened with the help of VSSM


Water is such issue that it is high time we give it the priority it deserves. Or we rest assured on the coming times that might witness water conflicts. Once we began talking about water, the farmers and village elders began calling us to work in their village. During our talks and meetings with them and the village leaders we would emphasis on how they can in turn work towards the poor from their village, how the village leadership can be more empathetic towards the nomadic and other communities who survive at the margins.

The current living condition of Valmiki Families

We had worked towards deepening of lakes in Shirwada village of  Kankrej block in 2018. Karshanbhai Joshi, the Sarpanch of the village is an extremely humble and polite gentleman. I would call him an ideal Sarpanch. He never hesitated to spend his own resources apart from the government’s for the welfare of the poor and development of the village. Someday I am going to write an article on him.

The current living condition of Valmiki Families
When we were conducting primary meeting in Shirwada, he mentioned to us about the homeless Valmiki  families of his village who survive under extremely poor conditions. Karshanbhai requested us to help him get them house. These families had erected shanties on whatever little space they found around the village. Some even stayed on the government wasteland. We requested for the records of the kuccha houses/shanties these families had built. Once the records are available we could apply to the government for obtaining assistance for construction of  houses. Karshabhai has initiated the process for the same.

Recently, Karshanbhai also requested us to talk to the government  authorities regarding primary issues of these families like ration cards etc. He has been trying his best as a Sarpanch but requested for our involvement in these matters as it might substantiate the efforts.  VSSM’s Naran will work on these matters.

This is one of the examples of how our initiative for water has helped make progress in making the marginalised inclusive. Yes progressive, compassionate  and broadminded leaders like Karshanbhai are a big asset in such progress.

We are hopeful that the 50 Valmiki families of  Shirwada obtain their permanent houses. And hope tribe of Sarpanchs and leaders like Karshanbhai increases.

The current living conditions of Valmiki families and the meeting we had the families. And the lake VSSM helped deepened.

કોઈ પણ કામ કરતા પહેલાં તે કામ કરીને શું મેળવવું છે તેનો પ્રથમ વિચાર કરવો પડે.
તળાવ ઊંડા કરાવવાનું કામ ખુબ અગત્યનું પણ અમે વિચરતી જાતિઓ સાથે કામ કરીએ તે કામ કરતા તળાવોનું કામ ઘણું નોખું.
જો કે પાણીનું કામ નહીં કરીએ તો આવનારા સમયમાં ટકવું મુશ્કેલ થશે એ વિચાર સાથે પાણીનું કામ અમે શરૃ કર્યું. પણ મુખ્ય ધ્યેય પાણીના કામથી ગામના વંચિતોને શું ફાયદો થશે તે વિચારી તળાવના કામો સાથે વંચિતોના કામને જોડ્યું.
ગામના ખેડુતોની વિનંતી પોતાના ગામમાં તળાવ ઊંડુ કરવા માટે આવે. એ પછી અમે ગામલોકો સાથે બેઠક કરીએ અને સંસ્થાના કામનો મુખ્ય ધ્યેય વંચિતોને મદદનો એ જણાવીએ. અને ગામના વંચિત- ગરીબ પરિવારને ગામ તરફથી વિશેષ શું મદદ મળશે તે અંગે વાત કરીએ.

કાંકરેજના શીરવાડાગામમાં અમે 2018માં તળાવ ખોદાવ્યું. સરપંચ કરશનભાઈ જોષી તો એકદમ ભલા માણસ. સરકારના પૈસા ઉપરાંત પોતે પણ ગામ વિકાસમાં પૈસા ખર્ચે. આદર્શ સરપંચ કેવા હોય તે જોવા માટે તો શીરવાડા જવું પડે. તેમની સેવાકીય પ્રવૃતિઓ વિષે પણ એક લેખ લખીશું.

તળાવ ખોદકામ માટે શીરવાડામાં મીટીંગ થઈ તેમાં તેમણે પોતાના ગામના વાલ્મીકી સમાજના પચાસ પરિવારો કે જેઓ અત્યંત ખરાબ હાલતમાં રહી રહ્યા છે તેમનું પાકુ ઘર બને તે માટે મદદ કરવા કહ્યું.
આ પરિવારોએ જ્યાં જગ્યા મળી ત્યાં કાચુ ઘર કે છાપરુ બાંધી દીધેલું. ટૂંકમાં જગ્યા માલીકીની નહીં. આ ઉપરાંત કેટલાક પરિવારો એવા પણ હતા કે જેમણે સરકારી ખરાબામાં છાપરાંવાળી દીધેલા. 
સરપંચ શ્રી કરશનભાઈને અમે આ પરિવારોએ છાપરાં કે કાચા ઘર બાંધ્યા છે તેની આકારણી આપવા કહ્યું. આકારણી મળે તો ઘર બાંધકામ માટે સરકારમાંથી મદદ મળી શકે.
સરપંચે હા પાડી અને એમણે એ માટેની પ્રક્રિયા પણ હાથ ઘરી.
તાજેતરમાં આ પરિવારોના પ્રાથમિક પ્રશ્નો જેવા કે રેશનકાર્ડ અને અન્ય બાબતે વાત કરવા સરપંચે અમને વિનંતી કરી. ખુબ તકલીફમાં જીવતા આ પરિવારોને સરપંચ એમની રીતે મદદ કરે પણ સંસ્થાગત રીતે સરકારી કામકાજમાં મદદ કરવા એમણે અમને વિનંતી કરી. 
કાર્યકર નારણ તેમને આ બાબતે વધુ મદદરૃપ થશે. 
ટૂંકમાં તળાવોના કામની સાથે વંચિતોના કામો થાય તે જોવાનું અમે કરીએ આવામાં કરશનભાઈ જેવા દરિયાદીલ સરપંચનો સાથ મળે તો ઉત્તમ કામ થાય તે નક્કી.

ગામના 50 વાલ્મીકી પરિવારોને પોતાનું ઘર ઝટ મળે તે માટે અમે કટીબદ્ધ સાથે દરેક ગામના સરપંચ શિરવાડા સરપંચ જેવા બને તેવી અભ્યર્થના...

ફોટોમાં વાલ્મીકી સમાજ સાથે થયેલી બેઠક તેમજ આ પરિવારો જે હાલતમાં રહી રહ્યા છે તે અને અમે ખોદાવેલું તળાવ.

#MittalPatel #VSSM #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation #Valmikicommunity #positive_approach #unto_the_last #Empathy