Monday, February 20, 2017

The water management works initiated by VSSM

Shri Rashminbhai Sanghvi interacted with the community
members to resolve the concerns and doubts
Almost a year back VSSM took the idea of water conservation through rain water harvesting and lake revival to the village communities of Banaskantha, the concept was foreign to them and hence received a very lukewarm response. We began with one village but, as time progressed and more communities got to understand about the benefits of recharging the ground water VSSM started receiving requests for lake revival from Nanol, Paradar, Karnasar etc. This season we have depended 2 lakes in Nanol village. The communities have come forward, are contributing according to their ability and working towards preserving their water resources…. With more and more villages joining in  we could sense that communities have resolved to work towards such efforts. And we couldn’t be happier!!

The concept and efforts have been conceived by our respected Shri. Rashminbhai Sanghavi, who was amidst the communities recently to monitor and guide the ongoing efforts. He interacted with the community members to resolve the concerns and doubts they posed.

We are grateful to our donors who have supported us in pursuing this initiative…

Vssm દ્વારા બનાસકાંઠામાં વોટર મેનેજમેન્ટના કામો શરૃ થયા

Vssmએ થરાદના ગામોમાં તળાવો ઊંડા કરાવવાનું કામ શરૃ કર્યું છે. જે અંતર્ગત આ સિઝનમાં નાનોલમાં બે તળાવ ખોદાયા. આ કામને શરૂઆતમાં જોઈએ તેવો પ્રતિસાદ નહોતો મળતો પણ હવે તો નાનોલ, પડાદર, કરણાસર, આસોદર વગેરે ગામના લોકો પણ પોતાના તળાવો ઊંડા કરાવવા વિનંતી કરી રહ્યા છે. 
પરંપરાગત જળસ્ત્રોત સચવાય તે માટેની ઝૂંબેશમાં વધારે લોકો જોડાઈ રહ્યા છે અને પોતાની રીતે ફાળો પણ આપી રહ્યા છે તેનો આનંદ છે.

તળાવોના કામને જોવા માટે અને માર્ગદર્શન  આપવા મુંબઈથી આવેલા આદરણીય શ્રી રશ્મિનભાઈ સંઘવીએ ગામલોકો સાથે તળાવો ઊંડા કરવા સંદર્ભે વધારે વિગતે વાતો કરી જે ફોટોમાં જોઈ શકાય છે. આ કામો માટે મદદરૂપ થનાર દાતાઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ.

Friday, February 10, 2017

Will this be the final round to a government office, before families from 15 nomad settlements obtain their caste certificates !!

Nomadic Families with VSSM Co-ordinators spoke at
length at Department of Social Justice and Empowerment
Since last one year, families from 15 nomadic settlements of Rajkot and Morbi districts have been struggling to acquire their caste-certificates. Until now they have made several fruitless rounds of several offices and yet there were little chances of their requests being heard. We took our complaint in this regard to the Additional Secretary, Department of Social Justice and Empowerment and requested for issuance of direction that only the Social Welfare Officer would issue certificates to these families. The Additional Secretary is a very positive individual, he said “I would issue such an instruction but only when I scrutinize the applicants and feel that they truly deserve the caste certificate!! I know VSSM is doing a wonderful job for these communities and it must have taken all measures to ensure the authenticity, but I will need to examine the applicants one!!”  

Nomadic Families gathered at VSSM office and spoke about
 their other issues
On 7th February, 20 leaders from 15 settlements of Rajkot and Morbi reached our office while on their way to Gandhinagar to make an appearance before the Additional Secretary. They had numerous questions in their minds, why are they required to face such close examination?? Why aren’t any of their applications sanctioned easily?? Their questions were answered, the Additional Secretary also instructed the District Welfare Officer to do the needful.

All we need to don now is wait!! Wait, is something we always do. These individuals should not have been called all the way  from Morbi and Rajkot, a local official visiting the families would have sufficed the need of scrutiny. We are concerned with the certificates and if one more round of a government office would make that happen we had no choice but to make that round!!

રાજકોટ અને મોરબી જિલ્લામાં રહેતા લગભગ 15 વસાહતના લોકો જાતિપ્રમાણપત્ર મેળવવા છેલ્લા 1 વર્ષથી જુદી જુદી કચેરીના ધક્કા ખાય છે પણ તેમને પ્રમાણપત્ર મળતું નથી. ગાંધીનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સચિવ શ્રી સમક્ષ આ બાબતે રજૂઆત કરી અને સમાજ કલ્યાણ અધિકારી જ આ જાતિઓને પ્રમાણપત્ર આપે તેમ સૂચના આપવા વિનંતી કરી. અધિકારી ખુબ સારા તેમણે કહ્યું, ‘હું સૂચના આપીશ. પણ એક વખત આ 15 વસાહતના લોકો મારી નજર તળેથી જવા જોઈએ એ ખરેખર હકદાર હશે તો હું મારા અધિકારીને સૂચના આપીશ. vssm સારુ જ કામ કરે છે. તમે ચકાસણી કરી જ હશે છતાં એક વખત...’ 

તા.7 ફેબ્રુઆરીના રોજ રાજકોટ અને મોરબીના 15 વસાહતમાંથી 20 આગેવાન અધિકારીની નજર હેઠળથી પસાર થવા ગાંધીનગર જવા અમારી ઓફીસ આવ્યા. બધુ સરળતાથી અમને કેમ ના મળે તે પ્રશ્ન સાથે તેઓ અધિકારીને મળ્યા. સાંત્વના મળી. અધિક સચીવ શ્રીએ જે તે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીને સૂચના પણ આપી છે. જોઈએ હવે પ્રશ્ન ઉકેલાય છે કે કેમ..


આમ તો વસાહતમાં જઈને અધિકારી તપાસ કરે ને તોય તે ખરેખર હકદાર છે કે કેમ તેનો ખ્યાલ આવી જાય ત્યારે છેક રાજકોટ અને મોરબીથી વિચરતી જાતિના આ લોકોને ધક્કા ખવડાવવાનું કેટલું યોગ્ય છે? ખેર કામથી મતલબ છે. એમ કરતાય પ્રમાણપત્ર નીકળે તો બધુ લેખે લાગશે.


vssmઓફીસ પર તેમના પ્રશ્નોની વિગતે વાત કરી અને ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં પોતાની મૂંઝવણની રજૂઆત કરી જે ફોટોમાં જોઈ શકાય છે.


Wednesday, February 01, 2017

The police officials frequenting the Dafer settlements….

The current living conditions of  Dafer families
Since last few days some unusual activity by police in the Dafer settlement of Vijapur has left the community a bit unsettled and edgy. The police are making rounds to examine whether the Dafer individuals that had been associated with unruly past are spending the night in the settlement!! The community members are unable to understand the reasons for such frequent visits by the police officials.  Those accused in the past have served their sentences and are leading a life of honor and dignity by putting in hard work to earn a dignified living. So why than are the police frequenting their settlement when they have left their past far behind.

“It has been an uphill task to improve our image before the society, we have begun securing some work in Vijapur but of course the villagers aren’t yet prepared to allow us residency in their village nonetheless things were looking brighter. But now with the police visiting our settlement so often the villagers have started questioning us. They are getting the impression that are involved in some kind of unlawful activity. We are not liking this constant need of having to prove ourselves and our innocence. Why can’t people think of us as humans and not mere criminals??” requested Umarbhai Dafer, the Dafer community leader of Vijapur.

VSSM endeavors tirelessly for the welfare and development of the Dafer community and such incidents leave us with no choice but to address such frequent outbursts by writing to the top police officers, in this case to the DGP, requesting them to stop treating these families as criminals and initiate the process of allotting them residential plots. We are awaiting their reply…..

The picture reveals the current living conditions of these families, hope the government takes some proactive measures to change the fate of these extremely impoverished families…

The picture has been captured by UK based Shri. Bharatbhai Patel, an extremely compassionate human being and one of our close friends and well-wisher. His compositions share insights into the lives of these extremely marginalized human beings.

ડફેર વસાહતોમાં ફરી પોલીસ

છેલ્લા કેટલાક સમયથી વિજાપુર ડફેર વસાહતમાં રોજ રાતના પોલીસનું આવવાનું શરૃ થયું છે. જે ડફેર ભૂતકાળમાં ગુના સાથે સંકળાયેલા હતા તેઓ વસાહતમાં રાત્રી દરમ્યાન રહે છે કે કેમ તેની તપાસ કરવાની સૂચના પોલીસને આપવામાં આવી છે. 

ભૂતકાળમાં જેમના માથે ગુના હતા તે બધા તો સજા ભોગવી ચુકવ્યા છે અને હવે તો મહેનત મજુરી કરે છે. ગુનાહીત જીંદગી તેમણે છોડી દીધી છે ત્યારે પોલીસનું આવું વર્તન સમજાતું નથી.

વિજાપુરના ડફેર આગેવાન ઉમરભાઈ કહે છે, ‘માંડ માંડ અમારી છાપ સુધરી છે. વિજાપુરમાં હવે કામ મળતું થયું છે છતાં આસપાસના ગામલોકો હજી પોતાના ગામમાં કાયમ વસાવવા રાજી નથી. પોલીસની નીત વસાહતમાં હાજરીથી લોકો હવે તમે પાછા આડા રસ્તે ચડી ગ્યા તેવું પુછે છે. આ નથી ગમતું અમે માણસ છીએ તેમ ગણીને અમારો સ્વીકાર કેમ નથી કરવામાં આવતો? અમને ગુનેગાર તરીકે જોવાનું બંધ કરવા અનુરોધ કરીએ છીએ..’

vssm આ પરિવારોને પડતી હાલાકી દુર કરવા દિવસ રાત મથે છે ક્યારેક હવે બધુ ઠીક થયું છે તેવું લાગે ત્યાં પાછા આવા ગતકડાં શરૃ થાય છે ખેર અમારે તો પ્રયત્ન કર્યા કરવાનો છે. ડી.જી.પી.ને ઉમરભાઈની ભાષામાં આ પરિવારોને ગુનેગાર તરીકે જોવાની જગ્યાએ માણસ તરીકે સ્વીકારી તેમના વસવાટના પ્રશ્નને ઉકેલવા લખ્યું છે. જોઈએ શું જવાબ આવે છે.

ફોટોમાં જે સ્થિતિમાં આ પરિવારો રહે છે તેને બદલાવવા સરકાર કોશીશ કરે તેવું ઈચ્છીએ છીએ..
ભરતભાઈ પટેલ જેઓ યુકેમાં રહે છે અને દર વર્ષે વિચરતી જાતિઓની સ્થિતિ અને vssmઆ પરિવારો સાથે થયેલા કામોનું ફોટોશુટ કરે છે. ડફેરની સ્થિતિનો ફોટો પણ તેમણે જ ક્લીક કર્યો છે. આભાર ભરતભાઈ

Friday, January 27, 2017

This is how elderly view VSSM’s contribution….

Kalubhai Meer of Bhildi with
Mittal Patel
“In this time and age, we need to prove on paper who we are!! In the bygone days, no one asked for such proofs. Humans weren’t required to prove who they are!! Now, we need documents and cards with our picture on it!! Since we keep wandering through woods and villages, no one would come forward to verify our identity and we do not stay at one place for long so how can we even think of getting obtaining such documents. But, we found you and you helped us find our way through these processes and we found our Aadhaar!!” such honest revelations by our elderly Kalubhai Meer of Bhildi who just acquired Aadhaar card.

''અમે કુણ એ ઓમ કાગળ ઉપર સાબિત કરીને આલવું પડે એવો આ જમાનો... 

વગડે વગડે રખડીએ એટલે કોઈ સાબિતીયે ના આલે કે આ કરશન કે આ કાળુ..
પેલા આ બધુ ચો જોતુ તુ.. મનેખ સીએ એ જ ઓળખોણ પુરતી હતી..
પણ હવે તો મનેખના નામ હાથેના ફોટોવાળુ કાગળપતર હૌ મોંગે...
વગડે વગડે આખો જનમારો રઝળનારા અમન આ બધુ ચેવી રીતે મલ..
પણ તમે બધા જડ્યા એટલ અમન ઓધારોય જડ્યા..
આ લો જુઓ નારણભઈએ ઓધારકેડ કાઢી આલ્યા.."

આવી સરસ વાત કરીને ભીલડીના કાળુભાઈ મીરે પોતાને આટલી ઉંમરે પહેલીવાર મળેલો આધાર બતાવ્યો....



And the police continue their unwarranted behavior towards the Dafer…

Mohammadbhai Dafer meets Mittal Patel to talk
about the harrasment they have been facing
 “Ben, the Nadiad police has arrested my brother. It has been days and we haven’t heard anything from them!! We live in the dangaa at Pisavada. Since last one week the S. O. G. Sarkhej and L. C. B. A. Nadiad have been frequenting our dangaa daily. The villagers have been very cooperative so far but, now they have begun doubting us. They have been inquiring of reasons why the police are frequenting us so much. You are trying to help us settle permanently in this village, the villagers were also willing to do that until now but since these frequent visits by the police they have now refused to process our income proofs,” narrated a rather anguished Mohamadbhai, who was at VSSM’s office to request our intervention.

VSSM has facilitated the process of applications for allotment of plots to 13 Dafer families living in Pisavada village of Dholka block. The revenue officer was to issue the income proofs required for the same. Sarpanch and the entire village was looking forward to allow these families allow permanent settlement in this village. However, the police reached Pisavada village with regards to a loot that had taken place in Kheda town. On 17th December the police arrested Surabhai Sadikbhai Dafer, a resident of Pisavada who was employed on a farm in Dholka. Surabhai was clueless on the reason for his arrest. When the police had reached the farm to arrest Surabhai, its owner Johnybhai called up Mohammadbhai, telling his to leave the farm as he was not interested in getting into the police issues. Similarly, Mohammadbhai’s son was also terminated from his job after police reached his workplace in Dholka town.

On 19th December, Mohammadbhai visited the office to talk about the recent harassment they have been facing. “We do not want to guard the boundaries, the police kept bothering us continuously when we were guarding the boundaries, demanding weapons that they thought we possessed.   Now we have moved to doing other jobs and the police has reached our workplaces here as well. So how will we earn our living? Ben, please help!! This way the villagers will also remove us from their village!! The police talk filthy with the women in our dangaa. We are supposed to tolerate this nonsense just because we are Dafer!” 55 years old Mohmmadbhai was in tears when he narrated all these episodes. The constant fear and anguish these families faced is heart breaking.

Mohammadbhai spent 4 hours in our office. When we asked him to  accompany VSSM team members to the Nadiad L. C. B. office the next day, he refused out of fear saying, “what if they arrest me as well?” If only for once the police decide to consider and treat the Dafer as humans!!!

We assured Mohammadbhai there was no need for him to fear. On 21st December 2016, accompanied by  VSSM’s Jayanatibhai and Tohid, Mohammadbhai reached L. C. B. Nadiad. The trio tried speaking to the police officials present in the office but none of them was prepared to listen to what visitors had to say. However, after we talked of VSSM’s work with the Dafer, how VSSM has been in constant touch with the DGP’s office in Gandhinagar on the issues concerning police harassment to innocent Dafer families and we might also need to talk about this episode to the DGP, did the officials pay heed to our talk. After listening to our team members and Mohamadbhai the PI adopted a mellower approach, “I know the Dafer engage in petty thefts to meet their hunger pangs but they never part of big loots. I too would like to see these families earning and flourishing well,” said the PI before calling Surabhai. “We had brought him for normal interrogation, he is innocent and you may take him along with you.” Mohammadbhai could not believe his ears, the entire episode coming to an end so easily!! When the team and Surabhai were about to leave, the PI invited them for a lunch. The team politely refused to the invite but the officer insisted. All of them later dined at a good restaurant. The PI was appreciative of VSSM’s endeavors for these communities.  
 
VSSM's Tohid with Surabhai Dafer
Mohammadbhai was struggling to comprehend the events. Releasing Surabhai without any problems, the PI hosting them for a lunch and such compassionate approach of the officials was difficult to digest for Mohammadbhai. “The police never fear anyone, they always put us behind bars and find multiple fake reasons that would keep us in jail forever. And they just released Surabhai without any questions!!” All we had to say to the questions that were Mohammadbhai was popping out, “ You all are ignorant about law and the police take advantage of this ignorance. Your illiteracy and ignorance allows them to intimidate you all, your fear does not permit you to ask questions, begin to ask questions and the police too will decide to ast differently!!”
 
We aren’t sure if Mohammadbhai and Surabhai absorbed all that the team told them, but there was immense joy reflecting on their face as if they were successful in saving a prey from a lion’s hold!!
 
Whenever I visit Dafer settlement they invariably tell me, “VSSM has brightened our present. Earlier, we survived in the woods and loitered around like animals! But, things have changed now.” Such honest confessions do brighten up our day but, it also raises questions like what about the families that VSSM hasn’t reached yet?? Everyday there are instances of Dafer been harassed by police, how would they find a relief, who helps them??
 
Hope police officials around the state understand and execute the ‘Suraksha Setu Program’ with utmost honesty…..
 
‘બેન મારા ભાઈને નડીયાદ પોલીસ પકડીને લઈ ગઈ છે. પાંચ દી થ્યા એના કોઈ વાવડ નથી. પીસાવાડાગામમાં અમારા ડંગા છે અને ગામલોકો પણ અમને હારુ રાખે છે. પણ છેલ્લા અઠવાડિયાથી સરખેજ એસ.ઓ.જી. અને નડિયાદ એલ.સી.બી.એ. ઉપાડો લીધો છે. નિત ડંગામાં પોલીસ આવે છે. હવે તો ગામના લોકો પણ પુછે છે કે, તમે કાંઈ કર્યું નથી ને?અમને ગામમાં કાયમ વસાવવા તમે પ્રયત્ન કરો છો ને બેન, ને ગામના લોકો પણ એ માટે રાજી થઈ ગ્યાતા. પણ હવે એમણે આવકના દાખલના કાઢી આપવાની ના પાડી.’

પીસાવાડાથી મોહમ્મદભાઈ vssm ઓફીસ પર આવ્યા અને ખુબ વેદના સાથે આ વાત કરી. vssmએ ધોળકા તાલુકાના પીસાવાડામાં રહેતા 13 ડફેર પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે અરજી કરી હતી અને તે માટે આવકના દાખલા તલાટી આપવાના હતા. સરપંચ અને આખુ ગામ આ પરિવારોને મદદ કરવા રાજી હતું પણ ખેડામાં થયેલી લૂંટના કિસ્સામાં પોલીસ છેક પીસાવાડા પહોંચી ગઈ અને આ ગામમાં રહેતા અને ધોળકામાં જોનીભાઈના ફાર્મમાં કામ કરતા સુરાભાઈ સાદીકભાઈ ડફેરને તા.17 ડિસેમ્બરના રોજ સવારે છ વાગે લઈ ગઈ. સુરાભાઈને તો ખબર નહોતી કે પોલીસ કેમ એમને પકડીને લઈ જઈ રહી છે. સુરાભાઈને ફાર્મમાંથી પોલીસે ઉપાડ્યા એટલે ફાર્મના માલીકે મોહમ્મદભાઈને બોલાવીને પોલીસના લફરા અમારે ના જોઈએ હવે પોલીસ આવશે તો તમારે ખેતીકામ છોડવું પડશે એમ કહ્યું. તો સામે મોહમ્મદભાઈનો દીકરો ધોળકામાં જ્યાં કામ કરતો ત્યાં પણ પોલીસ ગઈ એટલે માલીકે તેને કામમાંથી કાઢી મુક્યો.

મોહમ્મદભાઈ તા.19 ડિસેમ્બરના રોજ ઓફીસ આવ્યા અને પોલીસ દ્વારા થઈ રહેલી હેરાનગતિની વાત કરી. ‘પોલીસ જો આવું કાયમ કર્યા કરશે તો અમને કામે કોણ રાખશે. અમારે સીમરખોપું નથી કરવું. મહેનત મજુરી કરીને જીવવું છે. સીમમાં રહીએ તો પોલીસ વધારે હેરાન કરે અમે એમાંથી માંડ છૂટયા છીએ ત્યાં પાછુ આ લફરુ? બેન કાંક કરો.’ આ રીતે જો પોલીસ ડંગામાં અને જ્યાં તેઓ કામ કરે છે ત્યાં રોજ આવતી રહેશે તો એમને ગામમાંથી અને કામ પરથી કાઢી મુકશે તેવો ભય લાગી રહ્યો છે. 

બેન જીવતરમાં ધુળ પડ્યા જેવું લાગે છે. પોલીસ ડંગામાં આવીને અમારી બેન દીકરીઓને કેવું બોલે. લોહી ઉકળે પણ અમારે એ સહન કરવાનું. અમે ડફેર છીએ એટલે આ બધુ ચલાવવાનું. આટલું બોલતા તેઓ રડી પડ્યા. 55 વર્ષના મોહમ્મદભાઈને આ રીતે રડવું પડે કેટલી વેદના એમને થતી હશે. પોલીસ ડફેરને માણસ તરીકે જોવા જ જાણી રાજી નથી તેવું લાગ્યા કરે.

ચાર કલાક મોહમ્મદભાઈ ઓફીસ પર બેઠા. સુરાભાઈ સાવ નિર્દોષ છે એને છોડાવવા એમણે વિનંતી કરી. અમે કહ્યું કે, કાલે નડિયાદ એલ.સી.બી.ની ઓફીસમાં તમે vssmના કાર્યકર સાથે જશો? એમણે એ માટે ના પાડી. ‘પોલીસ મને બેસાડી દેશે’ તેવો ભય તેમણે વ્યક્ત કર્યો. 

કોઈનાથી ડરવાની જરૃર નથી તેવું કહીને મોહમ્મદભાઈને હીંમત આપી. 21 ડિસેમ્બર 2016ના રોજ vssmના કાર્યકર જયંતીભાઈ અને તોહીદ સાથે મોહમ્મદભાઈ નડિયાદ એલ.સી.બી. ઓફીસ પહોંચ્યા. ઉપસ્થિત પોલીસકર્મી સાથે વાત કરવા કોશીશ કરી પણ તેઓ કશું સાંભળવા રાજી નહીં. પણ પછી ડફેર સાથેનું કામ, ગાંધીનગર ડી.જી.પી.ઓફીસમાં અમે આ બાબતે વારંવાર લખીએ અને જરૃર જણાય ત્યારે બેઠક કરીએ તેવું જણાવી અહીંયા સરખો જવાબ નહીં મળે તો સીધા ગાંધીનગર જવાની વાત કરી. એટલે તેઓ ઠંડા પડ્યા અને પછી સાથે બેઠા. કાર્યકર અને મોહમ્મદભાઈની આખી વાત સાંભળી પી.આઈ. પણ ઢીલા પડ્યા. ‘મને ખ્યાલ છે કે ડફેર નાની મોટી લૂંટ અને એ પણ પેટ ખાતર કરે. મોટી લૂંટમાં એ લોકો કોઈ દી ના હોય. મને પણ આ લોકો સુધરે એમાં રસ છે.’ તેમ કહીને તેમણે સુરાભાઈને બોલાવ્યા અને કહ્યું, ‘અમે આને પુછતાછ માટે જ લાવ્યા હતા બાકી એ નિર્દોષ છે. તમ તમાર એને લઈ જાવ.’ મોહમ્મદભાઈને કલ્પના પણ નહોતી કે, આ બધુ આમ આટલી સરળતાથી પતશે. સુરાભાઈ સાથે કાર્યકર નીકળતા હતા ત્યાં પી.આઈ.એ તેમને જમીને જવા કહ્યું અને તેમને સરસ હોટલમાં આટલું સારુ કામ કરો છો અને કાયમ કરતા રહો તેવા ભાવ સાથે જમાડ્યા પણ ખરા. 

આખી ઘટનામાં સુરાભાઈનું આટલી સરળતાથી છૂટવાનું અને પોલીસનું મોહમ્મદભાઈ, સુરાભાઈ અને કાર્યકરોને હોટલમાં જમાડવાનું મોહમ્મદભાઈને બહુ પચતું નહોતું. ‘પોલીસ કોઈથી ડરે નહીં અમે ના કરેલા કેટલાય ગુના અમારા માથે મારી મચળીને બેસાડી દે. ત્યાં આટલી સરળતાથી સુરાભાઈને છોડી દેવાનું?’ મોહમ્મદભાઈના પ્રશ્નોના જવાબમાં અમે એટલું જ કહ્યું, ‘તમે કાયદો જાણતા નથી. ડર લાગે છે એટલે એકની પકડીને લઈ જાય પછી આપણે પાછળ પુછવાય જતા નથી કે એને કેમ પકડ્યો? બસ એનો ફાયદો સૌ ઉઠાવે છે. એક વખત કારણ પુછતા થઈશું તો આ બધુ આપ મેળે ઓછુ થશે.’

અમારી વાત કેટલી ગળે ઉતરી તેનો ખ્યાલ નથી પણ પોતાનો ભાઈ જેને મોહમ્મદભાઈ સાવ ભોળો કહે તેને આમ ઘરે લઈ જતા તેમના મોંઢા પર જે રાજીપો હતો અને એ રાજીપામાં સિંહના મોંઢામાંથી હરણને છોડાવી લાવ્યાની અનેરી ખુશી પણ હતી. 

ડફેરોની વસાહતમાં જઉ ત્યારે તેઓ હંમેશાં કહે કે, ‘તમારા(vssm) આવવાથી ડફેર સમાજનું સારામાં સારુ વર્તમાન છે. પહેલાં કેવા બાવળોની વચમાં, જંગલમાં નીલગાયની ઘોડે પડ્યા રેતા પણ હવે બધુ બદલાયું છે.’ આ સાંભળીએ ત્યારે રાજીપો થાય પણ પછી પ્રશ્ન પણ થાય કે, શું તમામ ડફેર પરિવારોને અમે મદરૃપ થઈ શકીએ છીએ? નિત ડફેર અને વિચરતી જાતિઓમાંના કેટલાય પોલીસની ઝપટમાં કોઈ જ કારણ વગર આવી જતા હોય છે. આ તમામની અમારા સુધી પહોંચ છે? જેઓ અમને જાણે છે તે અમારી પાસે મદદ માટે આવે છે અને અમે શક્ય મદદ કરીએ છીએ પણ જે જાણતા નથી તેઓની દશા શું છે તેનો તો ખ્યાલય નથી... 
ખેર પોલીસ તેમના સુરક્ષાસેતુ કાર્યક્રમને બરાબર સમજે તેવી ઈચ્છા રાખીએ....

ફોટોમાં vssmકાર્યકર તોહીદ સાથે સુરાભાઈ







Monday, January 23, 2017

VSSM helps ease the processes Dafer families to obtain Voter ID cards…


The families who accompanied Tohid to meet the Mamlatdar
As per the guidelines issued by Government of India for sanctioning Voter ID cards to nomadic and de-notified tribes are not required to submit documents like school leaving certificate, any age or address proof to obtain Voter ID card. In fact,  VSSM has facilitated the application processes for thousands of individuals  from these communities, basis which they have received the Voter ID cards. Yet, there are instances when do come up with a list of documents these individuals need to submit.

Recently, we facilitated applications for members of 28 Dafer families residing in Jethal village from Gandhinagar’s Kalol block. The Additional Electoral Registration Officer sent a letter demanding a series of documents like school leaving certificate, address proof etc.  On the receipt of the notice VSSM’s Tohid accompanied by the applicants met the Mamlatdar and talked about the special provisions made by the government to facilitate the issuance of Voter ID cards homeless families. The mamlatdar did understand the matter and assured to do the needful. 

The notice received by the families
As Tohid mentions, “Obtaining a voter ID card is not much of an issue for these families now but, unless they do not receive the cards one always left wondering if the official really understood the clarifications provided.” We hope the Mamlatdar has absorbed our clarifications.

vssm દ્વારા ડફેર પરિવારોને મતદારકાર્ડ મળે તે માટે રજૂઆત કરવામાં આવી

વિચરતી જાતિના લોકોને મતદારકાર્ડ મેળવવા માટે જન્મતારીખના દાખલા, અન્ય ઉંમરના કે રહેઠાણના આધારોની જરૃર નથી તેવું ભારત સરકારની મતદારકાર્ડ મેળવવાની ગાઈડલાઈનમાં સ્પષ્ટ લખ્યું છે અને આ વિગતોના આધારે જ vssm દ્વારા હજારો મતદારકાર્ડ વિહોણા વિચરતી વિમુક્ત જાતિના લોકોને મતદારકાર્ડ અપાવવાનું થયું. છતાં ક્યાંક અધિકારીઓ હજુ આ વાત સમજતા નથી તેવા દાખલા પણ બને છે. ગાંધીનગર જિલ્લાના કલોલતાલુકાના જેથલજગામમાં રહેતા 28 ડફેર પરિવારોના મતદારકાર્ડ મેળવવા માટેના ફોર્મ ભરીને આપ્યા કે, મદદનીશ મતદાર નોંધણી અધિકારી દ્વારા આ પરિવારોના જન્મના પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા તબીબી પ્રમાણપત્ર તથા રહેઠાણનો પુરાવો વગેરે રજૂ કરવા માટે લખ્યું.

નોટીસ પછી vssmના કાર્યકર તોહીદ વસાહતના તમામ લોકોને રૃબરૃ લઈને મામલતદારને મળ્યા અને ભારત સરકાર દ્વારા ખાસ ઘર વિહોણા પરિવારોને મતદારકાર્ડ આપવા માટે કરેલી જોગવાઈ અંગે સમજાવ્યું ત્યારે જતા મામલતદાર આખી વાત સમજ્યા. 

તોહીદને લાગે છે કે, હવે કોઈ મુદ્દો નથી પણ જ્યાં સુધી મતદારકાર્ડ હાથમાં ના આવે ત્યાં સુધી ખરેખર અધિકારીના ગળે આ ઉતર્યું છે કે કેમ તે ખાત્રી પુર્વક ના કહી શકાય. આશા રાખીએ તે સમજે.

ફોટોમાં પુરાવા માટે મળેલી નોટીસ અને મામલતદાર કચેરીમાં vssmના કાર્યકર તોહીદ સાથે રજૂઆત માટે આવેલા પરિવારો

Monday, January 16, 2017

VSSM’s efforts towards water conservation in Banaskantha…..

Water Harvesting works in Nanol Village of Banaskantha
District
Respect for the elements that nurture life was at the core to the ancient wisdom. Our forefathers were conscious of the fact that humans and nature share a very symbiotic relationship, an obvious fact that most generations before us were much aware about. Hence most of our traditions, rituals and festivals were observed and celebrated to pay regards to this fragile yet life giving elements. However, our mad rush for development, questioning indigenous knowledge and negating traditional wisdom and belief systems have played havoc on the environment.  We have stopped worrying about the wellbeing of our precious natural resources. The collective greed has made us exploit the natural resources to unprecedented levels, we have just bothered to take from mother earth without caring to return it back! And we all are witness to the consequences this greed has brought us!!

Water – the life giving and the most precious of the elements. Life on earth is unimaginable without water and yet we have taken it so much for granted. Our ancestors had respected the value of water and hence developed all possible systems to harvest and preserve water. It was always used judiciously. The lakes, wells, step-wells, underground water tanks of the past centuries are a result of the methods adopted by them. But with passing times the traditional practices of collecting and protecting water were termed as outdated and irrational. The collective tasks taken up at the community levels for water harvesting have also become obsolete. Water that was earlier required to be fetched from village lakes or wells began reaching villages and homes through pipelines and taps. Hence, the need to maintain and restore the local water bodies was no longer felt by the community. The lakes and wells were always the chief source of drinking water and were regularly cleaned. No garbage or filth could accumulate near the lakes. The ill-kept wells began drying up and the lakes were either encroached upon or filled with silt and garbage. Since no one required their services these common properties have died a slow death!! Our farsighted fore-fathers understood the value of natural resources and respected its sources. Apart from a single large lake in the village they had also planned several other smaller lakes around the village periphery. But these lakes too have been leveled up and encroached upon!!
 
The trend of taking multiple crops through the year as against the rain-fed crops in the past,  has depleted the ground water levels to alarming levels. Uncontrolled, unmonitored drilling and installation of bore wells has almost finished off the underground waters that had accumulated over the centuries. The symbiotic relationship we share with nature has been shattered. We just bothered to take and consume and forgot to give back even fraction of what we have taken. Our earth’s belly is getting empty, the consequences of which are expected to be grave.  

The communities failed to realize and act upon the looming disaster but the government managed to wake-up on time and initiated series of efforts for water harvesting. The idea behind such multi-million rupees efforts was to make provisions and retain the water in the village itself. The results of which remain favorable only in the villages where the leaders were progressive and united. Everywhere else it was just a waste of resources where the allocated budgets were completely spent without any work happening on the grounds. And since all of this does not directly affect us we are hardly bothered to care about the disaster in waiting.

VSSM works with the nomadic and de-notified communities and these extremely marginalized communities are feeling the burn of mistakes made in the past. Hence we decided to initiate our efforts towards water harvesting and conservation under the able guidance of our mentor Shri. Rashminbhai Sanghvi, who holds deep understanding and expertise on the matters of water conservation. Under his guidance we have begun deepening the lakes in Tharad’s dry and arid areas that remain devoid of irrigation facilities.

Currently we are excavating two lakes in Tharad’s Nanol village. The beginning was challenging. Villagers and communities who have been conditioned to believe that everything is government’s responsibility weren’t convinced towards contributing for a common good. Nonetheless, we did succeed in convincing them towards creating a common fund to facilitate such endeavors of community’s own benefit. The same fund has been used to deepen the lakes on Nalol.

One of the most important reasons for distress migration or the rural-urban migrations is lack of water and its consequences. Such efforts for harvesting rain water and conserving it for longer period have become the need of the day. As a society, we have remained way behind in addressing such crucial issues. VSSM will continue to strive towards making life better for the nomadic communities through such sustainable initiatives and as always we shall keep you posted on the developments in this areas……

The water-harvesting works that is underway in Nanol can be seen in the picture….

vssm દ્વારા બનાસકાંઠામાં થઈ રહેલા જળસંચયના કામો

'જળ એ જીવન છે' એવું આપણે બોલીયે પણ જળસંચય માટે જે કામો પહેલા ગ્રામજનો દ્વારા સ્વયંમભૂ થતા હતા તે ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે. મૂળ તો સમાજનો વિકાસ થતો ગયો તેમ તેમ માણસે પોતાની સુખ સગવડ માટે નવા નવા પ્રયોગો કર્યા અને તેમાંથી જે પ્રયોગ સફળ થતા ગયા તેનું અમલીકરણ કરી પોતાની જીંદગી વધારે સરળ બનાવી. એટલે જુની પદ્ધતિ છૂટતી ગઈ અને જે ખરેખર કાયમ કરવાનું હતું તે બંધ થઈ ગયું. જેમ કે, પહેલાં પીવાનું પાણી ગામોમાં બહારથી નહોતું આવતું. પાઈપલાઈની સગવડ નહોતી. ના નર્મદા જેવા મોટા ડેમ બંધાયા હતા. એ વખતે પીવાનું પાણી ગામના કુવામાંથી, જે તળાવની બાજુમાં હોય ત્યાંથી ભરવામાં આવતું એટલે ચોક્કસ સમયગાળે ગામના આ કુવાને સાફ કરવામાં આવતો આવું જ તળાવોનું પણ થતું પણ હવે ગામના તળાવો અને કુવા પર આધાર રાખવાનું ઓછું થતું ગયુ. પાઈપથી પીવાનું પાણી મળવા માંડ્યું. એટલે ગામકુવો અને ગામતળાવ પેલી એક તુટેલા ટેબલની આત્મકથા જેવા બની રહ્યા છે.

આજ રીતે પહેલાં ખેતી ફક્ત ચોમાસામાં થતી. કુવા ગાળીને પણ ખેતી થતી પણ બોરવેલનો જમાનો નહોતો. ટેકનોલોજીએ તેમાં પણ કમાલ કરી અને પેટાળમાં પડેલા સદીઓ જુના પાણીને ઉલેચી બહાર કાઢવાની વ્યવસ્થા કરી આપી. બસ પછી તો માણસે એ પેટાળના પાણીને ઉલેચીને ખેતી કરવા માંડી. કોઠીમાં ભરેલા ઘઉં કાઢ્યા જ કરીએ અને કોઢીમાં નવા ઘઉં ઉમેરીએ નહીં તો શું થાય? આ વાત સમજવાનું જ ભુલી ગયા..
જે વસ્તુ કામની નથી હોતી તેના તરફ કોઈનું ધ્યાન નથી જતું બસ આવું જ કાંઈક ગામના તળાવોનું થયું. આપણાં ઘૈડિયા ખુબ સમજદાર હતા અને પાણીના મુલ્યને એ બરાબર સમજતા હતા. માટે જ ગામતળાવની સાથે સાથે સીમતળાવોની સંખ્યા પણ ગામમાં સારી એવી રાખી હતી. પણ એ બધા તળાવો ધીમે ધીમે પુરાઈ રહ્યા છે ક્યાંક તો ખેડુતોએ વધારે મેળવવાની લાલસાએ તેના પર દબાણ કર્યું એટલે તળાવો ખાડા જેવા બની ગયા છે. ટૂંકમાં પરંપરાગત રીતે થતા જળ સંચયના કામો બંધ થવા માંડ્યા.

સરકાર તો લોકોના કલ્યાણ અર્થે કામ કરે, એને પાણીનું મહત્વ ખબર હતી. પેટાળના પાણી સતત ઉલેચાશે તો એક દિવસ જમીન પોલી થઈ જશે ને એના પરિણામો ભયંકર આવશે.

ગામલોકો તો ના જાગ્યા પણ સરકારે વધારે સમજણ દાખવી ‘ગામનું પાણી ગામમાં રહેવું જોઈએ’ તેવા ઉમદા વિચાર સાથે તેમણે જળસંચયના કામો કરવાનું શરૃ કર્યું અને તે માટે કરોડો રૃપિયાના બજેટ ફાળવાયા. પણ ગામ સારુ ત્યાં આ કામ સરખુ થયું બાકી માણસની લાલચ એવી વધી ગઈ છે કે આ બજેટ કામ કર્યા વગર જ વપરાઈ જવા માંડ્યા. દુરગામી પરિણામો આપણે વિચારવા ટેવાયેલા નથી એટલે આ બધુ સ્વાભાવિકપણે થઈ રહ્યું છે.

VSSM તો વિચરતી જાતિઓ સાથે કામ કરે પાણી સંદર્ભે અમે કામ કરેલું નહીં પણ એવા પ્રંસગ ઊભા થતા એ મુદ્દે કામ કરવાનું થયું અને આદરણીય રશ્મિનભાઈ સંધવીની આ મુદ્દે ઘણી ઊંડી સમજનો લાભ અમને મળ્યો. તેમની નિગરાનીમાં જ અમે બનાસકાંઠાના થરાદ તાલુકાના એવા ગામો કે જ્યાં નહેરની સગવડ નથી ત્યાં તળાવો ઊંડા કરવાનું શરૃ કર્યું.

હાલમાં થરાદ તાલુકાનાં નાનોલ ગામના બે તળાવો ઊંડા કરવાનું કામ ચાલી રહ્યું છે. ગામના લોકો પણ આમાં આર્થિક સહયોગ કરે તેવું અમે નક્કી કર્યું. થોડું મુશ્કેલ હતું કેમ કે, આ કામ તો સરકાર કરે, પાણી જમીનમાં જશે અને ગામના તળ ઊંચા આવશે અમારા બોરવેલનેય ફાયદો થશે, વાત ખરી પણ આ ફાયદો મને એકલાને થોડો થવાનો આખા ગામને થવાનોને તો મારે શું કામ ફાળો આપવાનો? વળી આ તો સરકારે જ કરવાની તેમની ફરજ છે વગેરે જેવા પ્રશ્નો પણ થયા. પણ છેવટે અમે સમજાવી શક્યા એટલે ગામના લોકોએ પણ પોતાની રીતે ફાળો એકત્રિત કરવાનું નક્કી કર્યું, જે ભંડોળને તેમના જ તળાવો ઊંડા કરવામાં ખર્ચ કરીશું.
ગામડાં ભાંગી રહ્યા છે. એને ભાંગતા અટકાવવા જળસંચયના કામો થવા ખુબ જરૃરી છે. (આ મુદ્દે થઈ રહેલા રસપ્રદ અનુભવો લખતા રહીશું.)

ફોટોમાં VSSMમાં દ્વારા હાલ નાનોલ ગામમાં થઈ રહેલા જળસંચયના કામો


Presenting the long pending issues of nomadic communities to Rajkot District Collector

VSSM’s Kanubhai along with the community members
once again brought their complains to the Collector
Rajkot has large concentration of families belonging to nomadic and de-notified communities who continue to reel under the issues that these communities face elsewhere in the state. Since last 2-3 years, VSSM has been writing to the government to  bring resolutions to their long pending issues but haven’t yet achieved any outcome. Acquiring the basic documents like ration cards, caste certificates remain uphill tasks. If the Mamlatdar refuses to issue Caste-certificates the local officials refuse to entertain applications for issuance of ration cards!! There have been examples where the officials have asked us and the communities to stop visiting their offices with such applications!!  

We have been speaking to the District Collector in this regard but even his instructions haven’t eased the situation. On 2nd January 2017, VSSM’s Kanubhai along with the community members once again brought their complains to the Collector, who has promised to have a meeting with the concerned officials if the need arises.

The nomadic families have become edgy on the pending matters and it is time the authorities resolve their applications before they lose faith in the system!!

વિચરતી જાતિઓના પ્રશ્નો સંદર્ભે vssm દ્વારા કલેક્ટર શ્રીને રજુઆત કરવામાં આવી

રાજકોટ જિલ્લામાં વિચરતી – વિમુક્ત જાતિની વસતિ ઘણી વધારે છે. તેમના પ્રશ્નો પણ અઢળક છે. સરકારમાં છેલ્લા બે ત્રણ વર્ષથી સતત આ સમુદાયના પ્રાથમિક પ્રશ્નો ઉકેલાય તે માટે રજૂઆત કરી રહ્યા છીએ. પણ તે દિશામાં કોઈ કામ થતું નથી. જાતિપ્રમાણપત્ર આપવાની મામલતદારથી લઈને સમાજ કલ્યાણ અધિકારી ના પાડે. તો રેશનકાર્ડ માટે પણ એવું જ. ક્યાંક તો અમારી કચેરીમાં આવી રીતે રોજ રોજ નહીં આવવાનું એવું પણ અધિકારી કહેતા જોવા મળે. 

કલેક્ટરને અગાઉ પણ vssmએ ઉપરોક્ત બાબતે રજૂઆત કરી હતી. તેમણે સૂચના આપવા કહ્યું હતું પણ કશું થયું નહોતું. તા. 2 જાન્યુઆરી 2017ના રોજ ફરીથી vssmના કાર્યકર કનુભાઈ વિચરતી જાતિના લોકો સાથે કલેકટર શ્રીને મળ્યા અને રજૂઆત કરી. કલેક્ટર શ્રી એ ફરીથી આ બાબતે સૂચના આપવા જરૃર પડે અધિકારીગણ સાથે અલગ બેઠક કરવાની વાત કરી.

વિચરતી જાતિના પરિવારોએ સરકારી કચેરીના પગથિયા ઘસી નાખ્યા છે. તેઓ વધારે થાકે તે પહેલાં તેમના કામ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ.

ફોટોમાં રજૂઆત માટે ગયેલા કાર્યકર અને વિચરતી જાતિના લોકો



Tuesday, December 06, 2016

VSSM helps Vadi-snake charmer families obtain their Vatsalya cards….


Vadi families with their recently acquired Vatsalya card….
A few Vadi families have been staying in the Saarsana village in Surendranagar for many years now. While few families have been allotted plots in the village there are few who are still awaiting the sanctioning of the plots. The have been demanding the plots for years now but the villagers who had earlier shown willingness to allow Vadi families to settle in Saarsana are now opposing the allotment of plots to the remaining families.  The panchayat is reluctant to approve the allotment. So why have these village leaders who until now were very empathetic towards this community suddenly become reluctant?? This was something that we were struggling to comprehend. However, one day during discussion with these village elders revealed their  apprehensions,”The number of Vadi families staying here for now is enough, we don’t want Vadi strength  to grow in this village, what if a Vadi decides to contest an election, Saarsana is our village how can it have a Vadi sarpanch……!!!

They need not say more because rest was understood, even before they could voice their concerns. “We are prepared to give them in writing that we would not be contesting any elections in this village, just let us have a place to build a roof on our head!!” says Keshunath Vadi when he got to know about the feelings the village elders held..

VSSM and the Vadi families have been working to create a positive environment. The families who are awaiting the allotment of plots required documents of identity. Hence, VSSM’s Harshad initiated process of acquiring ration cards and voter ID cards for these families, recently 30 families received Vatsalya cards. We have also filed applications for the allotment of plots. We hope the panchayat adopts a more empathetic approach, they have mellowed down a bit and aren't opposing as fiercely as they did 4 years back. 

With the eternal prayer and hope that all such families get to have a decent roof to protect themselves and the team of VSSM continues to work with the same zest and spirit amidst all such hostile and moral bursting situations. 

VSSMની મદદથી વાદી પરિવારોને વાત્સલ્ય કાર્ડ મળ્યા
સુરેન્દ્રનગરના સારસાણા ગામમાં વાદી પરિવારો ઘણા વર્ષોથી રહે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક પરિવારોને ઘણા વખત પહેલાં રહેણાંક અર્થ પ્લોટ પણ ફાળવાયા હતા પણ હજુ કેટલાક પરિવારો બાકી છે જેઓ પણ પ્લોટ મળે તેની માંગ કરી રહ્યા છે. ગામના લોકોનો વાદી પરિવારો પ્રત્યેનો વ્યવહાર પણ સારો છે. પણ જે પરિવારોને પ્લોટ મળ્યા નથી તેમને પ્લોટ મળે તેની અરજી બાબતે પંચાયત સહમત નથી. આવું કેમ હંમેશાં સરકારી મદદની વાત આવે તો ‘વાદીઓને આપો એ બિચારા ગરીબ છે’ એવું કહેનારા આગેવાનો અન્ય વાદીઓના વસવાટોનો વિરોધ કેમ કરી રહ્યા છે તે સમજાતું નહોતું. આખરે એક વખત ગામના આગેવાનોએ કહી જ દીધુ કે, ‘વાદીના જેટલા પરિવારોને અહીં જગ્યા આપી છે એ બસ છે બીજા વાદીઓને વસાવીશું તો એમનું જુથબળ મોટું થશે અને પછી તો પંચાયતની ચૂંટણીમાં વાદી ધારે તો સરપંચ પણ થઈ શકે.  સારસાણા અમારુ ગામ એમાં આમ વાદી સરપંચ....’

આગળ કશું બોલ્યા નહીં પણ સમજાઈ ગયું. કેશુનાથ વાદી તો કહે કે, ‘આપણે લખીને આપીએ અમે કોઈ સરપંચની ચૂંટણીમાં ઊભા નહીં રહીએ પણ માથુ ઘાલવા બાપલા જગ્યા આલો.’ પણ એમ આ કાંઈ સરળ થોડું હતું.

આખરે ધીમે ધીમે બધુ ગોઠવાય તે માટેના પ્રત્નો અમે અને વાદીઓએ શરૃ કર્યા. જે પરિવારો પાસે પ્લોટ નહોતા તેમને પ્લોટ મળે તે પહેલાં તેમના રેશનકાર્ડ, મતદારકાર્ડ વગેરે બને તે જરૃરી હતું. vssmના કાર્યકર હર્ષેદ મહેનત કરીને આ બધુ કરાવ્યું. તાજેતરમાં 30 પરિવારોને વાત્સલ્ય કાર્ડ પણ મળ્યા. પ્લોટ માટેની અરજી હવે કરી છે. હાલ તો બધુ શાંત છે પંચાયત પણ વાદી પરિવારોની સ્થિતિ સમજશે તેવી આશા છે, આમ તો સમજ્યા છે એટલે 4 વર્ષ પહેલાં જે વિરોધ કર્યો હતો તેવો આ વખતે નથી કર્યો...

વિશ્વમાં જન્મનાર તમામને વાદીની ભાષામાં કહુ તો માથુ ઘાલવા ઘર મળે, સાથે ગુજરાતમાં રહેતા તમામ વિચરતી વિમુક્ત જાતિઓના ઘર વિહોણા પરિવારોને ઘર મળે તે માટે અમે સૌ આજ જુસ્સાથી કાયમ મથ્યા કરીએ તેવી પ્રબળ ભાવના અમારા સૌના મનમાં છે અને આ ભાવના સાકાર થશે તેવી શ્રદ્ધા પણ છે.
તાજેતરમા જ મળેલા વાત્સલ્ય કાર્ડ સાથે વાદી પરિવારો સાથે vssmના કાર્યકર હર્ષદ


Monday, November 21, 2016

VSSM prepares applications for the Saraniyaa families…...

Saraniya families prepping up for filing the applications...
Some time back VSSM made an appeal in the office of the District Collector for the allotment of residential plots to the Saraniya families living in Juna Devpura. The Mamlatdar has now responded asking us to prepare the applications and submit it to the concerned department. “Preparing each application is a time and money consuming effort, once the applications are filed the families become hopeful that some day they will have a plot to build a house of their own!! But when such hopes do not get fulfilled after  7-8 years, the dejection becomes very harsh to be absorbed. 

The Saraniyaa families  have now become hopeful, we wish this hope isn't crushed by the authorities.” VSSM’s Tohid hold a very upfront view about the whole situation.  Its not just Tohid but the entire team of VSSM that is disheartened by the way the local officials are responding to the needs of the poor. It  sluggishness is across the entire local bureaucracy..There are officials who respond immediately to our requests, they pass orders to their subordinates and assisting officials.. Like Mehsana Collector Shri. Alok Kumar, in a meeting held to redress the long pending issues of the nomadic communities in Mehsana, he instructed all his officials to resolve the matters ASAP, include them under the benefits of the Garib Kalyan Mela but that was it..instructions were given… but were they implemented upon???? 

The officials are working, but this too comes under their area of work, or doesn’t it?? The families haven’t applied for a car or a bungalow, they are asking for mere documents like a ration card, a small plot to build a small one room house!! And the officials aren’t shelling their personal fortunes to give away these families, the communities just need to be given the benefits of the scheme the government has formed for their benefits. 

Well for now we are hopeful that the Saraniya families will be allotted the plots, this hope has made us file the applications with the Mamlatdar. 

How we wish this families experience fairly tale endings in their lives…a fairy Godmother with her magic wand and her spell clears all the pending files and grievances of these communities!!!


VSSM દ્વારા સરાણિયા પરિવારોની દરખાસ્ત તૈયાર કરવામાં આવી

જુના દેવપુરામાં રહેતા સરાણિયા પરિવારોની પ્લોટની માંગણી કરતી અરજી કલેક્ટર કચેરીમાં કરી હતી. મામલતદારે હવે દરખાસ્ત તૈયાર કરીને આપવા કહ્યું છે. VSSMના કાર્યકર તોહીદ કહે છે. ‘દરખાસ્ત પાછળ સારો એવો ખર્ચ અને સમય જાય છે. લોકોને દરખાસ્ત જમા કરાવ્યા પછી એક આશા જન્મે છે કે હવે તો સ્થાયી અને પોતાનું સરનામું મળશે પણ પછી જ્યારે જુએ છે કે,દરખાસ્ત જમા કરાવે આઠ વર્ષ થયા હોય તેવા પરિવારો પણ છે જેમનું હજુ ઠેકાણું પડ્યું નથી. ત્યારે આ પરિવારો ખુબ નિરાશ થાય છે. આ સરાણિયા પરિવારોને પણ આશા બંધાઈ છે. આ આશા ઠગારી તો નહીં નિવડે ને?’

તોહીદ એક માત્ર નહીં પણ VSSMમાં કામ કરતા તમામ કાર્યકર હવે નિરાશામાં આવતા જાય છે. વહીવટીતંત્ર સાવ શીથીલ થઈ ગયું લાગે છે. ક્યાંક ખુબ સારા અધિકારી છે જે ત્વરાથી આ બધુ ઉકેલવા સૂચના આપે છે. આલોક કુમાર કલેક્ટર મહેસાણા ખુબ ભલા અધિકારી. એક બેઠક કરી તેમણે તેમના જિલ્લાના તમામ અધિકારીને વિચરતી જાતિના પ્રશ્નો તત્કાલ ઉકેલવા સૂચના આપી. તેમણે કહ્યું, ગરીબ કલ્યાણ મેળામાં આ પરિવારોને લાભ આપો આ ખરા લાભાર્થી છે. પણ ....

ખેર અધિકારીગણને ખુબ કામ છે પણ એ કામોની વચ્ચે એક કામ આ પણ છે. આ પરિવારો બંગલા, ગાડી નથી માંગતા એતો રેશનકાર્ડ કે રહેવા માટે નાની જગ્યા માંગે છે અને તે કોઈએ પોતાની મીલકતમાંથી કાઢીને તો નથી આપવાનું સરકારે તેમના માટે જોગવાઈ કરી છે તેમાંથી જ આપવાનું છે પણ...

સરાણિયા પરિવારોને પ્લોટ મળશે જ એ આશાએ પ્લોટ માટની દરખાસ્ત તૈયાર કરી મામલતદાર કચેરીમાં જમા કરાવી છે. નાના બાળકોની વાર્તામાં પરીના હાથણાં જાદુઈ છડી હોય છે જે ફેરવે અને ઈચ્છા કરે તે તમામ કામ થાય. એક પરી અધિકારીની કેબીનમાં આવીને એક છડી ફેરવી જાય અને આ પરિવારોની મનોકામના પૂર્ણ થઈ જાય એવું થાય એની રાહમાં....

ફોટોમાં દરખાસ્ત પુરી કરીને મામલતદાર કચેરીમાં જમા કરાવવા જવાનું કરતા સરાણિયા પરિવારો..